દિલીપસિંહ ક્ષત્રિય
15 ઓગષ્ટ, આ દિવસ કઈ રીતે ભુલાય,દરેકભારતવાસી માટે એક ગર્વની ક્ષણ હતી,એમાંય 2014માં જયારે ઘણા વર્ષો પછી ભારતમાં સંપૂર્ણ બહુમતીની સરકાર બની,પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી જયારે એમનું પહેલું ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે આખા દેશની નહિ આખા વિશ્વની નજર એમના ભાષણ પર હતી, બધાને જાણવું હતુંકે પ્રધાનમંત્રી મોદી આજે શું બોલશે? એમનું દેશ માટેનું વિઝન શું હશે ? એમની સરકાર ભારતના વિકાસ માટે શું પગલાં ભરશે?
આવા સમયે પ્રધાનમંત્રીએ લાલકિલ્લાથી ખુબ જ ભાર પૂર્વક બે વાતો કહી,પહેલી ‘સ્વચ્છ ભારત’ બીજી મહત્વની વાત કહી ‘બેટી બચાવ બેટી પઢાવો’ આ બંને વાતો ખુબ મહત્વ પૂર્ણ હતી આ પહેલા કોઈ પણ પ્રધાનમંત્રીએ કે કોઈ પણ સરકારો એ આ પ્રત્યે ધ્યાન આપ્યું નહતું,એમાંય ‘બેટી બચાવ બેટી પઢાવ’ નું સૂત્ર સરકારની મહિલાઓ પ્રત્યે અને બાળકીઓ પ્રત્યે એમના વિઝનની વાત કરી રહ્યું હતું.
મોદી સરકારે એમના પહેલા ભાષણમાં બેટી એટલે કે દીકરીઓનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કરી દીધું કે સરકાર બાળકીઓના ભવિષ્ય માટે ચિંતિત છે અને એ દિશામાં ગંભીર પૂર્વક વિચારી રહી છે. એમના આજ વિચારોને ધ્યાને રાખીને મહિલાઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે આખા દેશમાં PCPNDT એક્ટને મજબૂત બનાવવાનો અને સખતાઈ પૂર્વક લાગુ કરવાનો નીર્ધાર કર્યો.
પ્રધાનમંત્રીના વિઝન, અને મોદી સરકારના ‘બેટી બચાવ બેટી પઢાવ’ મિશન આખા દેશમાં તો સારી રીતે ચાલ્યું પણ એમના માદરે વતન ગુજરાતમાં જ નિષ્ફ્ળ જય રહ્યું હોય એવું હાલના તબક્કે લાગે છે, એમાંય આખા વિશ્વમાં ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરતમાં તો જન્મ પહેલા જાતિ નિર્ધારણ અને છોકરી હોય તો એનો ગર્ભપાતનો વ્યવસાય ખુબ વ્યાપક પણ ચાલી રહ્યો છે,આવી સ્થિતિ સામાન્ય રીતે જે શહેર કે ગામડાંમાં શિક્ષણ નું પ્રમાણ ઓછું હોય ત્યાં દેખાય છે પણ સુરતમાં તો શિક્ષણની સ્થિતિ ય ખુબ સારી છે.
લેખક દ્વારા: ગુજરાતના ખેડૂતો હવે ખેડૂત નહિ ખેતમજુર બનાવવા માટે તૈયાર રહેજો…!
2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની સરખામણીમાં સુરતમાં સાક્ષરતા દર (85.53%) છે જે બધા કરતા ખુબ વધારે છે, પણ અહીં છોકરાઓની સરખામણીએ છોકરીઓના જન્મદરમાં ભારે તફાવત છે, સામન્યતઃ એવો નિયમ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ વધે ત્યાં બાળકીઓના જન્મનું પ્રમાણ પણ વધે, જોકે સુરતમાં એનાથી ઉલટું છે,અહીં સાક્ષરતા દર વધારે છે અને બાળકીઓનો જન્મ દર ઓછો છે,જે સ્પષ્ટ ઈશારો કરે છે કે કુત્રિમ સાધનોનો ઉપયોગ કરીને બાળકીઓનો જન્મ રોકવામાં આવી રહ્યો છે,કદાચ આજ કારણોને લીધે સુરત હવે આખા દેશમાં IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) નું હબ બનતું જાય છે,અને આજ કારણે સુરતમાં સાક્ષરતા દર વધારે હોવા છતાં અહીં છોકરાઓનું જન્મ પ્રમાણ વધારે છે.
