પ્રવાસન વિભાગ અંગે મંત્રીનું બજેટ પ્રવચન(વર્ષ 2021-22)
પ્રવાસન વિભાગની વર્ષ 2021-22 માં ચાલુ બાબતો હેઠળ રૂ.૩૯૩.૫૦ કરોડઅને નવી બાબતો હેઠળ રૂ.૯૪ કરોડ મળી કુલ રૂ.૪૮૭.૫૦ કરોડની જોગવાઇ સુચવેલ છે.
રાજય સરકારના આયોજનબધ્ધ પ્રયાસોથી ગુજરાત આજે પર્યટકોની પસંદગીમાં અગ્ર સ્થાન ધરાવે છે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરેલ છે. જેના લીધે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જાય છે.
ગુજરાતમાં આવતા પ્રવાસીઓની બાબતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક ૧૩ ટકા વૃધ્ધિદર નોંધાયો છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારીની વિપુલ તકો પુરી પાડે છે.
વર્ષ પ્રવાસીઓની સંખ્યા
૨૦૦૧-૦૨ ૫૨ લાખ
૨૦૧૯-૨૦ ૬૦૯ લાખ
છેલ્લાવીસવર્ષમાં વધારો ૧૨ઘણો
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસાન ક્ષેત્રના વિકાસ માટે પણ બજેટ જોગવાઈમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલ છે.
વર્ષ બજેટની જોગવાઈ
૨૦૦૧-૦૨ ૧૨.૦૦ કરોડ
૨૦૨૧-૨૨ ૪૮૭.૫૦ કરોડ
છેલ્લાવીસ વર્ષમાં વધારો ૪૦ ઘણો
કોરોનાની સૌથી મોટી અસર પ્રવાસન ક્ષેત્રે પર પડી છે. પરંતુ, આપણે કોરોના સંક્રમણની સામે તકેદારી રાખીને ‘જાન ભી તો જહાન ભી’ધ્યેય સાથે ટુરિઝમ સેક્ટરને ચેતનવંતુ બનાવ્યું છે. કોરાના કાળમાં પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
મારા બજેટ પ્રવચનની શરૂઆત હુંગુજરાતનહિ પણ સમગ્ર દેશના પ્રવાસનને આકર્ષવામાં અગ્રણી છે એવા એશિયાટિક સિંહોથી કરવા માગું છું
એશિયાટિક સિંહોએકમાત્ર નિવાસ સ્થાન સાસણગીરના વિકાસ અંગેની વાત ગૃહ સમક્ષ
રજુ કરીને કરી રહ્યો છું.
સિંહએ આપણા ગૌરવવંતા ગુજરાતનું રાજ્યપ્રાણી છે.
રાજ્ય સરકાર સતત સાસણગીરના વિકાસ માટે
સક્રિય ભૂમિકા નિભાવી રહી છે.
વિશ્વમાંફક્તબેસ્થળોએસિંહોનીવસ્તીશેષરહીછે.
આફ્રિકાપછીગુજરાતમાંગીરએક એવું સ્થળ છે જ્યાં સિંહો વસે છે.
સાસણગીરમાં વર્ષ ૨૦૦૦-૨૦૦૧માં આશરે૭૫ હોટલ રૂમ ઉપલબ્ધ હતા.
“ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈન” બાદ આ હોટલ રૂમની સંખ્યા અંદાજીત ૨૫૦૦થવા પામેલ છે. જે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનીપ્રવાસન પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે.“ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈન” એ ગુજરાત રાજ્યના પ્રવાસન માટે ‘Game Changer’સાબિત થયું છે.
પ્રોજેક્ટનું નામ સાસણગીર ખાતે પ્રવાસીઓની સુવિધાઓનો વિકાસ
મુખ્ય ઘટકો સિંહસદન, નેચર પાર્ક,અર્બોરેટમખાતે વિવિધ પ્રવાસી સુવિધાઓ,બ્યુટીફિકેશ દેવળીયા સફારી પાર્ક અને સનસેટ પોઈન્ટનો વિકાસ તેમજ આર્ટવર્ક અને સ્કલ્પચરની કામીગીરી કરવામાં આવનાર છે વિષેશમાં પ્રવાસીઓ માટે સુવિધા જનક ૧૦ એસી બસો રૂ.૩.૪૦ કરોડના ખર્ચે પૂરી પાડેલ છે.
પ્રોજેકટની રકમ રૂ. ૩૫.૪૦કરોડ
(૩૨.૦૦ કરોડ પ્રોજેક્ટ માટે + ૩.૪૦ કરોડ બસ માટે)
સાસણગીરના વિકાસ માટે પૂરજોશમાં કામગીરી શરૂ થઈ ગયેલ છે. તમામ સુવિધા અંદાજીત રૂ.૩૫.૪૦ કરોડના ખર્ચે જૂન-૨૦૨૨ પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાનું અતિ પછાત એવું ધોરડો ગામ જ્યાં સ્થાનિકો માટે સવિશેષ રોજગારીની તકો ઉભી કરવા પ્રવાસનને એક નવો આયામ ‘રણ ઉત્સવ’ના સ્વરૂપમાં શરુ કરેલ અને સાચા અર્થમાં કચ્છના લોકોને પ્રવાસન થકી ‘આત્મ નિર્ભર’ બનાવેલ.
• વર્ષ 2005 માં માત્ર 2 દિવસથી શરૂ કરાયેલ આ રણ ઉત્સવ,
હવેવધીને100 થી પણ વધુ દિવસનો થયો છે જે સફળતા અને લોકપ્રિયતા દર્શાવે છે.
વર્ષ૨૦૧૯-૨૦માં ૩.૫૦લાખ મુલાકાતીઓ સફેદ રણની મુલાકાત લીધી છે.
વર્ષ મુલાકાતીઓની સંખ્યા
૨૦૧૬-૧૭ ૨,૧૩,૧૦૭
૨૦૧૭-૧૮ ૪,૬૬,૪૭૦
૨૦૧૮-૧૯ ૪,૨૫,૬૪૪
રણ ઉત્સવના આયોજનથી લોકોને મળેલ અંદાજીત રોજગારીની વિગત
વર્ષ સીધીરોજગારીનાદિવસો આડકતરીરોજગારીનાદિવસો કુલરોજગારીના
દિવસો
૨૦૧૬-૧૭ ૨.૪૭ લાખ ૧૨.૩૦ લાખ ૧૪.૭૫ લાખ
૨૦૧૭-૧૮ ૨.૫ લાખ ૧૨.૫૦ લાખ ૧૫ લાખ
૨૦૧૮-૧૯ ૨.૫૨ લાખ ૧૨.૬૦ લાખ ૧૫.૧૨ લાખ
વર્ષ રાજ્ય સરકારની આવક સ્ટેક હોલ્ડર આવક કુલ આવક થયેલ ખર્ચ
૨૦૧૬-૧૭ ૪.૭૨ કરોડ ૭૭.૬૬ કરોડ ૮૨.૩૮ કરોડ ૪.૩૯ કરોડ
૨૦૧૭-૧૮ ૪.૬૧ કરોડ ૭૯.૮૦ કરોડ ૮૪.૪૧ કરોડ ૩.૧૩ કરોડ
૨૦૧૮-૧૯ ૭.૪૧ કરોડ ૮૦.૯૦ કરોડ ૮૮.૩૧ કરોડ ૩.૮૯ કરોડ
• રણ ઉત્સવ સાચા અર્થમાં વિકાસનું અક્ષયપાત્ર બનેલ છે,સ્થાનિક રોજગારીના આંકડા સ્પષ્ટ કરે છે કે રણ ઉત્સવ એ કચ્છના જીવમાં જીવ રેડયો છે અને કચ્છનું આર્થીક પાસું ખૂબજ ઊંચું આવ્યું છે, અને જો બન્ની બંજર પ્રદેશની વાત કરીએ તો રણ ઉત્સવના કારણે બેહદ ખૂબસુરત બન્યો છે.
• રણ ઉત્સવ એક નિરાળું અસ્તિત્વ છે,૨૦૦૫ થી સતત અવિરત ચાલી રહેલા ઉત્સવને પરિણામે કચ્છના પ્રવાસનની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રના પ્રવાસનને એક નવી દિશા મળેલ છે.
• રણ ઉત્સવ સાચા અર્થમાં જીવનોત્સવ બનેલ છેકારણ કે જો ટેન્ટ સિટીનીસિવાઈ વાત કરીએ તો લગભગ ૩૩ જેટલા યુનિટ અને ૪૬૧ થી પણ વધુ રૂમોની સંખ્યા ધરાવતા વિવિધ આવાસ એકમ સ્થાનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.
• રણ ઉત્સવ થકી જો આવકના સ્ત્રોતની વાત કરીએ તો ટેન્ટ સીડી, ફૂડ આઉટ લેટ, ડાઈનિંગ હોલ, એડવેન્ચર અને સપોર્ટ ઝોન, કેમલ કાર્ટ, ક્રાફ્ટ મેન, માવાનું વેચાણ, હેન્ડી ક્રાફ્ટનું વેચાણ તેમજ વિવિધ પ્રોવીજન સ્ટોર્સની જો સ્થાનિક આવકની ગણતરી કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રણ ઉત્સવના આયોજન પાછળ કરવામાં આવતા ખર્ચની જો ઉદારહણ સ્વરૂપે માત્ર એક વર્ષની વાત કરીએ તો રૂ.૩.૮૯ કરોડના ખર્ચની સામે કુલ રૂ.૮૦.૯૦કરોડની આવક એક સર્વે મુજબનોંધાયેલ છે.
• રણ ઉત્સવ થકી જો કચ્છના હેન્ડીક્રાફટના વેચાણનીવાત માત્ર ધોરડો ખાતે ઉપલબ્ધ સ્ટોલ ઉપર ક્રાફ્ટ અને ફૂડનું વેચાણ છેલ્લા ત્રણ વર્ષમાંસરેરાશ પ્રતિ વર્ષફૂડનુંરૂ.૧૦૦ લાખ તેમજ ક્રાફ્ટનુંરૂ. ૮૦૦ લાખ જેટલું વાર્ષિકનોંધાયેલ છે.
• રણ ઉત્સવ થકી કચ્છ અન્ય પ્રવાસન સ્થળો જેવા કે કાળો ડુંગર, માંડવી, છારીઢડ, નારાયણ સરોવર, માતાનોમઢ, ધોળાવીરાતેમજભૂજનું હેરીટેજ વારસો પ્રવાસીઓને આકર્ષવામાં ખૂબજ સફળ રહેલ છે.
• છેવાડાનું ગામ ધોરડોજે માત્ર પ્રવાસન અને પશુપાલન ઉપર આધારિત છે, તે ગામને જો રૂરલ ટુરીઝમનો ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ મળે તો તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
• શુષ્ક ધરા ઉપર રણ ઉત્સવ થકી આશાનું આસ્વાદ કિરણ પ્રજ્વલિત કરનાર ભારતના લોક લાડીલા માન. વડાપ્રધાનશ્રીનેકોટિ..કોટિ..વંદનકે તેઓની દીર્ઘદ્રષ્ટિના ફળસ્વરૂપ આજે રણ ઉત્સવ હંગામી તંબુનો મહોત્સવની સાથે સાથે કાયમી યાદોનો મહોત્સવ બની ગયેલ છે. અને ખાસ કરીને ગુજરાત તથા રાજ્યના પ્રવાસન રોજગારી ઉપર તેનો સિંહફાળો છે.
રણઉત્સવથકીથયેલઆવક
વિગત ૨૦૧૬-૧૭ ૨૦૧૭-૧૮ ૨૦૧૮-૧૯
કુલઆવક સ્થાનિકઆવક કુલઆવક સ્થાનિકઆવક કુલઆવક સ્થાનિકઆવક
સફેદરણએન્ટ્રીફી (વાર્ષિક) ૧૮૬ ૧૮૬ ૧૮૫ ૧૮૫ ૨૯૪ ૨૯૪
પ્રવાસીઓદ્વારાકચ્છખાતેઆવાસથકીઆવક ૩૦૦૦ ૧૨૦૦ ૨૮૦૦ ૧૧૨૦ ૩૦૦૦ ૧૨૦૦
ડાઈનિંગહૉલ/ફૂડસ્ટોલ ૧૫૦ ૧૨૦ ૧૪૦ ૧૧૨ ૧૫૦ ૧૨૦
ટેન્ટસિટીસ્પા(એકસ્ટ્રા) ૧૫ ૦ ૧૭ ૦ ૧૭ ૦
એડવેંચર/ સ્પોર્ટ્સઝોન ૨૫ ૬ ૨૭ ૭ ૨૮ ૭
ટેન્ટસિટીનીઆસપાસનારિસોર્ટ ૧૫૭૮ ૮૬૨ ૧૮૧૬ ૯૮૩ ૧૮૫૦ ૧૨૦૦
ભુજ/ગાંધીધામનીઆસપાસનીહોટલ ૬૦૦ ૪૮૦ ૭૦૦ ૫૬૦ ૬૫૦ ૫૨૦
રેસ્ટોરેન્ટતથાફૂડસ્ટોલ ૯૦ ૭૦ ૧૩૦ ૧૦૧ ૧૦૦ ૭૮
ક્રાફ્ટવેચાણ ૯૪૮ ૯૦૦ ૯૫૦ ૯૦૨ ૯૦૦ ૮૫૪
માવાવેચાણ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦
ભુજ-અંજારટેક્ષટાઇલવેચાણ ૭૫૦ ૫૦૦ ૭૫૫ ૫૦૩ ૭૫૫ ૫૦૩
પ્રવાસીકર ૨૭૦ ૨૨૦ ૨૮૫ ૨૩૨ ૨૮૫ ૨૩૨
ખાવડા/કાળોડુંગરદુકાનવેચાણ(ચા/નાસ્તો/હસ્તકલા) ૫૦ ૪૦ ૫૫ ૪૪ ૫૫ ૪૪
સ્થાનિકવિસ્તારમાંસામાન્યકિરણાવેચાણ ૪૦ ૨૮ ૪૫ ૩૨ ૪૫ ૩૨
ઊંટ/ઘોડાગાડીસવારી ૫૦ ૩૦ ૬૦ ૩૬ ૫૫ ૩૩
કુલ ૭૯૫૨ ૪૮૪૨ ૮૧૬૫ ૫૦૧૭ ૮૩૮૪ ૫૩૧૮
માનનીય અધ્યક્ષશ્રી,
• નવરાત્રિએવિશ્વનોસૌથીલાંબોનૃત્યમહોત્સવછે.
નવરાત્રિનાં પર્વમાં માં દુર્ગાની ઉપાસના-આરાધના કરવામાં આવે છે.
નવરાત્રિએ ગુજરાતનો મુખ્ય તહેવાર છે.
• નવરાત્રિનીનવરાત્રિદરમિયાનગુજરાતદીવડાંઅને
રોશનીથી ઝગમગી ઉઠે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ વાયબ્રન્ટ
નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેને માણવા માટે
મોટી સંખ્યામાં લોકોઆવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં નવરાત્રિ મહોત્સવમાં મુલાકાતે આવેલામુલાકાતીઓની વાત કરુ તો…
વર્ષ મુલાકાતીઓની સંખ્યા
૨૦૧૭-૧૮ ૬,૨૫,૦૦૦ ( છ લાખ પચ્ચીસ હજાર)
૨૦૧૮-૧૯ ૬,૮૦,૦૦૦ (છ લાખ એસી હજાર)
૨૦૧૯-૨૦ ૬,૦૦,૦૦૦ (છ લાખ)
• નવરાત્રિ મહોત્સવના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ અને પરંપરાના વારસાને ઉજાગર કરવાનો તેમજ આ સમય દરમિયાન દેશ વિદેશના લોકો રાજ્યના મહોત્સવ આકર્ષાયને તેમના પ્રવાસનું આયોજન કરે. તેમજ
• રાજ્યના સ્થાનિક લોકોની આસ્થા સાથે જોડાયેલ પર્વ હોય ગરબાની સાથે સાથે અવનવા આકર્ષણોજેવા કે એડવેન્ચર ઝોન, ક્રાફ્ટ ઝોન, ફૂડ ઝોન, થીમ પેવેલિયન, બાળકો માટે વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવે છે. અને
• આ મહોત્સવ દરમિયાન જાહેર જનતા ગરીબ હોય કે તવંગર બધાને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જેથીરાજ્યનો સામન્ય વર્ગ આ આસ્થા અને ગૌરવના પ્રતિક એવા પર્વમાં જોડાઈ શકે. જો રોજના મુલાકાતીઓની વાત કરીએ તો, પ્રતિ દિન ૬૦ હજારથી પણ વધુ લોકો મહોત્સવમાં જોડાય છે.
• નવરાત્રિ મહોત્સવ પાછળ શરેરાશ દર વર્ષે ૮-કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ રાજ્યની સંસ્કૃતિ વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરીને વારસાને યથાવત રાખવાનો છે. રાજ્યની ધર્મપ્રેમી સામન્ય જનતા બહોળા પ્રમાણમાં આ મહોત્સવમાં ભાગ લઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે અને માં અંબાની આરાધના થી ગુજરાત દરેક ક્ષેત્રમાંવિકાસનીહરણફાળ ભરે અને રાજ્યના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અનેસુખાકારીમાં વધારો થાય.
• નવરાત્રિ માટે વડાપ્રધાનશ્રી કહે છે કે “Our Culture is our strength.Be it music, dance, poetry or anything, and these are very precious.”
માનનીય અધ્યક્ષશ્રી,
• આંતરરાષ્ટ્રીયપતંગમહોત્સવમાં દેશ-દુનિયાના પતંગબાજો
ભાગ લેતા હોવાથી વિશ્વભરમાં પ્રચલિત થયો છે.
પતંગ મહોત્સવના લીધે પતંગ ઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક રૂ.૬૧૫કરોડથી
વધુ પહોચ્યું છે. પતંગ બનાવતા સ્થાનિક લોકોને રોજગારી
મળતાં તેમના જીવન ધોરણમાં પણ વધારો થયો છે.
• કાઈટફેસ્ટિવલમાંક્રાફ્ટસ્ટોલઅનેફૂડસ્ટોલલગાવવામાંઆવેછે
જેથી પણ રોજગારી પ્રાપ્ત થાય છે.
છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લીધેલ મુલાકાતીઓની
વાત કરુ તો,
વર્ષ મુલાકાતીઓની સંખ્યા
૨૦૧૭-૧૮ ૪,૧૦,૦૦૦ (ચાર લાખ દસ હજાર)
૨૦૧૮-૧૯ ૩,૯૮,૦૦૦ (ત્રણ લાખ અઠ્ઠાણુ હજાર)
૨૦૧૯-૨૦ ૩,૫૦,૦૦૦ (ત્રણ લાખ પચાસ હજાર)
વર્ષ ખર્ચ
૨૦૧૭-૧૮ ૭૮૦ લાખ
૨૦૧૮-૧૯ ૫૯૦ લાખ
૨૦૧૯-૨૦ ૯૨૪ લાખ
1લાખ લોકો સીઝનના90 દિવસ દરમિયાન કામ કરે છે
જ્યારે બાકીના 28,000લોકોને સમગ્ર વર્ષ દરમિયાન પતંગ ઉદ્યોગમાં કામ કરે છે.
• દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40%છે.
પતંગમહોત્સવજેવારાજ્યસરકારનાકાર્યક્રમોને
કારણેગુજરાતનોપતંગઉદ્યોગસતતવિકાસપામીરહ્યોછે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે માન. વડાપ્રધાનશ્રી કહે છે કે“પતંગ ઉત્સવ દર્શાવે છે પ્રકૃતિ પ્રેમ, પર્યાવરણ પ્રેમ અને પર્યટન પ્રેમ”
• એક અંદાજ મુજબ પતંગ ઉદ્યોગ સાથે જોડાયેલ વિવિધ એકમોની અંદાજીત આવક
૨૦૧૪ના સર્વે મુજબ વાત કરું તો
પ્રવૃત્તિઓ આવક
પતંગ બજાર રૂ. ૧૪૦ કરોડ
પતંગ દોરી બજાર રૂ. ૨૨૮ કરોડ
દોરીના રંગ અને કોટિંગ રૂ. ૨૨ કરોડ
ફીરકી રૂ. ૧૦ કરોડ
બરેલી માંજા ફીરકી રૂ. ૧૫ કરોડ
જાહેરાતો રૂ. ૨૦ કરોડ
અન્યપ્રવૃતિઓ રૂ. ૩૫ કરોડ
કુલ રૂ. ૪૭૦ કરોડ
• પતંગ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલ
૬૨ મોટા ઉત્પાદકો,
૩૪૫ નાના ઉત્પાદકો અને
૧૦૯૫ ટ્રેડ ઉત્પાદકો જોડાયેલ છે.
• GITCO ( GUJARAT INDUSTRIAL AND TECHNICAL CONSULTANCY …) નાએક સર્વે મુજબ ગુજરાતમાં ૩૪.૯૦ કરોડ પતંગોનું ઉત્પાદન થાય છે,
જેમાંથી ૭૦% ઉત્પાદનઅમદાવાદમાં થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
• અખંડભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની
182 મીટર ઊંચાઈ ધરાવતીવિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું
નિર્માણ કરવામાં આવ્યું છે. જેને અનેક
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પ્રવાસનના શ્રેષ્ઠ સ્થળ
તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે.
• ગુજરાતસરકારદ્વારાકેવડિયાને‘ફેમિલી ટૂરીસ્ટ ડેસ્ટીનેશન’
તરીકેડેવલપકરેલ છે. જેમાં
સિનિયર સિટીજન માટે આરોગ્ય વન એકતા વન,
યુવાનોમાટે એકતા ક્રુઝ અને રીવર રાફ્ટીંગ અને
મહિલાઓ તેમજ બાળકો માટે ચિલ્ડ્રન ન્યુટીશન પાર્ક,
જંગલ સફારીતેમજએકતા મોલનો આનંદ છે.
તાજેતરમાં જ દેશના વિવિધ શહેરોને ટ્રેન
દ્વારા કેવડિયા રેલ્વે સ્ટેશનને જોડી દેવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીખાતે અનેક વિવિધ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
(1) જંગલ સફારી પાર્ક (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલી જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી-જુદી સપાટીએ બનાવવામાં આવેલું સ્ટેટ ઑફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે.
જેમાંપ્રવાસીઓ દેશ-વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિનાંપ્રાણીઓ જોવાનો આનંદ માણી શકે છે.
આ પ્રોજેક્ટમાં જુદા-જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નીયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસિક ડોમ એવિયરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(2) એકતા મોલ
દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને ડેન્ડીક્રાફ્ટ એમ્પોરિયા છે.
એકતા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોની વખણાતી ચીજ-વસ્તુઓ એકજ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે.
(3) ચિલ્ડ્રનન્યુટ્રિશનપાર્ક
અદ્યત્તન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે.
જેમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે અને અહીં બાળકો મીની ટ્રેન દ્વાર 600 મીટર પ્રવાસ કરી શકે છે.
(4) યુનિટીગ્લોગાર્ડન
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજતા અને આનંદ થાય તેવો વિશેષ થીમ સાથેનો યૂનિટી ગ્લો ગાર્ડન અહીં આકર્ષણનું કેન્દ્ર છે.
આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં એલ.ઈ.ડી લાઈટથી ઝગમગતા પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
(5) કેક્ટ્સ ગાર્ડન
કેક્ટ્સ ગાર્ડન સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠા પર 25 એકરમાં ગાર્ડન પથરાયેલ છે.
જેમાં 450 પ્રકારની કેક્ટી પ્રજાતિ છે અને વિશ્વના જુદા-જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલા કેક્ટ્સ છોડવાઓ આવેલા છે.
(6) એકતા નર્સરી
જુદા-જુદા પ્રદર્શન વેચાણ થકી એકતાના વિચારના થીમ પર 10 એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને એદ્દભુત અનુભવ કરાવે છે.
ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિવર્ષ ઉછેરવાની ક્ષમતા છે.
(7) ખલવાણીઈકો-ટુરિઝમ (ધોધ)
પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃતિઓ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે. જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે.
(8) નવોગોરાબ્રિજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો-લેવલનો કોઝ-વે ગરૂડેશ્વર વિયરના કારણે ડુમમાં આવતો હોવાથી નવો ગોરા બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર વાહનોની સરળતાથી અવર-જવર 4 લેન કરવામાં આવ્યા છે.
આ બ્રિજ કેવડિયાથી રાજપીપીળા રસ્તાને જોડે છે.
(9) એકતાક્રુઝ
એકતા ક્રુઝ દ્વારા પ્રવાસીઓ 6 કિલોમીટર સુધી 40 મિનિટ બોટિંગનો આહલાદક અનુભવ મેળવી શકે છે. 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવે છે.
(10) આરોગ્યવન
માનવસમુદાયનાસ્વાસ્થ્યઅનેસુખાકારીનાવિષ્ય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
(11) સી-પ્લેન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન દ્વારા ગુજરાત ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં અને ટુરિઝમ ક્ષેત્રમાં નવા સોપાનનો પ્રારંભ થયો છે.
સી-પ્લેનના કારણે પ્રવાસીઓ અમદાવાદ થી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી ઓછા સમયમાં જઈ શકશે તેમજ પ્રવાસીઓ સી-પ્લેનનો આનંદ માણી શકશે.
• પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૩૧ ઓક્ટોબર-૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરેલ આ પ્રવાસન સ્થળ ઉદ્ઘાટનના માત્ર 553 દિવસમાં 50 લાખથી વધુ પ્રવાસીઓએ (દૈનીક સરેરાશ ૧૦ હજાર) સ્ટેચ્યુ ઑફ યુનિટી તેમજ અન્ય આર્કષણોની મુલાકાત લીધી છે.
• આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા તાજમહેલ આગ્રાના મુલાકાતીઓથી પણ વધારે છે.આ વાત આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી છે.
રોજગારી
• સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સમગ્ર કેવડીયા એક પ્રવાસન હબ તરીકે વિકાસ પામેલ છે. સ્થાનિક કક્ષાએ ગાઈડ, ડ્રાઈવરતથા અન્ય સ્કીલ અનસ્કીલસ્થાનિક આદિવાસીઓને મહત્તમ રોજગારી મળેલ છે. જેના કારણે કેવડીયાનું સ્થાનિકોનું જીવન ધોરણ સવિશેષ પ્રમાણમાં બદલાયેલ છે. જ્યારે કેવડીયા ખાતે મારા સ્થાનિક આદિવાસી ભાઈઓ પ્રવાસીઓને ગાઈડ તરીકે કેવડીયાની સમજ આપતા હોઈ છે અને સાચા અર્થમાં પ્રવાસન અને રોજગારી એમ બન્નેના વિકાસનો સમન્વય નજરે દેખાય છે.
ગાંધી સર્કીટ (સ્વદેશ દર્શન સ્કીમ)
અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડીગાંધીહેરીટેજસર્કીટ
ગુજરાતનેભારતનાપિતામહાત્માગાંધીનુંજન્મસ્થળહોવાનુંગૌરવછે. આજેરાજ્યમહાત્માગાંધીજીનાસંગ્રહાલયો, મૂર્તિઓ, આશ્રમોવગેરેનેસાચવીરહ્યુંછે.મહાત્માગાંધીજીનાજીવનવિશેવધુજાણવાઇચ્છતાલોકોગુજરાતનીમુલાકાતલઈરહ્યાછે. જેસ્થાનપરગાંધીજીનોજન્મથયોહતો,તેઓજેસ્થળપરરહ્યાહતા,જેસ્થળેથીઅભ્યાસકરેલહતો, તેમણેજેસ્થળપરથીઆંદોલનશરૂકર્યાહતાતેવાઅનેકસ્થળોગુજરાતમાંપ્રેરણાના સ્થળો છે,પ્રવાસીઓનેમહાત્માનાજીવનનેઅનુસરીશકેતેમાટેસદરસ્થળોનેગાંધીટૂરિઝમસર્કિટવિકસાવવાઆવેલછે.
દેશનાસાંસ્કૃતિકઅનેવારસાનામૂલ્યનેપ્રોત્સાહનઆપીનક્કીકરેલસર્કીટનાપ્રદેશોમાંઆજીવિકાપેદાકરવીસર્કિટ/સ્થળોમાંવિશ્વસ્તરીયમાળખાગતવિકાસદ્વારાટકાઉરીતેપ્રવાસીઓનુંઆકર્ષણવધારવાનાહેતુથીભારતસરકારનાપ્રવાસનમંત્રાલયનીસ્વદેશદર્શનપરીયોજનાહેઠળઅમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડીગાંધીહેરીટેજસર્કીટનાવિકાસમાટેરૂ.૫૯.૧૭કરોડમંજુરકરેલછે.
ક્રમ પ્રોજેક્ટનુંનામ પ્રોજેક્ટનીરકમ(કરોડમાં) થયેલખર્ચ
(કરોડમાં) રીમાર્ક
૧ કોચરબઆશ્રમ, અમદાવાદ ૨.૬૯ ૨.૬૯ કામગીરીપુર્ણથયેલછે
૨ સાબરમતીઆશ્રમ, અમદાવાદ ૨.૭૫ ૧.૯૨ કામગીરીપુર્ણતાનાઆરેછે
૩ આલ્ફ્ર્ડહાઈસ્કુલ, રાજકોટ ૧૯.૮૭ ૧૯.૮૭ કામગીરીપુર્ણથયેલછે
૪ કબાગાંધીનોડેલો, રાજકોટ ૦.૫૪ ૦.૫૪ કામગીરીપુર્ણથયેલછે
૫ રાષ્ટ્રીયશાળા, રાજકોટ ૦.૭૭ ૦.૭૭ કામગીરીપુર્ણથયેલછે
૬ કીર્તીમંદીર, પોરબંદર ૨.૧૯ ૧.૧૨ કામગીરીપુર્ણથયેલછે
૭ સરદારપટેલમ્યુઝીયમ, બારડોલી ૦.૧૦ ૦.૧૦ કામગીરીપુર્ણથયેલછે
૮ કરાડીવિલેજ, નવસારી ૩.૮૧ ૩.૨૮ કામગીરીપુર્ણથયેલછે
૯ દાંડીમેમોરીયલ, દાંડી ૧૨.૩૭ ૫.૪૧ કામગીરીપુર્ણતાનાઆરેછે
૧૦ રસ્તાઉપરયાત્રિકોમાટેનીસુવિધાએટભરૂચ ૫૬૩ ૪.૪૬ કામગીરીપુર્ણથયેલછે
૧૧ રસ્તાઉપરયાત્રિકોમાટેનીસુવિધાએટસાયલા, જિ. સુરેન્દ્રનગર ૫.૬૩ ૪.૫૬ કામગીરીપુર્ણતાનાઆરેછે
૧૨ કન્સલ્ટન્સીઅનેકન્ટીજન્સીચાર્જીસ ૩.૩૨
કુલ ૪૮.૦૪
નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ
• નવસારીજીલ્લાનાદાંડીખાતેભારતસરકારનાસાંસ્કૃતિક મંત્રાલય દ્વારા અંદાજીત રૂ. ૭૦.૦૦ કરોડના ખર્ચે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ (એન.એસ.એસ.એમ.) બનેલ છે.
• સદર પ્રોજેકટ નું લોકાર્પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ છે.
• નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલના ઓપરેશન અને મેન્ટેનન્સ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવી રહેલ છે. મેમોરીયલની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે નીચે મુજબના ટીકીટના દર નક્કી કરેલ છે.
ભારતીય પ્રવાસીઓ માટે રૂ. ૨૦.૦૦ વ્યક્તિ દીઠ
વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૦.૦૦ વિદ્યાર્થી દીઠ
વિદેશીપ્રવાસીઓમાટેરૂ. ૧૦૦.૦૦વ્યક્તિદીઠ
• મેમોરીયલ ખાતે ફેબ્રુઆરી-૨૦૧૯ થી ફેબ્રુઆરી-૨૦૨૧
(પાંચ માસ કોવીડના કારણે બંધ રહેલ)સુધીમાં૮,૮૨,૨૧૬ પ્રવાસીઓ દ્વારા મુલાકાત કરેલ છે.
આઝાદીનોઅમૃત મહોત્સવ
વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીને ૭૫વર્ષ પૂર્ણ થશે તેની
ઉજવણીનો પ્રારંભ ૭૫અઠવાડિયા પહેલાં જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી
દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ ગાંધી આશ્રમ ખાતે દાંડીયાત્રા પથ ઉપર તેના સિધ્ધાંતોને
અનુસરીને આત્મ નિર્ભર ભારત અંગેની કુચનું આયોજન કરાવામાં આવેલ છે.
આ પ્રશંગે ૧૨મી માર્ચ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૭૫ આઝાદીના સિમા ચિહ્ન સ્થળો પર અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આજે જ્યારે આપની સમક્ષ ઉપસ્થિત થઈ ને મારી વાત મુકી રહ્યો છુ. ત્યારે ૮૧ દાંડી કુચના પથ ઉપર આત્મ નિર્ભર ભારત માટેની કુચ ભરુચ જિલ્લામાં પહોચેલ છે.
આઝાદીના ચળવળનું મુખ્ય કેન્દ્રબિંદુ સત્યાગ્રહ આશ્રમ ઐતિહાસિક રીતે ઘણું મહત્વ ધરાવે છે.
• અંદાજિતસાડાછકરોડવર્ષપહેલાંમહીસાગર જિલ્લાના
બાલાસિનોરતાલુકાનારૈયોલીગામના 52 હેક્ટર વિસ્તારમાં
મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી.
• તેનાજીવાશ્મી (ફોસિલ) અવશેષોથીજીનેપત્થરબની
ગયેલા ઈંડા અને વિવિધ સંશોધનોને વણીને ડાયનાસોર
પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• ગુજરાતસરકારનોપ્રવાસનવિભાગરૈયાલીસ્થિત
ડાયનોસર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને વિશ્વ
પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યો છે.
આ ભારતનું સૌ પ્રથમ ડેડીકેટેડ ડાયનાસોર મ્યુઝિયમ છે.
આ પાર્ક વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ફોસિલ પાર્ક છે.
• ગુજરાતમાટેગૌરવનીવાતછેફક્તગુજરાતના રૈયોલી માંથી મળેલ ડાયનાસોરના અવશેષ ને આધારે એક પ્રજાતિને ‘રૈયોલીસોરસ ગુજરાતેન્સિસ’ નામ આપવામાં આવ્યુ છે. તેમજ ‘રાજાસોરસ નર્મદેન્સિસ’ ડાયનાસોરના અવશેષ પણ આપણા દેશમાં નર્મદાકાંઠે જ મળ્યા છે.
બાલાસિનોરખાતેડાઈનાસોરમ્યુઝિયમ
પ્રોજેક્ટનુંનામ ઇન્ટરર્પ્રીટેશનસેન્ટર-ડાઈનાસોરમાટેનુંમ્યુઝિયમ
લોકાર્પણ ૮જૂન૨૦૧૯માનનીયમુખ્યમંત્રીશ્રીનાહસ્તે
ફેઝ -૧ ૭કરોડનાખર્ચેમ્યુઝિયમનુંનિર્માણ
ફેઝ -૨ ૨૨.૦૦ કરોડનાખર્ચેડાયનાસોરવિષયકમ્યુઝીયમનીકામગીરી
ફેઝ -૨મુખ્યઘટકો ૫-ડીથીયેટર,ડિઝિટલફોરેસ્ટ,૩૬૦ડિગ્રીવરચ્યુઅલ,રીયાલીટી, એક્સ્પેરીમેંટલેબ,૩-ડીપ્રોજેક્શનમેપિંગ
ફોસિલપાર્ક ૧૩.૯૧ કરોડની ખર્ચે ફોસીલ પાર્ક ના વિકાસ માટે આયોજન
ફોસિલ પાર્કના ઘટકો કંમ્પાઉન્ડ વોલ,પાથ વે,ભવ્ય રાજાસોરસની આકૃતિ વાળો ગેટ, પ્લાન્ટેશન
કુલ પ્રોજેક્ટ કોસ્ટ રૂ. ૪૨.૯૧ કરોડ
ડાયનાસોર મ્યુઝીયમ ફેઝ – ૨ ની કામગીરી ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
• ગુજરાતનામુખ્યમંત્રીતરીકેમાનનીયવિજયભાઈ
રૂપાણીએ શપથ લીધાના થોડાક જ સયમમાં નડાબેટ ખાતે
સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરવવાનોવિચાર તેમણે મૂક્યો હતો.
દેશના યુવાનોમાં રાષ્ટ્રભાવના વિકસે તેમજ દેશભક્તિના
સંસ્કાર કેળવાય તે હેતુથી સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટનું નામ નડાબેટ ખાતે બોર્ડર ટુરીઝમના વિકાસની કામગીરી.
પ્રોજેકટની વિગત ટી જંકશન : પાર્કિંગ, ઓડિટોરિયમ, ૨૨ દુકાનો, ૩ આગમનપ્લાઝા, ૩ ટોઇલેટ બ્લોક, બી.એસ.એફ. બેરેક્સ, અજય પ્રહરીસ્મારક, એક્ઝિબિશન હૉલ,પરેડ ગ્રાઉંડ
પૂર્ણ થયેલ પ્રોજેકટ ની રકમ ૭૬.૫૦કરોડ
પ્રોજેક્ટનું નામ નડાબેટ ખાતે બોર્ડર ટુરીઝમના વિકાસની કામગીરી.
ચાલુ પ્રોજેક્ટની વિગત ટી જંકશન,અજય પ્રહરી સ્મારક અને એક્ઝિબિશન હોલનીઅંદર મુઝિયમ,ગેટ,સોલર રૂફટોપ, સોલારટ્રી, ફર્નિચર, સીસીટીવી, સ્ક્રીન જુદા જુદા મ્યૂરલ
ફેઝ મંજુરરકમ રૂપિયા થયેલ ખર્ચ
ફેઝ-૧ રૂ. ૨૩ કરોડ રૂ. ૨૨.૭૫કરોડ
ફેઝ-૨ રૂ. ૩૧.૫૦કરોડ રૂ. ૧૯.૫૦કરોડ
ફેઝ-૩ રૂ. ૪.૫૦કરોડ રૂ. ૧.૨૫કરોડ
ફેઝ-૪ રૂ. ૧૬.૦૦કરોડ રૂ. ૩.૦૦કરોડ
માર્ગઅને મકાન વિભાગ(રસ્તા) રૂ. ૩૦.૦૦કરોડ રૂ. ૩૦.૦૦કરોડ
કુલ રકમ રૂ. ૧૦૫.૦૦કરોડ રૂ. ૭૬.૫૦કરોડ
ગુજરાતમાં બોર્ડર ટુરિઝમ મક્કમગતિથી આગળ વધી રહ્યું છે.
નડાબેટ પ્રોજેક્ટની સમગ્ર કામગીરી મે-૨૦૨૧ સુધીમા પૂર્ણ કરવાનું આયોજન છે
માનનીય અધ્યક્ષશ્રી,
• ગુજરાતમાટેગૌરવનીવાતછેકે, શિવરાજપુરદરિયાનેબ્લુ
બીચ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ડેન્માર્કમાંકાર્યરત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન‘ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજ્યુકેશન’
દ્વારા ૧૧ઓક્ટોબર-૨૦૨૦ના રોજ ‘બ્લુ ફ્લેગ બીચ’ નું
સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
• બ્લુફ્લેગબીચનેદુનિયાનાસૌથીસ્વચ્છઅનેસુંદર
બીચ તરીકે માનવામાં આવે છે.
કેટેગરી વિગત
ચાર (૪) વોટરક્વોલિટી,એન્વાર્યમેન્ટમેનેજમેન્ટ,એન્વાર્યમેન્ટએજ્યુકેશનએન્ડઈન્ફોર્મેશન,સેફ્ટીએન્ડસર્વિસ
બ્લુફ્લેગસર્ટિફિકેટનાક્રાઇટએરીયા ૩૩-ક્રાઈટએરિયાનેધ્યાનમાંલેવામાંઆવેછે
ભારતમાંબલ્યુફ્લેગબીચનીસંખ્યા ૮(આઠ)
ફેઝ-૧
પ્રોજેક્ટનું નામ શિવરાજપુર બીચના વિકાસની કામગીરીની
ચાલુ પ્રોજેક્ટની વિગત
ફેઝ-૧ લોકર રૂમ, અરાઈવલ પ્લાઝા,પાથ વે,સાઇનેજિસ, સાઈકલ ટ્રેક, પ્રમોનેટ વગેરે
ફેઝ-૧ પ્રોજેકટ રકમ ૨૦.૩૫કરોડ
ફેઝ-૨
આયોજિત ફેઝ-૨ પ્રોવાઈડીંગ ટુરિસ્ટ ફેસીલીટી એન્ડ રીલેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક એટ જિ.દેવભૂમિ, શિવરાજપુર બીચદ્વારકા ફેઝ-૨
આયોજિત પ્રોજેકટ ની વિગત ફૂડકોટઇન્ટર, પ્રિટેશન, કેમ્પી સાઈડ, સાવર, બોડ વોક, પાર્કિંગ, સેન્ટર રૂમ મેળા, ચેન્જીંગ રૂમ, ગ્રાઉન્ડ
ફેઝ-૨પ્રોજેકટ રકમ ૭૬.૬૩કરોડ
પ્રોજેટ્ક રકમરૂપિયાકરોડમાં
આયોજન ફેઝ-૧ રૂ. ૨૦.૩૫ કરોડ(વીસ કરોડ પાંત્રીસ લાખ )
આયોજન ફેઝ-૨ રૂ. ૭૬.૬૩ કરોડ (છોત્તેર કરોડ ત્રેસઠ લાખ)
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રૂ. ૪૨.૦૦ કરોડ (બેતાલીસ કરોડ)
કુલ ટોટલ રૂ. ૧૩૮.૯૮( એકસોઆડત્રીસ કરોડ અઠ્ઠાણુ લાખ)
શિવરાજપુર બીચ દ્વારકાની કામગીરી ઓક્ટોબર-૨૦૨૨માં પૂર્ણ કરવાનું આયોજન થાય છે
જંગલના રાજાનું ભવ્યાતિભવ્ય ઘર એટલે આંબરડી સફારી પાર્ક.
