વર્ષે સિવિલ હોસ્પિટલના સ્ટેટ ટી.બી. સેન્ટરમાં 30 હજાર સ્ટેશીમેનના ટેસ્ટ

State T.B. of Civil Hospital this year. Test of 30 thousand stationmen in the center
ગાંધીનગર, 27 માર્ચ 2021
દેશમાં ૨૦૨૫ સુધીમાં ટી.બી.ની જળમૂળથી નાબૂદી કરાશે. ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં ટી.બી.ને નેસ્તાનાબૂદ કરાવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
અમદાવાદની સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (STDC)ના ડાયરેક્ટર ડૉ. પ્રણવ પટેલ કહે છે. ૩૦ હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન (ગળફાની તપાસ) સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અત્યાધુનિક હાઇ-ટેક મશીનરીઓના ઉપયોગી આવા દર્દીઓને ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં૧ લાખ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઇને રાજ્ય સરકાર દ્વારા ઉપલ્બધ કરાવેલ અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત CB-NAAT (Cartridge based nucleic acid amplification test) અને TRUENAT મશીનમાં ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વર્ષે ગંભીર ટી.બી. રોગની સ્થિત ઘરાવતા ૩૫૦૦ જેટલા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી અસરકારક દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટી.બીના દર્દીઓને મહિને ૫૦૦ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.