રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અવાજ ઉઠાવો

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020

ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે  અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ,  ઉમરેઠ અને બારડોલીમાં ૧-૧ રેલ્વે ઓવરબ્રિજ તેમજ વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં ૨-૨ ઓવરબ્રિજ બનશે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે આ રેલ્વે ઓવરબ્રિજ તેમજ  રેલ્વે અંડરબ્રિજના કામો માટે મંજુરી આપી છે.

ગુજરાતમાં 1008 રેલવે ફાટક છે.  પણ રૂપાણી માટે શરમજનક એ છે કે ગુજરાતમાં રેલવે ફાટક પર મરી રહ્યાં છે. તેઓ ફાટક મુક્ત ગુજરાતની વાતો કરે છે. પણ તે માટે રૂ.50,000 કરોડની જરૂ પડે તેમ છે. ગુજરાત સરકાર તે થોડા વર્ષોમાં બાનવી શકે તેમ નથી. લોકોને ભાજપ સરકાર મૂર્ખ બનાવી રહી છે. પહેલા તો સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહીને ગુજરાતમાં 361 ફાટક એવી છે જ્યાં ફાટક મેન નથી. પહેલાં ત્યાં મૂકાવો પછી પુલની વાત કરો. નરેન્દ્ર મોદી કરતાં તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગે ગુજરાતમાં ફાટક અંગે સારી કામગીરી કરી હતી. હવે રૂપાણીએ નરેન્દ્ર મોદી સામે અવાજ ઉઠાવવા શિવાય કોઈ વિકલ્પ નથી. પણ તેઓ નરેન્દ્ર મોદી સામે આંખ મિલાવી શકતા નથી ત્યાં તેમની સામે અવાજ તો ઉઠાવી શકે તેમ નથી. કારણ કે રૂપાણી અમિત શાહના અંગુઠાછાપ મુખ્ય પ્રધાન છે.

રૂપાણી માટે શરમ

ગુજરાત દેશમાં સૌથી માનવ રહિત ફાટક ધરાવે છે તેતી 18 હજાર અકસ્માતમાં 8 હજાર લોકો મોતને ભેટેલા છે.

ગુજરાતમાં માનવરહિત રેલવે ક્રોસિંગના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં 361  માનવરહિત રેલવે ક્રોસિંગ હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં 2020માં જાહેર થયું છે. ભારતમાં 1048 માનવરહિત રેલવે ક્રોસિંગ છે. ગુજરાત દેશમાં સૌથી મોખરે હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 192 મીટર ગેજ અને 169 નેરોગેજ મળીને 361 માનવરહિત રેલવે ક્રોસિંગ છે.

ગુજરાતમાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતની 18,414 બનાવ નોંધાયા હતા. જેમાં 8 હજારથી વધારે લોકોના મોત થયા હતા. 18 હજારથી વધારે લોકોને ઈજા થઈ હતી.

અમદાવાદમાં માનવરહિત રેલવે ક્રોસિંગમાં નોંધાયેલી 1617 ઘટનામાંથી 373ના મૃત્યુ થયા હતા. જ્યારે રાજકોટમાં 202, સુરતમાં 318, વડોદારામાં 182 વ્યક્તિએ માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

સવારે 8થી સાંજના 7 કલાક સુધી માનવરહિત રેલવે ક્રોસિંગ ઉપર સૌથી વધારે અકસ્માત થાય છે.

37 બ્રિજ ઓછા

નવેબર 2019માં રાજ્ય સરકારની ફાટકમુક્ત-ગુજરાતની યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રેલવે ફાટક ઉપર ૩૭ ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાના હતા. ૫ રેલવે ઓવરબ્રિજ અને ૧૦ રેલવે અન્ડરપાસ મંજૂર કર્યા હતા. તે ઓછા છે.

એકલા અમદાવાદમાં જ ૭ રેલવે ઓવરબ્રિજ તથા ૧૪ રેલવે અન્ડરપાસ બનાવવાના થાય છે, જે પૈકી ૧૫ પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. ૫૦ ટકા નાણાં રાજ્ય સરકાર આપશે અને ૫૦ ટકા રકમ મહાનગર પાલિકાએ કાઢવાની રહેશે.

અમદાવાદ

નવેબર 2019માં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રૂ. ૪૩૧.૭૭ કરોડના ખર્ચે કુલ ૨૪ રેલવે ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ હતી.

સાબરમતી ડી-કેબિન, હેબતપુર-થલતેજ, વંદે માતર, ઋતુ બંગલો ન્યૂ રાણીપ-ગોતા અને નવા વાડજ-નારણપુરા વચ્ચે અગિયારસી મંદિર ખાતે અન્ડરપાસની યોજનામાં રેલવે તંત્રએ નાણાં ફાળવવાની ના પાડી દીધી છે. રાજ્ય સરકારે ૧૦૦ ટકા પોતાના ખર્ચે અહીં અન્ડરપાસ બનાવવાનું નક્કી કર્યું હતું.

આવું વલણ બીજા વિસ્તારો માટે લેવાતું નથી. બીજા શહેરોની આવી હાલત છે. છતાં નરેન્દ્ર મોદી સામે રૂપાણી અવાજ કરી શકતા નથી.

