Saturday, July 11, 2026

Tag: અમદાવાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ

અમદાવાદ, તા.04 આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી  ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને  માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...

રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે

ગાંધીનગર, તા. 4 ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જો...

ગુજરાતી યુવાનની નવીન ખોજ બનશે ગરીબોની મદદરૂપ

અમદાવાદ,તા:૪ ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની શ્રમિક મહિલાઓ માટે હવે જીવન સહેલું બની રહ્યું છે. આ મહિલાઓ ઘરકામની સાથેસાથે રોજગારી પર પણ પૂરતો સમય આપી શકે છે. આ મહિલાઓને જ ધ્યાને રાખી ગ્રાસરૂટ ઈનોવેશન નેટવર્કના સિનિયર મેનેજરે એક નવું સૂર્યકૂકર બનાવ્યું છે, જે માત્ર 100 રૂપિયામાં આ મહિલાઓને મળી રહેશે. આ કૂકરનો ઉપયોગ કરીને આદિવાસી મહિલાઓ બપ...

વિકટોરિયા ગાર્ડન પાસે મહિલા સેન્ડલ લઈને પોલીસને મારવા દોડી

અમદાવાદ, તા.3 ટુ વ્હીલર પર ત્રણ સવારી જઈ રહેલી મહિલાને વિક્ટોરિયા ગાર્ડન પાસે અટકાવી ટ્રાફિક પોલીસે દંડની રકમ માંગી તો ઉશ્કેરાયેલી મહિલા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા પાછળ દોડી હતી. જો કે, અન્ય મહિલા સ્ટાફે સેન્ડલ લઈને દોડી ટુ વ્હીલર ચાલકને ઝડપી લીધી હતી. ટ્રાફિક એએસઆઈની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વાહન કબ્જે લ...

જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ....

અમદાવાદ,તા:૩ મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે  બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડે...

ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ

દિલીપ પટેલ અમદાવાદ, તા. 03 ગુજરાત જમીન વિકાસ નિગમમાં એક વર્ષથી ભ્રષ્ટાચારના પોપડા ઊખડી રહ્યાં છે. રોજ નવો ભ્રષ્ટાચાર બહાર આવે છે અને ઢંકાઈ જાય છે. છોટાઉદેપુર ખાતે નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા આદિજાતિ સમાજના જયંતિ પટેલ પાસેથી એસીબીને એક વર્ષની તપાસના અંતે રૂ.2.81 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી છે. 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો. તપાસ દ...

પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...

પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો  જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...

પ્રજા પર ૨૦૪ કરોડનો બોજ

અમદાવાદ,મંગળવાર ગુજરાત સરકારની વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન ઘટાડી દેવામાં આવતા ગુજરાતના 1.40 કરોડ વીજ જોડાણધારકોને માથે વરસે 204 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બોજ આવી રહ્યો છે. ગુજરાત સરકાર હંમેશા તેમનું રાજ્ય પાવર સરપ્લસ હોવાનો દાવો તો કરતી રહી છે, પરંતુ 18000 મેગાવોટની ભર ઊનાળે મહત્તમ ડિમાન્ડ ઊભી થાય છે. તે સિવાયના સમયમાં ડિમાન્ડ  12000 મેગાવોટ ...

કેન્દ્ર સરકારના ફિઝિયો થેરેપી એકટના વિરોધમાં રેલી નીકળી કર્યો વિરોધ.

અમદાવાદ,તા:૩ ફિઝયો થેરેપીના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. હજારો વિદ્યાર્થીઓ ચાલતા રેલીમાં જોડાયા. માંગ પુરી નહીં થાય તો વિરોધ ચાલુ રાખવાની ચીમકી.  

બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશ...

પીરાણા લેન્ડફીલ સાઈટને કારણે પાંચ વર્ષના માસુમ બાળકનું મોત

અમદાવાદ,તા.૨ અમદાવાદ શહેરના છેવાડે આવેલી અમપાની પીરાણા લેન્ડફીલ સાઈટે એક પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે.એક વર્ષમાં કુલ બે લોકોનો આ સાઈટે ભોગ લીધો છે.જો કે સત્તાવાળાઓ આ મામલે કાંઈપણ કહેવાનુ ટાળી રહ્યા છે. ૨૫ દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી કયુમ અન્સારી તેની પત્ની પુત્રી અને પુત્રને લઈ અમદાવાદ કામની શોધમાં આવ્યો હતો.તે પીરાણા લેન્ડફીલ સાઈટ પાસે રહેત...

જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક

અમદાવાદ, તા. 2 રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે. જો સરકાર આ મામલે આગામી દિવ...

સૌરાષ્ટ્રના એક ડાયરામાં ખુલ્લેઆમ ફાયરિંગ

અમદાવાદ,તા:૨ સૌરાષ્ટ્રમાં ડાયરા પ્રત્યે લોકોનું એક અનેરું આકર્ષણ હોય છે, અને ડાયરાના કલાકારો ખૂબ માનીતા હોય છે. આ કલાકારોના ડાયરામા પ્રવેશ સમયે ઉત્સાહમાં આવી લોકો ફાયરિંગ પણ કરવાનું ચૂકતા નથી. આવું જ કંઈ બન્યું જૂનાગઢના એક લોકડાયરામાં. જૂનાગઢમાં કોઈ જગ્યાએ યોજાયેલા ડાયરાનું મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે...

વાહન સાથેની ઘટનામાં મૂળ માલિક રહે જવાબદાર

અમદાવાદ,તા:૨ વાહન વેચવા પહેલાં સાવધાન રહેજો. તમારું વાહન વેચવા સાથે ટ્રાન્સફર કરાવવું ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હજારો વાહનો હાલમાં પણ ટ્રાન્સફર થયા વિના જ ફરી રહ્યાં છે. આવામાં જો વાહનનો અકસ્માત થાય અથવા વાહનથી કોઈ ગુનાઈત પ્રવૃત્તિ થાય તો મૂળ માલિક જ તેના જવાબદાર ઠરે છે, અને તેના નામે જ સમન્સ ઈશ્યૂ થાય છે. આળસ અથવા અન્ય કાર...

વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે ત્રણ શખ્સોએ એજ્યુકેશન ઈન્સ્પેકટર પર હુમલો...

અમદાવાદ, તા.31 વસ્ત્રાપુર સરકારી વસાહત પાસેથી પસાર થતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના બે અધિકારી પર અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે નંબર પ્લેટ વિનાની કારમાં ફરાર થયેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા હિતેન્દ્રસિંહ દેવુભાઈ પઢેરીયા (રહે. સરકાર...