ગાંધીનગરઃ કોઇ ચમત્કાર થાય તો જ આ બેઠક કોંગ્રેસ જીતે

રાજ્યનું પાટનગર જે વિસ્તારમાં આવેલું છે તે લોકસભા વિસ્તાર અત્યંત મહત્વનો છે. ગાંધીનગર બેઠક તો અમદાવાદનો જ મોટો હિસ્સો છે. ગાંધીનગર પર મતદાર પોતાનો મિજાજ બદલતાં રહે છે.

વિધાનસભા બેઠકો: – 36-ગાંધીનગર નોર્થ, 38-કલોક, 40-સાણંદ, 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
36 ગાંધીનગર નોર્થ 2,32,509 47,383 1,852 4,294 59,820 0 9,146 7,197 19,950 8,900 24,189 262 8,108 3,941 16,380 21,087
38 કલોક 1,83,071 35,850 400 9,820 50,120 0 6,560 1,104 26,682 1,208 28,992 400 5,930 3,890 6,830 5,285
40 સાણંદ 1,98,036 18,098 3,811 8,613 21,657 33,761 9,338 0 22,075 4,032 10,066 0 4,385 1,698 30,523 29,979
41 ઘાટલોડિયા 2,68,016 18,761 2,680 0 13,401 8,041 32,162 5,360 34,842 29,482 32,162 2,680 18,761 5,360 18,761 45,563
42 વેજલપુર 2,57,181 25,818 2,082 90,863 10,327 5,164 2,582 0 23,236 22,236 20,654 2,582 2,582 5,164 12,909 30,982
45 નારણપુરા 2,03,133 28,439 2,031 0 14,219 6,094 18,282 2,031 24,376 20,314 18,282 2,031 12,188 8,125 8,125 38,596
55 સાબરમતી 2,02,205 38,419 4,044 4,044 10,110 2,022 6,066 4,044 24,265 24,265 20,221 2,022 6,066 4,044 10,110 42,463
કૂલ  2012 પ્રમાણે 15,44,151 2,12,768 16,900 1,17,634 1,79,654 55,082 84,136 19,736 1,75,426 1,10,437 1,54,566 9,977 58,020 32,222 1,03,638 2,13,955

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 7,73,539 7,30,380
INC 2,90,418 4,61,018
તફાવત 4,83,121 2,69,362

 

2014 લોકસભા

મતદાર : 1733972
મતદાન : 1137014
કૂલ મતદાન (%) : 65.57

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
એલ કે અડવાણી BJP 773539 68.04
કિરીટ ઈશ્વરભાઈ પટેલ INC 290418 25.55
નિરંજન ઘોષ BSP 6068 0.53
અજમલભાઈ રામાભાઈ વાણીયા BMUP 1639 0.14
ઠાકોર રાવજી જુહાજી VHS 809 0.07
પટેલ પિયુષકુમાર દશરથલાલ NYP 653 0.06
મનોજ જે નાયક LoRP 683 0.06
રૂતુરાજ મહેતા AAAP 19966 1.76
ઠાકોર ચંદ્રસિંહ જવાનસિંહ IND 668 0.06
દીપાબેન સતરીયા IND 684 0.06
દેસાઈ ખોડાભાઈ લાલજીભાઈ IND 793 0.07
પગી ગણપતભાઈ માવજીભાઈ IND 924 0.08
બીરજુસિંહ મોતીસિંહ ક્ષત્રિય IND 984 0.09
બ્રહ્મભટ્ટ સંજયભાઈ અમરકુમાર IND 1474 0.13
રાજ પ્રજાપતિ IND 3177 0.28
રાહુલ ચીમનભાઈ મહેતા IND 9767 0.86
વાઘેલા કિશોરસિંહ મોહોબતસિંહ IND 6705 0.59
એમ. કે. શાહ IND 3767 0.33
None of the Above NOTA 12777 1.12

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       એલ કે અડવાણી              BJP

