ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક્ષ તરીકેની થઈ ગઈ છે.
હળવદના ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ વકીલ ભરત ગણેશીયાની દ્વારા રૂ.30 કરોડના તળાવ કૌભાંડ કરનારાઓ પાસેથી લાંચના રૂ.10 લાખ રોકડા અને રૂ.25 લાખનો ચેક લીધો હોવાનું બહાર આવતા જેલમાં જવું પડ્યું હતું. રૂ.30 કરોડના કૌભાંડને વિધાનસભામાં નહીં બોલવા અંગે રૂ.40 લાખ લીધા બાદ ભાજપના ધારાસભ્ય પરસોત્તમની ધરપકડ 29 ઓક્ટોબર 2018ના રોજ કરી હતી. આરોપોથી બચવા તેઓએ કોંગ્રેસની ગુલટી મારીને ભાજપમાં જતાં રહ્યાં હતા.
ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાં પરસોત્તમ છાબરીયાના પત્ની સામે પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે.
મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયતમાં ભાજપના ધારાસભ્યની પત્નીએ એક કરોડની ગ્રાન્ટના વિકાસકાર્યોના કરીને ભ્રષ્ટાચારના આક્ષેપો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઈ સામંતભાઈ ડાભી દ્વારા કરીને કલેકટરને લેખિતમાં રજૂઆત કરી પગલાં ભવા માંગ કરી છે
મોરબી તાલુકાના જાંબુડીયા અને ત્રાજપર ગ્રામ પંચાયતમાં કામો માટે આપેલા નાણાં અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરેલો છે. રફાળેશ્વર મહાદેવ ખાતે યોજાતા જાંબુડિયા લોકમેળાની આવક સરકારની તિજોરીમાં ઓછી દર્શાવી ભ્રષ્ટાચાર કરેલો છે.
છેલ્લા ત્રણ વર્ષથી ખોટા વાઉચર બનાવાય છે. ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ જે ભ્રષ્ટાચારના બનાવમાં હાલ જામીન પર છે અને હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય હોય જે ભ્રષ્ટાચાર કરવાની ટેવવાળા હોય તેની પત્ની સરપંચ તરીકે કાર્યરત હોય અને સત્તાનો દુરુપયોગ કરીને લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા ઉધરાવી બાદ જ વિકાસકામો કરે છે જેના કારણે ફાળવેલ ગ્રાન્ટનો ઉપયોગ કરતા નથી. એમ આવેદનપત્રમાં જણાવેલું છે.
કામની યાદી અને તેની રકમ મળીને કૂલ 23 ગામોમાં રૂ.1 કરોડની રકમમાં ભ્રષ્ટાચાર થયો છે.
ગુજરાતના જીલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જાણે કે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ હોય તેમ વારાફરતી એક પછી એક સ્થાનિક સ્વરાજની સંસ્થાની સામે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યાં છે.
હોદેદારો અંગત સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેતા હોવાના પાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને હવે ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે.
ત્રાજપર પંચાયતના મહિલા સરપંચના પતિ થોડા સમય પહેલા ભષ્ટાચારના ગુનામાં ઝડપાયા હતા અને હાલ જામીન ઉપર છે અને મહિલા સરપંચના પતિ જ ત્રાજપર પંચાયતમાં સરપંચ બનીને સત્તાનો દુરુપયોગ કરીને લોકો પાસેથી નાણાં ઉઘરાવીને જ કામો કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ત્રાજપર ગામના વિસ્તારમાં લાઈટ, ભૂગર્ભ ગટર, પેવર બ્લોક, રોડ રસ્તા સહિતના કામ માટે એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે જો કે, ઘણા સમયથી કામ અધરતાલ છે.