તમામ APMC, બાંધકામ સાઈટ્સ અને 40 હજાર ઉદ્યોગ શરૂ કરી દેવાયા

All APMC, construction sites and 40 thousand industries started

ગાંધીનદર, 25 એપ્રિલ 2020

લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા.

રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે.

નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહિ.

હોટસ્પોટ જાહેર થાય કે ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે.

ઊદ્યોગ

ર૦ એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત ૪૦ હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે. પાંચ લાખ શ્રમિકો-કામદારોને રોજગારી મળતી થઇ છે.

બાંધકામ પ્રોજેકટસ

રાજ્યના મહાનગરો-નગરોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસને પણ શ્રમિકો-મઝદૂરોના સાઇટ પર જ રહેવાની વ્યવસ્થાઓ સાથે તા. ર૦ એપ્રિલથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પ૭૩ જેટલા નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસમાં ર૦ હજાર જેટલા શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે.

ખેત ઉત્પન્ન બજાર

૧ર૭ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી-માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં ૪ લાખ ૪ર હજાર ૮૬૦ કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનની આવક થઇ છે. ઘઉંની આવક ર,૪ર,૯૦૪ કવીન્ટલ તેમજ ૧,ર૩,૩૮૯ કવીન્ટલ એરંડા છે.

410 કરોડ હજુ અપાયા નથી

૬૬ લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો – પરિવારો જેઓ NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેવા પરિવારોને આર્થિક આધાર માટે રૂ. ૧ હજાર બેન્ક ખાતામાં રપ એપ્રિલ સુધીમાં ૪૧ લાખ અંત્યોદય પરિવારોને રૂ. ૪૧૦ કરોડની સહાય આપી દેવાશે.

5 કિલો અનાજ હવે અપાશે

અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખાનું તા. રપ મી એપ્રિલથી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ આરંભ થશે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું.

દૂધ શાકભાજી

લોકડાઉનના ૩૧મા દિવસે શુક્રવારે સવારે ૪૯.ર૮ લાખ લીટર દૂધનું વેચાણ થયું છે તેમજ ૧ લાખ ૧૯ હજાર ૩ર૬ કવીન્ટલ શાકભાજી માર્કેટમાં આવ્યા છે.  શાકભાજીમાં ર૬,૮૯૩ કવીન્ટલ બટાકા, ૮૪,ર૮ર કવીન્ટલ ડુંગળી તેમજ કુલ ૧પ,૯૯૦ કવીન્ટલ ફળફળાદિની આવક પણ થઇ છે.