Tag: અમદાવાદ
એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર
અમદાવાદ, તા.04
વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ...
શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડોઃ સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી...
અમદાવાદ,તા. ૪ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ન...
શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત
અમદાવાદ, તા.4 શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે. શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કાર...
રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા
ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.
શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ
અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વ...
અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ
અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે. વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...
અમપાના 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનનું કરવામાં આવશે રિડેવલપમેન્ટ
અમદાવાદ, તા.4 અમપાના વિવિધ વિસ્તારમાં આવેલા લગભગ દરેક સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ જર્જરિત જોવા મળી રહી છે, જે અંગે અમપા દ્વારા આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સને રિડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2018ના વર્ષમાં સોનરિયા ખાતેના બે બ્લોક તૂટી પડવાની ઘટના બાદ અમપાએ શહેરના વિવિધ મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વા...
વર્ષ 2035માં અમદાવાદ શહેરમાં સ્ટીલ સ્ટ્રક્ચર-પ્રિ-કાસ્ટ આયર્નનાં બાંધક...
અમદાવાદ, તા.04 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સો માળની ઈમારતો બનશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની આ જાહેરાતના પગલે બિલ્ડર લોબી, સ્ટ્રક્ચરલ ડિઝાઈનર, આર્કિટેક્ટ અને ડેવલપર્સ દ્વારા આ અંગે સરવૅ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે મુજબ વિદેશના શહેરીવિકાસની પેટર્ન મુજબ 100 માળની ઈમારતોની શક્યતા પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. ...
એસ.ટી. ટાટા બસ ખરીદી કૌભાંડમાં વાડજ પોલીસે દસ્તાવેજી પુરાવા સાથે તપાસ ...
અમદાવાદ, તા.04 ગુજરાત રાજ્ય પરિવહન વ્યવહાર નિગમ સાથે ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડલ કરતાં ઉતરતી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરવામાં આવી હોવાના દસ્તાવેજી પુરાવા પોલીસે માંગીને તપાસ શરૂ કરી છે. છેતરપીંડીનો સીધો ગુનો હોવા છતાં તેમને સિવિલ ગુનો બતાવીને ટાટાને બચાવવા માટે ગૃહ વિભાગનું દબાણ હોવાનું પોલીસના વલણ પરથી સ્પષ્ટ થા...
માનસિક અસ્વસ્થ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવતા વૃદ્ધ પર પડી, બંનેના મો...
અમદાવાદ, તા.04 ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. અમરાઈવાડીના સ...
કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...
અમદાવાદ, 04 આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...
ગુમ યુવતિને શોધવા અભિનેત્રી સોહાઅલીએ ટવીટ કર્યું
અમદાવાદ, તા.3 અમદાવાદ શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિ ગુમ થતા અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટર પર તેનો ફોટો મુકી લોકોની શોધવા માટે મદદ માંગી છે. વૃષ્ટી જશુભાઈ નામની યુવતિ ગત 30 સપ્ટેમ્બરથી લાપતા થઈ ગઈ છે અને આ અંગેની જાણવા જોગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુમ થયેલી વૃષ્ટીનો મોબાઈલ ફોન નંબર પર બંધ આવી રહ્યો છે. યુવતિના ગુમ થવાથી તેના માતા-પિત...
ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવા માંગ
અમદાવાદ, તા.૦૩ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતી અનિયમિતતાઓ અને ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ કયારેય કોઇ ફરિયાદ કે અવાજ ઉઠાવતાં નથી. જો કોઇ ફરિયાદ કરવા પ્રયાસ કરે તો પણ તેને ચૂપ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં એકસાથે ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ કુલસચિવ અને કુલનાયકને આવેદનપત્ર આપીને વિદ્યાપીઠમા ચાલતી અનિયમિતતા અને ગેરરીતિ અંગે ફરિયાદો કરી હતી. આગામી સમયમાં આ ફર...
વાહનવ્યવહાર વિભાગે રિક્ષાચાલક સંગઠનો સાથે બેઠક યોજી ઉકેલની ખાતરી આપી
અમદાવાદ તા. 03 વાહનવ્યવહારના નવા નિયમોના વિરોધમાં શહેરના રિક્ષાચાલકો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં આંશિક સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શહેરના માર્ગો પર અને ખાસ કરીને રેલવે સ્ટેશન પર રિક્ષાઓ ન હોવાના કારણે રાજ્ય સરકારે તાકીદે રિક્ષાચાલક એસોસિએશન સાથે એક બેઠક યોજીને આ મામલે દસ દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને યો...
બાળ રિમાન્ડ હોમમાંથી ભાગીને યુવકની હત્યા કરનારો આરોપી મહિને ઝડપાયો
અમદાવાદ, તા.3 મહેસાણા બાળ રિમાન્ડ હોમની દિવાલ કૂદીને ચાર મહિનાથી ફરાર થયેલા અને મહિના અગાઉ મિત્રો સાથે મળીને યુવકની હત્યા કરનારા એક ગુનેગારની એસઓજી-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પ્રેમ લગ્ન કરનાર યુવકની ઓઢવ વિસ્તારમાં હત્યા કરનારા ચાર આરોપીઓ પૈકી ત્રણની સ્થાનિક પોલીસે ધરપકડ કરી લીધી હતી. જ્યારે સચિન ઉર્ફે ગુડ્ડુ ચાવલા-ખટીક હત્યા કેસમાં વોન્ટેડ હતો...

English