Tag: અમદાવાદ
ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે
અમદાવાદ, તા.૧ દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે. સ્થાયી સમિતિના અ...
અર્થતંત્રને ઘેરી રહેલી મંદીઃ વેપાર ઉદ્યોગો થકી થતી વેરાની આવકમાં ઘટાડો...
અમદાવાદ,તા.01 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સની આવકમાં વધારો કરવા માટે હવાંતિયા મારી રહી છે. 2019-20ના નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં સરકારની આવકમાં અપેક્ષા પ્રમાણે વધારો થયો ન હોવાથી સરકાર બેબાકળી બની ગઈ છે. આ સંજોગોમાં શેરબજારને ટકાવી રાખવાના મરણિયા પ્રયાસ રૂપે સરકાર શેરબજારના વહેવારો પણ વેરામાં રાહત આપશે તેવી વાતો વહેતી કરી દેવામાં...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01 અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
લાભ પાંચમ નિમિત્તે પૂજા કરી ધંધાનું મુર્હુત કર્યું
અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી ર...
અમિત શાહના પૂત્ર જય શાહનો ધંધો વધીને 116 કરોડ થયો
અમદાવાદ, તા. 02 કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થ...
અમદાવાદ પૂર્વમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ
અમદાવાદ, તા.1 શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોની હારમાળા યથાવત્ રહેવા પામી છે. જેમાં 12 કલાકના સમયગાળામાં બે યુવકોની હત્યાના બનાવ બન્યા છે. જેમાં ભાઈના સસરા, સાળા સહિતના ચાર શખ્સોએ યુવક પર હુમલો કરતાં તેને બચાવવા ગયેલા બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેતાં એકનું મોત નીપજયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી...
માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ
દેશના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની મહિલા પોલીસની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરાવી હતી.
કર્મચારીઓને ગ્રેચ્યુઈટી પાંચને બદલે એક વર્ષ બાદ ચૂકવવા સરકારની વિચારણા...
અમદાવાદ,તા.31 કેન્દ્ર સરકાર કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી દાખલ કરીને ગ્રેચ્યુઈટી પાંચ વર્ષ બાદ જ આપવાનો નિયમ બદલીને એક વર્ષનો કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ સિક્યોરીટી માટેનું વિધેયક સંસદના શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે સરકારે ગ્રેચ્યુઈટી માટેની પાત્રતા માટે એક વર્ષની મુદત કરવાને મુદ્દે હજી સુધી ...
અંજલીતાઈ તમે મુખ્યમંત્રીના સરકારી કામકાજથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન ...
અંજલીતાઈ નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલમુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ...
દિવાળી દરમિયાન ૧.૨૯ લાખ મુલાકાતીઓએ કાંકરીયા લેકફ્રન્ટની મજા માણી
અમદાવાદ,તા.૩૧
શહેરના દક્ષિણઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટની દિવાળીના પર્વ દરમિયાન ૧.૨૯ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈ ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ,કીડસ સિટી અને બટરફલાય પાર્કની મજા માણી હતી.દરમિયાન અમપાને રૂપિયા ૨૫ લાખથી વધુની આવક થવા પામી છે. લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈના રોજ બનેલી રાઈડની દુર્ઘટના બાદ હજુ પણ મોટી રાઈડ બંધ છે,મીની ટ્રેન પણ મેઈન્ટેનન્સના ...
એલએનજીના પ્રોજેક્ટમાં વિલંબ છતાં સરકારની કૃપાથી સ્વાન એનર્જીને કોઈ જ દ...
અમદાવાદ,તા.31 ગુજરાતમાં જાફરાબાદ ખાતે રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આયાતી લિક્વિડ એલએનજીને ગેસના સ્વરૂપમાં રૂપાંતરિત કરી આપતો એલએનજીનો પ્રોજક્ટ પૂરો કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મરચન્ટ દ્વારા અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવા છતાંય તેને માથે સરકારના ચાર હાથ હોવાથી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી રહી નથી. બીજી તરફ તેનો પ્રોજેક્...
અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ પુર્ણ થશે
અમદાવાદ,તા.૩૧ અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં વસતા એ સમયના નગરશ્રેષ્ઠીઓ દ્વારા સ્થાપના કરાઈ હતી.બાદમાં શહેરના બાળકો વ્યાજબી ફી સાથે અભ્યાસ કરી શકે એ હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.શાળાઓ શરૂ કરાઈ હતી.આ વર્ષે આગામી માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સો વર્ષ પુરા કરી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરન...
જર્ક 60 દિવસમાં વીજદર વધારાની દરખાસ્ત મંજૂર ન કરે તો વધારો આપોઆપ જ મંજ...
અમદાવાદ,તા.31 ટેરિફ ઓર્ડર માટે વીજ કંપનીઓ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવ્યા પછી 60 દિવસના ગાળામાં તે દરને વીજ નિયમન પંચ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા દર કે માગવામાં આવેલા વીજ દરના વધારો આપો આપ જ માન્ય ઠરી જશે. આ રીતે કેન્દ્ર સરકારે સોલાર પાવર ખરીદનારાઓને નડતી અનિશ્ચિતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છ...
શેરબજારની લેવડ-દેવડમાં ત્રાસવાદીએ બ્રોકરને ધમકી આપી
અમદાવાદ, તા.27 શેરબજારના ધંધામાં થયેલા નુકસાન બાદ સવા કરોડની લેતી-દેતીમાં લેણદાર બ્રોકરને ત્રાસવાદી ફોન કરી દેવાદાર શખ્સ વતી ધમકી આપી હોવાની ફરિયાદ સોલા પોલીસના ચોપડે નોંધાઈ છે. સોલા પોલીસે અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયસન્સ સિટી રોડ મલય બંગલોઝમાં રહેતા સંજય જેઠાલાલ સોની (ઉ.48) શ્રીતી સિક્યોરિટીના ...
કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ
અમદાવા,તા.23 કેન્સરના રોગનું મુળ તમાકુ છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સ્થિત રાજયના સૌથી મોટા કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા બતાવે છે કે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે તે નુકશાનકારક નિવડે છે. જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે. જીસીઆરઆઈમાં ...

English