Tuesday, June 2, 2026

Tag: gujarat

માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે

ગાંધીનગર, તા. 31 રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...

દિવાળી દરમિયાન ૧.૨૯ લાખ મુલાકાતીઓએ કાંકરીયા લેકફ્રન્ટની મજા માણી

અમદાવાદ,તા.૩૧ શહેરના દક્ષિણઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટની દિવાળીના પર્વ દરમિયાન ૧.૨૯ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈ ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ,કીડસ સિટી અને બટરફલાય પાર્કની મજા માણી હતી.દરમિયાન અમપાને રૂપિયા ૨૫ લાખથી વધુની આવક થવા પામી છે. લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈના રોજ બનેલી રાઈડની દુર્ઘટના બાદ હજુ પણ મોટી રાઈડ બંધ છે,મીની ટ્રેન પણ મેઈન્ટેનન્સના ...

હિંમતનગરમાં મારૂતિ શોરૂમના ગોડાઉનમાં આગથી સ્પેરપાર્ટ સહિતનો માલસામાન બ...

હિંમતનગર, તા.૩૧  દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડાના કારણે ઠેરઠેર આગના બનાવો બને છે. પરંતુ હિંમતનગરના મારૂતિ સુઝુકીના શોરૂમના ગોડાઉનમાં શોરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં સ્પેરસ્પાર્ટ સહિતનો માલસામાન બળી ગયો હતો. જેને પગલે ફ્રેન્ચાઈઝી ધરાવનારને કરોડોનું નુકસાન થયું હતું. હિંમતનગર ફાયર ફાયટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ...

રાજ્યમાં આજથી વાહનવ્યવહારના નવા નિયમોનો કડક અમલ શરૂ થશે

ગાંધીનગર, તા. 31 ગુજરાતમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. અગાઉ બે વખત આ નિયમોની અમલવારી મુલતવી કરવામાં આવી હતી. રાજ્યના વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને તેમના વાહનોના તેમ જ તેમના પોતાના તમામ દસ્તાવેજો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના પગલે હવે આવતીકાલથી નવા નિયમોનો...

એલએનજીના પ્રોજેક્ટમાં વિલંબ છતાં સરકારની કૃપાથી સ્વાન એનર્જીને કોઈ જ દ...

અમદાવાદ,તા.31 ગુજરાતમાં જાફરાબાદ ખાતે રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આયાતી લિક્વિડ એલએનજીને ગેસના સ્વરૂપમાં રૂપાંતરિત કરી આપતો એલએનજીનો પ્રોજક્ટ પૂરો કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મરચન્ટ દ્વારા અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવા છતાંય તેને માથે સરકારના ચાર હાથ હોવાથી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી રહી નથી. બીજી તરફ તેનો પ્રોજેક્...

દિવાળીના તહેવારોમાં શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરના દર્શનાર્થે ભક્તોની...

મહેસાણા, તા.૩૧ શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારોમાં માતાજીના દર્શનને લઇને વહેલી સવારથી જ ભકતોની લાંબી કતારો લાગી છે. ‘બોલ મારી બહુચર, જય જય બહુચર’ના જયઘોષથી મંદિર પરિસર સતત ગૂંજતું રહે છે. દિવાળીથી કારતક સુદ ત્રીજ સુધીમાં અંદાજે ચાર લાખથી પણ વધુ માઇભક્તોએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોને દર્શનમાં તકલીફ ના પડે તે માટે દર્શના...

અત્યંત રોમાંચકારી ઇંગોરીયા યુદ્ધમાં પણ છવાયો મોદી ફિવર

સાવરકુંડલા,તા.31 દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી. છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અત...

હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો

હિંમતનગર, તા.૩૧ સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...

