ભાજપના નેતા જીતુ વાઘાણી રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં આવી અનેક ઘટનાઓ બની છે. ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

વાયબ્રંટમાં ઊંધો ધ્વજ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 યોજાઈ તે વેળાએ સમિટના ઉન્માદમાં દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સરખેજ હાઇવે પર સરગાસણ ચોકડી પાસે 16 જાન્યુઆરીએ લગાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજમાં ભારતનો તિરંગો ઊંધો લગાવ્યો હતો.

ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવાતા FIR થઈ

જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ જસરોતિયા દ્વારા યોજવામાં આવેલી એક રેલીમાં 29 સપ્ટેમ્બર 2018માં ભારતીય રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરતમાં શાળા સામે ફરિયાદ

પ્રજાસત્તાક દિવસે 2016માં સુરતના ચોક બાજારમાં આવેલી આઇ.પી. મિશન હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતાં એક નાગરીકનું ધ્યાન દોરતાં તેમણે સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ બરોબર ફરકાવડાવ્યો હતો. ફરકાવતા સંસ્થા વિરુધ પોલીસ ફરિયાદ નોધાયેલી છે.

કચ્છમાં મોટરબાઈક પર ઊંધો ધ્વજ રાખતાં પોલીસ ફરિયાદ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કચ્છના ગાંધીધામના લીલાશાહનગર વિસ્તારમાં રહેનાર નિખિલ હરીશકુમાર ભાવનાની વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાઇ હતી. આ યુવાન આદિપુરના કોલેજ સર્કલ પાસે ઊભો હતો, તેણે તેની બાઇકમાં સુઝુકી કંપનીના લોગોવાળો ધ્વજ તથા ભારતનો અડધી કાઠીએ ઊંધી હાલતમાં રાષ્ટ્રધ્વજ લગાડયો હતો. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આ યુવાન વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1972ની કલમ 2 મુજબ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી.

પતંગ હોટેલ સામે કોઈ કાર્યવાહી નહીં

26 જાન્યુઆરી 2009માં પતંગ હોટેલ ઉપર રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવાયો હતો. અમદાવાદના રાજેશ બ્રહ્મભટ્ટે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 9 વર્ષથી હોટેલના માલિક ઉમંગ ઠક્કર અને હોટેલના જનરલ મેનેજર રાજુ દેસાઈ સામે કોઈ કાર્યવાહી કરી નથી. કો‌ર્ટમાં આ કેસ વર્ષોથી ચાલતો રહ્યો છે.  પોલીસે આખરે સી’ સમરી ભરી દીધી હતી. પણ તે કો‌ર્ટે ફગાવી દીધી હતી. પોલીસ દર વર્ષે નાગરિકો માટે એડ્વાઈજરી જાહેર કરે છે. પણ પોતાના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના અધિકારી સામે કોઈ પગલાં લીધા નથી.

વડાપ્રધાનની હાજરીમાં કોલાલ્મપુરમાં અપમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન સમિટમાં ભાગ લેવા માટે કોલાલ્મપુર 21 નવેમ્બર 2015માં ગયા ત્યારે જાપનના વડાપ્રધાન શિંજો અબેને મળ્યા હતા. તે વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો અબેની પાછળ બન્ને દેશોના ઝંડા લગાવામાં આવ્યા હતા. પણ ભારતનો ઝંડો ઊંધો લગાવામાં આવ્યો હતો. ત્યારે સોશ્યલ મીડિયા પર ભારતના ઊંધા ઝંડાની તસવીરો વાયરલ થઇ જતા વિવાદ ઊભો થયો હતો. વડાપ્રધાનની આકરી ટીકી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ ભૂલ પકડી ન હતા શક્યા પણ શિંજોને આ ભૂલ ખબર પડી ગઇ હતી. તેમણે પોતે ઝંડો સીધો કરાવ્યો હતો.

વડાપ્રધાને બીજી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું

ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા શેફ વિકાસ ખન્નાને રાષ્ટ્રધ્વજ ચિન્હના કાપડ પર 26 સપ્ટેમ્બર 2015માં ઓટોગ્રાફ આપ્યો હતો. તેના પર વિવાદ અને વિરોધ થયો હતો. ક્રોંગ્રેસે આ આખી ધટનાને રાષ્ટ્રધ્વજનું અપમાન કહી મુદ્દો બનાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ પર કોઇ પણ પ્રકારનું લખાણ લખવું તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. જો કે તે બાબતે વડાપ્રધાન પર કોઇ કેસ ન થયો. પદની ગરિમાને જોતા તેમનું આ કાર્ય અનિચ્છનીય જણાવ્યું છે. વડાપ્રધાન કચેરીએ કહેવું પડ્યું હતું કે, તે રાષ્ટ્રધ્વજ નહીં પણ એક વિકલાંગ બાળકી દ્વારા તેના પગથી તૈયાર કરેલું હસ્તશિલ્પ હતું. ભારતીય શેફ વિકાસ ખન્ના, મોદીના હસ્તાક્ષર બાદ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને આપવા માંગતા હતા.

ભાજપના ઋત્વિજ પટેલ સામે ફરીયાદ

ભાજપ યુવા મોરચનાં રાષ્ટ્રીય અધ્યક્ષા પુનમ મહાજન અને ગુજરાત ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ઋત્વિજ પટેલે કરેલા રાષ્ટ્રધ્વજનાં અપમાન બદલ નવસારીમાં 2017માં ફરીયાદ કરવામાં આવી હતી. નવસારી ખાતે PAASનાં કન્વીનર કનુભાઈ સુખડીયા દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી. પુનમ મહાજન અને ઋત્વિજ પટેલ સહિત ભાજપનાં ધારાસભ્યો-સાંસદોએ તિરંગા યાત્રાનાં પ્રારંભ ટાણે રાષ્ટ્રધ્વજને ઉંધો ફરકાવી 70માં આઝાદ દિનની ઉજવણી પહેલા મોટો ગુનો કરેલો હતો. પુનમ મહાજન, ઋત્વિજ પટેલ, 10 ધારાસભ્યો અને 3 સાંસદો સામે કન્વેશન સેન્ટરનાં વીડિયો ફૂટેજનાં આધારે તપાસ કરી પગલા ભરવાની જરૂર હતી.

રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને માર મરાયો

સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવાને 21 ઓગસ્ટ 2018માં ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફાડી નાખતા લોકો જબરદસ્ત વિફર્યા હતા અને યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો હતો. યુવાન પાસે ધ્વજ પકડાવીને માફી મંગાવી હતી અને ભારત માતા કી જય બોલાવડાવ્યું હતું. પછી જ લોકોનો ગુસ્સો શાંત થયો હતો. વિડીયો વાયરલ થયો હતો.

યોગીની સામે અપમાન

2018માં મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી આદિત્યનાથ સામે જ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. મુલાકાતીઓની પુસ્તકમાં સહી કરવા માટે જ્યાં બેઠા હતા ત્યાં તિરંગો ઊંધો લગાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મોરેશિયસના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માફી માંગવામાં આવી હતી.

શાળામાં અપમાન

15 ઓગસ્ટ 2018બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં કપાસિયા ગામની શાળાના સત્તાધીશોએ રાષ્ટ્રધ્વજને ઉલટો ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવ્યાનો વીડિઓ વાઇરલ થતાં આચાર્ય અને શિક્ષકો સહિતના સ્ટાફની બેદરકારી સામે આવી હતી.

હાર્દિક પટેલ સામેનો કેસ પરત ખંચવો પડ્યો

રાજકોટની રેલી દરમિયાન પાટીદાર આગેવાને હાથમાં રાષ્ટ્ર ધ્વજ પકડીને ફરકાવ્યો હતો. જેને ગુનો ગણીને કેસ કરવામાં આવ્યો હતો. પણ પછી સરકારે તે કેસ પરત ખેંચવો પડ્યો હતો. પાસે આરોપ મૂક્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અગાઉ અને સ્મૃતિ ઈરાની દ્વારા ધ્વજને ડૂચો વાળી દેવાની ઘટના બની હતી. પણ તેમાં કોઈ જ પગલાં લેવાયા નથી.

