રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાતો માત્ર અફવા: વિજય રૂપાણી

મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે.

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.