સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે લોકડાઉનમાં લોકોને મદદ કરી લોકોએ ટ્રસ્ટને મદદ કરી

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી જરૂરીયાત મંદો, ઘર વિરોણા લોકોને લોકડાઉનમાં ફુડ પેકેટ તેમજ ભોજન તથા કીટ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી . ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પ્રભાસ પાટણ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરીયાત મંદોને એક ટાઈમનું ભોજન આપવાનું શરૂ કર્યું હતું .

લીલાવતી ગેસ્ટ હાઉસને કવોરન્ટાઈન માટે જીલ્લા વહીવટી તંત્રને ફાળવી દેવામાં આવ્યું હતું . કવોરન્ટાઈનમાં રાખેલા  ૧૨૫ યાત્રિકોને ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં રાખી તે તમામને ચા , નાસ્તો , ભોજન વ્યવસ્થા કરી આપવામાં આવી હતી .

દાતાઓ દ્વારા આ માટે દાન પણ મળ્યું છે . જેમાં યોગેશભાઈ પુજારાએ  ૧ , ૫૧ , ૦૦૦  , રેખાબેન રાવ , અમદાવાદ દ્વારા રૂા . ૧ , ૧૧ , ૦૦૦  તથા કરશનભાઈ પટેલ  અમદાવાદ તરફથી રૂા . ૧ , ૦૧ ,000 નું દાન જાહેર કરવામાં આવ્યું છે .

કોરોના વાઈરસની મહામારી દરમ્યાન ટ્રસ્ટના મંદિરો , અતિથિગ્રહો , તમામ કેમ્પસોને સેનીટાઈઝ કરવા માટે ઈન્ડીયન રેયોન કંપની વેરાવળ દ્વારા 1000 લીટર કેમીકલ પણ ટ્રસ્ટને વિના મુલ્ય આપ્યું છે .