કોંગ્રેસના નારાજ નેતાઓ સાથે સાતવેની બેઠક થઈ

ગુજરાત કોંગ્રેસમાં વારંવાર ચૂંટણી હારી જતાં સિનિયર નેતાઓ સાઈડ લાઈન થયા છે, જેના કારણે તેઓ નારાજ બનીને બેઠા છે. આ નેતાઓને રાજી કરવા પ્રભારી રાજીવ સાતવએ 29 જાન્યુઆરી 2019માં બેઠક કરી હતી. અગાઉ આ નેતાઓએ મળવાનો ઈન્કાર કર્યો હતો હવે બેઠક કરી હતી. જેમાં તમામનું માન સચવાશે એવી ખાતરી આપીને મનાવી લેવાયા હતા.

કોંગ્રેસના સિનિયર નેતાઓની અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ યુવા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતો હોવાનો બઢાપો કાઢ્યો હતો. આ બેઠકને પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ દિલ્હીથી કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ગુજરાત દોડી આવ્યા હતા. તેમજ ડેમેજ કન્ટ્રોલની કવાયત આરંભી હતી.

પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદ આવ્યા છે. તેમજ તેઓ નારાજ નેતાઓને મળવાના હતા. જો કે, નારાજ નેતાઓએ રાજીવ સાતવને મળવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. હવે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરશે. નારાજ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધી રજૂઆત કરશે. આવતીકાલે નારાજ નેતા સાગર રાયકા દિલ્હી જશે. રાહુલ ગાંધી પાસે મળવા માટે સમય માગશે. સાગર રાયકા સમય મેળવ્યા બાદ તમામ નેતાઓ રાહુલ ગાંધીને મળશે.

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસની ઓફિસ સામે કડી તાલુકા પ્રમુખની નિમણૂંક રદ કરવા મામલે કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યલાયમાં રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી હતી. તે સમયે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બેઠકમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલી જૂથબંધીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા આગેવાનો સામે હજુ સુધી પગલાં લેવાયા ન હોવાનું જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની કાચી યાદી તૈયાર કરી દેવાઈ છે. કકળાટને ભૂલી જાવ અને લોકસભા ચૂંટણીના કામમાં લાગી જાવ. ગઠબંધનની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે કરાશે. અત્યારે તો ગઠબંધન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

નિરીક્ષકો સાથેની મિટિંગ બાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવશે. હવે આ બેઠકમાં નામોની છટણી કરીને પેનલના નામો હાઈકમાન્ડને મોકલવામાં આવશે. બૂથ જીતવાની રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે.