ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ગયું – હવામાન વિભાગ

ગાંધીનગર, 16 મે 2020

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

હવામાન વિભાગની ટૂંકી – એક અઠવાડિયા સુધીની આગાહી સાચી પડતી થઈ છે. હવે જોઈએ આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસુ 100 ટકા સારૂં છે એવી આગાહી કરનારા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકાર સાચા પડે છે કે નહીં તે ચોમાસુ પૂરું થયા પછી ખાતરી થશે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ચોમાસું સામાન્ય તારીખોની તુલનામાં 3-7 દિવસ મોડું થશે.

ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે સિસ્ટમ સતત દેખરેખ હેઠળ છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિતપણે જાણ કરવામાં આવી રહી છે. ચક્રવાત આવી રહ્યું છે તે, ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.

ક્યાં કેટલો વરસાદ થશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પર ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. ચોમાસું અંદાજે 16 મેની આસપાસ આંદામાન સમુદ્ર, આંદામાન નિકોબાર પહોંચશે. 15 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં વાદલો આવી ગયા છે. 16 મે 2020ની સાંજ સુધીમાં, દક્ષિણ-પશ્ચિમ અને તેની બાજુના પશ્ચિમ-મધ્ય ખાડીમાં ચક્રવાત તોફાન આવી શકે છે.

દિલ્હીમાં ચોમાસાની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન થશે. મુંબઇ અને કોલકાતાની તારીખોમાં 10 થી 11 જૂન અને ચેન્નાઇમાં 1 થી 4 જૂન સુધીની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને સમાપ્તિમાં ફેરફાર થયો છે. આમાં લગભગ એક અઠવાડિયાનો તફાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું થશે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વિડિયો કોન્ફરન્સમાં આર્મી, હવાઈ દળ, બીએસએફ, એનડીઆરએફ, સીઆઇએસએફ, ગુજરાત પોલીસ, બીએસએનએલ, GSDMA, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં  હતા.

મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું હતું કે  ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા.