[:gj]ભૂવો પડતા કાંકરીયાનો રસ્તો બંધ કરાયો [:]

[:gj]અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવા પડી રહ્યા છે. શહેરના મણીનગર રામબાગથી કાંકરીયા તરફ જવાના રસ્તે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર સામે વિશાળકાય ભૂવો પડયો છે.સાથે જ મેઈનહોલ બેસી જતા તંત્ર દ્વારા ભૂવાનું અને મેઈનહોલનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવતા કાંકરીયાનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મા મણિનગરથી રામબાગ કાકરિયા જતો માર્ગ બી આર ટી એસ બસ સ્ટેન્ડની પાછળ શ્રી બાલ સ્વરૂપ કષ્ટભંજન હનુમાન દેવ મંદિરની સામે પડેલ ભુવાનુ સમારકામ તેમજ મેઈન હોલ બેસી જતા તેના રીપેરીગ ને લઈ ને કાકરિયા જતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.  વાહનવ્યવહારને અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવરઝન આપવામા આવ્યું છે. મણિનગર રામબાગ કાકરિયા માર્ગ બંધ કરાતા આ રસ્તા પર થઈ રહ્યો છે ટ્રાફિક જામ થાય છે.
એક માસથી પડેલ ભુવો તેમજ ગટર લાઈનના ચેમ્બર સાથે મેઈન હોલ બેસી જતા રસ્તા પર વધુ નુકશાન થાય તે પહેલા આ માર્ગ પર AMC એ સમારકામ હાથ ધરાતા બે દિવસ વાહનચાલકો ને ડાયવરઝન સાથે ટાફિઁક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

[:]