અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત
Jun 14th, 2025
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 272 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતકોના DNA મેચ થયા છે. આ દરમિયાન મૃતદેહ પરિજનોને સોંપવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવી છે. મૃતદેહો સોંપવાની કામગીરીમાં 190થી વધુ ઍમ્બ્યુલન્સ, 230થી વધુ જિલ્લા સ્તરની ટીમો, 590 તબીબી-સહાયક સ્ટાફ કાર્યરત છે.
15 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે રાત્રે પત્રકાર પરિષદ કરી ત્યારે 11 મૃતદેહોના DNA મેચ થયા હતા. જે બાદ મોડી રાત સુધીમાં વધુ 4 મૃતદેહોના DNA મેચ થયા છે. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ‘વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. જેમાં એક મૃતકનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. આજે શનિવારે (14 જૂન) સુધીમાં બે મૃતકોના મૃતદેહને પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી છે. આ એક ધીમી પ્રક્રિયા છે અને તે ખૂબ જ કાળજીપૂર્વક કરવાની જરૂર છે. આજે અમને વિમાન દુર્ઘટના સ્થળથી વધુ એક મૃતદેહ મળ્યો છે.’
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, મૃતકોના DNA મેચ થયા બાદ પરિવારોને બોલાવવામાં આવી રહ્યા છે. મૃતદેહ પરિજનોને આપવા માટે SOP બનાવવામાં આવી છે. જેમાં BJ મેડિકલ કોલેજમાં મૃતકોના પરિજનોના DNA ટેસ્ટ કરીને સેમ્પલ લીધા અને પોસ્ટમોર્ટમમાં પણ DNA સેમ્પલ લેવાયા હતા. મૃતકોના પરિવારે DNA સેમ્પલ આપ્યા છે, તેમને ફોન કરીને જાણકારી આપવામાં આવશે. જ્યારે DNA ટેસ્ટ માટે આવતા પરિવારજનોએ મૃતકની ઓળખ અને સંબંધીની પુષ્ટિ માટે જરૂર ડોક્યુમેન્ટ આપવા પડશે. સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ વેરિફિકેશન, ડેથ સર્ટિફિકેશટ અને ડોક્યુમેન્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે, કે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહને પરિવારોને સોંપવાની કામગીરી અત્યંત સંવેદનશીલતા સાથે હાથ ધરવામાં આવી રહી છે, જેમાં FSL નિષ્ણાતો અને તબીબી ટીમો દ્વારા DNA સેમ્પલિંગની કામગીરી શરૂ છે. મૃતદેહો સોંપવાની કામગીરીમાં 190થી વધુ ઍમ્બ્યુલન્સ, 230થી વધુ જિલ્લા સ્તરની ટીમો, 590 તબીબી-સહાયક સ્ટાફ કાર્યરત છે. આ દરમિયાન વરિષ્ઠ IAS અધિકારીઓ, ડૉકટરો અને ફોરેન્સિક ટીમો ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. આ સાથે સ્થાનિક નાગરિકો, ખાનગી ડૉકટરો અને સ્વયંસેવકો સરકારી એજન્સીઓ સેવા આપી રહ્યાં છે.
NIA એ તપાસનો મૂક્યો પ્રસ્તાવ
અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિમાનનો કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો
અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોની ઓળખ અને પીડિત પરિવારોને સોંપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દરમિયાન, આજે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેઈલના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જે મહિલાનો છે. આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોવાની આશંકા છે.
000000000
પ્લેન ક્રેશમાં આણંદના મૃતકોના મૃતદેહો અમદાવાદથી લાવવા તંત્રની કવાયત
Jun 15th, 2025
પ્લેન ક્રેશમાં આણંદના મૃતકોના મૃતદેહો અમદાવાદથી લાવવા તંત્રની કવાયત 1 – image
– આણંદ કલેક્ટર કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક
– જિલ્લા, તાલુકાના અધિકારીઓને દિવસમાં બે વખત મૃતકોના ઘરે મુલાકાત લેવા જણાવાયું
આણંદ : અમદાવાદના પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ મૃતકોના મૃતદેહો પરિવારજનોને સોંપવાથી લઈને તેમની અંતિમવિધિ સુધી પ્રક્રિયા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. આણંદ ખાતે મળેલી બેઠકમાં કલેક્ટર કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક કરવા સાથે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ છે.
અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવ્યા છે. આ ડીએનએ નો રિપોર્ટ આવતા ૭૨ કલાક જેટલો સમય લાગે છે, આ ૩૨ પૈકી જે પરિવારજનોના ડીએનએ મેચ થશે તેઓને મૃતકનો મૃતદેહ આપવામાં આવશે. મૃતકોના મૃતદેહો માટે આણંદ જિલ્લાની ૧૯ જેટલી એમ્બ્યૂલન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. મૃતકોના ઘરે મૃતદેહ એમ્બ્યૂલન્સમાં લાવતી વખતે પોલીસ પાઈલોટિંગ ઘરે લાવી પરિવારજનોને સોંપાશે. કલેક્ટરની સૂચના મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે.
વિમાન દુર્ઘટનાના મૃતકોના પાથવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રિયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેકટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરે તાલુકાના પ્રાંત અધિકારીઓ સહીતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું. જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરી કામગીરી કરવા માટે કલેકટર કચેરી આણંદ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાની નિમણૂક કરાઈ છે. જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દિવસમાં સવાર-સાંજ બે ટાઈમ સ્વજનોના ઘરે મુલાકાત લઈને તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો સત્વરે જરૂરી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે.
10 હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ
પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ પૈકી ૩૨ મૃતકોના સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવાઈ ગયા છે. ત્યારે ઘણા મૃતકોના પરિવારજનો વિદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓ અંતિમ સંસ્કાર માટે વિદેશથી આણંદ આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહને સાચવવા માટે જિલ્લામાં ૧૦ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
0000000000
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું
– અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભાજપના
– ડીએનએ મેચ થયાની જાણ કર્યા બાદ અધિકારીઓ સાથે એમ્બ્યૂલન્સમાં અમદાવાદ પહોંચ્યા પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો : અંતિમવિધિ માટે આવેલા સ્વજનોને પાછા જવું પડયું
કઠલાલ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું હતું. ડીએનએ મેચ ન થવાનું કહી પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો હતો. કઠલાલમાં અંતિમવિધિની તૈયારી કરીને બેઠેલા સ્વજનોને ગમતિની સાથે પોતાના ઘરે પરત જવું પડયું હતું.
અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ મુસાફરોની ઓળખ માટે તેઓના પરિવારજનોના ડીએનએ ટેસ્ટનો ઉપયોગ કરી સ્વજનની ઓળખ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત દિલીપભાઈ પટેલ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ગુરૂવારના રોજ મોડી રાત્રે પુત્ર કૃષ્ણ દ્વારા તેનો ડીએનએ ટેસ્ટ આપવામાં આવ્યો હતો. ડીએનએ ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ આપવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કઠલાલમાં તેઓના નિવાસ સ્થાને સ્વજન, મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનો મૃતદેહ મળે તો અંતિમવિધિ કરવા માટેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શનિવારે બપોરના સમયે તેઓને જાણ કરવામાં આવી કે ડીએનએ ટેસ્ટ મેચ થયો છે અને મૃતક પ્રશાંતભાઈનો મૃતદેહ પરિવારજનોને આપવામાં આવશે. તંત્રની વ્યવસ્થા અનુસાર પ્રશાંતભાઈના પુત્ર તથા ભાઈ અધિકારીઓ સાથે એમ્બ્યૂલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા ગયા હતા. ત્યારે જણાવ્યું કે, તેઓનો ડીએનએ મેચ થતો નથી. આજે પુત્ર કૃષ્ણનો ફરીથી ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો છે. કઠલાલમાં અંતિમવિધિ માટે તૈયારી કર્યા પછી એકાએક આવી ખબર પડતા આવેલા સ્વજનો, મિત્રો સહિત લોકો ગમગિની સાથે પરત ફર્યા હતા.
નડિયાદના પવાર દંપતીમાંથી પત્નીનો મૃતદેહ ઓળખાયો
નડિયાદ : નડિયાદ રાજીવનગર પાસે સરસ્વતી સોસાયટીમાં રહેતા પવાર દંપતીમાં હાલ મૃતક આશાબેન પવારના મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. જો કે, તેમના પતિ મહાદેવભાઈ પવારનો મૃતદેહ હજુ ઓળખાયો નથી. જેથી પરિવાર મહાદેવભાઈનો મૃતદેહ મળ્યા બાદ બંનેને એકસાથે નડિયાદ લાવશે. ખેડા જિલ્લામાં ૧૭ ઉપરાંત લોકોના પ્લેન ક્રેશમાં મોત થયા છે. ત્યારે અન્ય પરિવારો ડીએનએ ટેસ્ટ મેચ થાય અને પોતાના સ્વજનનો મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
0000000000
સિવિલ હોસ્પિટલમાં ખડગેની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત
Jun 14th, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ પ્લેન ક્રેશની મહત્ત્વની અપડેટ્સ:
વડોદરાથી 100 કોફીન તૈયારી કરીને અમદાવાદ મંગાવાયા
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાવહ ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા માટે વડોદરાની એક સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, ત્યારે વડોદરાથી 100 કોફીન તૈયારી કરીને આજે શનિવારે (14 જૂન) મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચાડી દેવાશે.
મૃતકોની સંખ્યા 270ને પાર
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોની સંખ્યા વધીને 272 થઈ છે, જેમાં 241 લોકો પ્લેનમાં જ સવાર હતા. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
NIA એ તપાસનો મૂક્યો પ્રસ્તાવ
અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિજય રૂપાણીના દીકરા ગાંધીનગર પહોંચ્યાં
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી ગયા. જોકે હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઇ શકી નથી. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અને મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો દીકરો પણ ગાંધીનગર પહોંચી ગયો છે. ડીએનએ મેચિંગ બાદ જ તેમના પરિવાર દ્વારા અંતિમવિધિ અંગે ચોક્કસ માહિતી આપવામાં આવશે.
વિમાનનો કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો
અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોની ઓળખ અને પીડિત પરિવારોને સોંપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દરમિયાન, વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેઈલના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જે મહિલાનો છો. આશંકા છે કે તે વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.
એર હોસ્ટેસનો મૃતદેહ મળ્યાની આશંકા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કાટમાળ હટાવતી ટીમને વિમાનની ટેઈલ પાસે ભારે દુર્ગંધ આવતી હતી, જ્યાં તેમણે તપાસ કરી તો કોઈનો મૃતદેહ હોવાનું જણાયું હતું, ટેઈલની અંદર જઈને તપાસ કરી તો તે કોઈ મહિલાનો મૃતદેહ હતો. જે કાટમાળમાં ફસાઈ ગયો હતો, જેથી કાટમાળના કેટલાક ભાગને કાપીને મહિલાનો મૃતદેહ બહાર કાઢી તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં 265 જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ આ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ મૃતદેહોમાંથી ઘણાની હાલત એવી થઈ ચૂકી છે કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. જેના લીધે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.
ઇંધણમાં ભેળસેળ દુર્ઘટનાનું સંભવિત કારણ?
આ દુર્ઘટનાના કારણો અંગે વિવિધ અનુમાનો અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે અકસ્માત પાછળ એક સંભવિત કારણ તરીકે ઇંધણમાં ભેળસેળ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ સત્તાવાર તપાસ બાદ જ થશે.
મુરલીધરે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળી હોય. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં અને આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.’ હાલ, દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
————-
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકો માટે વડોદરામાં બની રહ્યા છે 100 કોફીન, રાત સુધીમાં પહોંચાડી દેવાશે
Jun 14th, 2025
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાવહ ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા માટે વડોદરાની એક સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેને આજે મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચાડી દેવાશે.
કોફીન બનાવનાર કારીગરો પણ ભાવુક બન્યા
આ અંગે કોફીન બનાવનાર સંસ્થાના અગ્રણી એડવિનભાઈએ જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિઓની ટીમ યુદ્ધના ધોરણે કોફીન બનાવવાની કામગીરી કરી રહી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફીન બનાવવામાં આવી રહ્યા હોવાથી, આ કામગીરી કરનાર કારીગરો પણ ભાવુક બન્યા છે. એડવિનભાઈએ કહ્યું કે, “આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નથી.”
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે
મૃતદેહોના અવશેષો સુરક્ષિત રીતે રહી શકે તે રીતે લાકડામાંથી કોફીન બનાવવામાં આવે છે. તેની લંબાઈ અને ઊંચાઈ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે મૃતકની સ્થિતિ કેવી છે તેની કોઈને જાણ હોતી નથી. કોફીન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ન લાગે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન તો બનાવી દીધા છે જે આજે બપોરે 3 વાગ્યે અમદાવાદ રવાના કરી દેવાયા છે જ્યારે બાકીના કોફીન રાત સુધીમાં રવાના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યારબાદ જ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
————–
અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં
Jun 14th, 2025
બી.જે.મેડિકલમાં અભ્યાસ કરતા એમબીબીએસમાં પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના બે વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી પ્લેન ક્રેશ સમયે મેસ બિલ્ડિંગમાં હોઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે માતા-પિતાએ અનેક મહેનત કરીને એમબીબીએસ ભણવા મોકલેલા સંતાનો ડૉક્ટર બને તે પહેલા-એમબીબીએસની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યુ છે. આ ચારેય વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનો ઘેરા આઘાતમાં છે અને તેઓ આજે મૃતદેહ પોત પોતાના વતન લઈ ગયા હતા. ચાર વિદ્યાર્થીમાં બે રાજસ્થાનના અને એક ભાવનગરના તળાજાનો તેમજ એક મઘ્યપ્રદેશનો છે.
રાજસ્થાનના જયપ્રકાશના પિતા ફેકટરીમાં મજૂરી કરે છે
જયપ્રકાશ ચૌધરી બી.જે.મેડિકલમાં એમબીબીએસમાં બીજા વર્ષમાં ભણતો હતો અને તેણે નીટમાં 675 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા ધર્મારામ ચૌધરી ફેકટરીમાં મજૂર કરે છે અને જયપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોરચારણા ગામનો છે.તેને એક નાનો ભાઈ છે.જ્યારે માતા ગૃહિણી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ
મ.પ્ર.ના આર્યન રાજપુતના પિતા ખેડુત, નેશનલ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા
આર્યન રાજપુત એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને જેણે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ગત વર્ષે પ્રવેશ લીધો હતો. મઘ્ય પ્રદેશના ગ્વાલીયર નજીક જિમ્પસોલી ગામના વતની આર્યનના પિતા ગામમાં ખેતી કરે છે અને જેન એક ભાઈ અને બહેન છે. આજે આયર્નના પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન જવા રવાના થયા હતા.
માનવ ભાદુ નીટમાં રેન્કર, એઈમ્સમાં એડમિશન છોડી બી.જે.માં લીધું
મેડિકલના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓમાં માનવ ભાદુ મૂળ રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાનો છે અને ગત વર્ષે જ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હતો.તેણે નીટમાં 720માંથી 700 માર્કસ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. એઈમ્સમાં એડમિશન મળતું હતું છતાં પણ તેણે છોડીને બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. માનવના પિતા પ્રાઈવેટ બેંકમાં મેનેજર અને માતા હાઉસવાઈફ છે તેને માત્ર એક 8 વર્ષની નાની બહેન છે.
એક દિવસ પહેલા જ વાંચવા આવેલા રાકેશનું મેસમાં મૃત્યુ
એમબીબીએસના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીમાં રાકેશ દિહોરા બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને તે મૂળ ભાવનગરના તળાજનો છે. અને રાકેશના પિતા ખેતી કરે છે તેમજ માતા હાઉસવાઈફ છે. રાકેશના પિતા ગોબરભાઈએ જણાવ્યું કે તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેને ચાર બહેનો અને એક ભાઈ છે. માતા હાઉસ વાઈફ છે. રાકેશે ધો.12નો અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો અને તેના પિતા તળાજા નજીકના એક નાના એવા સોંસિયા ગામમા ખેતી કરતા હતા. રાકેશ ચાંદખેડામાં તેના જીજાજીના ઘરે હતો પરંતુ પરીક્ષા ચાલતી હોવાથી એક દિવસ પહેલા જ વાંચવા ગયો હતો અને મેસમાં આ ઘટના બની.
————–
‘મેં તો વિચાર્યું જ નહોતું કે આવું થશે…’, અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો
Jun 14th, 2025
અમદાવાદમાં ગુરૂવારે બપોરે (12 જૂન) જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક કિશોરના કેમેરામાં રેકોર્ડ થયો હતો. એવામાં અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે, બધું આટલું જલ્દી થયું તો તેનો વીડિયો કોઈના ફોનમાં કેવી રીતે રેકોર્ડ કરી લીધો? આ તમામ સવાલોનો જવાબ વીડિયો રેકોર્ડ કરનારા કિશોરે ખુદ આપ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
જાણો શું કહ્યું કિશોરે?
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારો કિશોર ડરી ગયો છે. ગુરૂવારે જ તે પોતાના ગામથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પહોંચીને તેણે જોયું કે, ઘરની પાસે જ એરપોર્ટ છે. એરપોર્ટથી સતત વિમાન અવર-જવર કરી રહ્યા હતા. આ દ્રશ્યએ તેને ઉત્સાહિત કર્યો અને તેની પાસેથી પસાર થઈ રહેલા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન બનાવ્યો. તેનો પ્લાન હતો કે, વિમાનનો વીડિયો બનાવીને ગામડે લઈ જશે અને મિત્રોને બતાવશે. જોકે, આ દરમિયાન એર-ઈન્ડિયાનું બોઇંગ-787 વિમાને ઉડાન ભરી. જ્યારે આ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડ્યું તો આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં, કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન મળી સફળતા
તેણે જણાવ્યું હતું કે, ‘જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તો તેને ખબર નહતી કે, આ વિમાન પડી જશે અને 274 લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. એર ઈન્ડિયાના બોઇંગ-787 પહેલાં પસાર થતા વિમાન ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા પરંતુ, આ ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો પરંતુ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને વિમાનમાં સવાર લગભગમાં તમામના મોત નિપજ્યા.’
————-
વિમાન દુર્ઘટનામાં મૃતકોની બોડી માટે 100 કોફીન બનાવવા વડોદરાની સંસ્થાને સૂચના : આજે રાત સુધીમાં 50 મોકલવા તાકીદ
Jun 14th, 2025
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં 290 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નીપજતા પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકીના 25 કોફીન આજે બપોરે 3 વાગ્યા સુધીમાં અને બાકીના કોફીન આજે રાત સુધીમાં અમદાવાદ ખાતે રવાના કરાશે.
આ અંગે કોફીન બનાવનાર સંસ્થાન અગ્રણી એડવિનભાઈએ જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિની ટીમ કોફીન બનાવી રહી છે. કારણ કે એક સાથે મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફીન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. મૃતકોના અવશેષો કોફીનમાં રહે એ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. તેની લેન્થ અને હાઈટ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે છે. મૃતક કઈ હાલતમાં છે તેની કોઈને ખબર નથી. પરિણામે હાઈટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોફીન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ના લાગે એવા ઇરાદે બેગ મૂકવામાં આવે છે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન બનાવ્યા છે જે આજે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ રવાના કરાશે ત્યારબાદ બાકીના કોફીન રાત સુધીમાં રવાના કરાશે. કુલ 100 કોફીન બનાવવાના છે.
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
Jun 14th, 2025
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર 1 –
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી (Aviation Minister) રામ મોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઇએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમયે વિમાનમાં ખામી સર્જાતા પાઈલટે MAY DAY નો સંદેશ આપ્યો હતો. પાઈલટે ઈમરજન્સી હોવાની જાણકારી આપી હતી.
પાઈલટે ઈમરજન્સીની સૂચના આપી હતી
આ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે પ્લેન ક્રેશ થતાં પહેલા પાઈલટે ઈમરજન્સી સ્થિતિની જાણકારી આપી હતી. ATC તરફથી એ મેસેજનો કોઈ જવાબ મળ્યો નહોતો. ઉડ્ડયન મંત્રીના જણાવ્યાનુસાર વિમાને 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને 1:40 વાગ્યે વિમાન ક્રેશ થઇ ગયું હતું. એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ વિમાન બે કિ.મી. દૂર તૂટી પડ્યું હતું.
કમિટીની રચના કરાઈ
ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગૃહ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ હાઈ લેવલની કમિટી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે. તપાસ સમિતિમાં ડીજીસીએ અને આઈબીના અધિકારીઓને પણ સામેલ કરાયા છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું જેના પરથી વિમાન દુર્ઘટના પહેલા છેલ્લી ઘડીએ શું થયું હતું તે જાણી શકાશે.
ભયાનક વિસ્ફોટ બાદ આગને 6 વાગ્યા સુધીમાં કાબુમાં લઇ શકાય
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ‘પ્લેન ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે આગ ફેલાઈ ગઇ હતી. આગને કાબૂમાં લેતા લેતા 6 વાગી ગયા હતા. આ મામલે કમિટી તપાસ કરી રહી છે. જે તમામ પુરાવાઓ અને નિવેદનો એકઠાં કરશે અને રિપોર્ટ રજૂ કરશે.’
વિમાનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, 17 એજન્સી કરી રહી છે તપાસ
Jun 14th, 2025
વિમાનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, 17 એજન્સી કરી રહી છે તપાસ 1 – અમદાવાદ વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. ત્યારે સિવિલમાં હાલમાં પણ ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ મૃતકોના મૃતદેહો પીડિત પરિવારોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં નિધન થઇ ગયું હોવાથી તેમના પત્ની અને દીકરો પણ ગાંધીનગર આવી પહોંચ્યા. ડીએનએ રિપોર્ટ બાદ તેમને મૃતદેહ સોંપવામાં આવી શકે છે.
NIA એ તપાસનો મૂક્યો પ્રસ્તાવ
અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે લગભગ 17 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે એનઆઈએની ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. એનઆઈએ દ્વારા આ મામલે તપાસમાં સહયોગ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિજય રૂપાણીના દીકરા ગાંધીનગર પહોંચ્યાં
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામી ગયા. જોકે હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઇ શકી નથી. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અને મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો દીકરો પણ ગાંધીનગર પહોંચી ગયો છે. ડીએનએ મેચિંગ બાદ જ તેમના પરિવાર દ્વારા અંતિમવિધિ અંગે ચોક્કસ માહિતી આપવામાં આવશે.
વિમાનનો કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો
અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહોની ઓળખ અને પીડિત પરિવારોને સોંપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દરમિયાન, વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેઈલના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જે મહિલાનો છો. આશંકા છે કે તે વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે.
એર હોસ્ટેસનો મૃતદેહ મળ્યાની આશંકા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કાટમાળ હટાવતી ટીમને વિમાનની ટેઈલ પાસે ભારે દુર્ગંધ આવતી હતી, જ્યાં તેમણે તપાસ કરી તો કોઈનો મૃતદેહ હોવાનું જણાયું હતું, ટેઈલની અંદર જઈને તપાસ કરી તો તે કોઈ મહિલાનો મૃતદેહ હતો. જે કાટમાળમાં ફસાઈ ગયો હતો, જેથી કાટમાળના કેટલાક ભાગને કાપીને મહિલાનો મૃતદેહ બહાર કાઢી તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં હાલમાં 265 જેટલા લોકોના મૃતદેહો આવી ચૂક્યા છે જેઓ આ વિમાન દુર્ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ મૃતદેહોમાંથી ઘણાની હાલત એવી થઈ ચૂકી છે કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. જેના લીધે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી કરીને પીડિત પરિવારોને તેમના પ્રિયજનોના દેહ સોંપી શકાય.
ઇંધણમાં ભેળસેળ દુર્ઘટનાનું સંભવિત કારણ?
આ દુર્ઘટનાના કારણો અંગે વિવિધ અનુમાનો અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સાલિગ્રામ જે. મુરલીધરે અકસ્માત પાછળ એક સંભવિત કારણ તરીકે ઇંધણમાં ભેળસેળ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક પ્રાથમિક અનુમાન છે અને તેની પુષ્ટિ સત્તાવાર તપાસ બાદ જ થશે.
મુરલીધરે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો ઇંધણમાં ભેળસેળ હશે, તો તેનાથી ઇંધણને પૂરતી તાકાત નહીં મળી હોય. જેના કારણે વિમાન યોગ્ય રીતે ઉડી શક્યું નહીં અને આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.’ હાલ, દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
લંડનમાં દીકરીને મળવા જવું હતું, જામનગરના વૃદ્ધાનું પણ અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ મોત
Jun 14th, 2025લંડનમાં દીકરીને મળવા જવું હતું, જામનગરના વૃદ્ધાનું પણ અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ મોત 1 – અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં જામનગરના નેહલબેન અને તેમના પતિ શૈલેષભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત જામનગરના ડો.હિમાંશુ પેશાવરિયાના માતા વસંતબેન પેશાવરિયાનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર, BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ
મળતી માહિતી અનુસાર, જામનગરના ડો.હિમાંશુ પેશાવરિયાના માતા વસંતબેન પેશાવરિયાનું પણ અમદાવાદ વિમાન દુર્ઘટનમાં મૃત્યુ નીપજ્યું છે. વસંતબેન પેશાવરિયાને ચાર સંતાનો છે, જેમાં બે પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. બે પુત્રમાંથી એક ડો.હિમાંશુ પેશાવરિયા જામનગરમાં રહે છે, જ્યારે તેમના ભાઈ વડોદરામાં રહે છે. આ ઉપરાંત વસંતબેનના પુત્રી દીપાબેન છત્રાલા લંડનમાં રહે છે. તે છેલ્લા ઘણાં સમયથી પુત્રીને મળવાની ઈચ્છા હતી, આખરે 12મી જૂને લંડન જવા માટે નક્કી થયું હતું.
વસંતબેન પેશાવરિયાનું વડોદરામાં તેમના પુત્રના ઘરે હતા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે લંડન જવા માટેની એર ઈન્ડિયાના વિમાન બેઠા હતા. પરંતુ થોડી ક્ષણોમાં જ આ વિમાન ક્રેશ થયું હતું. જેમાં વસંતબેનનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવવાની જાણ થતા જ વસંતબેનના પરિવારજનો અમદાવાદ દોડી આવ્યા છે.
IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર, BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ
Jun 14th, 2025IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર, BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ 1 – Indian Medical Association Gujarat: 12 જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મેડિકલના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મોતના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) – ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાય માટે વિનંતી કરવામાં આવી છે. IMA ગુજરાત શાખાએ એર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને જાહેર કરાયેલા ₹1 કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો.
IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર, BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ 2 –
IMA એ પત્ર લખી જણાવ્યું હતું કે, ‘અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઇજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે. તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતા. તેમના પરિવારોજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે.’
આ પણ વાંચો: ‘જમીને હાથ ધોવા ઊભા જ થયા હતા ત્યાં…’ પ્લેન ક્રેશમાં પાલનપુરના બે વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ
ટાટા ગ્રૂપે કૉલેજ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે
ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં
ટાટા ગ્રૂપ દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે
12 જૂને (ગુરુવાર) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત નીપજ્યા છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.
રીક્ષા ચલાવીને દીકરીને ઉછેરી, અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, લંડન ભણવા મોકલવાનું સપનું રોળાયું
Jun 14th, 2025
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરોના મોતથી શોકની લાગણી ફરી વળી છે ત્યારે આ દુર્ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરના રહીશ અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના નાનકડા ગામ ગોગુદાના વતની ખટીક પરિવારની પુત્રી પાયલનું પણ મોત નિપજ્યું છે.
પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે
પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પુત્રીને લંડનમાં M.Tech પૂર્ણ કરવાનું હોવાથી અનેક સપના સજાવી તેને એરપોર્ટ પરથી રવાના કરી હતી, પરંતુ કમનસીબે દુર્ઘટનામાં પુત્રીના મોતથી ખટીક પરિવાર ઉપર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ છે. પાયલને M.Tech માટે યુનિવસિર્ટીમાં પ્રવેશ પણ મળી ગયો હતો.
પાયલ M.Tech કરવા જઈ રહી હતી લંડન
પાયલ હિંમતનગરની આદર્શ સ્કુલમાં ધો. 1થી 10 અને હિંમત હાઈસ્કુલમાં ધો.11-12 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઘરમાં આર્થિક મદદ કરવા માટે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતી હતી. પાયલને લંડનમાં M.Tech કરવાનું હોવાથી વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી તે એર ઈન્ડિયયાના વિમાન દ્વારા લંડન જવા માટે રવાના થઈ હતી, પરંતુ ઉડાન ભર્યાની મિનીટોમાં જ વિમાન ક્રેશ થતાં અન્ય મુસાફરો સાથે પાયલ ખટીકનું પણ આ ગોઝારી દુર્ઘટનામાં મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણ થયા પછી ખટીક પરિવાર તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં ડી.એન.એ. સેમ્પલ આપ્યા બાદ પાયલના મોતની અંતિમ પુષ્ટી માટે રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: જામનગરમાં મેગા ડિમોલિશન, બચુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા
પાયલ ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલના મોત અંગે પડોશીએ જણાવ્યું હતું કે, પાયલના પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે અને દિકરી પાયલ પણ ટ્યુશન આપીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. બે બહેન અને એક ભાઈ સહિત માતા-પિતા સાથે 5 જણનો પરિવાર પ્રસન્ન જીવન જીવતા હતા પરંતુ ગઈકાલની દુર્ઘટનાએ ખટીક પરિવારમાં શોકનું મોજુ લાવી દીધું છે.
000000000
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામા પાલનપુરના બે વિદ્યાથીઓનો ચમત્કારિક બચાવ થયો છે. મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પાલનપુરના વિદ્યાર્થી દ્રીજેશ મોરે આંખો દેખી આપવીતી વર્ણવી હતી. દ્રીજેશે જણાવ્યું હતું કે ‘જમીને જેવા હાથ ધોવા માટે ઉભા થયા હતા. અડધે પહોંચ્યાં ત્યાં તો મેસના બિલ્ડિંગ પર પ્લેન ખાબકતા પ્રચંડ અવાજ આવ્યો હતો.
પ્લેન ક્રેશ થયું ત્યારે અમે અંદર હતા ત્યાં ધુમાડો, ડસ્ટ અને પાર્ટીકલ અંદર ઘૂસી જતાં શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને દેખાવાનું બંધ થયું હતું. જોકે પ્લેન બિલ્ડિંગના બહાર જવાના દરવાજા ઉપર જ ખાબક્યું હોવાથી એક્ઝિટ ગેટ પર છતના પોપડા પડતાં હતા. જો અમે તરત બહાર નીકળ્યાં હોત તો જીવ જોખમમાં મુકાયા હોત.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાંપાલનપુરની સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં રહેતા મૂળ વાસણ (જગાણા) ગામના ભૂપેન્દ્રભાઇ મોરનો પુત્ર દ્રીજેશ અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં તેના મિત્ર પ્રથમ જુંડાલ સાથે એમ.બી.બી.એસ.ના પ્રથમ અભ્યાસ કરે છે. આ બંને મિત્રો 12 જૂનના બપોરે બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલી મેસમાં નિત્યક્રમ મુજબ ભોજન કરવા માટે ગયા હતા. જમીને તેઓ સાથે થાળી મુકવાના સ્થળે ગયા હતા. ત્યારે બ્લાસ્ટ થતાં કાળા ડિબાંગ ધુમાડાના કારણે અંધારા પટ છવાય ગયો હતો.
ભૂકંપ આવ્યો હોય અથવા હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈ એર સ્ટ્રાઈક થઈ હોવાનો અમને અહેસાસ થયો હતો. ભારે ડસ્ટના લીધે શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી અને અંધારામાં બહાર નીકળવું જોખમ ભર્યું લાગતા બે મિનિટ ત્યાં ઊભા રહ્યા. ત્યારબાદ માંડ માંડ અમે બહાર નીકળ્યા હતા. બહાર લોકો બૂમરાડ અને નાસભાગ કરતા અને બિલ્ડિંગની છત ઉપર ક્રેશ થયેલું પ્લેન પડ્યું હતું. આ જોઇને અમને ભગવાને બચાવી લીધા હોવાની અનુભૂતિ થઇ.
000000000000
અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં
Jun 14th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં 1 – બી.જે.મેડિકલમાં અભ્યાસ કરતા એમબીબીએસમાં પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના બે વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી પ્લેન ક્રેશ સમયે મેસ બિલ્ડિંગમાં હોઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે માતા-પિતાએ અનેક મહેનત કરીને એમબીબીએસ ભણવા મોકલેલા સંતાનો ડૉક્ટર બને તે પહેલા-એમબીબીએસની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યુ છે. આ ચારેય વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનો ઘેરા આઘાતમાં છે અને તેઓ આજે મૃતદેહ પોત પોતાના વતન લઈ ગયા હતા. ચાર વિદ્યાર્થીમાં બે રાજસ્થાનના અને એક ભાવનગરના તળાજાનો તેમજ એક મઘ્યપ્રદેશનો છે.
રાજસ્થાનના જયપ્રકાશના પિતા ફેકટરીમાં મજૂરી કરે છે
જયપ્રકાશ ચૌધરી બી.જે.મેડિકલમાં એમબીબીએસમાં બીજા વર્ષમાં ભણતો હતો અને તેણે નીટમાં 675 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા ધર્મારામ ચૌધરી ફેકટરીમાં મજૂર કરે છે અને જયપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોરચારણા ગામનો છે.તેને એક નાનો ભાઈ છે.જ્યારે માતા ગૃહિણી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ
મ.પ્ર.ના આર્યન રાજપુતના પિતા ખેડુત, નેશનલ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા
આર્યન રાજપુત એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને જેણે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ગત વર્ષે પ્રવેશ લીધો હતો. મઘ્ય પ્રદેશના ગ્વાલીયર નજીક જિમ્પસોલી ગામના વતની આર્યનના પિતા ગામમાં ખેતી કરે છે અને જેન એક ભાઈ અને બહેન છે. આજે આયર્નના પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન જવા રવાના થયા હતા.
માનવ ભાદુ નીટમાં રેન્કર, એઈમ્સમાં એડમિશન છોડી બી.જે.માં લીધું
મેડિકલના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓમાં માનવ ભાદુ મૂળ રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાનો છે અને ગત વર્ષે જ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હતો.તેણે નીટમાં 720માંથી 700 માર્કસ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. એઈમ્સમાં એડમિશન મળતું હતું છતાં પણ તેણે છોડીને બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. માનવના પિતા પ્રાઈવેટ બેંકમાં મેનેજર અને માતા હાઉસવાઈફ છે તેને માત્ર એક 8 વર્ષની નાની બહેન છે.
એક દિવસ પહેલા જ વાંચવા આવેલા રાકેશનું મેસમાં મૃત્યુ
એમબીબીએસના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીમાં રાકેશ દિહોરા બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને તે મૂળ ભાવનગરના તળાજનો છે. અને રાકેશના પિતા ખેતી કરે છે તેમજ માતા હાઉસવાઈફ છે. રાકેશના પિતા ગોબરભાઈએ જણાવ્યું કે તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેને ચાર બહેનો અને એક ભાઈ છે. માતા હાઉસ વાઈફ છે. રાકેશે ધો.12નો અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો અને તેના પિતા તળાજા નજીકના એક નાના એવા સોંસિયા ગામમા ખેતી કરતા હતા. રાકેશ ચાંદખેડામાં તેના જીજાજીના ઘરે હતો પરંતુ પરીક્ષા ચાલતી હોવાથી એક દિવસ પહેલા જ વાંચવા ગયો હતો અને મેસમાં આ ઘટના બની.
—————
મેં તો વિચાર્યું જ નહોતું કે આવું થશે…’, અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો
Jun 14th, 2025’મેં તો વિચાર્યું જ નહોતું કે આવું થશે…’, અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો 1 – અમદાવાદમાં ગુરૂવારે બપોરે (12 જૂન) જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક કિશોરના કેમેરામાં રેકોર્ડ થયો હતો. એવામાં અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે, બધું આટલું જલ્દી થયું તો તેનો વીડિયો કોઈના ફોનમાં કેવી રીતે રેકોર્ડ કરી લીધો? આ તમામ સવાલોનો જવાબ વીડિયો રેકોર્ડ કરનારા કિશોરે ખુદ આપ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
જાણો શું કહ્યું કિશોરે?
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારો કિશોર ડરી ગયો છે. ગુરૂવારે જ તે પોતાના ગામથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પહોંચીને તેણે જોયું કે, ઘરની પાસે જ એરપોર્ટ છે. એરપોર્ટથી સતત વિમાન અવર-જવર કરી રહ્યા હતા. આ દ્રશ્યએ તેને ઉત્સાહિત કર્યો અને તેની પાસેથી પસાર થઈ રહેલા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન બનાવ્યો. તેનો પ્લાન હતો કે, વિમાનનો વીડિયો બનાવીને ગામડે લઈ જશે અને મિત્રોને બતાવશે. જોકે, આ દરમિયાન એર-ઈન્ડિયાનું બોઇંગ-787 વિમાને ઉડાન ભરી. જ્યારે આ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડ્યું તો આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો હતો. આ પણ વાંચોઃ કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં, કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન મળી સફળતા
તેણે જણાવ્યું હતું કે, ‘જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તો તેને ખબર નહતી કે, આ વિમાન પડી જશે અને 274 લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. એર ઈન્ડિયાના બોઇંગ-787 પહેલાં પસાર થતા વિમાન ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા પરંતુ, આ ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો પરંતુ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને વિમાનમાં સવાર લગભગમાં તમામના મોત નિપજ્યા.’
0000000000000
અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
Jun 14th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર 1 – Vijay Rupani funeral in Rajkot: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે (14 જૂને) વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલ, પુરૂષત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા-સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. અંતિમવિધિ રાજકોટમાં કરાશેવિજયભાઈ રૂપાણીના બહેનના ડી.એન.એ.સેમ્પલ લેવાયેલા છે તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરાશે. વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.
વિજય રૂપાણીના નિધનથી શોકઃ આજે રાજકોટ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ
12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે જે માટે તૈયારીઓ શરૂ થઈ છે.
રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસીએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસો. તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને આવતીકાલે શનિવારે તા. 14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને સદ્ગત વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે.
શાળાઓ પણ બંધ
આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આજે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ બંધ રહેશે.
00000000000
અમદાવાદમાં ક્રેશ વિમાનના ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ પહોંચવાની શક્યતા
Jun 14th, 2025BIG NEWS: અમદાવાદમાં ક્રેશ વિમાનના ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ પહોંચવાની શક્યતા 1 – અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના હાલ ભારતનો સૌથી મોટો અકસ્માત છે, જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માલહાનિ નોંધાઈ છે. એવામાં વીમાના ક્લેમની રકમ ઘણી વધારે હોય શકે છે. અનુમાન છે કે, આ રકમ 1500 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ભારતે 2009માં 1999ના મૉન્ટ્રિયલ સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે, જેથી હવાઈ સંકટ અને નુકસાન માટે વીમાના ક્લેમ પર વિશેષ નિયમ લાગુ થશે. નોંધનીય છે કે, AI 171 વિમાન ગુરૂવારે (12 જૂન) મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત નિપજ્યા હતાં. જોકે, એક મુસાફર આ અકસ્માતમાં બચી ગયો હતો. અકસ્માતમાં કુલ 265 લોકોનો મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે.
કઈ વીમા કંપની સામેલ છે?
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે પ્રકારે નુકસાન થયું છે, તેના પર વીમા ક્લેમ પર આટલી રકમ કોઈ ચોંકાવનારી નથી. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીમા સાથે જોડાયેલી અમુક મુખ્ય વાત જણાવવામાં આવી છે. જે અનુસાર એવિએશન પોલિસીનું નેતૃત્વ ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ કરે છે. જેને જીઆઈસી આરઈ, યુનાઇટેડ ઈન્ડિયા, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ જેવી સહ-વીમા કંપનીઓનો ટેકો છે. લગભગ 95 ટકા સિસ્ક માટે મોટી વૈશ્વિક કંપનીઓ પાસે રિઈન્શ્યોરન્સ છે. તેમાં એઆઈજી, એએક્સએ એક્સએલ અને લંડન તેમજ બરમૂડાના અન્ય રિઈન્શ્યોરન્સ કંપની સામેલ છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના વિભાગોમાં ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની નિમણૂક
વિમાનના વીમાની રકમ કેટલી?
આ ભયાનક અકસ્માતમાં બોઇંગ 787-8 વિમાન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચુક્ય છું. તેનો વીમો, તેની ઉંમરના આધારે આશરે 650-700 કરોડ રૂપિયા થયો છે. મૉન્ટ્રિયલ સંમેલન હેઠળ, મૃત યાત્રીઓના પરિવારોને લગભગ 1 કરોડ રૂપિયા પ્રતિ પરિવાર મેળવવાનો અધિકાર છે, જેની જાહેરાત પહેલાંથી જ થઈ ચુકી છે. 240થી વધુ મોત સાથે, આ ચૂકવણી 240 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. અંતિમ સેટલમેન્ટ અને કાયદાકીય દાવાના આધારે આ રિસ્ક કવરેજની રકમ 1000 થી 1500 કરોડની રકમ પાર કરી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
ઈન્શ્યોરન્સ માર્કેટ પર પણ અસર
એર ઈન્ડિયા પોતાના કાફલાના હિસાબે એવિએશન કવર 8000-10000 કરોડ રૂપિયા છે. જેનું અંદાજિત વાર્ષિક પ્રીમિયમ આશરે 250 કરોડ રૂપિયા છે. અમદાવાદની આ ઘટના ઈન્શ્યોરન્સ માર્કેટ પર પણ અસર પડશે. હાલ ભારતમાં એવિએશન ઈન્શ્યોરન્સ માર્કેટ આશરે 900 કરોડ રૂપિયા છે. આગળ આ ઈન્શ્યોરન્સની રકમમાં વધારો થઈ શકે છે.
0000000000
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ
Jun 14th, 2025અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ 1 – Medical Student Exam Cancelled : પ્લેન ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગ હાજર એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીમાંથી 200થી વઘુ વિદ્યાર્થીઓ ડર અને આઘાતને લીધે પોતાના ઘરે જતા રહ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા. જેને પગલે હાલ તો બી.જે.મેડિકલ કોલેજ દ્વારા 500 વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી-પ્રેક્ટિકલ ઈન્ટરનલ પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. આ ઉપરાંત મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ કરવામાં આવ્યું છે.
મેડિકલ શિક્ષકો-ડોક્ટરોનું ઉનાળુ વેકેશન પણ રદ
બી.જે.મેડિકલ કોલેજમાં ભણતા એમબીબીએસના વિદ્યાર્થીઓમાં હાલમાં ચાલતી અને આગમી દિવસોમાં શરૂ થનારી થીયરી તેમજ પ્રેક્ટિકલની ઈન્ટરનલ પરીક્ષાઓ હાલ કેન્સલ કરવામા આવી છે. જ્યાં સુધી નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ નહીં લેવાય. એમબીબીએસના પ્રથમ અને બીજા વર્ષની ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાનાર હતી અને જે પ્લેન ક્રેશની ઘટના બાદ કેન્સલ કરવામા આવી છે. નવી તારીખો કોલેજ દ્વારા પછીથી જાહેર કરવામા આવશે. પ્લેન ક્રેશની ઘટના બાદ હોસ્ટેલોમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી 200થી વઘુ વિદ્યાર્થી પોતાના ઘરે જતા રહ્યા છે અને ક્રેશની ઘટના સમયે જે 40થી વઘુ વિદ્યાર્થીઓ હાજર હતા તેઓ ખૂબ જ ડરી ગયા છે તેમજ આઘાતમાં છે. આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
આ ઉપરાંત પ્લેશન ક્રેશની ઘટનાને પગલે મેડિકલ સેવાની જરૂરીયાતને ઘ્યાને રાખતા બી.જે.મેડિકલ કોલેજ દ્વારા તમામ મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ કરી દેવાયુ છે. 13મી જૂનથી બીજા તબક્કાનું ઉનાળુ વેકેશન શરૂ થતું હતું પરંતુ રદ કરી દેવાયુ છે અને આજે 14મીથી તમામ શિક્ષકો-ડોકટરોને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. મહત્વનું છે કે મેસ બિલ્ડિંગ તૂટતા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટસ અને ઈન્ટર્ન્સને જમવાની મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કારણકે મેસ બિલ્ડિંગમાં પ્રથમ અને બીજા બંને માળે મેસ હતી.
000000000
કાયમ મુંબઈથી જતા ડૉક્ટર દંપતીએ અમદાવાદથી લંડન જવાનું નક્કી કર્યુંને કાળનો કોળીયો બન્યાં
Jun 14th, 2025કાયમ મુંબઈથી જતા ડૉક્ટર દંપતીએ અમદાવાદથી લંડન જવાનું નક્કી કર્યુંને કાળનો કોળીયો બન્યાં 1 – અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું પેસેન્જર વિમાન હતું. આ વિમાન દુર્ઘટનામાંથી એક માત્ર બચી ગયેલા સીટ નંબર 11એના પ્રવાસી વિશ્વાસ રમેશ કુમારની બાજુમાં જ સીટ નંબર 11બી અને 11સી પર બેઠેલાં સુરતના ડોક્ટર દંપતિ ડો.હિતેશ શાહ અને તમના પત્ની ડૉ. અમિતા શાહ કાળનો કોળિયો બની ગયા છે.
ડૉ.હિતેશ શાહ ને ડો. અમિતા શાહના પુત્ર-પુત્રી અમેરિકામાં રહે છે
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતા આ શાહ દંપતી લંડન ખાતે રહેતી પોતાની બહેનને મળવા જઈ રહ્યું હતું. ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકો એ જણાવ્યું હતું કે, આ ડોક્ટર દંપતિ બહુધા મુંબઈથી જ લંડન જવાની ફ્લાઈટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદથી લંડનની ફ્લાઈટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષો પછી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા અને કાળ તેમનો કોળિયો કરી ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
સુરતના અડાજણ સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહનો દીકરો અને દીકરી અમેરિકા રહે છે. ડોક્ટર હિતેશભાઈ શાહ અડાજણ ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં જ તેઓની સ્મિત ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા હતા. પરંતુ સોસાયટીમાં હોસ્પિટલ ચલાવવા બાબતે સોસાયટી વાળાઓ સાથે અવારનવાર અણગમતા બનાવો બન્યા કરતા હોવાથી તેઓએ સોસાયટીમાંથી હોસ્પિટલ બંધ કરી દીધી હતી અને તેઓ પોતાના જૂના ઘરે સુજાતા સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. અત્યારે તેઓ સુરત જનરલ હોસ્પિટલમાં તેઓ હાલ સેવા આપી રહ્યા હતા.
ડોક્ટર હિતેશ શાહ બે વર્ષ પહેલા જ કેન્સરમાં સપડાયા હતા, પરંતુ કેન્સરને માત આપીને જિંદગીનો જંગ જીતી ગયા હતા. પરંતુ ગુરૂવારે બનેલી વિમાન ક્રેશ દુર્ઘટનામાં તેઓ કોઈપણ જાતના પ્રતિકાર વિના જ કાળનો કોળિયો બની ગયા હતા. તેમને સંઘર્ષ કરવાની ક્ષણ પણ મળી નહોતી. ડૉ. હિતેશ શાહની નિકટના લોકોએ કહ્યું કે, ‘મોટાભાગે હિતેશ શાહ મુંબઈ એરપોર્ટ પરથી જ લંડન જતા હોય છે, પરંતુ આજે પ્રથમવાર તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ફ્લાઈટમાં જઈ રહ્યા હતા.’
00000000
વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ઈન્કમટેક્સના પૂર્વ ડેપ્યુટી કમિશનર સુનીલ મહેતા, તેમના પત્ની, પુત્રીએ જીવ ગુમાવ્યાં
Jun 14th, 2025વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ઈન્કમટેક્સના પૂર્વ ડેપ્યુટી કમિશનર સુનીલ મહેતા, તેમના પત્ની, પુત્રીએ જીવ ગુમાવ્યાં 1 – અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી. આ ગોઝારી વિમાન દુર્ઘટનામાંથી અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર અને 14 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સુનિલ મહેતા અને તેમના પત્ની વર્ષા મહેતા તથા પુત્રી મેઘા મહેતા પણ ભડથું થઈ ગયા હતા.
સુનિલ મહેતા અત્યંત મૃદુ સ્વભાવના હતા
મળતી માહિતી અનુસાર, સુનિલ મહેતા14 વર્ષ પહેલા અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમણે ઉત્તર ભારતમાંના તેમના વતનમાં પરત જવાને બદલે અમદાવાદમાં જ સેટલ થઈ જવાનું પસંદ કર્યું હતું. તેમની સાથે જ ડિરેક્ટોરેટ ઓફ ઈન્કમટેક્સ (દરોડા)માં કામ કરતાં અધિકારીઓનું કહેવું છે. સુનિલ મહેતા અત્યંત મૃદુ સ્વભાવના હતા. ડિપાર્ટમેન્ટમાં તેને ક્યારેય કોઈ સાથે સંઘર્ષ થયો હોવાનું જોવા મળ્યું નથી. તેઓ તેમની પત્ની અને એક પુત્ર સાથે લંડન સ્થિત અન્ય પુત્રીને મળવા માટે જઈ રહ્યા હતા. તેમની એક પુત્રી અમદાવાદ આઈઆઈએમ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
000000000
અમદાવાદ પ્લેન ક્રેશ : ક્રૂ મેમ્બર ઈરફાનની માતાને તો ટીવી ન્યૂઝ પરથી પુત્રના મોતની જાણ થઇ
Jun 14th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ : ક્રૂ મેમ્બર ઈરફાનની માતાને તો ટીવી ન્યૂઝ પરથી પુત્રના મોતની જાણ થઇ 1 – એવિયેશનના ઇતિહાસની દારૂણ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા એર-ઇન્ડિયાના ક્રુ મેમ્બરોમાંના એક ઇરફાન સમીર શેખનું આ ક્ષેત્રમાં આગળ વધવાનું સપનું ગણતરીની સેકન્ડોમાં જ ચકનાચૂર થઇ ગયું હતું.
પુણે નજીક પિંપરી-ચિંચવડમાં પરિવાર સાથે રહેતા 22 વર્ષના આશાસ્પદ યુવાન ઇરફાન સમીર શેખ બે વર્ષ પહેલા જ કેબીન ક્રૂ તરીકે જોડાયો હતો. ગુરૂવારે તે લંડન જનારી એ.આઇ. 171 ફલાઇટમાં ડયુટી પર છે એવી તેણે ફેમિલીને ફોનમાં જાણ કરી હતી. ત્યાર પછી થોડા સમયમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું.
ઇરફાનના કાકા ફિરોઝ શેખે જણાવ્યું હતું કે જ્યારે ગુરૂવારે ટીવી પર પ્લેન અકસ્માતના સમાચાર આવ્યા એ જોઇને ઇરફાનના માતા રીતસર ભાંગી પડયા હતા. કારણ તેમને ખબર હતી કે તેમનો વ્હાલો દિકરો આ જ ફલાઇટમાં ફરજ પર હતાં. દુર્ઘટનાની જાણ થતા બાદ તેના માતા-પિતા અને ભાઇ તત્કાળ અમદાવાદ પહોંચી ગયા હતા. અમદાવાદમાં ડી.એન.એ. ટેસ્ટ માટે ઇરફાનના ભાઇના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઇરફાનના પિતા પિંપરી-ચિંચવડમાં દુકાન ચલાવે છે અને ભાઇ સોફવેર કંપનીમાં જોબ કરે છે. છેલ્લે બકરીઇદ ઉજવવા માટે ઇરફાન ઘરે આવ્યો હતો.
00000000000
સિવિલમાં 36ની કેપેસિટી સામે 260થી વધુ મૃતદેહો આવતા મુશ્કેલી સર્જાઈ, હવે રાખવા ક્યાં?
Jun 14th, 2025સિવિલમાં 36ની કેપેસિટી સામે 260થી વધુ મૃતદેહો આવતા મુશ્કેલી સર્જાઈ, હવે રાખવા ક્યાં? 1 – પ્લેન ક્રેશ બાદ સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થયા છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને ડીએનએ સેમ્પલ લીધા બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે. પરંતુ સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં કોલ્ડ સ્ટોરેજમાં અપૂરતી વ્યવસ્થાથી સવાલો ઉભા થયા છે. હાલ અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં ૩૬ની ક્ષમતા છે અને તેની સામે 266 જેટલા મૃત્તદેહો છે.
અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લેન ક્રેશની ઘટના બાદ કોઈપણ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. બિનસત્તાવાર માહિતી અનુસાર અસારવા સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં 36 મૃતદેહની ક્ષમતા છે. જે પણ મૃતદેહના ડીએનએ પરિક્ષણ તેમજ પોસ્ટમોર્ટમ થઈ ગયા છે તેમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. એવી માહિતી પણ સામે આવી છે કે મૃતકોમાંથી 60 ટકાનો દેહ ભડથું થવાથી પોટલામાં સમાય તેટલો થઇ ગયો છે તો કેટલાકના માત્ર હાથ-પગ મળ્યા છે. તેમને હાલ પોટલામાં કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
મૃતદેહની ઓળખ અને તેને સ્વજન લઈ જાય નહીં ત્યાં સુધી તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા જ પડશે. શુક્રવારે સાંજ સુધીમાં ૨૬૬ મૃતદેહો સિવિલમાં છે. આ મૃતદેહોને હાલ તો સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં કોઈને કોઈ રીતે રાખવામાં આવેલા છે. પરંતુ આ પૈકીના અન્યત્ર મૃતદેહને અન્યત્ર પણ કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવાની આરોગ્ય વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
પરંતુ સ્થિતિ એ છે કે, અન્ય સરકારી હોસ્પિટલોની હાલત પણ કોલ્ડ સ્ટોરેજ મામલે ઠંડીગાર સ્થિતિ છે. સોલા સિવિલમાં 18, વીએસ હોસ્પિટલમાં 12ની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ છે. આમ, 80 લાખની વસતી ધરાવતા અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા માત્ર ૬૬ની છે. એક અધિકારીએ જણાવ્યું કે, ‘પોસ્ટ મોર્ટમ રૂમ હોય ત્યાં જ કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે છે. જેના કારણે અદ્યતન સુવિધા હોવા છતાં એસવીપીમાં કોલ્ડ સ્ટોરેજ નથી. શાહીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ધરાવે છે.
આ પણ વાંચોઃ પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે?
સોલા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારાઇ હતી
સોલા સિવિલમાં ગયા વર્ષે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 12થી વધારીને 18 કરવામાં આવી હતી. વર્ષ 2023માં સંપૂર્ણ વર્ષ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 12 કોલ્ડ સ્ટોરેજમાં ૨૪૮ ડેડબોડીને રાખવામાં આવી હતી. જેની સામે વર્ષ 2024માં 385 ડેડબોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી હતી.
પોસ્ટમોર્ટમ રૂમ બહાર માથું ફાડી દે તેવી દુર્ગંધ
અમદાવાદ, શુક્રવાર સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે મોડી સાંજ સુધીમાં મોટાભાગના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હાલ સિવિલ પરિસરમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમના ગેટથી 80 મીટર બહાર સુધી માથું ફાડી દે તેવી દુર્ગંધ આવી રહી છે.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
Jun 14th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ 1 – એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે.
જ્યારે બાકીના 19 મૃતદેહ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પ્લેન ક્રેશની ઘટના બાદ મેસ અને હોસ્ટેલ તેમજ આસપાસમાંથી લાપત્તા થયેલા લોકો અંગે વિગતો એકઠી કરવા માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલા બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી.
ત્યારે હજુ પણ મેસમાં કામ કરતા સ્ટાફના લોકો તેમજ મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરવા આવતા 15થી વધુ લોકો લાપત્તા છે. જેથી પોલીસને મળી આવેલા મૃતદેહો લાપત્તા વ્યક્તિોના હોવાની આશંકા છે. જેથી લાપત્તા વ્યક્તિઓના પરિવારજનો ડીએનએ રિપોર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસને આશંકા છે કે વિમાન ક્રેશ થયુ ત્યારે કેમ્પસમાં પણ કેટલાંક નજીકમાં હોવાની શક્યતા છે. જેથી તે પણ અકસ્માતનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોનો સાચો આંક બહાર આવશે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબો પોલીસ સાથે સંકલન કરીને ચોક્કસ આંકડો તમામ ડીએનએ રિપોર્ટ બાદ જાહેર કરી શકે છે.
0000000000
પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે?
Jun 14th, 2025પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે? 1 – વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદમાં પ્લેન-ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદ્દઅંશે ફ્યુઅલ પમ્પ બ્લોક થવાનું કારણ હોવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. વિમાન જે રીતે રવાના થયું અને થોડી જ ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઈંધણ ન મળવાથી એન્જિન જ બ્લોક થવાથી સ્થિતિ પાયલોટના હાથ બહાર જતી રહી હોવાનું નિષ્ણાતો અને પાયલોટ્સ માની રહ્યાં છે. માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચીને બોઈંગ ધરાશાયી થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી હતી તે મુદ્દો જ તપાસ હેઠળ છે. ગુજરાતના ઈતિહાસમાં કલંકરૂપ વિમાન કરૂણાંતિકાના કારણો સ્પષ્ટ થતાં મહિનાઓ વિતી શકે છે.
અમદાવાદ રન-વે છોડયો તેની એક જ મિનિટમાં 625 ફૂટની ઊંચાઈએથી અચાનક જ જમીન તરફ ધસી જઈ એરપોર્ટથી માંડ ચાર-પાંચ કિ.મી. દૂર લંડન જતી ફ્લાઈટ ધરાશાયી થઈ ગઈ. વિમાન બી. જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં બે બિલ્ડીંગ સાથે અથડાવાથી 268 લોકોના જીવ ભરખી જનારી ઘટનાના કારણો અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે. તપાસના ખરાં કારણો સ્પષ્ટ થતાં લાંબો સમય વિતે તેમ છે ત્યારે ઉડાનના અનુભવીઓ વિવિધ કારણો ચર્ચી રહ્યાં છે. અચાનક જ વિમાનના બન્ને એન્જિન બ્લોક થયાં અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું. આ પ્રકારે વિમાનનો એન્જિન પાવર થંભી જવા પાછળ ફ્યૂઅલ મળવાનું બંધ થયું હોય તેવી સંભાવના ટોચ ઉપર છે. નિષ્ણાતો કહે છે કે, ફ્યુઅલ પમ્પ બંધ થઈ જવાની એન્જિન કામ કરતું બંધ થઈ જાય છે. બીજી સંભાવના ફ્યઅલ કન્ટામિનેશન એટલે કે ઈંધણમાં એવો કચરો આવી જાય કે એન્જિન બ્લોક થઈ જાય. પણ આવી શક્યતા ભાગ્યે જ રહે છે તે સંજોગોમાં ફ્યુઅલ પમ્પ બંધ થવાની કારણ મુખ્ય હોઈ શકે છે.
વિમાન ઉડાન ભરતું હોય ત્યારે ઓઈલ પ્રેશર પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત બેટરી કે એન્જિનમાં સ્પાર્ક થાય, ડયુઅલ એન્જિન માલ ફંક્શન સહિતની ટેકનિકલ ખામી પણ એન્જિન બ્લોક થવામાં ભાગ ભજવી શકે છે. જો કે, અમદાવાદના અને આ પ્રકારે રન-વે ઉપરથી રવાના થયાની થોડી જ ક્ષણોમાં વિમાન આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જાય તો પરિસ્થિતિ પામીને પરત રન-વે ઉપર લાવી નહીં શકાયાની ઘટના પ્રથમ વખત બની છે. નિષ્ણાતોના મતે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના અનુભવી પાયલટ સામે અચાનક જ એન્જિન બ્લોકની સ્થિતિ આવી પડી અને તે નિઃસહાય જણાયાં હતાં. સામાન્યતઃ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે ફ્લાઈટ રવાના થાય તે પહેલાં ગ્રાઉન્ડ સ્ટાફ પૂરતી ચકાસણી કરતો હોય છે. ગ્રાઉન્ડ ટાઈમિંગ ગણાતી ફ્લાઈટ ચકાસણીની કામગીરી અને ઈંધણ પૂરવા સહિતની કામગીરી 40 થી 45 મિનિટ સુધી ચાલતી હોય છે. આ દરમિયાન ફ્યૂઅલ, લેન્ડિંગ ગિયર, કેબલ, ફ્લેપ એટલે કે વિમાનની પાંખો સહિતની તપાસ 30થી 35 લોકોની મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ નિષ્ણાતોની ટીમ કરતી હોય છે. કોઈપણ વિમાનમાં 200 જેટલા કમ્પ્યુટરાઈઝડ ઉપકરણો હોય છે. આ ઉપકરણો ઉડાન માટે આવશ્યક તમામ ટેકનિકલ બાબતો પાયલટને તેની સ્ક્રીન ઉપર દર્શાવે છે અને ભયની કોઈપણ સ્થિતિમાં તરત જ વોર્નિંગ એલાર્મ વાગે છે.
અમદાવાદથી લંડનની ફ્લાઈટે ટેક-ઓફ કર્યું ત્યાં સુધી બધું સામાન્ય હોય તેવા દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. રન-વે પરથી ફ્લાઈટે ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થતી જણાઈ હતી. નિષ્ણાતોના મતે પાયલટે લેન્ડિંગ ગિયર અપ કર્યાં નહોતાં તેમજ ટાયર્સ પણ નીચે જ તાં તે બન્ને બાબત કંઈક ગુંચવાડો હોવાનો અણસાર આપી જાય છે. આ સ્થિતિ પાયલટને ઈમરજન્સી લેન્ડિંગની આશંકા હોવાનો અંદાજ આપી જાય છે. નોંધપાત્ર બાબત એ છે કે, વિમાનની નોઝ (ટોચ) છેલ્લે ઉપરની તરફ જ જોવા મળી છે. આથી, પાયલટે વિમાન હવામાં રહે તે માટે પૂરતાં પ્રયાસો કર્યાં હોવાનું જણાય છે. વિમાનની નોઝ ઉપર હોવાના કારણે જ પ્રથમ તેની ટેઈલ ટકરાઈ હતી. પરંતુ, માત્ર 600 ફૂટ જેટલી ઊંચાઈએ જ દુર્ઘટના બનવાથી ક્રેશ લેન્ડિંગની આશંકા ટાળવાના પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. એ જ રીતે રન-વે ઉપર વિમાન ધસમસતું આગળ ધપ્યું ત્યાં સુધી અતિ ગંભીર સ્થિતિના કોઈ અણસાર પાયલટને નહોતા. આથી, ડબલ એન્જિન ફેલ્યોરનો રેર એક્સિડન્ટ સર્જાયો હોવાનું નિષ્ણાતો માને છે. ફ્લાઈટ ટેક-ઓફ થયાંની થોડી જ ક્ષણોમાં ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાવા પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી કારણરૂપ હતી તે સૌથી મોટો સવાલ છે. નિષ્ણાતો અને પાયલટ્સના મતે વર્ષ 2012થી 2025 સુધીના 13 વર્ષના ગાળામાં સિવિલ એવિએશન વિભાગના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ ૨૨૩ નાના-મોટા પ્લેન અકસ્માતની તપાસ કરવી પડી છે બહુ મોટી વાત છે. આથી, અમદાવાદની વિમાન દુર્ઘટનાના પગલે ફ્લાઈટ સેફ્ટી સ્ટાન્ડર્ડસમાં ધરખમ સુધારાનો સમય પાકી ગયો છે તે નિશ્ચિત છે.
ફ્લાઈટ ધરાશાયી થવાના સંભવિત કારણો
– ફ્લાઈટ રન-વે ઉપર નોર્મલ જણાઈ હતી. પણ, ટેક-ઓફ પછી ફ્યૂઅલ પમ્પમાં ગરબડથી ઈંધણ મળવાનું બંધ થયું હોઈ શકે.
– ફ્લાઈટના શેડયૂલ શિયાળો, ઉનાળો અને ચોમાસા મુજબ ગોઠવાતાં હોય છે કારણે વાતાવરણની અસર થાય છે. ગરમી વધુ હોય ત્યારે ફ્લાઈટ ડિપાર્ચર ઉપર અસર પડે છે. ખાસ કરીને હવા ગરમ હોય ત્યારે ઘનત્વ ઓછું થવાથી વિમાનના એન્જિન ઉપર લોડ વધે છે.
– વાતાવરણ અનુસાર વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી અને સામાનનું વજન ઓછું રાખવાની કાળજી લેવી પડે છે.
– ફ્લાઈટ્સથી ઓવરલોડ એરપોર્ટ્સ ઉપર ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા નબળાં મેન્ટેનન્સ અને ટેકનિકલ ખામીને નજરઅંદાજ કરવાની સ્થિતિ.
– ઈલેક્ટ્રોનિક સોફ્ટવેર સિસ્ટમ ફેલ્યોરથી એન્જિન બંધ થઈ ગયાં.
————
એર ઇન્ડિયાને તમામ બોઇંગ વિમાનોની સુરક્ષા ચકાસી રિપોર્ટ સોંપવા આદેશ
Jun 14th, 2025એર ઇન્ડિયાને તમામ બોઇંગ વિમાનોની સુરક્ષા ચકાસી રિપોર્ટ સોંપવા આદેશ 1 – – અમદાવાદની દુર્ઘટના બાદ ડીજીસીએ સક્રિય
– એન્જિન કન્ટ્રોલ સિસ્ટમ, ફ્યૂઅલ, કેબિન એર કમ્પ્રેશર, ઓઇલ સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની ચકાસણી થશે
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું હતું તેને બોઇંગ કંપની દ્વારા તૈયાર કરાયું હતું, જેને બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્ઘટના બાદ હવે વિવિધ એરલાઇન્સનું મોનિટરિંગ કરનારી કેન્દ્રીય એજન્સી ડીજીસીએએ એર ઇન્ડિયાને પોતાના તમામ વિમાનોની સુરક્ષાની ચકાસણીના આદેશ આપ્યા છે, સાથે જ આ ચકાસણીનો રિપોર્ટ સોંપવા કહ્યું છે. એર ઇન્ડિયા પાસે બોઇંગ ૭૮૭-૮ના ૨૬ જ્યારે બોઇંગ ૭૮૭-૯ના સાત મોડલ છે.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ એવિએશન (ડીજીસીએ) દ્વારા એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટોને ઉડાન પહેલા મેઈન્ટેનન્સને લગતાં તમામ ધોરણો પૂરા કરવાના આદેશ કર્યા છે. સાથે અન્ય ૭૮૭ ફ્લાઈટોના મેઈન્ટેનન્સ અંગેના રિપોર્ટ જમા કરાવવા માટેના સૂચનો કર્યા છે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને પાઠવવામાં આવતાં આદેશ પ્રમાણે સૌપ્રથમ તેના ફ્યુઅલ માટેની જાણીકારી ચેક કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
એર ઇન્ડિયાની ફ્લાઈટોમાં કેબીન એર કંમ્પ્રેસરનું ઈન્સ્પેક્શન અને તેની સાથે સંકળાયેલી સિસ્ટમ ચેક કરવાનું સૂચન હતું. ઈલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. એન્જિન ફ્યુઅલ ડ્રીવન એક્યુએટર-ઓપરેશનલ ટેસ્ટ અને ઓઈલ સિસ્ટમ ચેક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેની હાઈડ્રોલીક સિસ્ટમની સર્વિસ ચેક કરવા જણાવવામાં આવ્યું હતું. તેમાં નવી નોટીસ ના આવે ત્યાં સુધીમાં ફ્લાઈટ કંટ્રોલ ઈન્સ્પેક્શન ઉમેરવાનું જણાવવામાં અવ્યું હતું. બે અઠવાડિયામાં પાવર માટેનું ખરાઈ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. છેલ્લા ૧૫ દિવસમાં જે પણ ખામી સામે આવી હોય તેનું નિરાકરણ તાત્કાલીક કરવા કહ્યું છે. વિમાન ટેકઓફ થાય તે સમયેના જે નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન કરવા પણ આદેશ આપ્યો છે.
000000000000
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
મોદીએ ક્ષતિગ્રસ્ત મેડિકલ હોસ્ટેલ, મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૪૦થી વધુ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે મોદીએ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા. એટલું જ નહીં, પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે વડાપ્રધાને વાત કરી હતી.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ મોદીએ એરપોર્ટ પર જ ઊચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સિવિલ મુલાકાત બાદ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પીએમ મોદીની એક ભાવુક પોસ્ટ લખી કે, તબાહીનું દ્રશ્ય દુઃખદ છે, મૃત્યુને શબ્દોમાં વર્ણવી શકાય નહીં’
નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ ૮-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતાં. સવારે લગભગ ૯ વાગ્યે મોદીએ એ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સિવિલમાં પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે વાત કરી હતી. અને કઈ રીતે પોતાનો જીવ બચાવ્યો તેની સમગ્ર બાબત પીએમ મોદીને કરી હતી. મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લેન ક્રેશ ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પુછયા હતાં તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ મોદી એ લીધી હતી. આ ઊપરાંત તબીબો પાસેથી દર્દીઓની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સિવિલ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, જેમાં દુર્ઘટનાની વિગતો અને રાહત કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે જ્યાં ઘશછ ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે.
00000000000
૧૯૬૫માં બળવંતરાય મહેતા અને ૨૦૨૫માં વિજય રુપાણી, 60 વર્ષમાં ગુજરાતના બે મુખ્યમંત્રી વિમાન ક્રેશનો ભોગ બન્યા
ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું
નાગરિક વિમાન હોવા છતાં પાકિસ્તાને મહેતાનું વિમાન તોડી પાડયું હતું
Jun 14th, 2025૧૯૬૫માં બળવંતરાય મહેતા અને ૨૦૨૫માં વિજય રુપાણી, 60 વર્ષમાં ગુજરાતના બે મુખ્યમંત્રી વિમાન ક્રેશનો ભોગ બન્યા 1 – અમદાવાદ,13 જૂન,2025, શુક્રવાર
અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ૧૭૧ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતા ૨૪૧ લોકોના મુત્યુ થયા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીનો પણ સમાવેશ થાય છે, રુપાણી લંડનમાં રહેતી પુત્રીને મળવા ૧૨ જુન બપોરે અમદાવાદ એરપોર્ટથી ફલાઇટમાં બેઠા હતા. બોઇંગ વિમાન ટેક ઓફ થયા પછી માત્ર ૧ મિનિટમાં જ સિવિલ હોસ્પિટલ નજીકની હોસ્ટલની બિલ્ડિંગ પર તૂટી પડતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. વિમાન ક્રેશમાં જીવ ગુમાવનારા વિજય રુપાણી ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહયા હતા. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી મુખ્યમંત્રીનું પ્લેન ક્રેશમાં મુત્યુ થયું થવાની બીજી ઘટના બની છે.
૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા પણ પ્લેન ક્રેશનો ભોગ બન્યા હતા. જેમાં બળવંતરાય મહેતા સહિત વિમાનમાં બેઠેલા ૭ લોકોના મુત્યુ થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું ત્યારે શાંતિ સુલેહ કરવાના પ્રયાસો શરૃ થયેલા તે દરમિયાન મીઠાપુર ટાટા કેમીકલથી કચ્છ બોર્ડર તરફ ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ઉડયું હતું. તેના પાયલોટ જહાંગીર એન્જીનિયર હતા. આ કોઇ યુધ્ધ વિમાન ન હતું તે જાણવા છતાં રડારના ધ્યાનમાં આવેલા વિમાનને પાકિસ્તાને તોડી પાડયું હતું.
૧૯૬૫માં બળવંતરાય મહેતા અને ૨૦૨૫માં વિજય રુપાણી, 60 વર્ષમાં ગુજરાતના બે મુખ્યમંત્રી વિમાન ક્રેશનો ભોગ બન્યા 2 –
આ પ્લેન ક્રેશમાં બળવંતરાય મહેતા તેમના પત્ની સરોજબેન, પાયલોટ જહાંગીર એન્જીનિયર સહિતના તમામ માર્યા ગયા હતા. બળવંતરાય મહેતાના નાગરિક વિમાનને આ રીતે તોડી પાડવાની પાકિસ્તાનની ગુસ્તાખીને કારણ માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયેલો. જો કે આ અંગે પાકિસ્તાને હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. ૬૫ વર્ષના બળવંતરાય મહેતાએ આઝાદીમાં સ્વાતંત્ર સેનાની તરીકે બારડોલી સત્યાગ્રહ અને કવીટ ઇન્ડિયા મોવમન્ટમાં ભાગ લીધો હતો. દેશમાં પંચાયતીરાજની સુધારણા માટે બળવંતરાય મહેતા સમિતિઓની ભલામણો ખૂબ જાણીતી બની હતી.
બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડનારા પાકિસ્તાની પાયલોટે પ્રથમવાર ૨૦૧૧માં ખુલાસો કર્યો હતો.
૨૦૧૧માં વિમાનના પાયલોટ કાઇસ હુસેને ખરેખર શું બન્યું હતું તેનો પહેલી વાર જાહેરમાં ખુલાસો કર્યો હતો.વિમાન તોડી પાડનાર પાયલોટે જણાવેલું કે સીવેલિયન પ્લેન હોવાનું પોતે જાણતા હતા તેમ છતાં ઉપરથી તોડી પાડવાનો આદેશ હોવાથી આ પગલું ભર્યુ હતું. બાકી નાગરિકોને મારી નાખવાનો કોઇ જ ઇરાદો ન હતો. એટલું જ નહી હુસેને ત્રણ વર્ષ પહેલા બળવંતરાય મહેતાના વિમાનના પાયલોટની પુત્રી ફરીદાસિંઘની માફી માગતા લખેલા કાગળમાં પણ જણાવેલું કે મેં શકય એટલું ચેક કરવા પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં મારા હાથે સાત પરીવારોએ પોતાના વ્હાલા સ્વજનો ગુમાવ્યા તેનો ભારોભાર અફસોસ છે.
સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ
Jun 13th, 2025સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ 1 – Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું. રૂપાણી તેમની પત્ની અને પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેઓ ગુરુવારે ક્રેશ થયેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં મુસાફરી કરી રહ્યા હતા. ભૂતકાળમાં ભારતમાં આવી કેટલીક વિમાન દુર્ઘટના બની છે, જેમાં જાણીતા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાજ સિંધિયા, વાયએસઆર, સંજય ગાંધી સહિત અન્ય નામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ ઈઝરાયલ વધુ આક્રમક બન્યું, ઈરાનના પરમાણુ ઠેકાણા પર ફરી હુમલો
સંજય ગાંધી
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ વર્ષ 1980માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 23 જૂન, 1980ના રોજ વહેલી સવારે સંજય ગાંધીએ હવાઈ સ્ટંટ કરતી વખતે પોતાના વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને બાદમાં વિમાન નવી દિલ્હીના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ક્રેશ થયું. આ સાથે કેપ્ટન સુભાષ સક્સેનાનું પણ મૃત્યુ થયું હતું.
માધવરાવ સિંધિયા
કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર, 2001ના રોજ કાનપુરમાં એક રેલી દરમિયાન વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ દસ સીટવાળું ખાનગી વિમાન હતું, આ યુપીના મૈનપુરીમાં ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી.
જીએમસી બાલયોગી
લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ, 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી આવી રહેલું એક ખાનગી હેલિકોપ્ટર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં બાલયોગીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સાયપ્રિયન સંગમા
22 સપ્ટેમ્બર, 2004ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સંગમાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા નવ અન્ય લોકો સાથે પવન હંસ હેલિકોપ્ટરમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર રાજ્યની રાજધાનીથી માત્ર 20 કિમી દૂર બારપાની તળાવ પાસે ક્રેશ થયું હતું.
ઓમ પ્રકાશ જિંદાલ
હરિયાણાના દિગ્ગજ નેતા અને મંત્રી ઓમ પ્રકાશ જિંદાલનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની સાથે મંત્રી સુરેન્દ્ર સિંહ પણ હતા અને તેઓ દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન, યુપીના સહારનપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં બંનેના મોત થયા.
આ પણ વાંચો: ‘હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું’, મોતને થાપ આપનારા યુવકે વર્ણવી ઘટના
દોરજી ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકોનું 30 એપ્રિલ, 2011ના રોજ હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે અવસાન થયું હતું. તેઓ હેલિકોપ્ટર દ્વારા તવાંગથી ઇટાનગર જઈ રહ્યા હતા ત્યારે પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થયું હતું.
વાયએસઆર
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું 2009માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. 2 સપ્ટેમ્બર, 2009ના રોજ બનેલી આ દુર્ઘટનામાં વાયએસઆર તેમના બેલ 430 હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહ્યા હતા. આ સમય દરમિયાન હેલિકોપ્ટર નલ્લામાલાના જંગલોમાં ક્રેશ થયું હતું અને તેમાં તેમનું કરુણ મોત થયું હતું.
00000000000
ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન
Jun 13th, 2025ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન 1 – Ahmedabad Air India Flight Crash : અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટાનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. શહેરના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન જવા માટે ગુરુવારે (12 જૂન) બપોરે રવાના થઈ હતી, જોકે આ પ્લેન ટેકઓફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ મેમ્બર સવાર હતા, ત્યારે આ ઘટનાને લઈને ટાટા ગ્રૂપના પ્રમુખે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને ‘પ્લેન ક્રેશની ઘટનાને ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ’ ગણાવ્યો છે.
ટાટા ગ્રુપના પ્રમુખ એન.ચંદ્રશેખરને શું કહ્યું ?
