સાઉદી અરેબિયાએ પણ કમરતોડ ડ્યુટી વધારીને સિરામિક ઉદ્યોગને પોલીસ ઝાંખી પાડી

મોરબી,તા.31

મોરબીનો ઉલ્લેખ થાય તેની સાથે તેનો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ યાદ આવી જાય છે. અવનવી ડિઝાઇનની ટાઇલ્સ અને ભાતભાતની વિશ્વ પ્રસિધ્ધ ઘડિયાળને કારણે મોરબી સતત ધમધમતુ રહેતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબીની માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મોરબીમાં 850 કરતાં પણ વધુ એકમ ધરાવતા સિરામિક ઉદ્યોગ જીએસટી અને  કમરતોડ ભાવ વધારાને કારણે સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉત્પાદન મરણ પથારીયે બેઠું છે. તેમાંય હવે એક નવી આફતે રહી સહી આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે.

વાર્ષિક 42 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતાં

સિરામીક ઉધોગ ઉપર આવતી એક પછી એક મુસીબતો મા નવી સાઉદી અરેબીયા દ્વારા એન્ટીડંમ્પીંગ મા ચાયના કરતા ૨૦% વધુ ડયુટી નાખવાનુ નકકી થતા જ મોરબી ના સિરામીક ઉધોગ નો મૃત્યુઘંટ અને સાથોસાથ મોરબી ના અર્થતંત્ર ની કમર તોડી નાંખે તેવી ભીતિ સર્જાઇ છે.

સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફ ના દેશો માં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેના ડ્યૂટી ની ટકાવારી જે સામે આવી છે તે મોરબી ના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે . પ્રતિવર્ષ 12 હજાર કરોડની નિકાસ કરતાં આ ઉદ્યોગ સામે
ચીનની ગણીગાંઠી  કંપનીને બાદ કરતા ચીન ઉપર 23.5% તેમજ ભારતની ત્રણ કંપનીને બાદ કરતા 42.9% ડ્યૂટી લાદવામાં આવી છે. સાઉદી અરેબિયા સરકારે એ  20% વધુ ડ્યૂટી ભારતની ટાઇલ્સ ઉપર લાગશે તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત એટલે ભારતમાં થી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે ત્યારે મોરબી થી 30% થી વધુ એક્સપોર્ટ ગલ્ફના દેશોમાં થાય છે ત્યારે મોરબી ના સીરામીક ઉદ્યોગ નો મૃત્યુઘંટ તો વાગશે સાથોસાથ મોરબી ના અર્થતંત્ર માં પણ એની વરવી અસર થશે .

આગામી ૧૦ તારીખ સુધીમાં આ બાબતે કઈ પણ તકલીફ હોય તો ગલ્ફ ના દેશો માં જે તે વિભાગો માં આપણી રજૂઆત કરી શકીયે તેમ છીએ આ ઉદ્યોગ ને બચાવવા માટે કાયદાકીય રસ્તા તો લગભગ બંધ થઇ ગયાં છે ત્યારે સરકાર દ્વારા તેમની સાઉદી અરેબિયાની સરકાર સાથે વાટાઘાટો કરી ને રસ્તો નીકળે નહીંતર આ ઉદ્યોગ મુસીબતમાં તો મૂકાયેલો જ છે ત્યારે આ નવી મુશ્કેલી  આવતા આ ઉદ્યોગની હાલત કફોડી થઇ જશે.

તાજેતરમાં જ નામદાર એનજીટી કોર્ટ ના આદેશ અનુસાર કોલગેસ બંધ થયા અને ત્યારબાદ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરોડો નો દંડ માટેની નોટીસો ફટકારવામાં આવેલી છે.  ત્યારે આ ઉદ્યોગની માઠી બેઠી હોય તેમ એક પછી એક આવી પીડા આવતી રહે છે ત્યારે મોરબી ના ઉદ્યોગકારોની આ પીડા સાથે સરકાર પાસે અપેક્ષા ની એક મીટ રાખીને ઉદ્યોગકારો બેઠા છે ત્યારે આ ઉદ્યોગ તેમજ મોરબી ને બચાવવા માટે પગલાં સરકાર ભરે તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યા છે .

મોરબી ના તમામ રાજકીય આગેવાનો , તેમજ સામાજિક જીવનના જોડાયેલા લોકો , અને પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકો પણ ઉદ્યોગ અને મોરબી ને બચાવવા સહયોગ કરે તેવી આશા સીરામીક ઉદ્યોગ સેવી રહ્યો છે . મોરબી જિલ્લા નો વિકાસ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ હોય તમામ લોકો આશા રાખે છે મોરબી નો સીરામીક ઉદ્યોગ બચે અને તોને તો જ મોરબી નું અર્થતંત્ર બચશે ..હવે જોવાનું રહ્યુ કે આ ઉદ્યોગ ને બચાવવા સરકાર દ્વારા શુ પગલા ભરવામા આવે છે તેની મીટ મોરબી ના ઉધોગકારો રાખી રહ્યા છે.

હવે સિરામિક ઉદ્યોગની તારણહાર કેન્દ્ર સરકાર જ બની શકે તેમ છે. મોદી સરકાર જ સાઉદી અરેબિયાની સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર લાદવામાં આવેલી કમરતોડ ડ્યુટીને ઘટાડવાનો પ્રયાસ કરી શકે તેમ છે.