[:gj]કાયદાની ક્યાં જરૂર ? 6 વર્ષોમાં 2838 પાકિસ્તાનીઓને નાગરિકતા મળી[:]

[:gj]અમદાવાદ, 20 જાન્યુઆરી 2020

નાગરિકતા કાયદો ભાજપ સરકાર અમલ કરવાનો સ્ટંટ કરી રહી છે. કારણ કે હાલના કાયદાથી પણ પાકિસ્તાનમાં રહેતાં લોકોને દેશના નાગરિક બનાવી શકાય છે.

નિર્મલા સીતારામને રજૂ કરેલા તમામ આંકડાઃ ૧૯૬૪થી ૨૦૦૮ વચ્ચે ચાર લાખ તમિળ લોકોને દેશની નાગરિકતા
ચેન્નાઈ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ સામે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું હતું કે, પાકિસ્તાનમાંથી આવેલા ૨૮૩૮ જેટલા લોકોને છેલ્લા છ વર્ષના ગાળામાં નાગરિકતા આપવામાં આવી ચુકી છે. ચેન્નાઈમાં પ્રોગ્રામ ઓન સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ પર વાત કરતા સીતારામને આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષના ગાળામાં ૨૮૩૮ પાકિસ્તાની શરણાર્થી, ૯૩૪ અફઘાન શરણાર્થી અને ૧૭૨ બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી ચુકી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ૫૬૬ મુÂસ્લમોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી જ્યારે ૨૦૧૬-૧૮ના ગાળામાં મોદી શાસન હેઠળ ૧૫૯૫ પાકિસ્તાની શરણાર્થી અને ૩૯૧ અફઘાન મુÂસ્લમોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે, ૨૦૧૬માં આજ ગાળા દરમિયાન અદનાન સામીને પણ ભારતની નાગરિકતા આપવામાં આવી હતી જે એક ખુબ શાનદાર દાખલા તરીકે છે.

સીતીરામને વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું હતું કે, હજુ પણ મોટી સંખ્યામાં લોકો એવા છે જે અત્યાચારનો શિકાર થઇ રહ્યા છે. જા તેમના કેમ્પોમાં જવાશે તો ખબર પડશે કે કેટલો આઘાત લાગે છે. શ્રીલંકન શરણાર્થીઓના મામલામાં પણ Âસ્થતિ આવી જ બનેલી છે. આ લોકો સતત કેમ્પોમાં રહી રહ્યા છે.

મૂળભૂત સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે, સરકાર કોઇની પણ નાગરિકતા આંચકી રહી નથી બલ્કે નાગરિક સુધારા કાનૂન મારફતે નાગરિકતા આપવાની સાથે સાથે તેમના જીવન ધોરણને સુધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર અથવા એનપીઆરને દરેક ૧૦ વર્ષમાં અપડેટ કરવામાં આવે છે. એનઆરસી સાથે તેને કોઇપણ પ્રકારના લેવા દેવા નથી.

કેટલાક લોકો બિનજરૂરીરીતે હોબાળો મચાવી રહ્યા છે જે યોગ્ય નથી. કોઇપણ આધાર વગર લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને અન્ય કેટલાક પક્ષો લોકોને ગેરમાર્ગે દોરવામાં લાગેલા છે જેના લીધે હિંસાઓ પણ થઇ છે. તમામ વાસ્તવિકતા સમજીને આ મામલામાં નિવેદન કરવા જાઇએ. સીતારામનના કહેવા મુજબ વડાપ્રધાન મોદી પોતે કહી ચુક્યા છે કે, આ કાનૂન નાગરિકતા આપવા માટે છે.[:]