મોરબીના તાલુકા સેવાસદનમાં વર્ષોથી અડીંગો જમાવીને બેસેલા નોટરીઓને હટાવવા મામલે છાશવારે કાર્યવાહીના સંકેત મળ્યા છે જોકે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે સોમવારે પોલીસને સાથે રાખીને નોટરીઓને હટાવવાની કાર્યવાહી કરાય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
મોરબીના સેવાસદનમાં તંત્રની પરવાનગી સાથે બેસતા નોટરીની સંખ્યા કરતા કોઈ પણ મંજુરી વિના બેસતા નોટરીઓની સંખ્યા વધી જાય તેવી સ્થિતિ છે અને મંજુરી વગર સેવાસદન કચેરીમાં બેસતા તેમજ બહાર ગ્રાઉન્ડ સાઈડ બેસતા નોટરીઓને હટાવી લેવા અગાઉ પણ નોટીસો પાઠવાઈ છે અને ત્યારબાદ હટાવવાની કાર્યવાહી કરાશે તેવી ચીમકી આપવામાં આવી છે જોકે મંજુરી વગર બેસતા નોટરીઓને આવી નોટીસથી કોઈ ફર્ક પડતો ના હોય તેમ પોતાની કામગીરી યથાવત રાખી છે અને તેને હટાવવાની વાતો હવામાં જ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે તો તાજેતરમાં ફરીથી મંજુરી વગર બેસતા નોટરીઓને હટાવી લેવા સુચના આપવામાં આવી છે અને સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા આપેલી સુચના બાદ સોમવારે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવનાર છે જોકે અગાઉ પણ તંત્રની નોટીસ અને કાર્યવાહીની વાતો માત્ર વાતો સમાન બની રહી છે ત્યારે સોમવારે નોટરીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો યોગ્ય સ્થાને છે