મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે

અમદાવાદ,

શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે. કેન્દ્ર સરકારે AMCને આ યોજનાની વિસ્તૃત ગાઇડલાઈન આપી છે. જુદી જુદી 2 પદ્ધતિથી અમલમાં યોજના આવશે. હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે. ખાનગી એજન્સી પોતાની જમીન ઉપર નવા આવાસો ઉભા કરીને ભાડે આપી શકશે.

વધુ વાંચો: ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે

પ્રવાસી શ્રમિકોને કામના સ્થળે જ મળે તે માટે આયોજન પર ભાર મુકાયો છે. ગણતરીમાં દિવસમાં રાજ્ય સરકાર ભાડાની રકમ અંગે જાહેરાત કરશે. AMC એડી સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે શહેરમાં પ્રવાસી મજૂરો જે શહેરમાં અલગ અલગ ઉધોગિત એકમમાં કામ કરે છે. આવા મંજૂરો માટે કેન્દ્ર સરકાર દ્વારા અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્ક્રિમ મુકવામા આવી છે. જો અંગેની ગાઇડ લાઇન AMCને પણ અપાઇ છે.

વધુ વાંચો: પ્રિયંકા ચોપડાની ગત વર્ષે બે જ ફિલ્મ આવી હોવા છતાં કરોડો કમાય છે, જાણો કેટલું

ગાઇડ લાઇન અંતર્ગત હવે AMC દ્વારા બનાવેલ જૂદી જૂદી આવાસ યોજનાઓના ખાલી પડેલ અંદાજ 1400 આવાસ PPP ધોરણે ફાળવણી કરાશે. AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે . આ ઉપરાત કોઇ ડેવલપર પણ જમીન પર આવાસ બનાવી PPP ધોરણે પ્રવાસી મંજૂરોને ભાડે આપશે. આવાસનું ભાડું નક્કી કરવા માટે AMC પોલીસી બનાવશે.

વધુ વાંચો: ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ માટે અંબાજી મંદિર બે દિવસ વહેલું ખોલી દેવાશે, લોકો માટે મંદિર બંધ