સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ

Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported

અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.

ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકતા આ આદેશને પરત લેવાનો પ્રયાસ થયો હતો. ગુજરાતની સરકારે પીછેહઠ કરવી પડી હતી.

3 જાન્યુઆરી, 2000. કેશુભાઈ પટેલ એ વખતે મુખ્ય મંત્રી હતા અને આ દિવસે તેમની સરકારે સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવાની છૂટ આપી હતી. આરએસએસની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં અને અમદાવાદમાં 7 જાન્યુઆરી, 2000થી ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો. 30,000 જેટલા આરએસએસ સ્વયંસેવકો આ રાજ્યકક્ષાના સમારંભમાં ઉપસ્થિત હતા.

ગુજરાત સરકારે ગુજરાત સિવિલ સર્વન્ટ કન્ડક્ટ રૂલ્સ, 1971માં સુધારો કર્યો હતો.

આ સમારોહમાં ખુદ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ આરએસએસનો ગણવેશ ખાખી ચડ્ડી પહેરીને આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી હાજરી હતા. ગવર્નર સુંદરસિંહ ભંડારી હતા.

કટોકટીકાળમાં જેલમાં ગયા હતા તેવા સંઘના સ્વયંસેવકોનો કેશુભાઈને આગ્રહ હતો કે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે. જેમાં અમૃતભાઈ કડીવાલા અને પ્રો. સુનીલભાઈ મહેતા જેવા સંઘના નેતાઓનો સમાવેશ થતો હતો.

ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તે વખતે દિવંગત નેતા હરેન પંડ્યા કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હતા. સુરતના સાંસદ અને વાજપેયી સરકારમાં મંત્રી કાશીરામ રાણાએ તથા અન્ય ભાજપના સાંસદોએ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારે આ રજૂઆતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી હતી. તે વખતે વાજપેયી સરકારમાં એલ. કે. અડવાણી ગૃહમંત્રી હતા. તેમના મંત્રાલયે ગુજરાત સરકારને વિવિધ કોર્ટના જજમૅન્ટ મોકલ્યા.

હરેન પંડ્યાએ આ જજમૅન્ટને ટાંકતા કહ્યું, આરએસએસની પ્રવૃત્તિઓમાં કશુ ગેરકાયદે જોવા મળ્યું નહોતું. 17 જૂન, 1999થી કામ કરી રહ્યા છે. અમે ગૃહ મંત્રાલય પાસે આ મામલે સ્પષ્ટતા માગી હતી. અમને 13 જુલાઈ, 1999ના રોજ જવાબ મળ્યો. જેમાં જસ્ટિસ બાહરીના ચુકાદાનો હવાલો આપીને કહ્યું હતું કે આરએસએસ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી.

બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી હતી ત્યારે પી. વી. નરસિમ્હારાવની તત્કાલિન સરકારે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પર ફરી પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામેની તપાસ માટે આ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવામાં આવી હતી.

આ ટ્રિબ્યુનલના જજ જસ્ટિસ પી. કે. બાહરી હતા. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રતિબંધ યથાવત્ રાખવાનો અને આરએસએસ તથા બજરંગદળ પરના પ્રતિબંધને હઠાવી લેવાનો ચુકાદો આપ્યો હતો.

સરકારના આ નિર્ણયનો વિપક્ષ કૉંગ્રસે જોરદાર વિરોધ કર્યો. તેમના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેશુભાઈની સરકાર કર્મચારીઓનું ‘ભગવાકરણ’ કરી રહી છે.

એક સમયે આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા અને બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને નવી પાર્ટી ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’ બનાવી કૉંગ્રેસની મદદથી મુખ્ય મંત્રી બનનારા શંકરસિંહ વાઘેલા તે સમયે કૉંગ્રેસમાં આવી ગયા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે આ સરકાર આરએસએસના આદેશ પર ચાલે છે. કેશુભાઈ અને તેમના મંત્રીમંડળના સાથીઓ સંઘી હતા. સંઘનો પડ્યો બોલ ઝીલતા હતા.

કર્મચારીઓને વ્યક્તિગત લાભ મળે, પ્રમોશન મળે. ન સામેલ થનારા સાથે ભેદભાવ થાય. સરકારનો ઉપયોગ આ પ્રકારે ન થવો જોઈએ. લોકોએ પણ વિરોધ કર્યો હતો. ભાજપના કેટલાક નેતાઓને સંઘની નજર બંદી પસંદ ન હતી. જેમાં ઉત્તર ગુજરાતના નેતા લેખરાજ બચાણીનો પણ સમાવેશ થતો હતો.

ગિરીશ પટેલ અને હારૂનભાઈ મહેતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને આ નિર્ણયને રદ કરવાની વિનંતી કરી.
કે. આર. નારાયણન રાષ્ટ્રપતિ હતા. તેમણે નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો. વાજપેયી સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે તેમને સંતોષજનક જવાબ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં સિવિલ સોસાયટીના કર્મશીલોએ રેલીઓ કરી. ‘મૂવમૅન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રેસી’એ રાજ્યપાલને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા કેશુભાઈ પટેલની સરકાર પર દબાણ કરવાની વિનંતી કરી.
મીનાક્ષીબહેન જોશી, દ્વારકાનાથ રથ હતા. પણ હતા. ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાને મળ્યાં હતાં અને તેમને પણ આ નિર્ણય પરત લેવાની રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારનો જાહેર વહીવટ કોમવાદથી ગ્રસ્ત થશે તેવો ભય હતો. કર્મચારીઓમાં ભાગલા પાડવાનું કામ કર્યું. જે કર્મચારી સંઘ સાથે નહીં હોય તે ભાજપના દબાણ અને ભય હેઠળ રહેશે અને જે સંઘ સાથે છે તે લાભ મેળવશે જેને કારણે વહીવટી તંત્ર પ્રજાનો વિશ્વાસ ગુમાવશે. લઘુમતિ દ્વિતિય કક્ષાના નાગરિકો બનીને રહી જશે.

ગુજરાતમાં તેના વિરોધની બહુ અસર નહોતી પરંતુ કેન્દ્ર સરકાર સામે વધારે હતી. વિપક્ષે આ મામલાને સંસદમાં બહુ જોરશોરથી ઉછાળ્યો હતો.

ઘણા સરકારી કર્મચારીઓ સંઘની શાખામાં જાય છે. સંઘના કાર્યક્રમમાં જવાની છૂટ આઈએએસ અને આઈપીએસ તથા ગુજરાતમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ન હતી.

લાલકૃષ્ણ અડવાણીએ રાજ્યસભામાં આ મામલે જવાબ આપતા કહ્યું, “કેન્દ્ર સરકારના કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિમાં સામેલ થવા માટે છૂટ આપવાની વાજપેયી સરકારની કોઈ યોજના નથી.”

ગુજરાત સરકાર માટે અડવાણીએ જવાબ આપ્યો, “ન સહમતિ હતી, ન સ્વીકૃતિ.”

વાજપેયીની એનડીએ સરકાર સાથીપક્ષો પર નિર્ભર હતી. છતાં વાજપેયીએ ગુજરાત સરકારના નિર્ણયનો બચાવ કરતા સૌપ્રથમ એવું નિવેદન આપ્યું કે આરએસએસ તો સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે. તે પૈકીના મુખ્ય સાથીપક્ષ ડીએમકેને આ નિર્ણયને કારણે સૌથી વધુ મુશ્કેલી હતી. તે વખતે ડીએમકે એનડીએ સાથે હતો. ડીએમકેના તત્કાલિન પ્રમુખ એમ. કરુણાનિધિએ વાજપેયી સમક્ષ પોતાનો વાંધો રજૂ કર્યો હતો. કરૂણાનિધિના વાંધા બાદ વાજપેયીના સૂર બદલાઈ ગયા હતા.

જ્યારે આ મામલે ગૃહની કાર્યવાહી વારંવાર ખોરંભે ચડવા લાગી ત્યારે અડવાણીએ કહ્યું કે ‘ફેડરલ સ્ટ્રક્ચર પ્રમાણે ગુજરાત સરકાર આ નિર્ણયને પાછો લે છે કે નહીં તે માટે તે સંપૂર્ણ સ્વતંત્ર છે અને તે માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર કોઈ દબાણ નહીં કરી શકે.’

સરકારી કર્મચારી પ્રજાના પ્રતિનિધિ હોય કોઈ રાજકીય પક્ષના નહીં. જનતા ટૅક્સ ચૂકવે છે તેમાંથી તેમને પગાર મળે છે. સંઘમાં જતા મળતિયા કર્મચારીઓને ફાયદો પહોંચાડવાનો અને સંઘમાં ન જાય તેની સાથે પક્ષપાત કરવાનો આ કારસો હતો.

સંસદ પર જે રીતે હોબાળો થતો હતો અને સાથીપક્ષોનું દબાણ વધતું હતું તે જોતા કેશુભાઈ પટેલ પર પણ દબાણ વધ્યું.

વાજપેયીની એનડીએ સરકાર સાથીપક્ષોની મદદથી ચાલતી હતી. તેમાં સમતા પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને ડીએમકે તથા તેલુગુ દેશમ્ પાર્ટીએ તેમની નારાજગી વ્યક્ત કરી. જેને કારણે વાજપેયીએ બૅકફૂટ પર આવવું પડ્યું.

સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું હતું. લોકસભામાં નાણામંત્રી યશવંત સિંન્હાએ 28 ફેબ્રુઆરીના રોજ આર્થિક સર્વે અને બીજે દિવસે બજેટ રજૂ કર્યું.

કૉંગ્રેસે ગૃહમાં આ મુદ્દે રુલ 184 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરી. સત્તાપક્ષ ચર્ચા માટે તૈયાર હતો પરંતુ તેણે રુલ 191 અંતર્ગત ચર્ચાનો આગ્રહ રાખ્યો. 184 અંતર્ગત ચર્ચા સાથે મતદાન હોય છે એટલે ભાજપ એ ટાળવા માગતો હતો. એનડીએ સરકારની રાજ્યસભામાં બહુમતિ નહોતી એટલે મતદાન થાય તો વાજપેયી સરકારને તકલીફ થાય એમ હતી.

ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન ત્યારે સંસદીય કાર્યમંત્રી હતા. તેમણે મેદાનમાં આવીને આ કટોકટીને ઉકેલવાના પ્રયાસો શરૂ કરી દીધા.

ભાજપમાં આ મામલે ચર્ચા થઈ. ભાજપે તેમના બે મહાસચિવ- કે. એન. ગોવિંદાચાર્ય અને વેંકૈયા નાયડુને ગુજરાત મોકલ્યા.

આખરે કેશુભાઈ પટેલે સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવાની આપેલી છૂટ પરત ખેંચી લીધી હતી. રાજકીય મજબૂરી હતી.

સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો છતાં સંઘનો વિસ્તાર વધ્યો છે.

વિપક્ષ ગુજરાતને સંઘ પરિવારની પ્રયોગશાળા માને છે. ભાજપ એ સંઘની અનધિકૃત રાજકીય પાંખ છે. એટલે સંઘ માત્ર સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે એવું કહેવું બહાનું છે.