ટાટા ગ્રુપના પ્રમુખ નટરાજન ચંદ્રશેખરન સહકર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, ‘અમે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈને આઘાત અને શોકમાં છીએ. એક પણ વ્યક્તિને ગુમાવવો, તે અમારા માટે દુઃખદ છે. એક સાથે આટલા બધા લોકોના મોતથી અમે આઘાતમાં છીએ. આ ઘટના ટાટા ગ્રુપના ઈતિહાસના કાળા દિવસમાંથી એક છે. મારી સંવેદના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે છે.’
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ
અમે તપાસ ટીમને સંપૂર્ણ સહયોગ કરીશું : એન.ચંદ્રશેખરન
તેમણે વધુમાં કહ્યું કે, ‘તમે જાણો છો કે, પ્લેન ક્રેશ થવાની ઘટનાની તપાસ કરવા માટે ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. અમે ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને ઘટનાનો નિષ્કર્ષ શોધવા માટે સંપૂર્ણ પારદર્શી રહીશું. અમે મૃતકોના પરિવારો, પ્રિયજનો તેમજ પાયલોટો, ચાલક દળ અને આપના પ્રત્યે ઋણી રહીશું. જો આપણે તથ્યોની પુષ્ટી કરી લઈશું, તો આવા સંકટને ધ્યાને રાખી આપણા સંચારમાં પારદર્શીતા લાવી શકીશું. અમે આટલા બધા લોકો દ્વારા વિશ્વનીય ગ્રુપ તરીકે એર ઈન્ડિયાને સંભાળી રહ્યા છે, ત્યારે અમારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ અને સૌથી મોટી પ્રાથમિકતા હતી, જેમાં કોઈપણ સમજૂતી ન કરી શકાય.’
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.
0000000000
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના સંબંધીઓને તાત્કાલિક મળશે ક્લેમ, ડેથ સર્ટિફિકેટની જરૂર નથી : LICની જાહેરાત
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના સંબંધીઓને તાત્કાલિક મળશે ક્લેમ, ડેથ સર્ટિફિકેટની જરૂર નથી : LICની જાહેરાત 1 – Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, ‘અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે. કંપનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
વિમાન અકસ્માતના મૃતકોના ડેથ સર્ટિફિકેટની જરૂર નથી : LIC
એલઆઈસીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે પૉલિસીના દાવેદારોની સમસ્યાનું નિવારણ લાવવા માટે રાહતની જાહેરાત કરી છે. જો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનું ડેથ સર્ટિફિકેટ ન હોય તો, તેના બદલે સરકારી રેકોર્ડમાં સામેલ કોઈપણ પુરાવા અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર-એરલાઈન્સ અધિકારીઓ દ્વારા ચૂકવવામાં આવેલ કોઈપણ વળતર ‘પ્રૂફ ઑફ ડેથ’ તરીકે સ્વિકારવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ
‘ક્લેમની ઝડપી પતાવટ કરવામાં આવશે’
વીમા કંપનીએ એમ પણ કહ્યું છે કે, ‘અમે વિમાન દુર્ઘટના સંબંધીત દાવેદારો સુધી પહોંચવા તેમજ તેમના ક્લેમની ઝડપી પતાવટ માટે તમામ પ્રયાસો કરીશું. દાવેદારો વધુ મદદ મેળવવા માટે નજીકના એલઆઈસી બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત દાવેદારો એલઆઈસીના કૉલ સેન્ટર 022-68276827 પર પણ કૉલ કરી શકે છે.
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.
0000000000
અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ
Jun 13th, 2025 અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 1 – Amreli News: અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો હૃદયને હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈ, ગુરુવારે પરત લંડન જતી વખતે આ ભયાવહ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેમના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. પત્નીના મોતના 18માં દિવસે પતિનું પણ મોત થતા તેમની બે માસૂમ દીકરીઓ અનાથ બની છે.
પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી પરત ફરતા હતા
મળતી માહિતી મુજબ અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું 26 મે, 2025ના રોજ લંડનમાં અવસાન થયું હતું. ભારતીબેનની અંતિમ ઈચ્છા હતી કે, તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જિત કરવામાં આવે. પત્નીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનભાઈ લંડનથી ભારત આવ્યા હતા. તેઓ ફૂલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા. અહીં, 2 જૂન, 2025ના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને અર્જુનભાઈએ પરિવારજનો સાથે સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની અસ્થિઓનું પૈતૃક ગામના તળાવમાં વિસર્જન કરી અંતિમવિધિ સંપન્ન કરી હતી.
અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 2 –
બે માસૂમ દીકરીઓ બની નિરાધાર
અર્જુનભાઈ પોતાની માતાને સુરતમાં રાખી, પત્નીની અંતિમવિધિ કરવા બાળકોને લંડનમાં મૂકીને વતન આવ્યા હતા. પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ અર્જુનભાઈએ લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. લંડનમાં તેમની બે માસૂમ દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી. જોકે, કુદરતને કઈક અલગ જ મંજૂર હતું. ગઈકાલે 12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અર્જુનભાઈનું પણ કરુણ મોત થયું.
અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 3 –
આ પણ વાંચો: ‘મારા ભાઈનું મોઢું જોવા દો…’, સિવિલ હૉસ્પિટલ બહાર યુવકનું હૈયાફાટ રુદન, ચાની કીટલી ચલાવતા હતા
જે દીકરીઓએ 18 દિવસ પહેલાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી, તેમણે હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે અને પટોળિયા પરિવાર પર આવી પડેલી બેવડી આફતથી ભારે શોકનો માહોલ છવાયો છે.
000000000
મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનો માટે વળતર તથા તપાસની માગ, SCમાં અરજી
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ | મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનો માટે વળતર તથા તપાસની માગ, SCમાં અરજી 1 – અમદાવાદમાં ગઈકાલે 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171 દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બે ડોક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ દુર્ઘટનામાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વચગાળાનું વળતર આપવાની માગ સાથે અપીલ થઈ છે.
અપીલમાં માગ કરી છે કે, ‘સુપ્રીમ કોર્ટ પ્રત્યેક મૃતકના પરિવારજનો (બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ)ને રૂ. 50 લાખ સુધીનું વચગાળાનું વળતર ચૂકવવા કેન્દ્ર સરકારને આદેશ આપે. કેન્દ્ર સરકારને આ મામલે એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાતની સમિતિ રચવા પણ ફરજ પાડે. જેમાં સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના રિટાયર્ડ જજ, વિમાન તજજ્ઞ, અર્થશાસ્ત્રી અને વીમા નિષ્ણાત સામેલ થાય. આ સમિતિ પીડિત પરિવારોને વળતર આપવાનો નિર્ણય લે. આ નિર્ણય લેવા માટે તેઓ ત્રિવેણી કોડકની Vs એર ઈન્ડિયા લિ. કેસમાં સુપ્રીમ કોર્ટના સ્થાપિત સિદ્ધાંતોનું અનુસરણ કરે.’
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ
વળતર મામલે ઝડપથી નિર્ણય લે
અપીલમાં પીડિતો માટે ઝડપથી વળતર નિર્ધારિત કરવાની પણ માગ થઈ છે. જેથી પીડિત પરિવારોએ લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે નહીં. બિલ્ડિંગ અને રહેણાંક વિસ્તારના મૃતકોના પરિવારજનોના પુનર્વસન સહાયતા અને રોજગારીની તકો પ્રદાન કરે. અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે, આ દુર્ઘટનાના કારણોની ઊંડી અને સચોટ તપાસ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે આવશ્યક પગલાં લે.
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ આજે કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.
0000000000
એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ 1 – અમદાવાદમાં ગઈકાલે (12 જૂને) એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે નવા આદેશ જાહેર કરી, બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો છે.
એરલાઈન્સ ફ્લાઈટના સંચાલન પહેલા તેની વિશેષ તપાસ કરે
ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનીકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે
છેલ્લા 15 દિવસમાં વિમાનોમાં સર્જાયેલી ટેકનીકલ ખામી દૂર કરવાનો પણ આદેશ
આદેશ એમ પણ કહેવાયું છે કે, એર ઈન્ડિયા તેના તમામ પ્લેનોમાં ‘ફ્લાઈટ કંટ્રોલ ઈન્સ્પેક્શન’ નિરીક્ષણ કરતું રહે તેમજ આ પ્રક્રિયા આગામી આદેશ સુધી ચાલુ રાખે. ડીજીસીએએ એરલાઈન્સને બે સપ્તાહની અંદર પાવર એશ્યોરન્સ ફરજીયાત ચેક કરવા પણ કહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોમાં જેટલીવાર ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે, તેની સમીક્ષા કરવાનો તેમજ તેને સંબંધીત તમામ મેન્ટેન્સ કામગીરી વહેલી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.
વિમાન ક્રેશ થયા બાદ ડીજીસીએની કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (12 જૂને) અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ તુરંત મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ ઘટના બાદ ડીજીસીએએ એર ઈન્ડિયાની સુરક્ષાને વધુ કડક બનાવવા માટે આ આદેશ આપ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય તેમજ પ્રવાસીઓના જીવ પર જોખમ ન રહે, તેને ધ્યાને રાખી ડીજીસીએએ કડક પગલા ભરવાના શરૂ કરી દીધા છે.
00000000000
રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમેરિકાથી આવતીકાલે આવશે પુત્ર
Jun 13th, 2025રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમેરિકાથી આવતીકાલે આવશે પુત્ર 1 – Vijay Rupani funeral in Rajkot: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકામાં રહે છે, તે ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને આવતીકાલે (14 જૂને) સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યારે તેમના પત્ની અંજલિબહેન રૂપાણી આજે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
ભાજપના નેતાઓએ સાંત્વના પાઠવી
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત ભાજપના નેતા કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબહેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી.
રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમેરિકાથી આવતીકાલે આવશે પુત્ર 2 – આ પણ વાંચો: જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે હયાત હોત!
રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અમેરિકાથી આવતીકાલે આવશે પુત્ર 3 –
પીએમ મોદીએ દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંજલિબેન રૂપાણી અને પરિવારને મળ્યા હતી. દિવંગત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતું હતા, તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.’
આ પણ વાંચો: ગુજરાતના બીજા એક CMનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ, અગાઉ બળવંત રાય પાકિસ્તાનની ભૂલનો ભોગ બન્યા હતા
265 લોકોના મોત થયાની માહિતી
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાનું વિમાન સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનમાં 265 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.
0000000000
પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા
Jun 13th, 2025પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં રામોલના રહેવાસી 30 વર્ષીય લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું મૃત્યુ થયું છે. લોરેન્સ બે અઠવાડિયા પહેલા પિતાનું અવસાન થતાં અમદાવાદ પરત ફર્યો હતો. જોકે, પિતાના મૃત્યુને મહિનો પણ નહતો થયો અને લોરેન્સનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ મોત થયું છે.
લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતો હતો
મળતી માહિતી મુજબ, લોરેન્સ પરિવારનો એકમાત્ર દીકરો હતો અને છેલ્લા દોઢ વર્ષથી તે લંડનમાં રહેતો હતો. અહીં તે ઉચ્ચ શિક્ષણ સાથે નોકરી કરી રહ્યો હતો. તે પોતાની સાથે પત્ની આયુષીને પણ લંડન લઈ ગયો હતો. બંને ત્યાં વિદેશમાં ભવિષ્ય બનાવવાના સપના જોતા હતા અને પરિવારને પણ ટૂંક સમયમાં લંડન બોલાવી લેવાની યોજના હતી.
આ પણ વાંચોઃ પતિનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી, ઈન્દોરની વહુનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 2 –
લોરેન્સનું ઘર
એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં સર્જાઈ દુર્ઘટના
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, લોરેન્સ 31 મેના દિવસે અમદાવાદ પહોંચ્યો હતો અને પિતાની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. લોરેન્સના પિતાનું મૃત્યુ 29 મેના દિવસે થયું હતું. જોકે, પિતાના મૃત્યુના 15 દિવસ બાદ પરિવારે ઘરની બીજી એક મહત્ત્વની વ્યક્તિ ગુમાવવી પડી હતી. ગુરુવારે લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં લોરેન્સનું તેમાં મૃત્યુ થયું હતું. લોરેન્સે ફ્લાઇટ ટેક ઑફ થાય તેની થોડીવાર પહેલાં જ વીડિયો કૉલ કર્યો હતો. જોકે, પરિવારને બહુ પાછળથી આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી.
પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત, 15 દિવસ પહેલાં જ ગુમાવી હતી પિતાની છત્રછાયા 3 –
આ પણ વાંચોઃ દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી
પિતાના મોતના 15 દિવસ બાદ દીકરાનું અકાળે મોત
લોરેન્સની માતાએ જણાવ્યું કે, પતિના મોતના દુઃખથી માંડ હું ઉભરી રહી હતી, ત્યાં મારો દીકરો મારી પાસેથી છીનવાઈ ગયો. પારિવારિક સંબંધોથી બંધાયેલો અને ઊંચી મહત્ત્વકાંક્ષા ધરાવતો મારો દીકરો પળવારમાં છીનવાઈ ગયો. હજુ તો અમે એક દુઃખમાંથી પૂરા બહાર પણ નથી આવ્યા ત્યાં અકાળે લોરેન્સના મોતની ખબરથી અમે બધા ડઘાઈ ગયા છીએ. આખોય પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 1 – અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને, ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સોજીત્રા, તારાપુર અને બોરસદના મૃતકોના કિસ્સા લોકોની આંખોમાં પાણી લાવી દે તેવા છે.
ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ભારે શોકનો માહોલ
મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ, ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. તમામ મૃતકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સરકાર દ્વારા DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરીને પોતાના સ્વજનોને શોધવાનો અને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 2 –
આણંદ જિલ્લા ભાજપે 33 લોકોની યાદી જાહેર કરી છે જે આ પ્લેનમાં સવાર હતા. જોકે, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા તે અંગે પુષ્ટિ કરી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી મળી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.
આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેર સહિતના વિસ્તારોના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ડોક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 3 – હૃદયદ્રાવક કહાનીઓ: અધૂરા રહી ગયેલા સપના અને મુલાકાતો
આ દુર્ઘટનામાં અનેક હૃદયદ્રાવક કહાનીઓ સામે આવી છે. પેટલાદ તાલુકાના ફોગણી ગામનો નિખિલ પટેલ નામનો યુવક પણ પ્રથમ વખત સ્ટુડન્ટ વિઝા લઈને યુકે ભણવા માટે જઈ રહ્યો હતો, તેનું પણ આ પ્લેન દુર્ઘટનામાં નિધન થવા પામ્યું હતું. આણંદના હાલાણી પરિવારના ત્રણ સભ્યોનું પણ નિધન થયું હતું. હાલાણી પરિવારને યુકેમાં તેમના પરિવારજનોને મળવા જવા માટે વિઝીટર વિઝા મળ્યા હતા અને આ અગાઉ પણ તેઓ વારંવાર યુકે પોતાના પરિવારજનોને મળવા જતા હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 4 – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આણંદ જિલ્લાના 33 જેટલા મુસાફરોના પરિવારજનોની ભારે ભીડ એકઠી થઈ હતી. ડીએનએ માટે તથા પાથવ શરીરની ઓળખાણ સંદર્ભની કામગીરી સહિત તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. આણંદ જિલ્લા પ્રશાસને તો સત્તાવાર રીતે 33 લોકોની યાદી જાહેર કરી છે, જે આ પ્લેનમાં સવાર હતા. પરંતુ, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા, તે અંગે પુષ્ટિ કરી શકાઈ નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાં લાંબો સમય કઠલાલનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 5 –
આણંદ જિલ્લાના 33થી વધુ મુસાફરો પણ આ વિમાનમાં સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ ના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક ડૉક્ટર, 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 6 –
સોજીત્રાની બે સગી બહેનોના કરુણ મોત
આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં ચરોતર પ્રદેશના સોજીત્રા ગામની બે સગી બહેનોના પણ કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બંને બહેનો યુકેમાં રહેતા પોતાના સંતાનોને મળવા જઈ રહી હતી. મૂળ સોજીત્રાના વતની ભાવનાબેન રાણા, જેઓ હાલ કરમસદ ખાતે રહેતા હતા અને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાળકોના ICU વોર્ડના ઇન્ચાર્જ હતા, તેમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. તેમની સાથે તેમના મોટા બહેન આનંદીબેન રાણા, જેઓ હાલ વડોદરા ખાતે રહે છે, તેમનું પણ મોત નીપજ્યું છે.
બાળકોને મળવા જતી માતા મોતને ભેટી
ભાવનાબેન રાણા બે મહિનાની રજા લઈને યુકેમાં રહેતી પોતાની પુત્રી દેવાંશી અને પુત્ર રાજનને મળવા જઈ રહ્યા હતા. બંને બહેનો એક સાથે યુકે જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાનમાં સવાર થઈ હતી, પરંતુ કમનસીબે પ્લેન ક્રેશ થતા બંને બહેનોનું કરુણ અવસાન થયું. આ સમાચાર મળતા જ બંને પરિવારો અને સમગ્ર સોજીત્રા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 7 –
તારાપુરનો યુવાન સ્ટુુડન્ટ વિઝા પર લંડન જતો હતો
આણંદ જિલ્લાના તારાપુરની જલારામ સોસાયટી ખાતે રહેતો 22 વર્ષીય પાર્થ પપ્પુભાઈ શર્મા પણ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો. આજે પરિવારજનો તથા તેના મિત્રો પાર્થને અમદાવાદ એરપોર્ટ ખાતે મૂકી પરત આવવા નીકળ્યા હતા અને ખેડા નજીક પહોંચ્યા ત્યારે પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા તેમને ફાળ પડી હતી અને પરિવારજનો પરત અમદાવાદ તરફ વળ્યા હતા.
20 વખત વિઝા રિજેક્ટ થયા બાદ દીકરાને મળવાનો મોકો મળ્યો હતો
બોરસદ તાલુકાના મંજુલાબેન પટેલ પોતાના દીકરાને મળવા યુકે જવા માટે એર ઇન્ડિયાના પ્લેનમાં બેઠા હતા. દસ વર્ષ પહેલાં તેઓ પોતાના દીકરા સાથે યુકે રહેતા હતા અને ત્યારબાદ ભારત પરત આવ્યા હતા. છેલ્લા દસ વર્ષમાં તેમણે 20થી વધુ વખત યુકેના વિઝા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના વિઝા રિજેક્ટ થતા હતા. આખરે તેમના દીકરાએ યુકેથી કોન્સ્યુલેટને ખૂબ જ વિનંતી કરતા દસ વર્ષ બાદ મંજુલાબેનને પોતાના દીકરાને મળવા જવાના વિઝા મળ્યા હતા. કુદરતની કરામત જુઓ કે આ વિઝા તેમના જીવનમાં છેલ્લા વિઝા પૂરવાર થયા. મંજુલાબેન પોતાના દીકરાનું કે પૌત્રોનું મુખ જોઈ ન શક્યા અને ન પોતાના વતન પરત આવી શક્યા.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા 8 –
કપડવંજ આઈટીઆઈમાં ફરજ બજાવતા પિતાના નાના પુત્રનું મૃત્યુ
કપડવંજ તાલુકાના વડાલીના દીર્ઘ પ્રફુલભાઈ પટેલ, જે લંડન રહેતા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કપડવંજ આઈટીઆઈ ખાતે ફરજ બજાવતા પ્રફુલભાઈના બે દીકરા લંડન ખાતે રહે છે, તેમાંથી નાનો દીકરો દીર્ઘ લગભગ પચ્ચીસ દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો, પરંતુ આજે લંડન પરત જતા આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યો. આ ગોઝારી ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે.