સુરતમાં ડીડીઓ પણ રાષ્ટ્રધજમાં

રાષ્ટ્રીય પર્વમાં સુરતના કામરેજના ડુંગરા ગામે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું તેના આઠ મહિના બાદ પણ કોઈ  કાર્યવાહી નહીં થતા વિપક્ષના સભ્ય દર્શન નાયકે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 4 એપ્રિલ 2018માં હોબાળો મચાવ્યો હતો. ડીડીઓ કે.રાજેશ અને નાયક ની વધુ એક વાર જામીન મળી ગયા હતા. ડીડીઓને કહ્યું હતું કે રાષ્ટ્રધ્વ મોટો કે અધાકારી મોટા.

દેશ ભક્ત અન્ના હજારે

ઉત્તર પ્રદેશમા જૌનપુરના સીજેએમ કોર્ટે શનિવારે સમાજસેવક અણ્ણા હજારે સામે લાઈન બજાર મથકમાં રાષ્ટ્ર ધ્વજના અપમાન બદલ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. 29 જુલાઇ 2013ના રોજ ટીડી કોલેજ મેદાનમાં કરેલ જાહેરસભાના આયોજનમાં અણ્ણા હજારે ઇનોવા કાર લઇને આવ્યા હતા. તેમની કારના બોનેટ પર તિરંગાને ચોટાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને જમીન કે એવી જગ્યા પર આડોના પાડી શકાય.

અક્ષય કુમારે તસવીર દૂર કરી

વિમેન્સ વર્લ્ડ કપની 23 જૂલાઇના રમાયેલી ભારત-ઇંગ્લેન્ડની ફાઇનલ મેચમાં બોલિવુડનો સ્ટાર અક્ષય કુમાર પણ લોર્ડ્સના મેદાન પર પ્લેયર્સને સપોર્ટ કરવા માટે પહોંચ્યો હતો. આ સમયે અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હાથમાં રાષ્ટ્રધ્વજને લઇને એક ફોટો પોસ્ટ કર્યો હતો. પરંતુ આ ફોટોમાં અક્ષયે હાથમાં ઉંધો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને કેમેરામાં ક્લિક થઈ ગયો હતો. આ કારણે તેને ટિ્વટર પર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે અક્ષયને જ્યારે તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે અક્ષય ફોટો ડિલીટ પણ કર્યો અને પણ માફી માંગી લીધી હતી.

ભાજપના સાંસદ પણ

ભારતીય જનતા પક્ષના સાંસદ રેખા વર્મા દ્વારા ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં 71માં સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ઊંધા તિરંગા સાથે ફોટો પડાવવાનો મામલો સામે આવ્યો હતો. ભાજપ સાંસદે ઊંધા તિરંગા સાથે તસવીર ખેંચી હતી. સાંસદનો આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. 2002માં ઝંડા સંહિતા

શું મહત્વ છે ધ્વજનું

રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વાજ સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્વજ સંહિતા – ભારતની જગ્યાએ ભારતીય ધ્વજ સંહિતા – 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવ્યો છે.

Independence Day – ધ્વજ ફરકાવવાના નિયમો – rule of flag hoisting in india ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત :

– જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે

– સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.

– ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.

– જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.

– ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો

– ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.

– કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.

– ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.

– જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.

FLAG CODE OF INDIA (ભારતના રાષ્ટ્ર ધ્વજનાં નિયમો)

– મહેશ ચૌધરી, પાટણ

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે “ત્રિરંગો” તરીકે ઓળખાતો, ‘કેશરી’,’સફેદ’ અને ‘લીલા’ કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

(૧) ભારતનાં રાષ્ટ્ર ધ્વજનો ઈતિહાસ

– ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.

– પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા “પારસી બાગાન ચોક” કોલકાટામાં લહેરાવવામાં આવ્યો. જે કલકત્તા ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.

– ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં “વંદેમાતરં” લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.

– બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં “યુનિયન જેક” ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.

– ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ નાં “પિંગાલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.

– મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે “આયરલેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.

– ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.

– આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે “ગેરૂ” પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.

– છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.

(૨) ભારતનો રાષ્ટ્ર ધ્વજ બનાવવાનાં નિયમો

૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે. ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો

ગૃહ અને સંરક્ષણ ખાતાના વડા મથકોએ રાષ્ટ્રધ્વજના સમૂચિત ઉપયોગ માટે નિયમો પણ ઘડયા છે. જે મુજબ

– રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકી શકાતા નથી.

– બીજા ધ્વજ રાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ મૂકાયછે. જ્યારે બીજા બધા ધ્વજ સહિત ઊંચો કરવો હોય ત્યારે તે સૌથી પહેલો ઊંચો કરવામાં આવે છે અને સૌથી છેલ્લો નીચે લાવવામાંઆવે છે.

– જ્યારે રાષ્ટ્રધ્વજ બીજા ધ્વજોની સાથે લહેરાવવાનો હોય ત્યારે તે સૌથી મથાળે ફરકાવવો જોઈએ.

– રાષ્ટ્રધ્વજને સીધા કે આડા ન ઊંચકતા હંમેશાંઊંચો જ રાખવો જોઈએ. જ્યારે સરઘસમાં તેને લઈ જવાતો હોય ત્યારેતેને જમણા ખભા પર ઊંચો અને પ્રદર્શનના મોખરે રાખવોજોઈએ.

– જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કેકાઠેરામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ આવવો જોઈએ.

– રાષ્ટ્રધ્વજ સવારથી સાંજ સુધી ફરકાવવામાં આવે છે. રાત્રીના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ

– સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશનદ્વારા રાષ્ટ્રધ્વજ માટેઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો, બીજાપ્રસંગોએપણયોગ્યકદનારાષ્ટ્રધ્વજફરકાવવા ઇચ્છનીય છે.

(૪) રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત

– જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તેરીતે ગોઠવાયેલો હોવોજોઈએ.

– જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો

સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસપ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.

– રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાનાસરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવીજોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.

– જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાંઆવનાર હોયત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.

– જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપરરહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.

– જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે ફરકાવવો જોઈએ.

– જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તોતો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.

– પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાયતે રીતે અને જુદો તરીઆવે તેમ રાખવો જોઈએ. આ વખતે ખાસ ધ્યાનમામ રાખવુ કે રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.

– મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલાસળિયા પર તે ફરકાવવોજોઈએ.

– જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજાધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

(૫) રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે ન ફરકાવી શકાય

– નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં.

– કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

– બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યા ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો,હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડનાટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશેનહીં.

– રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવા અંગેનાં નિયમો

– સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

– વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજને નુકશાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશકરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવોજોઈએ.

– કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

– કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશેનહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

– રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

– પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈજાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

– કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજનાં કદ અંગેનાં નિયમો

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ, ૧૨ ફૂટ બાય ૮ ફૂટ, ૭ ફૂટ બાય ૬ ફૂટ, ૬ ફૂટ બાય ૪ ફૂટ, ૩ ફૂટ બાય ૨ ફૂટ, ૭ ઇંચ બાય ૬ ઇંચ માંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.

કેન્દ્ર સરકારની પરવાનગી વગર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અગર તો એના રંગનું અનુકરણ કોઈ પણ વ્યાપાર,ધંધા, રોજગાર અથવા કોઈવસ્તુના ‘પેટન્ટ’ અથવા ચિહ્ન તરીકે અથવા’ટ્રેડમાર્ક’ અથવા ડિઝાઈન તરીકે કરવામાં આવશે તો તે ગુનાને પાત્ર ઠરશે.