આંબરડી સફારી પાર્કમાં મુક્તપણે સિંહને હરતા-ફરતા
જોવા મળે છે. અમરેલી જિલ્લાની ઉત્તર-પૂર્વ સરહદે
આવેલ આંબરડી સફારી પાર્કના વિશાળ ભૌગોલિક
વિસ્તારને આરક્ષિત વન તરીકે જાહેર કરાયેલ છે.
• આંબરડીએએવુંસ્થળછેકેજ્યાં
અંદાજિત ૪૦૦ હેક્ટર વિસ્તારમાં
જંગલના રાજા સિંહ મુક્તરીતે હરતા-ફરતા જોવા મળે છે.
પ્રોજેક્ટનું નામ આંબરડી સફારી પાર્ક ધારી ખાતે પ્રવાસી સુવિધાની કામગીરી
મુખ્ય ઘટકો ગેટ, ટિકીટ બુકીંગ વિન્ડો,માહિતિ કેન્દ્ર,સોવેનિયર શોપ,ફૂડકોર્ટ,અને પીવાનું શુધ્ધ પાણી,એમ્ફીથેયેટર,પાર્કિંગ,રસ્તા,લેન્ડસ્કેપિંગ બેંચ,વેઈટિંગ લોન્જ તેમજ બ્રિજ વિશેષમાં પ્રવાસીઓ માટે સુવિધા જનક ૨ એસી બસો તથા ૨ મોડીફિકેશન સાથેના સફારી વાહન રૂ.૧.૧૦ કરોડના ખર્ચે પૂરુ પાડવાનું આયોજન.
પ્રોજેકટની રકમ રૂ. રૂ. ૨૬.૭૭કરોડ (૨૫.૬૭ કરોડ પ્રોજેક્ટ માટે + ૧.૧૦ કરોડ બસ સુવિધા માટે)
આંબરડી સફારી પાર્કના વિકાસની કામગીરી રૂ.૨૬.૭૭ કરોડના ખર્ચે જુન-૨૦૨૨ પહેલા
પૂર્ણ કરવાનું આયોજન છે.
ગીરનાર રોપ-વે
દેશના પ્રધાનમંત્રીશ્રી મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે
તેમની ઈચ્છા હતી કે ગીરનારના દર્શન કરવા માટે પ્રવાસીઓ માટે રોપ વે બનાવવો જરૂરી છે તે
બાબતને ધ્યાને રાખી પ્રધાનમંત્રીશ્રી બન્યા બાદ જે પણ મંજુરીઓ કેન્દ્ર સરકાર તરફથી જરૂરી હતી.તે અપાવી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ડીસેમ્બર-૨૦૧૭માં
ગીરનાર રોપવેનું કામ ચાલુ કરી તેનું લોકાર્પણ તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ કરેલ
આ કામ માટે ચલાવનારએજન્સી દ્વારા અંદાજીત રૂ.૧૩૦.૦૦ કરોડ નો ખર્ચ કરેલ છે
નવેમ્બર-૨૦૨૦ થી ફેબ્રુઆરી-૨૧ સુધીમાં ૮૨૭૪૪ પ્રવાસીઓ મુલાકાત લીધેલ છે.
ગીરનાર રોપ વે ની વિગતમાં
• રોપ વે ની ઢાળવાળી લંબાઈ : ૨૩૨૦.૨૪ મીટર
• રોપ વે ની સીધી લંબાઈ : ૨૧૨૬.૪૦ મીટર
• પ્રવાસીઓની કેપીસીટી : ૮૦૦ પ્રતિ કલાક
• રોપ વે ની ઝડપ : ૬ મીટર પ્રતિ સેકન્ડ
• એક ટ્રીપનો સમય : ૭.૪૩મિનિટ
• કેબીન ની સંખ્યા : ૨૫ નંગ
• ટાવરની સંખ્યા : ૯ નંગ
ગીરનાર રોપવે ચલાવવા અને નિભાવવા માટે ઉષાબ્રેકો લિ કોમર્શિયલ ઉપયોગ શરુ થયેથી ૯૮ વર્ષ માટે આપેલ છે રોપવે ની કામગીરી માટે ૭.૨૮ હેક્ટર જમીન ફાળવેલ છે.
સરકારશ્રીને નીચે મુજબની રોયલ્ટી મળે છે.
૧. ૧ થી ૫ વર્ષ : રૂ.૫,૦૦,૦૦૦,પ્રતિ વર્ષ
૨. ૬ થી ૧૫ વર્ષ : રૂ.૧૦,૦૦,૦૦૦ પ્રતિ વર્ષ અથવા ૧.૫% ગ્રોસ વર્ષિક આવકના જે પૈકી જે
વધારે હશે તે રકમ.
૩. ૧૬ થી ૨૫ વર્ષ : રૂ.૧૫,૦૦,૦૦૦ પ્રતિ વર્ષઅથવા ૧.૫% ગ્રોસ વર્ષિક આવકના જે પૈકી જે
વધારે હશે તે રકમ.
૪. ૨૬ થી ૪૦ વર્ષ : રૂ.૨૫,૦૦.૦૦૦ પ્રતિ વર્ષ અથવા ૧.૫% ગ્રોસ વર્ષિક આવકના જે પૈકી જે
વધારે હશે તે રકમ.
૫. ૪૧ થી ૬૫ વર્ષ : રૂ.૪૦,૦૦,૦૦૦ પ્રતિ વર્ષ અથવા ૨% ગ્રોસ વર્ષિક આવકના જે પૈકી જે
વધારે હશે તે રકમ.
૬. ૬૬ થી ૯૮ વર્ષ : રૂ.૬૦,૦૦,૦૦૦/- પ્રતિ વર્ષ અથવા ૨.૫% ગ્રોસ વર્ષિક આવકના જે પૈકી જે
વધારે હશે તે રકમ.
કંપની દ્વારા રોયલ્ટી ઉપરાંત વધારાની સગવડ માટે જેવી કે કાફેટેરિયા વગેરેમાં જે ગ્રોસ ટર્નઓવેર થશે તેના ૫% રકમ રોયલ્ટી તરીકે આપશે.
• ગુજરાતનુંપુરાતનશહેરમાંનુંએકશહેરએટલેવડનગર.
પ્રાચીન સમયમાં વડનગર આનર્તપુર,આનંદપુર સહિત વિવિધ
નામોથી પ્રખ્યાત હતુ. વિદ્યા,કલા,સાહિત્ય-સંગીત,નૃત્ય,
શિલ્પ,સ્થાપત્ય, વાણિજ્ય અને ઉદ્યોગો માટે સુવિખ્યાત હતું.
• ભારતસરકારનાપ્રવાસનમંત્રાલયઅનેગુજરાત પ્રવાસન
નિગમ લિમિટેડના સંયુક્ત પ્રયાસો દ્વારા સાંસ્કૃતિક અને
ઐતિહાસિક મહત્વ ધરાવતા જૈન,બૌદ્ધ,અને હિંન્દુ સંસ્કૃતિના સંગમ સ્થળ સમા આ વડનગર શહેરમાં આવેલા પ્રવાસનનાં સ્થળોને વિકસાવવામાંઆવી રહ્યા છે.
પ્રોજેક્ટનું નામ વડનગર ખાતે વિકાસની કામગીરી.
પૂર્ણ થયેલ પ્રોજેકટ ની વિગત ‘સ્વદેશ દર્શન યોજના’ અંતર્ગત શર્મિષ્ઠા તળાવ,તાના-રીરી પાર્ક,શેઠ ચકુલાલ ભોગીલાલ ઈન્ટરપ્રિટેશન સેન્ટર, અંબાજી કોઠા લેક,વડનગર રેલ્વે સ્ટેશન,ગેટ અને ફોર્ટ વોલ,લટેરી વાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
કુલ પ્રોજેકટ રકમ ૮૩.૧૬કરોડ
પૂર્ણ થયેલ પ્રોજેક્ટની રકમ ૭૩ કરોડ
ચાલુ પ્રોજેકટની વિગત શર્મીષ્ઠા તળાવના વિકાસની કામગીરી,થીમ પાર્ક, અંબાજી કોઠા લેક (૯૫% પુર્ણ)
ફેઝ-૨
આયોજન હેઠળ હાલમાં રાજ્ય સરકારે વડનગરના વિકાસ માટેનો અંદાજીત રૂ.૧૦૦.૦૦ કરોડનો માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલટન્ટની નિમણુક કરાઇ છે.
સાપુતારા
• સાપુતારા ગુજરાત રાજ્યનું ૧૦૦૦ મી. જેટલી ઉંચાઇએ આવેલુ એક માત્ર ગિરીમથક છે જેનો કુલ વિસ્તાર ૪૧૯.૧૨ હે. છે. ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગ જિલ્લો સાપુતારાની સાથે-સાથે ગિરા ધોધ, બોટાનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ,પંપા સરોવર, અંજનીકુંડ અને ગાઢ જંગલ સાથે કુદરતી સંપદાથી ભરપૂર છે, જે પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહયું છે.
સાપુતારાખાતેહાથધરેલકામગીરીનીવિગત
ક્રમ પ્રોજેકટનુંનામ પ્રોજેક્ટ કોસ્ટ
(રૂ. કરોડમાં) થયેલખર્ચ
(રૂ. કરોડમાં) હાલનીપરિસ્થિતિ
૧ ડેવલપમેન્ટઓફલેકપેરીફેરીસાપુતારા,
જિ: ડાંગ ૨૪.૭૩ ૮.૭૬ ૫૫% કામગીરીપૂર્ણથયેલછે
૨ ડેવલપમેન્ટઓફગવર્નરહિલસાપુતારા,જિ: ડાંગ ૬.૧૭ ૪.૮૫ કામગીરીપૂર્ણથયેલછે
પોળોફોરેસ્ટ
અરવલ્લીનીપર્વતમાળાપશ્ચિમભારતનાઘરેણાસમાનછેઅને
તેનાસાનિધ્યમાંપાવનગુર્જરધરાપરઆવેલોકુદરતનોવહાલભર્યોખોળોએટલે‘પોળો’.
ક્ષીતીજસુધીચોમેરપથરાયેલીહરિયાળી, નાનાનાનાજળપ્રપાત,
કાળકાળનિનાદકરતાઝરણા,
શિવઅનેશક્તિનાપ્રાચીનમંદિરોઅને
વિરલપ્રજાતિઓનાપંખીઓનુંસરનામુંછે‘પોળોનાજંગલો’.
પોળોનાજંગલપ્રકૃતિએગુજરાતનેકરેલોજાણેલીલોચાંલ્લો.
આવાઅજાણ્યાપ્રવાસનસ્થળોનેવિકસાવવા
ગુજરાતપ્રવાસનવિભાગસતતપ્રયત્નશીલછેઅનેપરિણામોપણખુબસારામળીરહ્યાછે.
લોથલ
ઐતિહાસિક પ્રવાસમાં રૂચી ધરાવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે હડપ્પન સંસ્કૃતિની વિરાસત એટલે ‘લોથલ’.
લોથલએ હડપ્પન સંસ્કૃતિનુંબંદર હતું.
પ્રવાસન સર્કીટમાં લોથલ પ્રવાસીઓને આકર્ષી શકે તે ઉદ્દેશ થી અંદાજીત રૂ. ૪૮૦ કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારાલોથલખાતે‘નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પ્લેક્ષ’ બનાવવાનું આયોજન કરેલ છે.
ધોળાવીરા
રાજ્યના પ્રવાસનની ઐતિહાસિક વિરાસત તરીકે ધોળાવીરા ઓળખાય છે ભારત સરકાર દ્વારા તેને આઇકોનિક ડેસ્ટીનેશનની યાદીમાં મુકવામાં આવેલ છે.
ધોરડો જતા પ્રવાસીઓ અને ધોળાવીરા વચ્ચે સર્કીટ બને તે ઉદ્દેશ થી ૨૮૦ કી.મી. નો રસ્તો માત્ર ૬૫ કી.મી.નો થાય તે પ્રકારે રોડ રસ્તાના કામોનું આયોજન કરવામાં આવી રહેલ છે.
ધોળાવીરાની ઐતિહાસિક ધરોહરને જગ પ્રસિદ્ધ કરવા માટે પ્રવાસન નિગમ દ્વારા વ્યાપકપ્રચારપ્રસારનીપ્રસિદ્ધિ કરવામાં આવે છે.
ઉપરકોટ કિલ્લા
• આઉપરાંત, સમગ્રરાજ્યમાંઐતિહાસિકઅને
પ્રાચીન સ્થાયત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હેરીટેજ સ્થળો આવેલા છે
જેનો પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે.
તેમા એક મહત્વની વાત કરુ તો હાલમાં જુનાગઢના સુપ્રસિધ્ધઅને
ઐતિહાસિક ધરોહર એવા ઉપરકોટ કિલ્લાનુ રાજ્ય સરકાર દ્વારા રીસ્ટોરેશન અને રીનોવેશન કામગીરી ચાલુ છે.
કિલ્લો 20 મીટરની ઊંચી દિવાલોથી ઘેરાયેલો છે. કિલ્લા પરથી ગીરનાર હિલ તરફનું શહેર અને પૂર્વ તરફના દ્રશ્યો અદભુત હોય છે.
પ્રોજેક્ટનું નામ જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટની વિકાસ કામગીરી બાબત
ઈ ખાતમુહૂર્ત 16જુલાઈ 2020 માન. મુખ્યમંત્રી શ્રી ના હસ્તે
ચાલુ પ્રોજેકટ વિગત ઉપરાકોટના રીનોવેશન,કન્ઝર્વેશન અનેરિસ્ટોરેશનની કામગીરીરૂ.45.91કરોડના ખર્ચે કરવાનું આયોજન છે.
થયેલ કામગીરી
રૂ.૧૫ કરોડનો ખર્ચ
૪૦% કામગીરી પૂર્ણ થયેલ છે.
મકબરા
પ્રોજેક્ટ વિગત પ્રોજેક્ટની રકમ
બહાઉદીન મકબરો રીનોવેશન,કન્ઝર્વેશન અનેરિસ્ટોરેશનની કામગીરી બંને પ્રોજેક્ટની
કુલ રકમ રૂ. ૫.૦૦ કરોડ
મહોબ્બતખાન મકબરો રીનોવેશન,કન્ઝર્વેશન અનેરિસ્ટોરેશનની કામગીરી
ઉપરકોટના રીનોવેશન, કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનની કામગીરી
ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
વાઈલ્ડલાઈફ
સાસણ ગીર
સમગ્ર ભારતદેશ એશિયાટિક લાયન માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તે એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીર જંગર નેશનલ પાર્ક, સેકન્ડો ચોરસ કીલોમીટરમાં ફેલાયેલું જંગલ, ૬૫૦ થી પણ વધુ સિંહોનું રહેઠાણ છે.
કાળિયાર
બ્લેકબક, જેને ભારતીય કાળિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતની વાઈલ્ડ લાઈફ માટે એક અતિ મહત્વનું લોકેશન એટલે ‘વેળાવદર નેશનલ પાર્ક’.
અહી બ્લેકબકની સાથે સાથે સાબર, હાયના અને શિયાળ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
પ્રવાસીઓની સુવિધા હેતુ પ્રવાસન નિગમ દ્વારા રૂ. ૧.૨૫ કરોડનાં વિકાસના કામોનું આયોજન કરેલ છે. જેમાંસેલ્ફી પોઈન્ટ, ટીકીટ વિન્ડો, સાઈનેજીસ, સ્કલ્પચર, ગેટ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
ઘુડખર
કચ્છના નાના રણનુંઘુડખરરાષ્ટ્રીય અભ્યારણ સમગ્ર વિશ્વમાં જાણીતું છે કારણ કે ઘુડખરઆખી દુનિયામાં અહીં જ જોવા મળે છે. ૭૦ કી.મી. પ્રતિકલાકનીઝડપે ઘુડખરની લાક્ષણીકતાના કારણે પ્રવાસીઓ અહીં ખેંચાય આવે છે.
પક્ષી અભ્યારણ
નળસરોવર (અમદાવાદ)
નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રાકૃતિક સંપદાનું વૈવિધ્ય નોંધ પાત્ર છે. ૧૨૦૮૨ ચો.કી.મી.ના સરોવર ક્ષેત્રમાં ફેલાયેલો આ વિસ્તાર છે. જેમાં ૩૬ નાના ટાપુઓ છે જે પ્રવાસીઓને સવિશેષ આકર્ષિક કરે છે. નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી દેશ વિદેશના પ્રવાસીઓ વિવિધ જાતના પક્ષીઓને જોવા અચૂક મુલાકાત લે છે.
થોળ (મહેસાણા)
ગુજરાતના પાટનગર થી ૨૭ કી.મી. દૂર ૪૦ હજાર એકરમાં થોળ સેન્ચ્યુરી આવેલી છે. થોળ લેક એ દેશ અને વિદેશના પક્ષીઓ માટે પસંદગીદાર જગ્યા છે. થોળ પક્ષી અભ્યારણ ખાતે સફેદ રંગના મોટા બતક એટલે કે ગ્રેટ વ્હાઈટ પેલીકન, મેલર્ડ કહેવાતા જંગલી બતક, કલહંસ, સારસ બેલડીની જોડી, બગલા જેવા ઘણા પક્ષીઓ અહીં જોવા મળે છે.સૂર્યોદયઅને સૂર્યાસ્તનાબેગ્રાઉન્ડમાં આકાશમાં ચોક્કસ આકારે ઉડતા પક્ષીઓના ઝુંડને જોવું અને સાથે સાથે જમીન ઉપર રહેલા હજારો પક્ષીઓનો આવજ સાંભળવો એ પ્રવાસીઓ માટે અદ્દભૂત લ્હાવો છે.
ખીજડીયા (જામનગર)
જગતભરના પક્ષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સમગ્ર વિશ્વમાં વિહરે છે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આ પક્ષીઓ દર શિયાળામાં ગુજરાતના મહેમાન બને છે. ખીજડીયામાં યુરોપ અને સાઈબીરીયા જેવા દેશોમાંથી પક્ષીઓ આવે છે. ખીજડીયા સેન્ચ્યુરી ૨૨૦ થી વધુ જાતીના નિવાસી અને સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે.
ઉપરોક્ત તથા અન્ય બીજા પક્ષી અભ્યારણ ખાતે પ્રવાસી સુવિધા માટે વર્ષ ૨૦૨૧-૨૨માં
રૂ. ૩.૦૦ કરોડની જોગવાઈ કરેલ છે.
સોમનાથ/દ્વારકા/ અંબાજી
પ્રસાદયોજના :
૨૦૧૫માં ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive (PRASHAD) સ્કીમની શરૂઆત કરી. પ્રસાદ યોજના, ટકાઉ રીતે પર્યટકોનું આકર્ષણ વધારવું, રોજગારીની તકો ઉત્પન્ન કરી અને આર્થિક વિકાસ કરવો, સ્થાનિક કલા અને સંસ્કૃતિ,હસ્તકલા અને રાંધણકળા વગેરેને પ્રોત્સાહન આપવુ અને ધાર્મિક સ્થળોએ વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓનો વિકાસ કરવાના ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવી છે. પ્રસાદ સ્કીમ અંતર્ગ ગુજરાત રાજ્યના દ્વારકા અને સોમનાથનો પ્રથમ તબક્કે સમાવેશ કરેલ હતો. અને જે માટેના કામની વિગતો નીચે મુજબ.