આખી સ્થિતિ વિષે સુરતમાં PCPNDT એક્ટ પર કામ કરતા અને સમાજમાં જાગૃતિનો પ્રયાસ લાવવા પ્રયત્ન કરતા એડવોકેટ દર્શન વાંકાવાળા સાથે વાત કરી, અને પૂછ્યું કે આખરે સુરતમાં આવી સ્થિતિ કેમ છે ? દર્શન વાંકાવાળા એ કહ્યું ” પહેલીવાત તો એ છે કે આ કાયદાને લઇ જાગૃતિનો અભાવ છે જેનો ફાયદો સ્થાનિક અધિકારીઓ ઉઠાવી રહ્યા છે,એમના ડૉકટરો સાથેના મેળાપીપણા ને કારણે સુરતમાં આ કાયદો નિષ્ફ્ળ બની રહયો હોય એવું લાગે છે.
જો હાલમાં સુરતમાં ચાલતા કોર્ટ કેશની વાત કરવામાં આવે એવા ઘણા કિસ્સા છે જેમાં સ્થાનિક અધિકારીઓ ગેર હાજર રહેતા કે પછી પૂરતા પુરાવાના અભાવે કેસ કાઢી નાખવામાં આવે છે જેનો સીધો ફાયદો આરોપી ડોકટરોને મળે છે,તેઓ નિર્દોષ છૂટી જાય છે અને પાછા એમના ધંધે લાગી જાય છે.
વાત આટલે જ પુરી નથી થતી આ કાયદા હેઠળ જોગાવઇ છે કે જે કેસ રદ થયો હોય કે કાઢી નાખવામાં આવ્યો હોય એવા કેસમાં સ્થાનિક અધિકારીઓએ ઉચ્ચન્યાયાલયમાં અપીલ કરવાની હોય છે, પણ અધિકારીઓ અપીલ પણ કરતા નથી, PCPNDT એક્ટ 1996ની કલમ 18a કહે છે કે 30 દિવસની અંદર સ્થાનિક અધિકારીઓએ અપીલ કરવાની હોય છે, પણ તમે જુઓ કોઈ કરતુ નથી, અરે અધિકારીઓતો જે હોસ્પિટલમાં આ કાયદાના ભંગ માટે સામાન જપ્ત કરી લે છે એ થોડા કે જ દિવસમાં એમને પાછા આપી દે છે સરવાળે જયારે કેસમાં સાબિતી પુરાવવાની વાત આવે તો તેઓ નિર્દોષ છૂટી જાય છે.
સુરતમાં PCPNDT એક્ટની સ્થિતિ શું છે ?
સુરતમાં આઈ.વી.એફ ક્લિનિક ચલાવી રહેલા અને ગેરકાયદે વેપાર કરતા આવા સેન્ટરોની વિરુદ્ધમાં PCPNDT એક્ટનો ભંગ કરવા બદલ 44 કોર્ટ કેસ ચાલી રહ્યા છે,પણ મોટા ભાગના કેસમાં આવી કલીનીકો સ્થાનિક અધિકારીઓ સાથે મળી ને ફાયદો ઉઠાવી એમનો વેપાર કેસ થવા છતાં ચાલુ રાખ્યો છે,જે દેખીતી રીતે PCPNDT એક્ટ ની જોગવાઈ18a નો ભંગ છે.
આ કાયદા હેઠળ જોગવાઈ છે કે જે ક્લિનિકની વિરુદ્ધ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે એમના લાયસન્સ રીન્યુ ન કરવા માં આવે,પણ સ્થાનિક અધિકારીઓ સાથે મળી આ ક્લિનિક માત્ર એમનું લાયસન્સ જ રીન્યુ નથી કરાવતા સાથે સાથે એમના મશીનો નો પણ ઉપયોગ શરૂ કરી દે છે,સુરતમાં દાખલ થયેલા 16 કેસમાંથી માત્ર એક જ કેસમાં આરોપો સાબિત થઇ શક્યા છે, બાકીને છોડી દેવામાં આવ્યા છે અથવાતો ડિફોલ્ટ રૂપે ડિસ્પોઝ કરી દેવાયા છે, છતાં અધિકારીઓએ આ કેસની વિરુદ્ધમાં PCPNDT એક્ટની જોગવાઈ મુજબ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી,
એડવોકેટ દર્શન વાંકાવાળા આ અંગે કહે છે કે “સર્વોચ્ચ ન્યાયાલય તથા ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ઘ્વારા કાયદા ની કલમ 4 તથા 5 ને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ સ્પષ્ટ અભિપ્રાય આપેલ હોવા છતાં સુરત કોર્ટ સમક્ષ તેવી કલમો હેઠળ ચાલી ગયેલ કેટલા કેસોમાં સામાવાળા નિર્દોસ છૂટી ગયેલ છે જયારે હાલ કલમ 4 તથા 5 હેઠળ 1.ર્ડો દીપ્તિ પટેલ 2.ર્ડો રમણીકભાઈ અમીપરા 3.ર્ડો મેઘના જરીવાલા 4.ર્ડો કપિલ ઉમેશચંદ્ર જરીવાલા 5.ર્ડો નમ્રતા વિરડીયા 6.રાકેશ મનહરભાઈ પટેલ નાઓ વિરુદ્ધ ચાલે છે જે અસ્વસ્થ સ્થિતિમાં કોર્ટ સમક્ષ પડી રહેલ છે.જયારે સર્વોચ્ચ ન્યાયાલય નું PCPNDT એક્ટ કાયદા માં નોંધાયેલ કેસો નો 6 મહિનામાં નિકાલ કરવા અંગે દિશા નિર્દેશ હોવા છતાં કેસો એકજ સ્ટેજ ઉપર વરસો સુધી પડી રહે છે જે નામદાર સર્વોચ્ચ ન્યાયાલય નું અનાદર છે.
લેખક દ્વારા: આ વખતે ગણેશજીને શાંતિ છે…!
ભારતમાં લિંગ અનુપાતની સ્થિતિ શું છે ?
આખા ભારતમાં PCPNDT એક્ટ લાગુ છે, પ્રધાનમંત્રી અને ભારત સરકાર અનેક વાર બેટી બચાવો ઝુંબેશ ચલાવી રહી છે પણ બાળ લિંગ અનુપાત માં ઝડપથી ઘટાડો દેખાઈ રહ્યો છે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 1000 પુરુષોએ 919 મહિલાઓ છે, જે આઝાદી પછી સૌથી ઓછો દર છે.
PCPNDT એક્ટની રચના કેમ કરવામાં આવી ?
1991ની વસ્તી ગણતરી પછી જન્મપહેલા લિંગ નક્કી કરવાની અને છોકરી હોય તો ગર્ભપાત કરાવવાની પ્રક્રિયાને કારણે ભારતમાં છોકરીઓ નો ઘણો ઘટાડો થઇ રહયો હતો જેનો પડઘો મીડિયામાં પડ્યો અને ઘણા સંસ્થાઓએ આંદોલન પણ કર્યું,એટલે સ્થિતિ ને નિયત્રંણમાં કરવા માટે અને ટેક્નોલોજીનો દૂર ઉપયોગ અટકાવવા માટે સંસદે 1994માં એક વિશેષ કાયદો બનાવ્યો,સુપ્રીમ કોર્ટે આપેલા વિભિન્ન નિર્દેશોને આધારે સંસદે 2003માં એક્ટમાં સંશોધન કર્યું, જેને ધ -પ્રી-કોન્સેપટ એન્ડ પ્રી કહેવાય છે.પ્રસવકાલીન નિદાન ટેક્નોલોજી ( લિંગ ચયન પર રોક) અધિનયમ ( PCPNDT એક્ટ)
આ કાયદાની જોગવાઈ 4 અને 5 મુજબ આનુવંશિક કલીનીકોમાં ભ્રુણ અને લિંગનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપમાં પસંદગી કરવાની પ્રક્રિયાને પ્રતિબંધિત કરવામાં આવી છે, હા આનુવંશિક સમસ્યા અને સેક્સ સાથે સંબંધિત રોગો માં કેટલીક છૂટછાટ છે,આ કાયદા હેઠળ કોઈ પણ ગુનેહગારને બિન જામીન પાત્ર સજા થઇ શકે છે જેમાં એક ત્રણ વર્ષના સમય ગાળા માટે જેલ નો દંડ છે અને જો કોઈ આ કાયદાનો વારે વારે ઉલ્લંઘન કરે છે તો એના માટે જેલનો સમય ગાળો કે સજા વધારીને પાંચ વર્ષ સુધી કરવાની જોગવાઈ છે.
આખી સ્થિતિ જુઓ તો ખ્યાલ આવશે કે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પ્રધાનમંત્રી અને ભારત સરકારના અનેક આહવાહન છતાં સ્થાનિક ડૉક્ટરો અને સ્થાનિક અધિકારીઓના મેળાપી પણાંના કારણે PCPNDT એક્ટ નબળો પડી રહ્યો છે અને બાળકીઓનો જન્મ દર ઘટી રહ્યો છે.