અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમાર પડશે,

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી રેશનીંગની દુકાન પરથી ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અનેક સ્થળે સડેલું ધનેડા પડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. જે રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. સરકારી ગોડાઉનમાં ત્રણ માસ જૂનો દાળનો જથ્થો પડ્યો હતો. નવો જથ્થો આવતાની સાથે જૂનો જથ્થો પણ સામેલ કરી દેવાયો હતો. તાલુકામાં રેશનીંગની દુકાનોમાં નવા અને જૂના જથ્થાની દાળ મિક્સ કરી લોકોને વિતરણ કરાઈ હોવાની માહિતી સામે આવી છે. જૂનો માલ કાર્ડ ધારકોને પધરાવી નવા જથ્થાની દાળ અમુક તત્ત્વો હજમ કરી જવાની પેરવીમાં હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ભાજપની રૂપાણી સરકારનું આ સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. જે ગરીબોને આપીને તેના આરોગ્ય સાથે રૂપાણીની સરકાર ચેડાં કરી રહી છે. ગુજરાત 46,290 ક્વિન્ટલ અનાજ ગોડાઉનોમાં ખરાબ થઈ જાય છે. જે પણ એક મોટું કૌભાંડ છે. આ સડેલું અનાજ લોકોને આપીને તેના પર બીજું કૌભાંડ રૂપાણી સરકારમાં થયું છે. 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થયો છે.

75 લાખ કિલો આવી દાળ રાજ્યમાં આપવામાં આવી છે. રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુજરાતે વિક્રમ તો સ્થાપ્યો છે પણ તે બદનામી વધું ઊભી કરી રહ્યો છે.

કચ્છના રાપર તાલુકામાં પણ તમામ રેશનીંગની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, ચણાદાળ આપવામાં આવી રહી છે. ચણાદાળ પ્લાસ્ટીકના એક એક કિલોની પેકીંગમાં આપવામાં આવી રહી છે. પેકેટ ખોલતા તેમાંથી ધનેડા નામની જીવાત નિકળી રહી છે. તંત્ર આ બાબતે તપાસ કરે તે જરૂરી છે.

ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને જે તે તાલુકા મામલતદારને ફરિયાદ કરી છે. તાત્કાલીક ધોરણે આ ચણા દાળ વિતરણ બંધ કરાવી દેવા માંગણી કરી છે. લોકો કોરોનાથી કચ્છમાં બિમાર નથી પડ્યા તે આ સડેલા અને જીવાતથી ખદબદતા દાળ અને અનાજથી પડશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા કોરોના વાયરસનાં રોગચાળાના સમગ્ર દેશમાં અને રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રોજેરોજનું કમાઈને ખાતા ગરીબ પરીવારોને મુશેકલી છે.

નર્મદા

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં નિયમ કરતા ઓછું અનાજ અપાતું હોવાની બુમો ઉઠી છે. દુકાનદારો અને અધિકારી ઓ આદિવાસીઓને છેતરે છે. નિયમ કરતા 50% ઓછું અનાજ આપે છે. નર્મદા જિલ્લા કલેકટર આ મામલે તપાસ કરે એવી આદીવાસીઓની માંગ છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથાસર અને પાટવાલી ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ઓછા અનાજની ફરિયાદ લઈને એક વિધવા મહિલા ત્યાં બેઠી રડતી હતી. બાદમાં અમે ડેડીયાપાડા તાલુકાના પ્રાંત અધિકારી,મામલતદાર,નાયબ મામલતદાર નો ટેલિફોનિક સંપર્ક કર્યો. એક ટિમ અમારા ગામમા આવી અને ગ્રાહકોની સામે જ અનાજ તોલાવ્યું ત્યારે નિયમ કરતા લગભગ 50% અનાજ ઓછું અપાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસ ટીમના અધિકારીઓ એ પંચકેસ કરી ઉપલી કક્ષાએ રિપોર્ટ પણ કર્યો હતો.

અગાઉ પણ જે ગ્રામજનોને અનાજ આપ્યું હતું એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું. અમારા ગામમા તો ઘણા સમયથી આવું જ ચાલે છે. અનાજ અપાયું એની ગુણવત્તા બિલકુલ ખરાબ છે. છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં ખરાબ અનાજ આવે છે તથા મોટા ભ્રષ્ટાચારો થાય છે.