અનું પ્રોજેક્ટનુંનામ ભારતસરકારદ્વારામંજુરકરેલરકમ ભારતસરકારદ્વારાફાળવેલરકમ થયેલખર્ચ હાલનીપરીસ્થીતી
૧ દ્વારકાનોવિકાસ ૧૩.૦૮કરોડ ૧૦.૪૬કરોડ ૧૦.૪૧કરોડ કામગીરીપુર્ણથયેલછે
૨ સોમનાથખાતેપ્રવાસીસુવીધાનોવિકાસ ૪૫.૩૬કરોડ ૪૫.૩૬કરોડ ૪૫.૩૬કરોડ કામગીરીપુર્ણથયેલછે
૩ સોમનાથખાતેયાત્રીપથનોવિકાસ ૪૭.૧૧કરોડ ૪૪.૨૨કરોડ ૪૭.૧૧કરોડ કામગીરીપુર્ણથયેલછે
• ભારત સરકાર દ્વારા રાજ્યના બે સ્થળો સિવાયઅંબાજીને પણ પ્રસાદ સ્કીમમાં
તા. ૨૦/૦૪/૨૦૨૦ના રોજ સમાવેશ કરેલ છે. જે અન્વયે અંબાજી ખાતે જુદી જુદી પ્રવાસનની સુવિધાની કામગીરી કરવા માટેરૂ.૪૯૮૫.૮૨ લાખની દરખાસ્ત પ્રવાસન મંત્રાલયમાં
તા. ૧૯/૦૧/૨૦૨૧ ના રોજ મોકલેલ છે. જેની ટૂંક સમયમાં મંજુરી મળ્યેથીકામગીરી હાથ ધરવામાં આવશે.
• સોમનાથ ખાતે પીલ્ગ્રીમ પ્લાઝા માટે રૂ.૪૯૮૦.૫૩ લાખની દરખાસ્ત પ્રવાસન મંત્રાલયમાં તા:૨૫/૦૮/૨૦૨૦ ના રોજ મોકલેલ છે. જેની ટૂંક સમયમાં મંજુરી મળ્યેથીકામગીરી હાથ ધરવામાં આવશે.
બેટ દ્વારકા અને શીયાળ સવાઈ બેટ
ગુજરાત રાજ્યના દરિયાકિનારે ૧૫૦થી વધુ ટાપુઓ છે,
આ ટાપુઓ(આઇલેન્ડ) નાવિકાસમાટેઓગસ્ટ૨૦૧૯માંમાન.મુખ્યમંત્રીશ્રીનાઅધ્યક્ષસ્થાનેઆઇલેન્ડડેવલપમેન્ટઓથોરિટીનીરચનાકરવામાંઆવીછે.
ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા બેટ દ્વારકા અને શીયાલ બેટ ને ટુરીસ્ટ પ્લેસ તરીકે ડેવલોપ કરવા ઓવર ઓંલ માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણુક કરવવાની કામગીરી હાથ ધરેલ છે. સદર કામગીરી માટે અંદાજીત ૬૦ કરોડનો ખર્ચ થવાની સંભવાના છે.
જે અન્વયે પ્રથમતબક્કે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ. ૬.૦૦ કરોડનું પ્રોવિઝન કરેલ છે.
જૂનીટુરીઝમ પોલિસી-૨૦૧૫-૨૦
• પ્રવાસનવિભાગદ્વારા 24 સપ્ટેમ્બર, 2015ના
રોજ નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર
કરવામાં આવી હતી. જેનાથી રાજયમાં પ્રવાસનના
વિકાસને વેગ મળેલ છે.
થયેલઅંદાજિત મુડી રોકાણ રૂ. ૧૩,૬૭૧કરોડ
કાર્યરત પ્રોજેક્ટ્સ ૩૩૨
અંદાજિત રોજગારી ૨૨૦૦૦ થી વધુ
નવીટુરીઝમ પોલિસી-૨૦૨૧-૨૫
• ગુજરાતએકપોલિસીડ્રિવનસ્ટેટછે.
રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં પોલિસી જાહેર કરવામાં આવી છે.
કોરોનાના સંક્રમણ કાળમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા
બે નવી પોલીસી અને એક પ્રસ્તાવિત સુધારા સાથેની
પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.
• ગુજરાતરાજ્યમાંપ્રવાસનક્ષેત્રનાસર્વાંગી
વિકાસ અને રોકાણકારોને આકર્ષવા માટે અમારી ભાજપા સરકાર દ્વારા
પ્રવાસન નીતિ 2015-2020 ની પાંચ વર્ષની મુદત
પૂર્ણ થતાં 12 જાન્યુઆરી 2021 ના રોજ નવી પ્રવાસન નીતિ
2021-2025 જાહેર કરવામાં આવી છે.
• ગુજરાતટુરિઝમપોલિસી 2021-25 દ્વારા ‘વોકલ ફોર લોકલ’ ના ધ્યેયને પણ પ્રોત્સાહન આપીને ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટનું પ્રમોશન કરવામાં આવશે.
• ગુજરાતનેપ્રવાસનક્ષેત્રે‘ગ્લોબલ ચોઈસ ફોર ટુરિઝમ’
બનાવવામાટેરાજ્યસરકારેઆપોલિસીબનાવીછે.
આ નીતિમાં પ્રવાસન વિભાગ દ્વારા
‘પ્રવાસન વૃધ્ધિ સાથે પર્યાવરણ સમૃધ્ધિ’ નો નવતર અભિગમ અપનાવ્યો છે.
નવી પોલીસીમાં ગુજરાતનીપ્રાકૃતિક, સાંસ્કૃતિકઅનેભૌગોલિકસમૃધ્ધિને
ધ્યાનમાં રાખીને કેન્દ્રિતકરાયેલા વિવિધ પ્રકારના ટુરિઝમસેગમેન્ટસ
Caravan Tourism Medical Tourism
Wellness Tourism MICE (Meeting, Incentives, Conferences & Exhibitions) Tourism
Adventure Tourism Wildlife Tourism
Costal Tourism Spiritual Tourism
Rural Tourism Theme Park Tourism
ગુજરાતમાંઉચ્ચપ્રાધાન્યધરાવતાપ્રવાસનકેન્દ્રો (priority Area)
માટેસાહસિકતાઅનેવન્યજીવનપર્યટન,સામૂહિક
પ્રવાસનકાર્યક્રમોનુંઆયોજન,આરોગ્યવિષયકપર્યટન,
સુખાકારીપ્રવાસન,નૌકાવિહારપ્રવાસન,ધાર્મિક/આધ્યાત્મિકપ્રવાસન,
ગ્રામ્યજીવનનાઅનુભવઅંગેનાપ્રવાસનપ્રોજેક્ટમાટે 15 થી 20
ટકાકેપીટલસબસીડીઆપવાનીનવીપોલિસીમાંજોગવાઈકરવામાંઆવીછે.
ઇલેક્ટ્રીકવાહનોનાચાર્જિંગસ્ટેશનસ્થાપિતકરવામાટેપાત્રમુડીરોકાણપર ૨૫% સહાય મહત્તમ રૂ.૧૦ લાખ
વિદેશી પર્યટકોને રજીસ્ટર્ડ હોટેલ રીસોર્ટ/ અને ગરવી ગુર્જરી માંથી સહાય ૧૫% ડિસ્કાઉન્ટ કુલ મર્યાદા ૨૦ હજાર
સસ્ટેનેબલટુરિઝમડેવલપમેન્ટઅંતર્ગતગ્રીનબિલ્ડીંગપ્રમાણપત્રમેળવતાપ્રવાસનપ્રોજેક્ટનેસર્ટિફીકેટ ફી માં ૫૦% વળતર મહત્તમ રૂ.૧૦ લાખ
રૂ.૫૦ કરોડથી ૫૦૦ કરોડ સુધીના મુડી રોકાણ સુધી થીમ પાર્ક/મનોરંજન પાર્કની સ્થાપના માટે ૧૫% સહાય.
આમા કોઇ અપર લીમીટ નથી.
૫૦૦ કરોડથી વધુ મુડી રોકાણ માટે ૧૫% સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વાર લીઝ પર જમીન
“રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણકારોના આર્થિક હિત જળવાય રહે તેમજ પ્રવાસન ક્ષેત્રે રોજગારીની નવી આકાંક્ષાઓસર્જન કરતી આ ટુરીઝમ પોલીસી પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં ખૂબજ ક્રાંતિ લાવશે. જેનો મને વિશ્વાસ છે”.
આમદાવાદને જ્યારે વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળેલ છે, સમગ્ર રાજ્યમાં અનેક સ્વરૂપમાં વિશાળ હેરીટેજની વિરાસતનો વરસો ઉપલબ્ધ છે, તેવા સંજોગોમાં હેરીટેજ ઈમારોતાનું સુયોગ્ય રીતે જતન કરી શકાય તેમજ આ વારસાને વધુ સમૃદ્ધ રીતે વૈશ્વિક પ્રવાસનના નકશામાં સ્થાન આપી શકાય તે ઉદ્દેશ થી માન. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં તેમજ માન. નાયબ મુખ્યમંત્રીશ્રીમાર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યની પ્રથમહેરિટેજ ટુરિઝમ પોલીસીની જાહેરાત પણ કરવામાં આવી છે.
1 જાન્યુઆરી 1950 પહેલાંની ઐતિહાસિર ઈમારતો,
મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ,
હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ બનાવવા
માટે સબસિડી આપવાની આ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે.
હેરિટેજપોલિસી
૨૫કરોડ સુધીના મૂડી રોકાણ પર ૨૦% ની સહાય મહત્તમ રૂ.૫.૦૦ કરોડ
૨૫ કરોડ થી વધુના મૂડી રોકાણ પર ૨૦% ની સહાય મહત્તમ રૂ.૧૦.૦૦ કરોડ
૭% લેખેપાંચ વર્ષ માટે ઇન્ટરેસ્ટ સબસીડી રાહત પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦લાખ
ઈલેક્ટ્રીસીટી ડ્યુટી પાંચ વર્ષ માટે ૧૦૦% રાહત
હેરીટેજ મ્યુઝીયમ, બેન્કવેટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ રૂ.૩.૦૦ કરોડ સુધીના મૂડીરોકાણ પર ૧૫% સહાય (મહત્તમ રૂ. ૪૫ લાખ)
રૂ.૩.૦૦ કરોડ થીવધુના મૂડીરોકાણ પર ૧૫% સહાય (મહત્તમ રૂ. ૧કરોડ)
આ પોલીસીની હાલમાં જાહેરાત થઇ છે અને તેના અમલીકરણની પ્રક્રિયા શરુ થાય તે પહેલા જ અંદાજિતરૂ. ૩૦૦કરોડનુંવધુરોકાણકરવાનીતત્પરતા વિવિધ સ્ટેક હોલ્ડરોએ દર્શાવેલ છે. જે ગુજરાત માટે આવનારા સમયમાં એક ખૂબ જ મોટા પાયે રોજગારીનું સર્જન કરશે.
ગુજરાતપ્રવાસનવિભાગદ્વારાકરવામાંઆવેલીપ્રશંસનીય કામગીરીને પરિણામે એવોર્ડ પ્રાપ્ત થયા છે.
