વિધાનસભા બેઠકો: – 27-હીંમતનગર, 28-ઈડર(SC), 29-ખેડબ્રહ્મા(ST), 30-ભીલોડા(ST), 31-મોડાસા, 32-બાયડ, 33-પ્રાંતિજ.
લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:
વિધાનસભા બેઠક | કૂલ | SC દલિત | આદિજાતિ | મુસ્લિમ | OBC – ઓબીસી | GENERAL – સામાન્ય | ||||||||||||
નામ |
ઠાકોર | કોળી | રબારી | ચૌધરી | અન્ય | લેઉવા પટેલ | કડવા પટેલ | ક્રિશ્ચિયન | બ્રાહ્મણ | જૈન | દરબાર | અન્ય | ||||||
27 | હીંમતનગર | 2,14,375 | 23,740 | 2,967 | 22,718 | 63,497 | 0 | 3,842 | 2,100 | 14,134 | 10,582 | 43,880 | 765 | 9,215 | 11,085 | 3,250 | 2,600 | |
28 | ઈડર | 2,27,156 | 31,148 | 10,466 | 20,762 | 46,984 | 0 | 5,368 | 23,098 | 14,394 | 2,800 | 36,504 | 0 | 8,381 | 5,862 | 17,596 | 3,793 | |
29 | ખેડબ્રહ્મા | 1,92,077 | 7,111 | 1,20,071 | 1,200 | 24,984 | 0 | 1,362 | 8,410 | 5,272 | 0 | 4,850 | 3,116 | 6,430 | 4,340 | 3,696 | 1,235 | |
30 | ભીલોડા | 2,35,032 | 12,539 | 1,17,903 | 5,114 | 52,599 | 0 | 1,120 | 9,772 | 14,845 | 0 | 3,029 | 3,039 | 3,833 | 3,833 | 1,875 | 5,531 | |
31 | મોડાસા | 2,10,257 | 19,185 | 4,291 | 28,792 | 77,347 | 0 | 5,632 | 16,712 | 23,376 | 850 | 20,498 | 50 | 4,003 | 4,742 | 2,229 | 2,550 | |
32 | બાયડ | 1,96,645 | 10,897 | 3,345 | 3,847 | 1,03,965 | 0 | 2,670 | 7,400 | 14,438 | 12,300 | 28,223 | 250 | 2,761 | 1,109 | 3,145 | 2,295 | |
33 | પ્રાંતિજ | 2,05,705 | 19,092 | 150 | 8,126 | 92,682 | 0 | 7,071 | 13,700 | 12,368 | 4,998 | 30,572 | 600 | 3,920 | 5,280 | 3,042 | 4,104 | |
કૂલ 2012 પ્રમાણે | 14,81,247 | 1,23,712 | 2,59,193 | 90,559 | 4,62,058 | 0 | 27,065 | 81,192 | 98,827 | 31,530 | 1,67,556 | 7,820 | 38,543 | 36,251 | 34,833 | 22,108 | ||
પક્ષને મળેલા મત | 2014 લોકસભા | 2017 વિધાનસભા |
BJP | 5,52,205 | 5,88,150 |
INC | 4,67,750 | 6,02,163 |
તફાવત | 84,455 | 14,013 |
2014 લોકસભા
મતદાર | : | 1615840 |
મતદાન | : | 1095863 |
કૂલ મતદાન (%) | : | 67.82 |
CANDIDATES NAME | PARTY NAME | TOTAL VOTE | % VOTES |
ભેમાભાઈ ચંદુભાઈ મુળચંદભાઈ | BSP | 16665 | 1.52 |
રાઠોડ દીપસિંહ શંકરસિંહ | BJP | 552205 | 50.39 |
શંકરસિંહ વાઘેલા બાપુ | INC | 467750 | 42.69 |
પટેલ ભોગીલાલ હરીભાઈ | BNJD | 9046 | 0.83 |
શેખ આરીફ ખાન | SP | 2314 | 0.21 |
પટેલ ઈશ્વરભાઈ શકરાજી | IND | 1674 | 0.15 |
પટેલ પુરુષોત્તમભાઈ અંબાલાલ | IND | 1876 | 0.17 |
બાબુસીંઘ સોમાનસિંઘ નરવે | IND | 3527 | 0.32 |
વેલાણી શાંતિલાલ કરમશી | IND | 6816 | 0.62 |
સોલંકી છગનભાઈ કેવળભાઈ | IND | 9795 | 0.89 |
None of the Above | NOTA | 22334 | 2.04 |
છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો
2004 મધુસુદન મિસ્ત્રી INC
2009 મહેન્દ્રસિંહ ચૌહાણ BJP
2014 દીલસિંહ શંકરસિંહ રાઠોડ BJP
વિકાસના કામો
- ગાંધીનગરથી 60 કિલોમીટરના અંતરે ગુજરાતનું ‘ફાઇવસ્ટાર’ પુંસરી ગામ આવેલું છે. સાબરકાંઠા જિલ્લાના આ ગામની મુલાકાતે 60 દેશોનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતુ. જેને દેશની શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ મળેલો છે.
- બેંકના ચેરમેન દ્વારા દૂધ મંડળીઓના ગ્રાહકોનું દૂધનું પેમેન્ટ માઈક્રોએ.ટી.એમ દ્વારા કરવામાં આહવાન કરવામાં આવેલ. બેંકના ચેરમેન એ ડિજિટલ બેંકિંગ ક્ષેત્રે બેંકે કરેલ કામગીરીની વિસ્તૂત છણાવટ કરી જેના અન્વયે તાજેતરમાં નવી દિલ્હી ખાતે બેન્કિંગ ફન્ટીયર મેગેઝિન દ્વારા બેસ્ટ ડેબિટ કાર્ડ ઇનીશિએટીવ નો એવોર્ડ રિઝર્વ બેંકના ડાયરેક્ટર શ્રી ના વરદ હસ્તે બેંકને એનાયત થયેલ છે
- શામળાજી મંદિરનો વિકાસ કર્યો છે. મ્યુઝિયમ બનાવાયું છે અને દબાણો દૂર કરાયા છે.
- જમીન રીસરવે કરવામાં આવ્યો છે
- કામધેનું યુનિવર્સિટી રાજપુરમાં 300 હેક્ટર જમીન પર બનાવી છે.
- ખડોદા સોલાર પાર્ક ઊભો કરાયો છે. રૂ.150 કરોડના ખર્ચે 64 લાખ પેનલ્સ મૂકવામાં આવી છે. 200 લોકોને રોજગારી, 150 ગામના 20 હજાર ઘરને વીજળી મળી શકશે.
- 40 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ 150 વિદ્યાર્થીઓ અને 750 પથારી ઊભી થતાં લોકોને ફાયદો
પ્રશ્નો – ઘટનાઓ
- સાબરકાંઠાઃ દૂધના ભાવ ઘટાડાતાં ખેડૂતોનું વિરોધપ્રદર્શન, રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ છે. ખેડૂતોની નારાજગી ગ્રામ્યક્ષેત્રે અસર કરશે.
- મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ઘઉંના ભાવ ઓછા મળતા હરાજી બંધ કરાવી હતી. ભાવ ન મળવાના કારણે પ્રાંતિજ હાઈવે પર ખેડૂતોએ શાકભાજી ઠાલવી વિરોધ કર્યો હતો.
- 1389 ગામોની 40 લાખ ખેતીની જમીનના ટૂકડાઓનો રીસરવે કરાયો છે તેમાં સરકારની સામે ખેડૂતોનો વિરોધ છે
- સાબરકાંઠા જીલ્લાનાં ઇડર અને ખેડબ્રહ્મા તાલુકાનાં 4 ગામની માધ્યમિક શાળાઓમાં 42 શિક્ષકોની બોગસ ભરતી કાંડ બાદ અહીં લોકોમાં શિક્ષણના કૌભાંડોથી ત્રસ્ત છે.
- અહીં જૂની ચલણી નોટોનો વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો.
પ્રભાવશાળી વ્યક્તિઓ
- સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ
- લંકેશ અને લોકસભાના પૂર્વ સભ્ય અરવિંદ ત્રિવેદીનો અહીં આજે પણ પ્રભાવ છે
સંભવિત સ્થિતી
- ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વતન ઉત્તર ગુજરાતની ચાર લોકસભા બેઠકો જીતી લાવવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બન્યો છે. ચારેય બેઠકોમાં સહુથી વધુ તાકાત ભાજપ સાબરકાંઠામાં જ લગાડી રહી છે. 2009 લોકસભા ચૂંટણીમાં ભાજપે સાબરકાંઠા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી પણ પાટણ બેઠક ગુમાવવી પડી હતી.
- આ વખતે ચારેય બેઠકો જીતવા ભાજપે બધા નેતાઓને કામે લગાડયાં છે. હિંમતનગરના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં ભેળવી તેમને ફરી ટિકિટ આપી ભાજપનું કોંગ્રેસીકરણ પણ થયું છે. નવો અરવલ્લી જિલ્લો બનાવી ભાજપે ગણિત પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો પણ કોંગ્રેસે પીઠ નેતા શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારી ભાજપના બધા ગણિત ઊંધા પાડી દીધા.
ભાજપ
- સાબરકાંઠા દિપસિંહ રાઠોડનો તેમના મતક્ષેત્રમાં વિરોધ છે. ત્યાંના સ્થાનિક ભાજપમાં પણ તેમની સામે રોષ છે.
- શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા. હવે લોકસભાની ચૂંટણી પહેલાં મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા ત્યારે સાંબરકાંઠાની સીટ પરથી લોકસભા લડે તેવી સંભાવનાઓ હતી. શંકરસિંહ વાધેલા સારી રીતે જાણે છે કે, સાબરકાંઠામાં ભાજપને જીતવું એ આ લોકસભામાં લોઢાના ચણા ચાવવા જેવું છે. જેને પગલે દિકરો બલીનો બકરો બની જશે અને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થવાની સાથે દીકરાની કારકીર્દી પૂરી થઈ જશે. ભાજપને પણ શંકરસિંહ સારી રીતે જાણે છે. એટલે રિસ્ક ન લીધું તેમ કહેવાય છે.
કોંગ્રેસ
- ચારેય સીટો પર જ્ઞાતિવાદના આધારે જ ભાજપ-કોંગ્રેસ સંપૂર્ણ લડાઈ લડી રહ્યા છે. પાટણમાં ઠાકોર સામે ઠાકોર, મહેસાણામાં પટેલ સામે પટેલ, બનાસકાંઠામાં ચૌધરી સામે ચૌધરી અને સાબરકાંઠામાં ક્ષત્રિય સામે ક્ષત્રિય. આમ બંને પાર્ટીઓ જ્ઞાતિવાદના આધારે જ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવીને આગળ વધી રહી છે. ભાજપ તમામ ચાર બેઠક કોઈપણ ભોગે જીતવાના મરણીયા પ્રયાસો કરી રહી છે. તો કોંગ્રેસ પાટણ ફરી જાળવી રાખવા અને મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભાજપને આંચકો આપવા રણનીતિ ઘડી રહી છે.
- સાબરકાંઠા લોકસભા બેઠક પર 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પરથી એઆઈસીસીના મંત્રી મધુસુદન મિસ્ત્રી, ડાહ્યાભાઇ પટેલ અને અશ્વિન કોટવાલે કરી દાવેદારી કરી હતી.
- બાયડ કોંગ્રેસમાં ગાબડું, તાલુકા પંચાયતના 3 સદસ્યો ભાજપમાં જોડાયા
વચનો પુરા ન થયા
- અહીં આદિવાસી વિસ્તારોના 45 પછાત તાલુકાઓમાં વિકાસના કામો કરવા માટે સરકારે પુરતું બજેટ આપ્યું ન હોવાનું લોકોને લગતાં તેઓ છેતરાયા હોવાનું માને છે. સાબરકાંઠા ના પોશીના તાલુકો જ્યા રાજસ્થાન સરહદ ની પાસે આવેલું છે ત્યાં આજુબાજુ આદિવાસી વિસ્તાર છે અને જ્યા વિકાસ નથી થયો.
- જમીન રી સરવે માટે કામગીરી ફરીથી કરવા માટે ખેડૂતોને વચન આપ્યું હતું પણ તેમનું વચન પૂરું થયું નથી.
- સોલાર પાર્કમાંથી વીજળી પેદા થશે તે આસપાસના 120 ગામમાં આપવામાં આવશે એવો વાયદો કરાયો હતો તે પૂરો થયો નથી.
- વણજ ડેમ બનાવવા માટે આ આદિવાસીઓની જમીન લઇ લેવામાં આવી. બીજે જમીનના વાયદા પણ કરાયા. પણ આજ સુધી વેંત જમીન પણ નથી અપાઇ. જેના કારણે જમીન માલિકમાંથી હવે આ લોકો મજૂર બન્યા છે.
- પીવાનું પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું પણ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું પડે છે.