2009       એલ કે અડવાણી              BJP

2014       એલ કે અડવાણી              BJP

વિકાસના કામો

  • ઘાટલોડિયા, સાબરમતી વેજલપુર વિધાનસભા વિસ્તારમાં મેટ્રો રેલનું કામ પૂરું થવામાં છે.
  • અમદાવાદ ગાંધીનગર વચ્ચે 200 કરોડના ખર્ચે સરખેજ રોડને છ માર્ગીય બનાવાવાનું કામ શરૂ કરાયું છે.
  • સાણંદનો વિકાસ માટે ઉદ્યોગોને મોટી છૂટછાટ આપીને એક નવી ઔદ્યોગિક વસાહત ઊભી કરવામાં આવી છે.
  • કલોલમાં માર્ગ અને પ્રજાકીય સુવિધા માટે પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે.
  • ઘાટલોડિયામાં નવા આવાસ બનાવીને આપવામાં આવ્યા છે.

પ્રશ્નો ઘટનાઓ

  • 92 વર્ષના અડવાણીએ લોકસભામાં 92 ટકા હાજરી આપી છે. પણ તેમણે ગુજરાતના પ્રશ્નોની ક્યારેય રજૂઆત કરી નથી.
  • કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ સાયન્સસિટી અને બીજા વિસ્તારોમાં આવી શકે તેમ હતી પણ આવી નથી.
  • પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની આવે ત્યારે અડવાણી સાયલન્ટ મોડમાં આવી જાય છે. એક વાર 11 ઓગસ્ટ 2014ના ડિબેટમાં ભાગ લીધો હતો.
  • લાલકૃષ્ણ અડવાણીના સાંસદ તરીકેના સાધારણ દેખાવ રહ્યો હતો.
  • અમદાવાદમાં પ્રદુષણનો પ્રશ્ન ઊભો થયો હોવા છતાં તે માટે કોઈ યોજના મળી નથી.
  • સોલા સિવિલ હોસ્પિટલને આધુનિક બનાવવા અને તેને સંપૂર્ણ સરકારી બનાવવા માટે કામ થતું નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોર, કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ આ વિસ્તારમાં રહે છે. કોંગ્રેસના સુરેશ પટેલ અહીં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. શંકરસિંહ વાઘેલા અહીં પ્રભાવ ઊભો કરી શકે છે. તેઓ એક વખત અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે.
  • અલ્પેશ અને પટેલ યુવા નેતા હાર્દિક આ વિસ્તારમાં પ્રભાવક છે.

સંભવિત સ્થિતી

  • 1967થી 12 પ્રતિનિધિઓને લોકસભામાં મોકલ્યા છે. પહેલાં કોંગ્રેસના ઉમેદવારો જ ચૂંટાતા રહ્યાં હતા.
  • 1989થી ગાંધીનગર બેઠક પર ભાજપનો કબજો છે.
  • ગાંધીનગર લોકસભા ખરેખર તો અમદાવાદની લોકસભા બેઠક છે. ગાંધીનગર ઉત્તર અને કલોલ બેઠક પર કોંગ્રેસ તો સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે.
  • “અડવાણીએ જ પાર્ટી બનાવી છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને તેઓ પણ હવે વૃદ્ધ થઈ ગયા છે. અયોધ્યામાં રામ મંદિરનું અભિયાન અને વિવાદ અડવાણીની કારકિર્દીનું મહત્વપૂર્ણ પરિબળ રહ્યું. હવે તેમનો ચહેરો અહીં નથી.
  • 1990માં અડવાણીએ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો અને અયોધ્યામાં 16મી સદીના બાબરી મસ્જિદના સ્થળ પર મંદિર બાંધવાની ઝુંબેશ માટે લોકોનો ટેકો માંગ્યો હતો. હવે ફરીથી રામ મંદિરનો મુદ્દો ઊભો થયો છે, પણ અડવાણી ક્યાંય નહીં.

ભાજપ

  • શંકરસિંહ વાઘેલા અડવાણીને મળીને આવીને જાહેર કર્યું હતું કે, અડવાણી લોકસભાની ચૂંટણી લડશે. પણ ખરેખર તો અડવાણીને આ વખતે ઉંમર અને નિષ્ક્રિયતાના કારણે ટિકિટ આપવામાં આવી નથી. અહીં નવો ચહેરો આવશે.
  • વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર ભાજપ આગળ છે.
  • ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી હવે 92 વર્ષના થઇ ચૂકયા છે. ઉંમર અને ઇચ્છા શક્તિનો અભાવ અહીં ઉમેદવાર બદલવા માટે કારણભૂત છે. ગાંધીનગર લોકસભાની બેઠકની ચૂંટણીમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીને સૌથી વધુ લીડ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાંથી મળતાં કોંગ્રેસના સુરેશ પટેલનું પત્તું સાફ થઇ ગયું હતું. ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારો પૈકી અડવાણીને એકલા ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાંથી 59646 મતોની જંગી લીડ મળી જતાં કોંગ્રેસ આ સરસાઇ કાપવામાં
  • એલ.કે. આડવાણી પાંચ વર્ષમાં કોઈ દિવસ તેમનાં લોકસભા મતવિસ્તારમાં ફરક્યા નથી જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળેલ છે.
  • વધુમાં શરુઆતમાં એલ.કે. આડવાણી ગાંધીનગર બેઠક પરથી જંગી લીડથી ચુંટણી જીતતાં હતા પરંતુ હવે તેમની લીડ દર ટર્મમાં ઘટતી જાય છે. આ સંજોગોમાં ભાજપને ગાંધીનગર બેઠક ગુમાવવી પડે તે પોસાય તેમ નથી.
  • અટલ બિહારી વાજપેયી 12 વખત સાંસદ તરીકેની એક અનોખી સિદ્ધિ ધરાવતા હતા. તેઓ 10 વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતાતેઓ 47 વર્ષ સુધી સાંસદ રહ્યા. વાજપેયીએ 1996ની ચૂંટણી વેળા તેઓ લખનૌ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. પછી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસ

  • ઘાટલોડિયા અડવાણી પર ઓળઘોળ કલોલ, ગાંધીનગર(ઉ)માં જાકારો મળે છે. જયાં કોંગ્રેસને આવકાર મળે છે ગાંધીનગર શહેર હંમેશ કોંગ્રેસ સાથે રહ્યું છે. ત્યાં ભાજપને ક્યારેય ટેકો મળ્યો નથી.
  • અહીં કોંગ્રેસમાં કોઈ સારા ઉમેદવાર નથી. આ બેઠક પર દર વખતે ભાજપની લીડ ઘટી રહી છે. તેથી તે કોંગ્રેસ અહીં સારા ઉમેદવાર ઊભા રાખે તો લડત આપી શકાય તેમ છે.

વચનો પુરા ન થયા

  • અમદાવાદને ફૂટપાથ બનાવીને ધૂળ રહીત બનાવવા માટે ભાજપે વારંવાર જાહેરાત કરી છે. પણ તે પૂરી થઈ નથી.
  • અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે 30 વર્ષથી ભાજપે વચનો પૂરા કર્યા નથી.
  • ગુજરાતમાં 50 લાખ ઘર અને અમદાવાદમાં 5 લાખ ઘર બનાવવાના હતા તે થઈ શક્યા નથી.
  • ભાજપે સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ઘટાડીને શૂન્ય કરવાનું વચન આપ્યું હતું. પણ તેવું આ વિસ્તારમાં નથી થયું.
  • શહેરી વિસ્તારમાં 40,000 વિદ્યાર્થીઓ રહી શકે તેવું હોસ્ટેલનું નેટવર્ક બનાવવા માટે કહ્યું હતું. પણ થયું નથી.
  • સાણંદમાં સિંચાઈના પાણી આપવાના હતા તે નર્મદાના પાણી મળી શક્યા નથી.
  • કર્ણાવતી નામ રાખવા માટે 30 વર્ષથી વચનો આપેલાં છે.