ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે.
કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વડાપ્રધાન મનમોહન સીંગની કોંગ્રેસ સરકાર દ્વારા 2006માં નોટિફાઇડ જાહેર કરવામાં આવેલું હતું.
સેઝમાં કેમિકલના ગંદા પાણીના નિકાલનું નેટવર્ક છે.
85 ઔદ્યોગિક એકમોને પ્લોટ ફાળવામાં આવેલા છે. પ્રત્યક્ષ 7500 લોકોને નોકરી મળી છે. 5.5 કરોડના મૂડી રોકાણે 1 વ્યક્તિને નોકરી મળે છે, બે વ્યક્તિને આડકરતી રોજગારી મળે છે. પરોક્ષ 9000 લોકોને રોજગારી મળી છે. સેઝમાં અત્યાર સુધીમાં 60 એકમો કાર્યરત થયેલા છે. 25 પ્લોટ પર ઉદ્યોગો શરૂ થઈ શક્યા નથી.
2010માં બે એકમો હતા. નિકાસ 84 કરોડ રૂપિયા હતી. 12 વર્ષ પછી આ સેઝમાં 8123 કરોડ રૂપિયાની નિકાસ થઇ રહી છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં 4027 કરોડની નિકાસ થઇ છે. નિકાસ 10 હજાર કરોડ રૂપિયા થવાની સંભાવના છે.
પ્રદુષણ
દરિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટ આપીને ગ્લેનમાર્કે (દહેજ)ને સાચવવામાં આવી છે.
અદાણી સિમેન્ટ કંપની ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ રોજગારી તથા પ્રદુષણને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં .
કેમિકલ ઉદ્યોગોમાંથી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા પ્રદુષણ મિશ્રિત પાણીના કારણે સુવા તથા અંભેટા ગામના 7 ભેંસના મોત થયા હતાં.
દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત 12 જૂન 2020ના રોજ થયા હતા.
કંપનીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડતી થઈ છે. તેના કારણે નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી.
દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવે છે.
જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાગરા, દહેજ, પાલેજ, આમોદ, જંબુસર, વાલિયા, વિલાયત, સાયખામાં જીઆઇડીસી આવેલી છે. જીઆઇડીસીઓને અડીને 71 ગામો આવેલાં છે. 71 ગામોના 35,000 કરતાં વધારે લોકો કંપનીઓની અસર હેઠળ રહેલાં છે. તમામ જીઆઇડીસીમાં બનતા અકસ્માતના બનાવો કંપનીમાં કામ કરતાં કામદારો ઉપરાંત ગામ લોકોને પણ અસર કરી શકે છે. દહેજમાં વધુ 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટ માટે મજૂરી અપાતા જોખમી ઉદ્યોગોનો કુલ આંકડો 100 ને પાર કરી જશે.
આ પણ વાંચો
નર્મદા દેવી દરિયાની ખાડી બની, ખારું પાણી ફરીવળ્યુ, ખેતી પાયમાલ
મેઘમણીમાં કેમીકલ કંપનીમાં વારંવાર આગ કેમ લાગે છે, 2ના મોત, 8ના દાઝી જવાથી ફેક્ટરી બંધ કરી
1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી