Wednesday, June 3, 2026

Tag: gujarat

એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...

અમદાવાદ, તા.02 એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...

મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ

ગાંધીનગર, તા.02 ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબ...

ભિલોડાના કમઠાડિયામાં વરસાદથી પાંચ મકાન ધરાશાયી

ભિલોડા, તા.૦૨  ભિલોડા તાલુકાના કમઠાડિયામાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસરમાં ખેડૂતોનો 80 હેકટરનો પાક ધોવાઇ ગયો હતો. જેમાં કાવાભાઈ કનકાભાઈ બુવળ, ગોબરભાઈ કોનાભાઈ બુવળ, મનજીભાઈ મોથલીયા, પોપટભાઈ મંગળાભાઈ મોડીયાના મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસર પંથકમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ...

માલણ દરવાજા નજીક સાંકડા માર્ગને લીધે એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ

પાલનપુર, તા.૦૨ પાલનપુરના માલણ દરવાજા નજીક મંગળવારે માંડવીથી અંબાજી જતી એસટી બસના ડ્રાઇવરને ડિવાઇડર ન દેખાતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બસમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતાં જાનહાનિ ટળી હતી. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર સોમવારે લક્ઝરી બસ પલ્ટી જવાની ઘટનાને પગલે 21 લોકોના મોત નિપ...

બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...

પાટણ, તા.૨૩ બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...

વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટુ...

સમી, તા.૦૨  વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે. સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ ક...

બાપુના સ્મારક મીની રાજઘાટ પર ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિએ અધિકારીઓ અને ...

મોડાસા,તા:૦૨ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ(બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે, જન્મજયંતિ નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિક...

ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૮ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સતત વરસાદથી ૨૦ ટકા ન...

મહેસાણા, તા.૦૨ ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી.  બાળકોએ  સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો ...

હિરાના વેપારીઓની કાર આંતરીને પંદર લાખ કરતા વધુની લૂંટ કરનારા આઠ લૂંટાર...

રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો.  રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મહિલા પાંખને દૂર કરવાનો નિર...

ગાંધીનગર,તા.02 ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં ...

અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...

અમરેલી,તા.02 અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે  અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પ...

મિલકતની ખરીદી કે એફિડેવિટ કરવા માટેનો સ્ટેમ્પ ખરીદવા પહેલા ફોર્મ ભરીને...

અમદાવાદ,બુધવાર અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 100 પર મળતા 15 પૈસાના કમિશન કરતાં વધુ કમિશન વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના 1200થી વધુ સ્ટેમ્પ વેન્ડરો સાવ જ રોજીરોટી વિનાના થઈ જવાની સ્થિતિ આવી છે. પરિણામે તેમણે તેમને બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવ...

નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!!

ગાંધીનગર, તા.01 રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી. ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્ણાટકના બેગલુરૂ...

રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિ...

અમિત કાઉપર ગાંધીનગર, તા.02 ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હો...