સુરત

સુરત ભાજપના સાંસદ સી આર પાટીલની કચેરીમાં જ સરકારી અનાજ ઉતારવામાં આવતું હતું. એતો ઠીક પણ તેમની કચેરી બહાર ટ્રક દ્વારા અનાજ ઉતારવામાં આવી રહ્યું હતું તે ગાડીમાં ભરીને બારોબાર લઈ જવાનું કૌભાંડ મહિલાઓએ જ જાહેર કરી દીધું છે. જેમાં ભાજપના નેતા અને નરેન્દ્ર મોદીની તદ્દન નજીક રહેલાં સુરત-નવસારીના સાંસદ સી આર પાટીલ આ રીતે કૌભાંડ કરતાં રંગે હાથ મહિલાઓએ વિડિયો ઉતારીને પકડી પાડ્યા છે.

અમદાવાદમાં અનાજની ક્વોલિટિ જોઇ કાર્ડધારકો રોષે ભરાયાં

કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્યમાં આજે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજની ક્વોલિટી જોઇ કાર્ડધારકો રોષે ભરાયા છે. પશુ ન ખાય તેવા અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે. દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોનો હોબાળો

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોએ હોબાળો કરીને વિરોધ કર્યો છે. રાશન ન મળતાં કાર્ડ ધારકોએ હોબાળો કર્યો છે. કલેકટર કચેરીએ બહાર 100થી વધુ લોકો એકઠા થઈને હોબાળો કર્યો છે. સરકારે આજથી અનાજ વિતરણની જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગરમાં  ખરાબ અનાજ વિતરણ મામલે કલેકટર કચેરીમાં હોબાળો

નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ ૨૦૧૪માં અમલમાં આવ્યો એ પહેલાં રાજ્યમાં ૧.૧૦ કરોડ કાર્ડધારકો હતા, એનએફએસએલ અમલમાં આવ્યા પછી ૪૪-૪૫ લાખ કાર્ડધારકો હવે પુરવઠો મેળવવાને લાયક રહેતા નથી. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીએ પહેલાં ૬૬ લાખ કાર્ડધારકોને મફત અનાજ આપવાની વાત કરેલી તે બરાબર હતી, પણ બાદમાં એમણે બીપીએલ, એપીએલ બધાંને અનાજ આપવાની રાજકીય વાત કહી, એમાં લોચો થયો હતો, જેના કારણે રદ થયેલા ૪૪-૪૫ લાખ કાર્ડધારકો સમજ્યાં કે અમનેય પુરવઠો મળવાનો છે,

અમરેલી
અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં ધારાસભ્યો પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા.

દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગોડાઉનોમાં સડી જતું અનાજ

દેશમાં દરરોજ લગભગ વીસ કરોડ લોકો ભૂખ્યા રહે છે અથવા તો જરૂર કરતા ઓછું ભોજન કરી શકે છે. એટલું જ નહીં. 821 બાળકો દરરોજ પુરતું ભોજન નહીં મળવાને કારણે જિંદગી ગુમાવી રહ્યા છે. યુએનના કૃષિ અને ખાદ્ય વિભાગના આંકડા મુજબ આ વર્ષે ભારતમાં અત્યાર સુધીમાં 4640 ક્વિન્ટલ અનાજ ખરાબ થયું છે. ભારતમાં 237.40 કરોડ ક્વિન્ટલ અનાજનું કુલ ઉત્પાદન થાય છે. જેમાં ખેતરથી ભંડારણ વચ્ચે 12.64 કરોડ ક્વિન્ટલ અનાજ ખરાબ થઈ જાય છે. અનાજની બરબાદીના આંકડા મુજબ આવા ટોપ-10 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ એક લાખ 54 હજાર 810 ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમાંકે છે. જ્યારે એક લાખ બાર હજાર 640 ક્વિન્ટલ સાથે મહારાષ્ટ્ર બીજું, 82 હજાર 10 ક્વિન્ટલ અનાજની બરબાદી સાથે બિહાર ત્રીજું, 72 હજાર 780 ક્વિન્ટલના આંકડા સાથે ઓડિશા ચોથું અને 61 હજાર 310 ક્વિન્ટલના અનાજની બરબાદીના આંકડા સાથે જમ્મુ-કાશ્મીર પાંચમું છે. જ્યારે છઠ્ઠા સ્થાને આંધ્રપ્રદેશમાં 49 હજાર 680 ક્વિન્ટલ, અનાજની બરબાદીમાં ગુજરાત 46 હજાર 290 ક્વિન્ટલ સાથે સાતમા સ્થાન, ઉત્તરાખંડ 34 હજાર 580 ક્વિન્ટલના અનાજની બરબાદી સાથે આઠમું, પંજાબ 32 હજાર 800 ક્વિન્ટલની અનાજની બરબાદી સાથે નવમા સ્થાને છે. જ્યારે ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ અનાજની બરબાદીના 24 હજાર 490 ક્વિન્ટલના આંકડા સાથે દશમા સ્થાને છે.