નવા વર્ષ નિમિત્તે વાચ્છડાદાદાના દર્શને ગયેલા અનેક લોકો રણમાં ફસાયા

કચ્છ,તા.31 દિવાળી બેસતા વર્ષ અને ભાઇબીજના દિવસે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે વિનાવ વેર્યો તો  છે જ પરંતુ સાથેસાથે લોકોના તહેવારની ઉજવણી ઉપર ગ્રહણ લગાડી દીધું હતું. જ્યારે બહાર ફરવા ગયેલા લોકોની પણ વરસાદે વિલન બનીને મજા બગાડી નાંખી હતી. કેટલાય દર્શનાર્તીઓ પણ યાત્રાધામોમાં ગયાં હતા ત્યાં ફસાઇ ગયાં હતાં. આવું જ ગુજરાતના વાછડાદાદાના મંદિરે દર્શાના...

શંખલપુરમાં 11 લાખના ખર્ચે 51 ફૂટ ઊંચી પક્ષી કોલોની અને લેક વ્યૂ વિથ સિ...

મહેસાણા, તા.૩૧ જિલ્લાના મોડેલ વિલેજ શંખલપુરમાં સુવિધાના વધુ બે સોપાનોનો ઉમેરો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી 51 ફૂટ ઊંચું ભવ્ય પક્ષીઘર તેમજ લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે. શંખલપુર ગામ તળાવના કિનારે રૂપિયા 6 લાખના ખર્ચે 51 ફૂટ ઉંચી અને 912 ખાના ધરાવતી પક્ષીકોલોનીનું નિર્માણ ગામના દાતા અલ્પેશકુમાર ભગવાનભાઇ પટે...

માનવભક્ષી દિપડો પાંજરે પૂરાતાં સુડાવડ અને આસપાસના ગામના લોકોને રાહત

બગસરા,તા.31   અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના  વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો.  આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓ...

અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ પુર્ણ થશે

અમદાવાદ,તા.૩૧ અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં વસતા એ સમયના નગરશ્રેષ્ઠીઓ દ્વારા સ્થાપના કરાઈ હતી.બાદમાં શહેરના બાળકો વ્યાજબી ફી સાથે અભ્યાસ કરી શકે એ હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.શાળાઓ શરૂ કરાઈ હતી.આ વર્ષે આગામી માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સો વર્ષ પુરા કરી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરન...

જર્ક 60 દિવસમાં વીજદર વધારાની દરખાસ્ત મંજૂર ન કરે તો વધારો આપોઆપ જ મંજ...

અમદાવાદ,તા.31 ટેરિફ ઓર્ડર માટે વીજ કંપનીઓ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવ્યા પછી 60 દિવસના ગાળામાં તે દરને વીજ નિયમન પંચ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા દર કે માગવામાં આવેલા વીજ દરના વધારો આપો આપ જ માન્ય ઠરી જશે. આ રીતે કેન્દ્ર સરકારે સોલાર પાવર ખરીદનારાઓને નડતી અનિશ્ચિતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છ...

શેરબજારની લેવડ-દેવડમાં ત્રાસવાદીએ બ્રોકરને ધમકી આપી

અમદાવાદ, તા.27 શેરબજારના ધંધામાં થયેલા નુકસાન બાદ સવા કરોડની લેતી-દેતીમાં લેણદાર બ્રોકરને ત્રાસવાદી ફોન કરી દેવાદાર શખ્સ વતી ધમકી આપી હોવાની ફરિયાદ સોલા પોલીસના ચોપડે નોંધાઈ છે. સોલા પોલીસે અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયસન્સ સિટી રોડ મલય બંગલોઝમાં રહેતા સંજય જેઠાલાલ સોની (ઉ.48) શ્રીતી સિક્યોરિટીના ...

મોડાસા નામ આપનાર રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ ખાતાની બેદરકારીન...

મોડાસા, તા.૨૭ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર પ્રાચીનકાળમાં મોહડવાસક તરીકે જાણીતું હતું. મોહડવાસકએ મોડાસાનું સંકૃતમ રૂપ છે, મોડાસા શહેરનું નામ રાજા માંધાતાના નામથી પડ્યું હોવાનું મનાય છે. મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં આવેલા રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના લીધે નામશેષ થવાની તૈયારીમાં છે. રાજા માંધાતાના ભવ્યાતિભવ્...