(૧) ઇન્ડિયા ટુડે દ્વારા આયોજિત ટૂરિઝમ સર્વે એવોર્ડ 2020 માં ગુજરાતને‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માટે ‘આઇકોનિકલેન્ડસ્કેપ’ કેટેગરીમાં તારીખ 25 નવેમ્બર,2020 એવોર્ડ પ્રાપ્ત થયો છે.
(૨) આ ઉપરાંત ‘ટ્રાવેલ એન્ડ લેઝર ઇન્ડિયા બેસ્ટએવોર્ડ્સ 2020’દ્વારા 25 નવેમ્બર,2020 ના રોજ ગુજરાતને ‘ડોમેસ્ટિક ટુરિઝમ કેટેગરીમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક સ્થળ’ માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે.
(૩) અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ત ઓર્ગેનાઈઝેશન દ્વારા 11 માર્ચ 2021 ના રોજ સોમનાથ ખાતે થી રહેલ વિકાસને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટને Amazing Talent – વિસ્મયકારક પ્રકૃતિદત્ત સૂઝ માટે પ્રમાણ પત્ર એનાયત કરાયેલ છે. વર્લ્ડ ટેલેન્ત ઓર્ગેનાઈઝેશને કામની કદરરૂપ પ્રમાણપત્ર એનાયત કરીને સોમનાથ ખાતેના વિકાસ કાર્યોને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ આપી છે.
● “જ્યાંપ્રગતિનોસૂર્યપ્રકાશે,દીપેસ્વર્ણપ્રભાત,સદાકાળઝળહળશેજગમાંમારુંગુજરાત…જયજયગરવીગુજરાત.”
● દરિયો,ડુંગરઅનેરણનાત્રિભેટેઉછરેલીગુર્જરધરાનીસંસ્કૃતિઅપરંપારછેઅનેપ્રકૃતિઆપનાપરમહેરબાનછે,પ્રકૃતિઅનેસંસ્કૃતિનાસમન્વયસમાગુજરાતનાપ્રવાસનસ્થળોનુંજતનઅનેસંવર્ધનકરવાગુજરાતપ્રવાસનવિભાગપ્રતિબધ્ધછે.
● ગીરનાજંગલમાંડણકદેતોડાલોમથ્થોહોય,પવિત્રબારજ્યોતિર્લીંગોમાંનુંએકએવુંસોમનાથદાદાનુંસાનિધ્યહોય,ભગવાનશ્રીકૃષ્ણનીકર્મભૂમિદ્વારકા,માંઆંબાનુંહૃદયજ્યાં,બિરાજમાનછેએવુંપાવનઅંબાજીધામ,ગરવોગઢગીરનાર,ગુજરાતનીવૈશ્વિકઓળખસમુંકચ્છનુંસફેદરણ,બ્લુફ્લેગનુંબહુમાનપામેલોશિવરાજપુરનોનિર્મળદરિયાકાંઠો,વર્લ્ડહેરીટેજસાઈટએવીપાટણનીરાણકીવાવ,પ્રાચિનતમસંસ્કૃતિનાઆપણાપોતીકાવારસાસમુંધોળાવીરાહોયકેપછીઅખંડભારતનાઘડવૈયાસરદારપટેલનીવિશ્વનીવિરાટત્તમપ્રતિમાનુંસરનામુંકેવડીયાહોય.જાણેગુજરાતનુંપ્રવાસનસોળેકળાએખીલેલુંછે.
● માનનીયપ્રધાનમંત્રીશ્રીજયારેગુજરાતનામુખ્યમંત્રીપદેહતાત્યારથીતેમણેગુજરાતમાંપ્રવાસનનાવિકાસથકીઆપણીકળાઅનેસંસ્કૃતિનેઉજાગરકરતુઅનેજનજનનેરોજગારઆપતુંભગીરથઅભિયાનઆદર્યુંહતું.અનેઆઅભિયાનઆજેપણઅવિરતપણેચાલુજછે. માનનીયમુખ્યમંત્રીશ્રીએનવીપ્રવાસનનીતિજાહેરકરીનેઆઅભિયાનનેવેગવંતુબનાવ્યુંછે.
● અરવલ્લીનીપર્વતમાળાપશ્ચિમભારતનાઘરેણાસમાનછેઅનેતેનાસાનિધ્યમાંપાવનગુર્જરધરાપરઆવેલોકુદરતનોવહાલભર્યોખોળોએટલે‘પોળો’.ક્ષીતીજસુધીચોમેરપથરાયેલીહરિયાળી,નાનાનાનાજળપ્રપાત,કાળકાળનિનાદકરતાઝરણા,શિવઅનેશક્તિનાપ્રાચીનમંદિરોઅનેવિરલપ્રજાતિઓનાપંખીઓનુંસરનામુંછે‘પોળોનાજંગલો’.પોળોનાજંગલપ્રકૃતિએગુજરાતનેકરેલોજાણેલીલોચાંલ્લો.આવાઅજાણ્યાપ્રવાસનસ્થળોનેવિકસાવવાગુજરાતપ્રવાસનવિભાગસતતપ્રયત્નશીલછેઅનેપરિણામોપણખુબસારામળીરહ્યાછે.
● ગુજરાતમાંજ્યાંજ્યાંપૂજ્યગાંધીબાપુવસ્યાછેએતમામસ્થળોનોસરવાળોકરીનેગુજરાતપ્રવાસનેબનાવીછે‘ગાંધીસર્કીટ’.દેશવિદેશનાકરોડોપ્રવાસીઓનેચુંબકનીજેમઆકર્ષેછેગુજરાતમાંવિસ્તરેલી‘ગાંધીસર્કીટ’.મહાત્માગાંધીનાજન્મસ્થળપોરબંદરનુંકીર્તિમંદિર,તેમનીકર્મભૂમિએવોઅમદાવાદનોસાબરમતીઆશ્રમ,ઈજનેરીકૌશલ્યનાદ્રષ્ટાંતસમુંગાંધીનગરનું‘દાંડીકુટીરમ્યુઝીયમ’,ગાંધીબાપુનાચરિત્રનુંઘડતરકરનારરાજકોટની‘આલ્ફ્રેડહાઈસ્કુલ’અને‘કબાગાંધીનોડેલો’અનેદાંડીનું‘નેશનલસોલ્ટસત્યાગ્રહમેમોરીયલ’આતમામસ્થળોનેપ્રવાસનસ્થળોતરીકેવિકસાવીગાંધીજીનાઅહિંસાઅનેસત્યાગ્રહનામહામુલામંત્રનેજનજનસુધીપહોચડવાગુજરાતપ્રવાસનેઅથાગપ્રયત્નોકર્યાછે.
અમારી સરકાર સંસ્કૃતિના અમૂલ્યવારસાના વારસદારો એવા શ્રી ઝવેરચંદ મેઘાણી, તેમજમહર્ષિ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો તેમજ સંસ્કૃતિથી સમગ્ર વિશ્વ વાકેફ થાય તેમજ પ્રવાસીઓ તેની મુલાકાત લઇને આ સ્મરણોને જીવનની કાયમી યાદોના સ્વરૂપમાં યાદ કરે તે ઉદ્દેશ થી આ સ્થળો ઉપર પણ પ્રવાસન સુવિધા વિકસાવીને વધુ ને વધુ પ્રવાસીઓ મુલાકાત લે તે રીતનું આયોજન કરેલ છે.
વર્ષ ૨૦૨૧-૨૨ની નવી બાબતોની વાત કરુ તો,
આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રવાસન વિભાગ હેઠળ પ્રવાસન પ્રસિધ્ધિ અને
પ્રવાસન સ્થળોની માળખાકીય સુવિધામાં વધારો કરવા
નવી બાબતોનું રૂ. ૯૪ કરોડના ખર્ચે આયોજન કરાયેલ છે.
નવી બાબતની જોગવાઈના પ્રોજેક્ટસનાં વિકાસની વાત કરું તો,
નવી બાબત જોગવાઈ ની રકમ
રાષ્ટ્રીય ખ્યાતિ સ્થળ તરીકે સાબરમતી આશ્રમનો વિકાસ ૫૫.૦૦ કરોડ
બેટ દ્વારકા અને શિયાળ સવાઈ બેટનો વિકાસ ૬.૦૦ કરોડ
વડનગર ખાતે વિવિધ પ્રવાસી સુવિધા ૪.૦૦ કરોડ
સૂર્યનગરી મોઢેરાનો વિકાસ ૨.૦૦ કરોડ
પોરબંદર ખાતે જુદી જુદી પ્રવાસી સુવિધા ૧.૦૦ કરોડ
મહર્ષિ દયાનંદ સરસ્વતી ખાતે પ્રવાસી સુવિધાઓ તા.ટંકારા જી.મોરબી ૧.૦૦ કરોડ
બુધ્ધિસ્ટ સ્થળોએ જુદી-જુદી પ્રવાસી સુવિધા ૩.૦૦ કરોડ
વિવિધ ઇકો ટુરિઝમ સાઈટપર જુદી-જુદી પ્રવાસી સુવિધા ૨.૦૦ કરોડ
પ્રોજેક્ટ મેપિંગ,વિવિધસ્ટ્રકચર, સ્મારકો,હેરીટેઝ સ્થળ વગેરે પર લાઈટ એન્ડ સોઉન્ડ-શો ૩.૦૦ કરોડ
વિવિધ પક્ષી અભ્યારણમાં પ્રવાસી સુવિધા ૩.૦૦ કરોડ
ઝવેરચંદ મેઘાણી સર્કિટનો વિકાસ ૧.૦૦ કરોડ
સાપુતારા ખાતે સનરાઇઝ પોઇન્ટ અને સનસેટ પોઇન્ટ પર લેન્ડસ્કેપિંગ-અપગ્રેડેશનની કામગીરી ૫.૦૦ કરોડ
પીપીપી ધોરણે પ્રવાસન સ્થળ અને હાઇવે પર શૌચાલયની સુવિધા ૩.૦૦ કરોડ
પીપીપીધોરણેપોલો, ધોરળોતથા અન્ય પ્રવાસન સ્થળો પર બેટરીથી સંચાલીત બસની સુવિધા ૧.૦૦ કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ મેમોરિયલનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોડ શો સાથે પ્રસિધ્ધિ ૨.૦૦ કરોડ
પર્યટન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વખતો-વખાય જાહેર કરાયેલ વિવિધ નીતિઓની વધુ સારી અમલીકરણ અને દેખરેખ માટે નીતિઅમલીકરણ એકમ (પીઆઇયુ) ની સ્થાપના ૨.૦૦ કરોડ.