નવેબર 2019માં રેલવે અન્ડરપાસ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં વટવા, વિંઝોલ, વંદે માતરB, ગોતા – ત્રાગડ-છારોડી, ઉમાભવાની, ચાંદખેડા – IOC, ચાંદખેડા   – સાબરમતી, ડી-કેબિન- હેબતપુર, થલતેજ  – વંદેમાતરB, ઋતુ બંગલો, ગોતા  – અગિયારસી મંદિર, નારણપુરા   – જલારામ મંદિર, પાલડીનો સમાવેશ થાય છે. બીજા 26 પુર અમદાવાદ બહાર બનાવવા પડે તેમ છે.

1006 ફાટક પર ગેટ મેન

અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં ૧૦૦૬ ગેટમેનો છે. ગેટકીપર તરીકે સાથે નોકરી કરતા કર્મચારી ક્યારેક ન આવે ત્યારે ૨૪ કલાકની નોકરી કરવી પડે. આ સંજોગોમાં પૂરતા આરામના અભાવે રાત્રીના સમયે આંખ મીંચાઇ જવાનો ભય રહે છે. ઝોકું આવી જતાં ટ્રેન ફાટકે ઉભી રહી ગઇ હોવાના બનાવો બને છે.

ટ્રેનના હોર્ન ગુજરાતમાં સૌથી વધું વાગે છે

ટ્રેન ડ્રાઈવર માટે નિયમ છે કે જ્યાં માનવ રહિત ફાટક હોય ત્યાં ટ્રેનનો પાવો ( વ્હીસલ- હોર્ન) વગાડવો. ગુજરાતમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો ટ્રેનમાં સતત હોર્ન વાગતું રહે છે. ટ્રેનમાં આખી રાત પાવો વાગે છે. સમગ્ર દેશમાં ગુજરાત જ એવું પછાત રાજ્ય છે કે જ્યાં રેલવેની ફાટક સૌથી વધારે ખૂલ્લી રહે છે. કારણ કે ફાટક ઉઘાડ બંધ કરનારને નોકરીએ રાખવામાં આવતાં નથી.

પૂર્વ પડાપ્રધાન મનમોહન સીંગની સારી કામગીરી

ઉત્તર પ્રદેશમાં 1112 ફાટક, બિહાર 809, રાજસ્થાન 805, તામિલનાડુ 444, પશ્ચિમ બંગાળ 429, મધ્ય પ્રદેશ 382, મહારાષ્ટ્ર 268 અને કર્ણાટકામાં 253 ફાયકો માણસ વગર છે. જેમાં ગમે ત્યારે ટ્રેન આવે અને અકસ્માત થઈ શકે છે. 2003માં ગુજરાતમાં 4026 ફાટક ખુલ્લી હતી. કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહે મહેનત કરીને તે 1800 સુધી લાવ્યા હતા. પણ હાલની ભાજપ સરકાર આવી અને ગુજરાતે વડાપ્રધાન આપ્યા છતાં રેલ મંત્રી પીયુષ ગોયેલે કંઈ જ કર્યું નથી. બુલેટ ટ્રેન કરતાં લોકોની સલામતી વધારે મહત્વની છે.

17 જુલાઈ 2019માં ગુજરાતના શહેરોમાં 3 વર્ષમાં 75 ફ્લાયઓવર, 37 રેલવે ફાટક ઉપર પૂલ બનાવવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 21 મળીને કુલ 75 ફ્લાય ઑવર તથા 37 રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ- અંડરપાસ બનાવવાની જાહેરાત કરી હતી.

મોરબીમા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ત્રણેય રેલવે ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી આપી હતી.

16 ફેબ્રુઆરી 2017માં સરકારે જાહેર કર્યું હતું કે, સરકાર બનાવશે 53 રેલવે ઓવરબ્રિજ, 88 અંડરબ્રિજ બનાવશે.

શકુંતલાબેન ગજ્જર ગેટવુમન છે, રૂપાણી માટે પ્રેરણારૂપ છે

ગુજરાતના સિદ્ધપુર કાકોશી ફાટક પર એકમાત્ર શકુંતલાબેન ગેટવુમન તરીકે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. પતિના મૃત્યુબાદ પરિવારના બે પુત્ર અને બે પુત્રીની જવાબદારી નિભાવવા તેમણે આ પડકારરૂપે કામગીરી સ્વીકારી હતી. જેની ફરજનિષ્ઠાને રેલવેવિભાગે પણ બિરદાવીને તેઓને પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

મુખ્ય પ્રદાન વિજય રૂપાણીએ પોતાના ગુજરાત માટે કેન્દ્રની મોદી સરકાર સામે લડવા માટે આ કિસ્સો અનુકુળ છે.

18 ઓક્ટોબર 2018માં શહેરોમાંથી પસાર થતી ટ્રેનો માટે પુલ બનાવી રેલવે ફાટક મુક્ત કરવાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર ખાતે જાહેરાત કરી હતી. જે શહેરોમાંથી રેલવે લાઇન પસાર થતી હોય તેવા રેલવે ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બનાવી સમગ્ર રાજ્યને રેલવે ફાટક મુક્ત બનાવવાની જાહેરાત કરી હતી. આવું તેઓ 2016થી કહી રહ્યાં છે. શું થયું ?

દિલીપ પટેલ, અમદાવાદ