Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

બીટકોઈન કેસમાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે રૂ.પાંચ કરોડ ની ખંડણ...

અમદાવાદ,તા.8. ગુજરાતના બહુચર્ચિત સુરત બિટકોઈન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સામે રૂપિયા 5 કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ નાયરે બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને સીબીઆઈ ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી કે, તમે કરોડો રૂપિયાના કાળા નાણાં...

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

મંદી; માણેકચોક સોની બજારમાં તાળા વાગી રહયા છે 

અમદાવાદ,તા:08 મોદી સરકાર દ્વારા લદાયેલો ગેરવ્યાજબી જીએસટી અને નોટબંધીની  ગંભીર મંદીની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક સોની બજારમાં  જોવા મળી રહી છે.વીટમ્બણાભરી વાત એ છે કે   સોના-ચાંદીનો ભાવ આકાશ આંબી રહો છે ત્યારે માણેકચોક બજારમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓ  સમય વ્યતીત કરી રહયા છે !!  અને કેટલીક પેઢીઓ-દૂકાનોમાં તો તાળા પણ વાગી ગયા છે. આ અંગે ...

ગુજરાતથી ઉત્તર ભારત જતી બે ટ્રેન આંશિક અને બે ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કર...

અમદાવાદ, તા. 08 વિશ્વની સૌથી મોટી રેલ સેવા ધરાવતી ભારતીય રેલવેની કામગીરી વધુ સુદ્રઢ અને સરળ બને તે હેતુસર તેમ જ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે આધુનિક ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વખતોવખત જે તે વિભાગની રેલવે લાઈનની મરામ્મતની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભે 15મી નવેમ્બર 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી ઉત્તર ભારતમાં 90 દ...

ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...

અમદાવાદમાં છ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૭ અમદાવાદમાં ચોમાસાની મોસમ પુરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે.શહેરમાં આ માસના પહેલા છ દિવસમાં જ ડેન્ગ્યૂના ૧૭૦ કેસ નોંધાતા અમપા હેલ્થ વિભાગ દોડતુ થઈ ગયુ છે.પુરા થયેલા ઓકટોબર માસમાં માત્ર ડેન્ગ્યૂના જ કુલ ૧૨૦૯ જેટલા કેસ નોંધાયા હતા. આ અંગે અમપાના હેલ્થ ઓફીસર ભાવિન સોલંકીએ માહીતી આપતા કહ્યુ કે,નવેમ્બરમાં છ દિવસમાં મેલેરિયાના ...

કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ લાઈટબિલ 50 લાખ, એકમાત્ર એસવીપીનું 1.5 કર...

અમદાવાદ,તા:07 અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધા માટે મસમોટો વેરો ચૂકવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના મહાનુભાવો તેમના અંગત સ્વાર્થ માટે તેનો સરેઆમ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રજાનાં નાણાંથી બારે મહિના દિવાળી ઊજવે છે. રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવામાં આવી છે, જેના માટે બે હજાર ટનનું ...

અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...

અમદાવાદ, તા.૦૭ ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...

ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...

અમદાવાદ, તા.11 આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...

બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર

અમદાવાદ, તા. 8.  શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...

અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી

જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...

અમદાવાદ શહેરમાં નવા પાંચ વોર્ડ વધશે કોર્પોરેટરની સંખ્યા ૨૧૦ને પાર પહોં...

અમદાવાદ,તા.૭ ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. અમદાવાદ શ...

જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો

અમદાવાદ, તા. 8. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું

અમદાવાદ,ગુરૂવાર ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...