000000000000
ઘોડા કેમ્પ પાસે ચાની કિટલી ચલાવતાં સીતાબહેનના પુત્ર 14 વર્ષીય આકાશનું મૃત્યુ થયું છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ બહાર મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, મને મારા ભાઈને મળવા દેતા નથી. મારા ભાઈનું મોઢું જોવા દો…’
મૃતક આકાશના પરિવારનું હૈયાફાટ રુદન
મળતી માહિતી અનુસાર, ઘોડા કેમ્પમાં રહેતા અને ચાની લારી ચલાવતા સીતાબહેન પટણીના 14 વર્ષીય પુત્ર આકાશનું વિમાન દુર્ઘટનમાં મૃત્યુ થયું છે. આકાશ પટણી ઘરમાં સૂતો હતો ત્યારે જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. મૃતક આકાશનો પરિવાર સિવિલ હૉસ્પિટલની બહાર જ બેસીને હૈયાફાટ રુદન કરી રહ્યો છે.
આ કરુણ ઘટના અંગે મૃતકના મોટા ભાઈએ જણાવ્યું હતું કે, ‘મારી લારી SRP કેમ્પની બાજુમાં હતી. મારા મોટા ભાઈનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે વિમાન દુર્ઘટનામાં નાના ભાઈ આકાશનું મૃત્યુ થયું છે. જ્યારે મારી મમ્મી તેને બચાવવા ગઈ ત્યારે તે પણ આગની ઝપેટમાં આવી હતી. સિવિલ હૉસ્પિટલવાળા મારા ભાઈને મળવા દેતા નથી. મારા ભાઈનું મોઢું જોવા દો. મમ્મીને સારું છે. મારા ભાઈને એકવાર જોવા દો…’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશે
વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે.
000000000
પતિનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી, ઈન્દોરની વહુનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
Jun 13th, 2025પતિનો બર્થ ડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી, ઈન્દોરની વહુનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદના વિમાન અકસ્માતમં ઈન્દોરના હોરા પરિવારની વહુ હરપ્રીત કૌર હોરાનું મૃત્યુ થયું છે. હરપ્રીત પોતાના પતિ રૉબી હોરાને મળવા લંડન જઈ રહી હતી, જે ત્યાં ક્લાઉડ આર્કિટેક્ટના પદ પર કાર્યરત છે. 16 જૂને રૉબીનો જન્મદિવસ હોવાના કારણે હરપ્રીત પહેલા જ લંડન જવા નીકળી ગઈ હતી. પરંતુ, આ અકસ્માત તેમના પરિવાર માટે કાળ બન્યો. આ ઘટનાથી હોરા પરિવાર અને આખા ઇન્દોરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
જન્મદિવસના કારણે વહેલા જઈ રહી હતી હરપ્રીત
હરપ્રીત કૌર થોડા દિવસ પહેલાં પોતાની માતાને મળવા લંડનથી અમદાવાદ આવી હતી. તેનો મૂળ પ્લાન 19 જૂને લંડન જવાનો હતો પરંતુ, પતિ રૉબીએ 16 જૂને જન્મદિવસ હોવાના કારણે તેણે 12 જૂને જ એર ઈન્ડિયાની ફ્લાઇટથી મુસાફરી કરી. ગુરૂવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં હરપ્રીતનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
હોરા પરિવારમાં શોકની લાગણી છવાઈ
હરપ્રીતના સસરા હરજીત સિંહ હોરા, મોટા સસરા જસબીર સિંહ હોરા અને કાકા સસરા રાજેન્દ્ર સિંહ હોરા સહિત આખો પરિવાર આ અકસ્માત બાદ હતાશ છે. પરિવાર રડી-રડીને બેહાલ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી
અકસ્માતની તપાસ શરૂ
અમદાવાદ વિમાન અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તંત્ર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, AAIBને બ્લેક બોક્સ મળી ગયું
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, AAIBને બ્લેક બોક્સ મળી ગયું 1 – અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12 જૂન) ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરુ કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આ ડિવાઈસ પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સ (Black Box)ને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (Flight Data Recorder) કહેવામાં આવે છે. કેન્દ્રીય ઉડ્ડુયન મંત્રી રામ મનોહર નાયડુ કિંજારપુએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
બ્લેક બોક્સ એટલે શું?
બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રૅકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રૅકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રૅકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.
આ પણ વાંચો: બ્લેક બોક્સમાં એવું તો શું હોય છે જેનાથી પ્લેન ક્રેશની એક એક માહિતી મળશે, તપાસમાં સૌથી વધુ જરૂરી
બ્લેક બોક્સ નારંગી રંગનું હોય છે
બ્લેક બોક્સ સામાન્ય રીતે નારંગી રંગ(Orange Color)નું હોય છે. તે નારંગી રંગનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારના સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રૅકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR).
કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR)
કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR)માં પાયલોટ અને તેના સાથીદારો વચ્ચે થતી વાતચીત અને અન્ય અવાજો રૅકોર્ડ થાય છે. તે કોકપિટ અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) વચ્ચે રેડિયો પર થતી વાતચીતને પણ રૅકોર્ડ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ એટલે ગ્રાઉન્ડ સ્ટાફ જે પાયલોટને ફ્લાઇટ ઉડાવવામાં મદદ કરે છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન રેડિયો દ્વારા પાયલોટ સાથે સંપર્કમાં રહે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું DVR મળ્યું, છેલ્લી ઘડીએ શું થયું તેના રહસ્યો ખુલશે
ડિજિટલ વીડિયો રૅકોર્ડર પણ મળ્યું
રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રૅકોર્ડર (DVR) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું.
બ્લેક બોક્સમાં એવું તો શું હોય છે જેનાથી પ્લેન ક્રેશની એક એક માહિતી મળશે, તપાસમાં સૌથી વધુ જરૂરી
Jun 13th, 2025બ્લેક બોક્સમાં એવું તો શું હોય છે જેનાથી પ્લેન ક્રેશની એક એક માહિતી મળશે, તપાસમાં સૌથી વધુ જરૂરી 1 – અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન હતું. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 265 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન તપાસ એજન્સીઓએ દુર્ઘટનાસ્થળ પર વિખરાયેલા વિમાનના કાટમાળમાંથી પુરાવા શોધવાનું શરુ કર્યું છે. જેમાંથી એક વસ્તુ જેની ખાસ શોધ કરવામાં આવી રહી છે તે છે વિમાનનું બ્લેક બોક્સ (Black Box) તેને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (Flight Data Recorder) કહેવામાં આવે છે.
પેસેન્જર વિમાન હોય, સેનાનું વિમાન હોય કે હેલિકોપ્ટર, આ બ્લેક બોક્સ બધા વિમાનમાં રાખવામાં આવે છે, તે ફ્લાઇટની તમામ માહિતી રૅકોર્ડ કરે છે. તેથી જ તેનું સાચું નામ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર છે. ત્યારે બ્લેક બોક્સ અંગે સમજીએ કે તે ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
બ્લેક બોક્સ નારંગી રંગનું હોય છે
બ્લેક બોક્સ સામાન્ય રીતે નારંગી રંગ(Orange Color)નું હોય છે. તે નારંગી રંગનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારના સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રૅકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR).
કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR)
કોકપિટ વોઇસ રૅકોર્ડર(CVR)માં પાયલોટ અને તેના સાથીદારો વચ્ચે થતી વાતચીત અને અન્ય અવાજો રૅકોર્ડ થાય છે. તે કોકપિટ અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) વચ્ચે રેડિયો પર થતી વાતચીતને પણ રૅકોર્ડ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ એટલે ગ્રાઉન્ડ સ્ટાફ જે પાયલોટને ફ્લાઇટ ઉડાવવામાં મદદ કરે છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન રેડિયો દ્વારા પાયલોટ સાથે સંપર્કમાં રહે છે.
આ પણ વાંચો: દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશના બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતીડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR)
ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) વિમાનની સ્પીડ, ઊંચાઈ, વિમાનની વર્ટિકલ મોશન, ફ્લાઇટ ટ્રેક જેવા ઘણાં ડેટા રૅકોર્ડ કરે છે. તે એન્જિન વિશેની માહિતી જેમ કે ઇંધણ પ્રવાહ અને થ્રસ્ટ(Thrust) પણ સ્ટોર કરે છે. આ ઉપરાંત ફ્લાઇટ નિયંત્રણ, દબાણ, ઇંધણ વગેરે જેવા લગભગ 90 પ્રકારના ડેટાની 24 કલાકથી વધુ રૅકોર્ડ કરેલી માહિતી પણ ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડરમાં હોય છે.
અગાઉ બ્લેક બોક્સમાં વાયર અથવા ફોઇલ પર મર્યાદિત માત્રામાં ડેટા રૅકોર્ડ કરતા હતા. ત્યારબાદ મેગ્નેટિક ટેપનો ઉપયોગ થતો હતો. આધુનિક વિમાનમાં સોલિડ સ્ટેટ મેમરી ચિપ્સનો ઉપયોગ કરે છે. રૅકોર્ડિંગ ઉપકરણો દરેકનું વજન લગભગ 4.5 કિલોગ્રામ હોય છે. તે સામાન્ય રીતે સ્ટીલ અથવા ટાઇટેનિયમ જેવા મજબૂત પદાર્થોથી બનેલા હોય છે અને અતિશય ગરમી, ઠંડી અથવા ભેજથી સુરક્ષિત હોય છે. બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં સ્થિત હોય છે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં આ તે સ્થાન છે જ્યાં ક્રેશની અસર સૌથી ઓછી હોય છે. પાણીની અંદર બ્લેક બોક્સ શોધવા માટે, તેમાં એક ઉપકરણ ફીટ કરવામાં આવે છે જે 30 દિવસ સુધી અલ્ટ્રાસાઉન્ડ જેવા સંકેત મોકલે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, રહસ્યો ખુલશેહેલિકોપ્ટરમાં કેવી રીતે કામ કરે છે બ્લેક બોક્સ?
હેલિકોપ્ટરમાં પણ બ્લેક બોક્સ હોય છે. ઉડાન દરમિયાન સમય, હેડિંગ, ઊંચાઈ, પાવર તાપમાન, રોટરની સ્પીડ, બહારનું તાપમાન જેવા તમામ મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, ભારે હેલિકોપ્ટર એટલે કે 3175 કિલોગ્રામના મહત્તમ ટેક-ઑફ વજનવાળા હેલિકોપ્ટર પર સ્થાપિત બ્લેક બોક્સ એક કલાક માટે 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી શકે છે. જ્યારે હળવા હેલિકોપ્ટરના બ્લેક બોક્સ 15 મિનિટ સુધી આ તાપમાનનો સામનો કરી શકે છે.
0000000000
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું DVR મળ્યું, છેલ્લી ઘડીએ શું થયું તેના રહસ્યો ખુલશે
Jun 13th, 2025અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું DVR મળ્યું, છેલ્લી ઘડીએ શું થયું તેના રહસ્યો ખુલશે 1 – Ahmedabad Plane Crashed: રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની વચ્ચે હતું. આ બોઇંગ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. જેમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા છે. વિમાન જે બી જે મેડિકલની યુ જી હોસ્ટેલ મેસમાં અથડાયું હતું તેના 24 મેડિકલ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. હજી અનેક મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ઘાયલ છે. જેમની સારવાર થઈ રહી છે.
ગુજરાત એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક ડીવીઆર છે. જે કાટમાળમાંથી મળી આવ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(એફએસએલ)ની ટીમ ટૂંકસમયમાં અહીં પહોંચી ડિવાઇસની તપાસ કરશે. જે દુર્ઘટના બનવા પાછળનું કારણ જાણવામાં મદદરૂપ બની શકે છે. ડીવીઆરની મદદથી પ્લેનની અંતિમ ક્ષણોમાં શું ઘટના બની હતી, તેની જાણકારી મેળવી શકાશે.
ડીવીઆર (Digital Video Recorder – DVR)
ઉપયોગ: ડીવીઆરનો ઉપયોગ મુખ્યત્વે સર્વેલન્સ (નિરીક્ષણ) હેતુથી સિક્યુરિટી કેમેરામાંથી વીડિયો ફૂટેજ રૅકોર્ડ કરવા માટે થાય છે.
ડેટા સ્ટોરેજ: ડીવીઆર દ્વારા રૅકોર્ડ કરાયેલ વીડિયો ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઇવ અથવા ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહિત થાય છે.
ડેટાનો પ્રકાર: ડીવીઆર મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા (દૃશ્ય માહિતી) રૅકોર્ડ કરે છે.
આ પણ વાંચોઃ દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી
બ્લેક બોક્સ (Black Box – ફ્લાઇટ ડેટા રેકોર્ડર)
ઉપયોગ: બ્લેક બોક્સ, જેને ફ્લાઇટ ડેટા રૅકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રૅકોર્ડ કરે છે.
રૅકોર્ડ થતી માહિતી: તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રૅકોર્ડ થાય છે.
ડિઝાઇન અને સુરક્ષા: બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રૅકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રૅકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે.
ટૂંકમાં, ડીવીઆર સામાન્ય દેખરેખ માટે વીડિયો રૅકોર્ડ કરે છે, જ્યારે બ્લેક બોક્સ વિમાનની સુરક્ષા અને દુર્ઘટનાના કારણો શોધવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ અને ઓડિયો ડેટા રૅકોર્ડ કરે છે, અને તે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ હોય છે.
બ્લેક બોક્સની શોધખોળ ચાલુ
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના વિમાનના બ્લેક બોક્સને શોધી કાઢવાની કામગીરી હજુ ચાલુ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ડીવીઆર (DVR) અને બ્લેક બોક્સ બંને વચ્ચે મોટો તફાવત હોય છે. ડીવીઆર (ડિજિટલ વીડિયો રૅકોર્ડર) અને બ્લેક બોક્સ બંનેનું કામ ડેટા રૅકોર્ડ કરવાનું હોય છે. પરંતુ ડીવીઆર સામાન્ય રીતે સિક્યોરિટી કેમરાથી ફ્લાઇટનું વીડિયો રૅકોર્ડિંગ કરે છે, જ્યારે બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા અને કોકપિટ ઑડિયો રૅકોર્ડ કરે છે. ઉલ્લેખનીય છે, અમદાવાદમાં ગઈકાલે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ટેક ઑફ થયાની બે મિનિટમાં જ ધડાકાભેર બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. જેમાં કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યા છે.
0000000
હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
Jun 13th, 2025હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો 1 – Mysteries Of Missing Passenger Flights : અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલાં વિમાન મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે. સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જેની સારવાર ચાલી રહી છે. પરંતુ આજે તમને એ વિમાનો વિશે વાત કરવી છે જે વિમાનોએ ઉડાન ભરી હતી પરંતુ હવામાં ગાયબ થઈ ગયા હતા જેની આજ સુધી કોઈ સંભાળ મળી નથી.
આ પણ વાંચો : પઠાણકોટમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, સ્થાનિકોની ભીડ ભેગ થઈ; કોઈ નુકસાન નહીં
1. વર્ષ 2014માં મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં કુલ 239 મુસાફરો હતા. ઉડાન દરમિયાન તે વિયેતનામના હવાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે, આજ દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
2. 1962માં ફ્લાઇંગ ટાઇગર લાઇન ફ્લાઇટ 739 93 અમેરિકન સૈનિકો અને 11 ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી અને પેસિફિક મહાસાગરમાં ગાયબ થઈ ગયું હતું. આ ફિલિપાઇન્સ જઈ રહ્યું હતું. આ વિમાનનો પણ આજ દિવસ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
3. 30 જાન્યુઆરી 1948ના રોજ બ્રિટિશ સાઉથ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર ટાઇગર 25 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે પોર્ટુગલના એઝોર ટાપુથી બર્મુડા માટે ઉડાન ભર્યુ હતું, પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો સંપર્ક તૂટી ગયો અને એ પછી આ વિમાન આજ દિવસ સુધી ક્યારેય જોવા મળ્યું નથી.
4. આ અકસ્માતના એક વર્ષ પછી એટલે કે, 17 જાન્યુઆરી 1949ના રોજ અમેરિકન એરવેઝનું વિમાન સ્ટાર એરિયલ ગાયબ થઈ ગયું. 13 મુસાફરો ઉપરાંત, 7 ક્રૂ સભ્યો આ વિમાનમાં સવાર હતા.
5. ડિસેમ્બર 1945ના રોજ ફ્લોરિડામાં તેના બેઝ પરથી 14 પાઇલટ્સ સાથે એક નિયમિત તાલીમ ફ્લાઇટે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય પછી તેનો બેઝ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તેને શોધવા માટે એક વિમાન મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી કંઈ મળ્યું ન હતું.
આ પણ વાંચો : બ્લેક બોક્સમાં એવું તો શું હોય છે જેનાથી પ્લેન ક્રેશની એક એક માહિતી મળશે, તપાસમાં સૌથી વધુ જરૂરી
6. .2 જુલાઈ 1955ના રોજ ફ્લાઇટ 914 A ન્યૂયોર્કથી મિયામી માટે ઉડાન ભરી હતી, પરંતુ આ વિમાન પણ હવામાં ગાયબ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જેનો આ દિવસ કોઈ પત્તો નથી.
થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, અલાસ્કામાં 10 લોકોને લઈ જતું એક વિમાન અચાનક હવામાં ગાયબ થઈ ગયું. તે હજુ સુધી મળ્યું નથી.
0000000000000
દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી
Jun 13th, 2025દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.
મારી આંખો સામે બધું નષ્ટ થઈ ગયું
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.
હું જે બાજુ બેઠો હતો, તે હિસ્સો જ અથડાયો
આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધું જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ…
વિશ્વાસ તેના ભાઈ સાથે જઈ રહ્યો હતો લંડન
વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતા. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હૉસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે.
0000000000
‘વિમાનમાં બ્લાસ્ટ થતાં જ તાપમાન 1000 ડિગ્રીએ પહોંચી ગયું હતું…’, માનવી-પશુ બધા જ ભૂંજાયા
Jun 13th, 2025
ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે જ સમયે, એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની સારવાર ચાલી રહી છે.
વિમાન દુર્ઘટનાનું દૃશ્ય એટલું ભયાનક કે જેણે જોયું તે ચોંકી ગયું
અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતદેહો રસ્તાઓ પર વિખરાયેલા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા હતા. તેમની ઓળખ પણ થઈ રહી નથી. એવામાં અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. આ દરમિયાન પ્લેનની અંદર અને આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે હાજર કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા ન હતા.
કૂતરા અને પક્ષીઓ પણ બચી શક્યા ન હતા
ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્લેનની ઇંધણ ટાંકી ફાટતાંની સાથે જ આગની જ્વાળાઓ વધવા લાગી અને થોડી જ વારમાં તાપમાન 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આનાથી કોઈના બચવાનો કોઈ અવકાશ રહ્યો નહીં. પ્રાણીઓ અને પક્ષીઓને પણ બચવાનો મોકો મળ્યો ન હતો અને બધા બળીને રાખ થઈ ગયા હતા.’
અકસ્માત સમયે પ્લેનમાં 1,26,907 લિટર ઇંધણ હતું
ઉડાન સમયે પ્લેનની ઊંચાઈ 625 ફૂટ હતી. પ્લેન ક્રેશ થતાં જ તેના ઇંધણમાં આગ લાગી ગઈ. જોરદાર વિસ્ફોટથી તે ફાટી ગયું, પ્લેન સળગી ગયું. દૂરથી ગાઢ કાળો ધુમાડો દેખાતો હતો. ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાઓ પર મૃતદેહો વિખરાયેલા હતા. મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. તેમની ઓળખ પણ થઈ શકી ન હતી.
0000000000000
માતાની સેવા માટે અમદાવાદ આવ્યા હતા પુત્ર અને વહુ, પરત ફરતી વખતે પ્લેન ક્રેશમાં કરુણ મોત
Jun 13th, 2025માતાની સેવા માટે અમદાવાદ આવ્યા હતા પુત્ર અને વહુ, પરત ફરતી વખતે પ્લેન ક્રેશમાં કરુણ મોત 1 – અમદાવાદમાં ગુરૂવારે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમદાવાદથી લંડન જતું વિમાન ટેકઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મોટાભાગના લોકોનું મોત નિપજ્યું છે. જેમાં યુકેમાં રહેતા અને મૂળ અમદાવાદના ઈસાઈ દંપતી રોજર ડેવિડ ક્રિશ્ચિયન અને પત્ની રચના રોજર ક્રિશ્ચિયનનું મોત નિપજ્યું છે.
પાંચ વર્ષથી લંડનમાં રહેતું દંપતી
મળતી માહિતી મુજબ, ડોજર ક્રિશ્ચિયન નિવૃત્ત સિંચાઈ વિભાગના અધિકારી ડેવિડ ક્રિશ્ચિયનનો પુત્ર હતો. રોજર છેલ્લાં પાંચ વર્ષથી લંડનમાં રહે છે અને આ અગાઉ તે ન્યૂઝીલેન્ડમાં પાંચ વર્ષ સુધી રહ્યો હતો. 2013માં તેણે રચના નામની યુવતી સાથે લગ્ન કરી પોતાનો સુખી સંસાર માણી રહ્યો હતો. જોકે, તેનો અચાનક આવો કરૂણ અંત આવ્યો.
આ પણ વાંચોઃ અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો! માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં આબાદ બચાવ થયો
માતાની સેવા માટે અમદાવાદ આવ્યા હતા
સંબંધીઓના જણાવ્યા અનુસાર, ‘રોજર માતા સાથે સમય પસાર કરવા માટે પત્નીને લઈને અમદાવાદ આવ્યો હતો. માતાએ તાજેતરમાં જ હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. માતાની સર્જરી બાદ થોડો સમય તેમની સેવા અને સંભાળ રાખવા માટે પુત્ર અને પુત્રવધુ લંડનથી અમદાવાદ આવ્યા હતા. બાદમાં જ્યારે તેઓ લંડન પરત ફરી રહ્યા હતાં, ત્યારે અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નિપજ્યું હતું. રોજર પરિવારના મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપવા આવ્યો હતો પરંતુ, હવે તે પરિવારથી કાયમ માટે વિખુટો પડી ગયો છે. હાલ, પરિવારજનો રોજર અને તેની પત્નીના મૃતદેહ મેળવવા માટે કવાયત કરી રહ્યા છે.’
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો
ગુરૂવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગર ખાતે BJMC બોયઝ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું અને તુરંત ત્યાં આગ લાગી ગઈ. હાલ, પ્લેન ક્રેશ થવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
00000000000
અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો! માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં આબાદ બચાવ થયો
Jun 13th, 2025અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો! માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં આબાદ બચાવ થયો 1 – Ahmedabad London Plance Crash: અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171માં લંડન પરત ફરવાનાં હતાં. પરંતુ અંકલેશ્વરથી અમદાવાદ આવતી વખતે ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.
ગુજરાતના ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા પોતાના પતિ પાસે જઇ રહી હતી. ભૂમિએ જણાવ્યું હતું કે, ‘ગુરૂવારે સવારે હું અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી.’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
આ વિશે વાત કરતા ભૂમિ ચૌહાણ કહે છે કે, ‘હું ગુરૂવારે સવારે અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા, જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી. પછી મને ખબર પડી કે, પ્લેન ક્રેશ થયું છે, ત્યારે હું સુન્ન થઈ ગઈ હતી. મારું શરીર ધ્રુજી રહ્યું હતું. ત્યારે મને કોઇ શબ્દો મળી રહ્યા ન હતા. હું મારી મા દુર્ગાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પણ આ ઘટના ખરેખર ભયાવહ છે. પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.’
માતાજીના આશીર્વાદથી મારી દીકરી બચી: ભૂમિ ચૌહાણની માતા
ભૂમિ ચૌહાણના માતા પણ આ દુર્ઘટના પછી નિઃશબ્દ હતા. તેઓ કહે છે કે, ‘અમે માતાજીનો આભાર માનીએ છીએ કે, તેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું. તે તેનું બાળક મારી પાસે મૂકીને ગઈ હતી. આ બધું માતાજીના આશીર્વાદને કારણે જ છે.’
આ પણ વાંચો: પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં જવાની ખુશી દુઃખમાં ફેરવાઇ, પાલનપુરના દંપતીનું મોત
એરપોર્ટ બહાર નીકળતા જ દુર્ઘટનાના સમાચાર મળ્યા: ભૂમિ ચૌહાણના પિતા
ભૂમિ ચૌહાણના પિતા કહે છે કે, ‘અમે ટ્રાફિકને કારણે એરપોર્ટ પર મોડા પહોંચ્યા. અમે વિનંતી કરી પણ અમને અંદર જવા ન દેવાયા. પછી અમે જેવા એરપોર્ટ બહાર નીકળ્યા, ને તરત જ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા.’
ટેક્નિકલ ખામીને કારણે વિમાન તૂટી પડ્યું
મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
000
અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગુરૂવારે (12 જૂન) બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે જામનગરના એક બક્ષી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનામાં જામનગરથી લંડન પરત ફરવા રવાના થયેલા એક દંપતી નેહલબેન અને શૈલેષભાઈ પરમાર દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે, આ દંપતીના એકમાત્ર પુત્રનું પણ ત્રણ વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં જ અવસાન થયું હતું.
પુત્રની જેમ માતા-પિતા પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબહેન અને જમાઈ શૈલેષ પરમાર જામનગર આવ્યા હતા. ગુરૂવારે સવારે તેઓ જામનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા, જ્યાંથી તેમણે બપોરે દોઢ વાગ્યે લંડન માટેની હવાઈ મુસાફરી શરૂ કરી હતી. કમનસીબે, ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ વિમાન ક્રેશ થયું, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 2 –
આ પણ વાંચોઃ વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક
આ ઘટનાથી બક્ષી પરિવાર પર જાણે આભ ફાટ્યું છે, કારણ કે શૈલેષભાઈ અને નેહલબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર હિત હતો. આશરે ત્રણ વર્ષ પહેલાં હિત લંડનમાં વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો અને તેની તાલીમના આખરી તબક્કામાં, છેલ્લી કલાકની ઉડાન બાકી હતી ત્યારે તેનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 26 વર્ષીય હિતનું મૃત્યુ થયું હતું. 26 વર્ષની ઉંમરે વિમાન ક્રેશ થતાં હિતનું મૃત્યુ થયું, અને ગુરૂવારે ફરી વિમાન દુર્ઘટના થતાં તેમાં મુસાફરી કરી રહેલા હિતના માતા-પિતા પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા, રિપોર્ટની રાહ
આ કરુણ સમાચાર મળતાં જ નેહલબેનના પિતરાઈ ભાઈઓ તેમજ નેહલબેનના નાના બહેનભાઈ વૈશાલીબેન બક્ષી ગઈકાલે મોડી સાંજથી જ અમદાવાદ પહોંચી ગયા હતા. આ ઉપરાંત, તેમના જમાઈ શૈલેષ પરમારના ભાઈ આનંદ પરમાર પણ જામનગરમાં જ વસવાટ કરે છે, તેઓને પણ સાથે લઈને અમદાવાદ પહોંચ્યા હતા.
અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 3 –
આ પણ વાંચોઃ પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક: ગાંધીનગર ખાતેના બંગલે નેતાઓની ભીડ, અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી
અમદાવાદ પહોંચ્યા બાદ, પરિવારના બે વ્યક્તિઓના DNA ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. બંનેના સેમ્પલો લઈ લેવાયા બાદ તેમને 72 કલાક પછી રિપોર્ટ આવ્યા બાદ સંપર્ક સાધવા જણાવાયું છે. હાલ તેમના મૃત્યુ અંગેના કોઈ જરૂરી પુરાવા કે સામાન હાથ લાગ્યો નથી, પરંતુ વિમાનમાં તમામ મુસાફરોના મૃત્યુના અહેવાલ વહેતા થયા હોવાથી, આ દંપતીના પણ મૃત્યુ થયું હોવાનું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
000000000
220 પરિવારના DNA સેમ્પલ લેવાયા, 7 મૃતદેહની ઓળખ, 270થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ: 220 પરિવારના DNA સેમ્પલ લેવાયા, 7 મૃતદેહની ઓળખ, 270થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ 1 – ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ગુરુવારે (12 જૂન) 1:40 વાગ્યે દુઃખદ ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાની આપત્તિજનક સ્થિતિમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. જેમાં અત્યારસુધીમાં 270થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે 220 લોકોના DNA માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે. જેમાં ઓળખ થનારા 7 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: 220 પરિવારના DNA સેમ્પલ લેવાયા, 7 મૃતદેહની ઓળખ, 270થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ 2 –
DNA રિપોર્ટ રવિવારે આવશે
અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટનાના મૃતકોના DNA સેમ્પલિંગની કામગીરી શરૂ છે. આ દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા DNA સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે તેની મુલાકાત લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના પરિવારના લેવામાં આવેલા DNA સેમ્પલનો રિપોર્ટ આગામી રવિવારની સાંજે તમામ પરિવારજનોને આપવામાં આવશે. જેમાં પરિવારોને ફોન કરીને તેની જાણકારી આપવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગુરૂવારથી કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE: PM મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય
સિવિલ હોસ્પિટલના કસોટી ભવન DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઇ
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં મૃતકોના નજીકના સગા–સંબંધીઓ માટે DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને માતા પિતા કે સંતાનોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. જો કે, DNA મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને આ રિપોર્ટ આવતા ત્રણ દિવસનો સમય લાગશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા બે ફોન નંબર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે 6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
00000000000
બોઇંગનો કુખ્યાત ઇતિહાસ: 6 હજાર અકસ્માત, 9 હજાર મોત, અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફરી ઉઠ્યા સવાલ
Jun 13th, 2025Ahmedabad plane crash અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઈ જતાં વિમાનમાં સવાર 241 લોકો માર્યા ગયાના સમાચાર છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક જ મુસાફર જીવતો બચી શક્યો. ક્રેશ થનાર વિમાન બોઇંગ કંપનીનું ‘ડ્રીમલાઇનર 787’ હતું. આ કંઈ પહેલો કિસ્સો નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ અગાઉ પણ બોઇંગ વિમાનો ઘણી વખત ક્રેશ થયા છે, જેને લીધે આ વિમાનની સલામતી બાબતે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
તાજેતરના વર્ષોમાં ક્રેશ થયેલા બોઇંગ વિમાનો
– 29 ઑક્ટોબર, 2018ના રોજ ઇન્ડોનેશિયામાં બોઇંગ 737ની ‘લાયન એર ફ્લાઇટ 610’ ટેક ઑફ પછી તરત જ જાવા સમુદ્રમાં ક્રેશ થતાં 189 લોકોના મોત થયા હતા.
– 10 માર્ચ 2019ના રોજ બોઇંગ 737 મેક્સ 8 વિમાને ઈથોપિયાના બોલે ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી કેન્યાના નૈરોબી જવા ઉડાન ભરી હતી. ટેક ઑફની છ મિનિટ પછી તે ક્રેશ થઈ જતાં તેમાં સવાર તમામ 149 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
– 5 જાન્યુઆરી, 2024ના રોજ અમેરિકાના પોર્ટલૅન્ડ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી ઉડેલી બોઇંગ 737 ફ્લાઇટના વિમાનનો દરવાજાનો પ્લગ તૂટી જતાં વિમાનની અંદરનું દબાણ ખોરવાઈ ગયું હતું, જેને લીધે વિમાનને તાત્કાલિક લેન્ડ કરાવવું પડ્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાની નહોતી થઈ, પણ એ ગંભીર ક્ષતિએ બોઇંગના લેટેસ્ટ વિમાનોની સલામતી બાબતે પ્રશ્નો સર્જ્યા હતા.
આ તો થયા અત્યાધુનિક બોઇંગ 737 વિમાનોના અકસ્માત. હવે જોઈએ બોઇંગના અન્ય કેટલાક ગંભીર અકસ્માતોની વિગતો.
– 3 મે, 2025ના રોજ બોઇંગનું કેન્યાથી ઉડેલું વિમાન સુદાનના ન્યાલા ઍરપોર્ટ પર તૂટી પડતાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
– 29 ડિસેમ્બર, 2024ના દિવસે બોઇંગની ‘જેજુ એર ફ્લાઇટ 2216’ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અકસ્માતગ્રસ્ત થઈ હતી. એ દુર્ઘટનામાં ‘બેલી લેન્ડિંગ’ થતાં વિમાન કોંક્રીટના પાળા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં સવાર 181 માણસોમાંથી 179 માર્યા ગયા હતા.
– 9 જાન્યુઆરી, 2021ના દિવસે બોઇંગની ‘શ્રીવિજયા એર ફ્લાઇટ 182’એ ઇન્ડોનેશિયાના જકાર્તાથી ઉડાન ભરી હતી. 10,900 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી એન્જિનમાં ખરાબી સર્જાતાં વિમાન તૂટી પડ્યું હતું અને 62 લોકોના મોત થયા હતા.
– 19 માર્ચ, 2016ના રોજ ‘ફ્લાય દુબઈ ફ્લાઇટ 981’ દુબઈથી રશિયા જઈ રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે ક્રેશ થઈ ગઈ, જેમાં વિમાનમાં સવાર તમામ 62 લોકો માર્યા ગયા.
આ ઉપરાંત પણ ભૂતકાળમં બોઇંગ વિમાનોને ખૂબ અકસ્માત થયા હતા, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરીનું નિવેદન:બોઇંગના વિમાનોમાં શું ખામી છે?
અત્યાધુનિક ટૅક્નોલૉજીથી સજ્જ બોઇંગ 737 મેક્સ વિમાનો પણ ક્રેશ થઈ રહ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી ત્યારે ‘મેન્યુવરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓગમેન્ટેશન સિસ્ટમ’ (MCAS) સંબંધિત સમસ્યા બહાર આવી હતી. આ સિસ્ટમના ઉપયોગથી મેન્યુઅલ લેન્ડિંગ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ હતી, પણ પાયલટ્સને તેના વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી. 2018ના ઇન્ડોનેશિયાના અને 2019ના બોઇંગ 737 વિમાન અકસ્માત બાદ આ શ્રેણીના વિમાનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. એ પછી તેને અપડેટ કરીને બોઇંગ 737-800ના નામથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન બોઇંગનું 787 ડ્રીમલાઇનર છે. વિમાનનું બ્લેક બોક્સ મળ્યા પછી જ આ અકસ્માત પાછળનું કારણ જાણી શકાશે.
9000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદ બોઇંગ અકસ્માત પહેલાના આંકડા જોઈએ તો આજ સુધીમાં બોઇંગ વિમાનોને વિશ્વભરમાં લગભગ 6,000 અકસ્માત નડ્યા છે. અલબત્ત, તમામ અકસ્માતમાં લોકોએ જીવ નહોતા ગુમાવ્યા, પણ જીવલેણ નીવડી શકે એવી નાનીમોટી ટેકનિકલ ક્ષતિઓ સર્જાતાં બોઇંગ વિમાનોની સલામતી બાબતે પ્રશ્નો ઉઠતાં રહ્યા છે. બોઇંગને નડેલા અકસ્માતો પૈકીના 415 જીવલેણ સાબિત થયા છે જેમાં 9,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વભરમાં ઉડતા હજારો પેસેન્જર વિમાનોમાંથી ઓછામાં ઓછા 4000 વિમાન બોઇંગ 737 છે.
0000000000000
વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક
Jun 13th, 2025વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક 1 – Baroda Family On Ahmedabad Plane Crash Incident : અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતા એક પરિવાર પણ આ આફતનો શિકાર બન્યો છે. પૌત્રીનું મોઢું જોવા યુકે જઈ રહેલા 60 વર્ષીય મરીયમબહેન પણ ક્રેશ થયેલા પ્લેનમાં સવાર હતા, અને તેમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હોવાની માહિતી મળી છે.
પૌત્રીના જન્મની ખુશી માતમમાં ફેરવાઈ
વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતા અને ગેડીગેટ વિસ્તારમાં ટેલરિંગની દુકાન ચલાવતા ઇનાયતભાઈ પાદરીયાના પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના પુત્ર અબ્બાસ સિવિલ એન્જિનિયર છે અને દીકરી જેબાબહેનના લગ્ન મૂળ ફતેગંજમાં રહેતા મકસુર અલી સાથે થયા હતા. જેબાબહેન અને તેમના પતિ યુકેમાં સ્થાયી થયા છે. તાજેતરમાં જ જેબાબહેને એક સંતાનને જન્મ આપ્યો હતો, અને તેની ખુશીમાં જ જેબાબહેનના માતા મરીયમબહેન પોતાની પૌત્રીનું મોઢું જોવા માટે ગુરુવારે સવારે યુકે જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો: પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ
મરીયમબહેન વડોદરાથી નીકળીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ પ્લેનમાં બેઠા હતા. તેમના બે ભાઈઓ, પુત્ર અને પતિ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા હતા. મરીયમબહેનને પ્લેનમાં બેસાડી પરિવારજનો પરત વડોદરા આવી રહ્યા હતા, તે દરમિયાન જ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી મળતા તેઓ નડિયાદથી પરત અમદાવાદ દોડી ગયા હતા. પૌત્રીના જન્મની ખુશી લઈને યુકે જઈ રહેલા મરીયમબહેનનું આ પ્લેન દુર્ઘટનામાં કરુણ અવસાન થયું છે, ત્યારે પાદરીયા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
00000000000000
ઈદની ઉજવણી બાદ પાછા જઇ રહ્યા હતા, અમદાવાદના પરિવારના 4 સભ્યોના પ્લેન ક્રેશમાં મોત
Jun 13th, 2025ઈદની ઉજવણી બાદ પાછા જઇ રહ્યા હતા, અમદાવાદના પરિવારના 4 સભ્યોના પ્લેન ક્રેશમાં મોત 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગુરૂવારે વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અમદાવાદના ખાનપુરનો એક આખોય પરિવાર મોતને ભેટ્યો હતો. મળતી માહિતી મુજબ, વિમાનમાં સવાર પરિવારના ચારેય સભ્યોનું દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. મૃતકોની ઓળખ ઇનાયત અલી સૈયદ, તેમની પત્ની નફીસાબાનુ સૈયદ, દીકરી તસ્કિનબાનુ સૈયદ અને ભત્રીજા વાકી અલી સૈયદ તરીકે થઈ છે. આ પરિવાર લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતો, જે ટેકઑફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ એવું લાગ્યું જાણે પાકિસ્તાને મિસાઈલ હુમલો કર્યો…. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શી
એક જ પરિવારના ચાર લોકોના મોત
સંબંધીઓના જણાવ્યા મુજબ, ઇનાયત અલી સૈયદ બે દાયકાથી વધુ સમયથી યુનાઇટેડ કિંગડમમાં રહેતો હતો અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પરિવાર લગભગ ત્રણ મહિના પહેલા ઈદની ઉજવણી કરવા અને વૃદ્ધ માતા સાથે સમય વિતાવવા માટે અમદાવાદ આવ્યો હતો. સંબંધી વારિસ હુસૈન સૈયદ અને અમીનસાબ સૈયદ પરિવાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમને વિદાય આપવા ગયા હતા. જોકે, વિમાન ટેકઑફ કર્યાના થોડી જ મિનિટોમાં મેઘાણી નગરમાં BJMC બોયઝ હોસ્ટેલ સાથે ક્રેશ થયું, જેમાં હોસ્ટેલમાં હાજર અનેક લોકોના મોત નિપજ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક
ખાનપુરમાં શોકનો માહોલ
પરિવારના મોતથી પરિવાર અને ખાનપુર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. એક જ પરિવારના ચાર લોકોના એક સાથે મૃત્યુ થતા તમામ લોકો આઘાતમાં છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
000000000
એવું લાગ્યું જાણે પાકિસ્તાને મિસાઈલ હુમલો કર્યો…. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શી
Jun 13th, 2025Ahmdedabad Plane CrashAhmdedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક કે જેણે જોયું તે ચોંકી ગયું
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની મેસ (ભોજનાલય)ના બિલ્ડિંગમાં અથડાયું હતું. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયું. લોકોના મૃતદેહ ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા, લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી, તેથી ડીએનએ ટેસ્ટનો આશરો લેવામાં આવી રહ્યો છે.
એવું લાગ્યું જાણે પાકિસ્તાને મિસાઈલ મારી હોય…
પ્લેન દુર્ઘટના એટલી ભયાનક હતી તે વિશે વાત કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ‘હું તેના વિશે વિચારું છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે. મારું ઘર અહીંથી 100 મીટર દૂર છે, અહીં જે વૃક્ષો છે. વિમાનના ટાયર તેમને અથડાયા હતા. તે સમયે મારા દાદા ઘરે હતા અને મારો નાનો ભાઈ પણ હતો. મારા પરિવારના સભ્યો ખૂબ રડી રહ્યા હતા. મમ્મી ત્રણ વખત પડી ગઈ. જ્યારે આગ વધવા લાગી, ત્યારે અમે સિલિન્ડર કાઢ્યા અને દરવાજો બંધ કરી દીધો અને ધુમાડાને કારણે કાચ તૂટવા લાગ્યા. પરિસ્થિતિ એવી હતી કે કોઈ વ્યક્તિ બેભાન થઈને અહીં પડી ગયો હોત.’
આ પણ વાંચો: વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક
આ અંગે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ‘મારા દાદાને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, તેથી બધા ઘરની બહાર નીકળી ગયા. જો હું મમ્મી પાસે પૈસા લેવા ન ગયો હોત, તો હું પણ તેમાં સામેલ હોત. મારા ત્રણ-ચાર મિત્રો જે વિદ્યાર્થી હતા, તેઓ મૃત્યુ પામ્યા. અમને લાગ્યું કે વિસ્ફોટ શોર્ટ સર્કિટને કારણે થયો છે. કેટલાકને લાગ્યું કે પાકિસ્તાને મિસાઇલ ચલાવી છે. હું કહું છું કે પાઇલટમાં ભગવાન છે. તેણે પોતાની બધી શક્તિથી વિમાનને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢ્યું. જો આ વિમાન અમારા બ્લોકમાં ક્રેશ થયું હોત તો દ્રશ્ય કેવું હોત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.’
0000000000
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો મામલો
Jun 13th, 2025અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો મામલો 1 –
Representative
Air India Flight Emergency Landing in Thailand: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ આજે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં આજે શુક્રવારે ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ તાત્કાલિક ધોરણે લેન્ડ થઈ હતી.
ફૂકેટ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાની ફૂકેટથી દિલ્હી જઈ રહેલી AI 379 ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ પ્લેનમાં 156 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો મામલો 2 –
ફ્લાઈટ ટ્રેકર ફ્લાઈટટ્રેડર24 અનુસાર, આ ફ્લાઈટ ફૂકેટ એરપોર્ટથી દિલ્હી આવવા રવાના થઈ હતી. પરંતુ અચાનક અંદામાન દરિયાથી પરત ફરી થાઈ આઈલેન્ડ ફૂકેટ એરપોર્ટ પર પરત ફરી હતી. એરપોર્ટ્સ ઓફ થાઈલેન્ડ (AOT)ના સત્તાધીશોએ જણાવ્યું કે, વિમાનની ઉડાન બાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેથી સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં પ્લેનનું પાછું ફુકેટ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, AOTએ બોમ્બની ધમકી વિશે વધુ માહિતી આપી નથી.
અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ
અમદાવાદમાં ગઈકાલે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતું. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટૅકઑફ થતાં જ વૃક્ષ અને બિલ્ડિંગ સાથે ધડકાભેર અથડાઈ હતી. જેમાં સવાર 229 મુસાફરો, બે પાયલોટ અને 10 ક્રૂ સભ્યોના નિધન થયા હતાં. માત્ર એક જ મુસાફર જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. આ વિમાન બોઈંગ 787 ડ્રીમલાઈનર મૉડલ હતું. આ 11 વર્ષ જૂનું વિમાન અગાઉ એક મહિના પહેલાં પણ ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શક્યુ ન હોવાના અહેવાલો મળ્યા છે.
0000000000000000
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રની રોશનીએ ગુમાવ્યો જીવ
Jun 13th, 2025બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રની રોશનીએ ગુમાવ્યો જીવ 1 – Ahmedabad Air India Plane Crash: મહારાષ્ટ્રના ડોમ્બિવલીની રહેવાસી રોશની સોંઘરે બાળપણથી જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેના માટે ખૂબ જ મહેનત કરી હતી. તેણે બાળપણનું સપનું પૂર્ણ તો કર્યું, પરંતુ ઘાતક સાબિત થયું હતું. એર હોસ્ટેસ રોશની સોંઘરે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
ભાજપના નેતાએ શોક વ્યક્ત કર્યો
મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રોશની સોંઘરેના મૃત્યુની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડોમ્બિવલીની રોશની સોંઘરેના દુ:ખદ અવસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ. એક સમર્પિત ફ્લાઇટ ક્રૂ સભ્ય તરીકે, તેમનું અવસાન એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે.’
રોશની સ્પાઇસજેટમાં બે વર્ષ કામ કર્યું હતું
અહેવાલો અનુસાર, રોશની સોંઘરેના પિતા એક ટેકનિશિયન છે, પરંતુ તેમણે પુત્રીના સપનાઓને પાંખો આપવામાં કોઈ કસર છોડી નહીં. અંતે બે વર્ષ પહેલાં રોશની સોંઘરે એર હોસ્ટેસ બની અને સ્પાઇસજેટમાં બે વર્ષ કામ કર્યા પછી, તેમણે એર ઈન્ડિયામાં જોડાઈ હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે દિવસ પહેલા રોશની સોંઘરે માદરે વતન ગઈ હતી. ત્યા તેમણે પરિવાર સાથે ગામના મંદિરમાં કુળદેવતાના દર્શન કર્યા હતા. ત્યારબાદ રોશની સોંઘરે અમદાવાદથી લંડન માટે ફ્લાઇટ પકડી હતી અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: કોને ખબર હતી કે આ અંતિમ સફર હશે… બે બાળકો સહિત મુંબઈના દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતરોશનીના પિતા રાજેન્દ્ર સોંઘરેના જણાવ્યાનુસાર, એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવરા એર ઈન્ડિયા તરફથી કોઈને સત્તાવાર ફોન આવ્યો નથી. જો કે, એર ઇન્ડિયાના કેટલાક સાથીદારો રોશનીના પરિવાર સાથે અમદાવાદમાં છે.
00000000000
કોને ખબર હતી કે આ અંતિમ સફર હશે… બે બાળકો સહિત મુંબઈના દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
Jun 13th, 2025કોને ખબર હતી કે આ અંતિમ સફર હશે… બે બાળકો સહિત મુંબઈના દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત 1 – Ahmedabad Plane Crashed: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241ના મોત થઈ ચુક્યા છે. આ મૃતકોમાં એક NRI પરિવાર પણ સામેલ હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં મૂળ મુંબઈના જાવેદ અલીનો આખોય પરિવાર ઉજડી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો.
જાવેદ અલી અને તેની પત્ની સહિત બે બાળકીઓના મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 37 વર્ષીય જાવેદ અલી તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને બે બાળકોના મોત નિપજ્યા છે. જાવેદનો આઠ વર્ષનો દીકરો ઝયાન અલી અને ચાર વર્ષની દીકરી અલીનું પણ આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
જાવેદ અલી માતાની સારવાર માટે મુંબઈ આવ્યો હતો
જાવેદ અલીના પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, તે 6 દિવસ પહેલાં ભારત આવ્યો હતો. તે માતાની હાર્ટ સર્જરી માટે મુંબઈ આવ્યો હતો. જાવેદની પત્ની લંડનની છે અને તે પણ ત્યાં જ સેટલ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત હોત તો કદાચ આજે તે હયાત હોત!
વિમાન અકસ્માતમાં વિખેરાઈ ગયો પરિવારનો માળો
જણાવી દઈએ કે, અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (AI171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે આશરે 1:40 વાગ્યે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે. વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અનેક લોકોનો પરિવાર ખતમ થઈ ગયો છે.
0000000000
બોઇંગ વિમાનોની ઉડાન પર રોક મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ વિમાનોની ઉડાન પર રોક મુદ્દે અમેરિકાનું મોટું નિવેદન 1 – Boeing 787 Safe For Fly Says US Officials: અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ ગઈકાલે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ બોઈંગ 787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં કોઈ ખામીના પુરાવા મળ્યા નથી. જેથી અમે તેની ફ્લાઈટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદીશુ નહીં. ડફીએ આ દુર્ઘટના મામલે તપાસમાં ભારતને જરૂરી તમામ સહયોગ આપવાનું પણ વચન આપ્યું છે.
સીન ડફીએ જણાવ્યું હતું કે, અમારૂ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ દુર્ઘટનાની તપાસ મામલે ભારતને તમામ સહાય પ્રદાન કરશે. હજી સુધી બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનની ઉડાન અટકાવવાની જરૂર નથી. અમે આ દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સ જોયા છે. પરંતુ હજી સુધી એવી કોઈ ટેક્નિકલ કે સિક્યોરિટી ખામીનો ડેટા મળ્યો નથી. જેનાથી સાબિત થઈ શકે કે, વિમાન મૉડલ (બોઈંગ 787)માં કોઈ ખામી છે. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફી અને એક્ટિંગ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) ચીફ ક્રિસ રોશેલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે જણાવ્યું હતું.
અમેરિકા દુર્ઘટનામાં સંપૂર્ણ સહયોગ આપશે
ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. અમે હાલ બોઈંગ અને જીઈ સાથે દુર્ઘટનાના ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. કોઈપણ સલામતી ભલામણોનો અમલ કરવામાં અચકાઈશું નહીં. અમે તથ્યોનું પાલન કરીશું અને સલામતીને પ્રથમ સ્થાન આપીશું. FAA પેસેન્જર વિમાનની સુરક્ષાની ખાતરી કરતાં ભારતને વધારાના ડેટા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash LIVE Updates : પ્લેન ક્રેશ સાઈટ અને સિવિલમાં પીડિતોને મળ્યા બાદ પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક
અમેરિકા કેવી રીતે કરશે તપાસ
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ અમેરિકન સરકારની એજન્સી છે. જે પરિવહન સંબંધિત દુર્ઘટનાઓ, અકસ્માતની તપાસ કરે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં તેને તમામ માહિતીઓ ભારત દ્વારા પૂરી પાડવામાં આવશે. તેની તપાસ ટીમ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોને તપાસમાં મદદ કરવા ભારત આવશે.
ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટનાને ભયાવહ ગણાવતાં દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત એ મોટો અને મજબૂત દેશ છે, તે આ દુર્ઘટનામાંથી ઉભરી આવશે. મને ખાતરી છે. જો જરૂર પડી તો અમે ભારતને તમામ પ્રકારની તાત્કાલિક ધોરણે મદદ કરવા તૈયાર છીએ.
00000000000
પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં જવાની ખુશી દુઃખમાં ફેરવાઇ, પાલનપુરના દંપતીનું મોત
Jun 13th, 2025 પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં જવાની ખુશી દુઃખમાં ફેરવાઇ, પાલનપુરના દંપતીનું મોત 1 – Ahmedabad Plan Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામાં અનેક નિર્દોષ જીંદગીઓના મોત નીપજ્યા છે. આ પ્લેનમાં પાલનપુરનું એક દંપતી પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લંડન ખાતે રહેતા પુત્રને ત્યાં તેની પત્નીનો શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી પાલનપુરથી વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશ થયા બાદ તેમનો સંપર્ક તુટી જતા તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો
એરપોર્ટ પરથી ટેકઓફ થયેલા પ્લેન ક્રેશ થયા બાદ બંનેનો સંપર્ક તૂટતા પાડોશીઓ ચિંતિત હતા
પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારમા છેલ્લા 40 વર્ષથી રહેતા અને એલઆઇસી તેમજ પોસ્ટનું કામકાજ કરતા રમેશભાઈ ઠક્કર અને તેમના પત્ની લાભુબેન ઠક્કરનો પુત્ર તેની પત્ની સાથે લંડન રહેતો હોવાથી અને તેમની પુત્રવધૂનો લંડનમાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી લંડન જવા માટે ગુરુવારે સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દંપતીની ટિકિટ એઆઇ 171 ઇન્ડીયન એરલાઇન્સની હતી.
જોકે આ વિમાન ઉડાન ભર્યા બાદ અચાનક તૂટી પડતા વિસ્ફોટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક મુસાફરોમાં મોત નીપજ્યા હતા. જોકે આ પ્લેન ક્રેશ થયા બાદ લંડન જવા નીકળેલ આ દંપતીનો સંપર્ક ન થયા તેમજ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર મુસાફરોની યાદીમાં આ દંપતીના નામ સામેલ હોય તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: ‘તું કલ ચલા જાયેગા તો મેં કયા કરૂગા’ મિત્રોએ ફેરવેલમાં વગાડ્યું હતું ગીત, ઉત્તર ગુજરાતના 18 લોકોનું પ્લેન ક્રેશમાં મોતપાલનપુરના દંપતી સાથે તેમના વેવાઈ અને વેવાણ લંડન જવાના હતા
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં લંડન જવા નિકળેલા પાલનપુરના રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર સાથે વેરાવળ ખાતે રહેતા તેમના વેવાઇ અને વેવાણ પણ તેમની દીકરીના શ્રીમંતમાં હાજરી આપવા માટે આ પ્લેનમાં તેમની સાથે લંડન જવાના હતા તેવું તેમના પાડોશી ચેતનાબેન રાવલે જણાવ્યું હતું.
ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશ સવદાનભાઇ ચૌધરીના ગત વર્ષે ધાપુ બહેન સાથે લગ્ન થયા હતા. તેઓ લંડનમાં વ્યવસાય કરી રહ્યા હતા. પત્નીને લંડન સાથે લઇ જવા માટે વતનમાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં પતિ અને પત્નીના મોત નિપજ્યું હતું.
000000000000
માત્ર 500 મીટર દૂર વિમાન તૂટ્યું હોત તો હજુ મોટી જાનહાનિ થઈ હોત
કારણ કે બાજુમાં જ 1200 બેડની સિવિલ હોસ્પિટલ હતી
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ : માત્ર 500 મીટર દૂર વિમાન તૂટ્યું હોત તો હજુ મોટી જાનહાનિ થઈ હોત 1 – Ahmedabad London Plane Crash : અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક ઘોડા કેમ્પ પાસે સ્ટુડન્ટ મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલ બિલ્ડીંગ પાસે જે પ્લેન ક્રેશની ઘટના બની છે તે આમ તો હૃદય કંપાવનારી અને અત્યત કરૂણ છે પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્લેન ક્રેશ થયુ ત્યાંથી સૌથી મોટી એવી 1200 બેડ હોસ્પિટલ માત્ર 500 મીટર જ દૂર હતી.જો થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી વધારે હોત.
અમદાવાદ એરપોર્ટથી બપોરે 1:38 વાગે એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયા બાદ જ થોડી જ મીનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની મેસ બિલ્ડીંગ અને પીજી રેસિડેન્ટ હોસ્ટેલ બિલ્ડીંગો પાસે પ્લેન ક્રેશ થયુ હતું. મહત્વનું છે પ્લેન ક્રેશની આ ઘટના જ્યાં બની ત્યાં થોડે એટલે કે 500 મીટર દૂર જ અમદાવાદ સિવિલની સૌથી મોટી એવી 1200 બેડની હોસ્પિટલ હતી. અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં દર્દીઓ, ડોક્ટરો,નર્સ સ્ટાફથી માંડી અન્ય સ્ટાફ હતો.
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતોજો પાંચથી દસ સેકન્ડનો ફેર પડયો હોત અને થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત 1200 બેડ હોસ્પિટલ પર પણ પ્લેન પડી શકત. જો હોસ્પિટલ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થયુ હોત તો મુસાફરો ઉપરાંત અનેક મોટી સંખ્યામાં દર્દીઓ-સ્ટાફના મૃત્યુ થાત અને અનેક ગણા લોકો ઘાયલ થયા હોત.તો કદાચ પરિસ્થિતિને કાબુમાં લેવુ પણ અશક્ય થઈ જાત ઉપરાંત આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકો પણ હતા.
પરતુ સદનસીબે પ્લેન ક્રેશ 1200 બેડ હોસ્પિટલથી 500 મીટર દૂર થયુ હતુ. ઉપરાંત બપોરના સમયે જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલે બિલ્ડીંગોમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરો હતો.ઘટના બન્યાની થોડી જ મિનિટો પહેલા 1 વાગ્યાની આસપાસ સ્ટુડન્ટસ-રેસિડેન્ટ ડોક્ટરો હોસ્પિટલમાં ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત પ્લેન ક્રેશ થયુ ત્યાં આસપાસ ઘોડા કેમ્પ અને એસઆરપીએફનો ખુલ્લો વિસ્તાર પણ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું? જુઓ Graphic Animationમાંત્યાંથી થોડા જ અડધો કિલોમીટર દૂર સૌથી વધુ ભીડભાડવાળો ચમનપુરા-અસારવા વિસ્તાર પણ આ આવેલો છે. એટલુ જ નહીં મેઘાણી નગરના આ ઘોડા કેમ્પ વિસ્તાર પહેલા નરોડા-મેમ્કો નજીકના વિસ્તારમાં જો ક્રેશની ઘટના બની હોત તો પણ અનેક રહેણાંક વિસ્તારો-ભીડભાડ-ટ્રાફીકનો વિસ્તારમાં હજુ પણ મોટી જાનહાની થઈ શકી હોત.
પ્લેન ક્રેશ થયું ત્યાં નજીકમાં જ આઈસીએમઆર બિલ્ડીંગ
આ પ્લેન ક્રેશની ઘટનાનું ચોક્કસ સ્થળ જોઈએ તો મેઘાણી નગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ઘોડા કેમ્પ ચાર રસ્તા પાસે રક્ષા શક્તિ યુનિ.આવેલી છે અને તેની નજીક આઈસીએમઆર એનઆઈઓએચ બિલ્ડીંગ આવેલુ છે.ભારત સરકાર હેઠળની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ઉપરાંત રક્ષા શક્તિ યુનિ.અને એચઆરપી કવાર્ટર્સ-બિલ્ડીંગ તેમજ સિવિલ હોસ્પિટલ સાથે આ સમગ્ર વિસ્તાર સરકારી બિલ્ડીંગોથાી ઘેરાયેલો છે.
000000000
વિજય રૂપાણીનો ‘લકી નંબર’ 1206 બન્યો તેમનો અંતિમ દિવસ
Jun 13th, 2025કેવો સંયોગ:વિજય રૂપાણીનો ‘લકી નંબર’ 1206 બન્યો તેમનો અંતિમ દિવસ 1 – