અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં કમિશનરે વર્ષોથી ચાલી આવતી રીબેટ યોજના એકાએક બંધ કરી દીધી છે. શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. વા ઉપરાંત ખાલી-બંધનો લાભ આપવો, વ્યાજમાફી અને વર્ષ-૨૦૧૫ થી જંત્રી આધારીત ટેકસમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા સહીતની યોજનાઓ બંધ કરાવી દીધી છે.
અમપા કમિશનર વિજય નહેરાએ અગાઉના વર્ષોમાં અમપા દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહીનાથી એપ્રિલ સુધી કરદાતાઓને આગોતરો વેરો ભરવા સામે આપવામાં આવતી દસ ટકા ખાસ રીબેટની યોજના બંધ કરી દીધી છે.
ઉપરાંત શહેરના કોઈપણ વિસ્તારમાં લાંબા સમય સુધી જા કોઈ મિલ્કત ખાલી પડી હોય અથવા બંધ હોય તો તેવા કેસમાં મિલ્કતવેરો ભરવા સામે ખાલી-બંધનો લાભ આપી કેટલીક રકમ બાદ કરી આપવામાં આવતી હતી. આ યોજના પણ વર્તમાન કમિશનરે બંધ કરાવી છે. સાથે જ વર્ષ-૨૦૧૫માં રાજય સરકારે નવી જંત્રી બહાર પાડયા બાદ શહેરના કરદાતાઓના મિલ્કતવેરામાં ધરખમ વધારો થતા એ સમયે શહેરના પૂર્વ મેયર મિનાક્ષી પટેલના જાધપુર વોર્ડમાંથી જ પ્રચંડ વિરોધ ઉઠતા અમપા દ્વારા શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. જે પણ કમિશનરે બંધ કરાવી છે.
વર્ષ-૨૦૦૪માં કોંગ્રેસ દ્વારા શહેરીજનો પાસે મિલ્કતવેરો મોડો ભરવા સામે ૧૮ ટકા જેટલા વસુલવામાં આવતા વ્યાજદરમાં ઘટાડો કરી સાત ટકા કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.એ સમયે ભાજપે પણ રાજય સરકાર સમક્ષ આ મામલે રજુઆત કરવાની ખાત્રી આપી હતી.પરંતુ આજે વર્તમાન કમિશનરે નિયમિત મિલ્કતવેરો ભરતા કરદાતાઓ માટે આપવામાં આવતી તમામ રાહતો પાછી ખેંચી લીધી હોવા છતાં કોઈ હોદ્દેદાર આ મામલે કમિશનરને વાત કરવાની પણ હીંમત કરી શકતો નથી.આ મામલે કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષીએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,ભાજપના હોદ્દેદારોને વિવિધ કાર્યક્રમોના નામે વાહ વાહ મેળવવામાં જ રસ છે.તેમને શહેરના કરદાતાઓની કોઈ કીંમત નથી.એક ભાજપના નેતાએ દબાતા અવાજે કહ્યુ,એક વર્ષ પછી મ્યુનિ.ની ચૂંટણી આવી રહી છે,કયા મોંએ લોકો સામે જઈશુ સમજાતુ નથી.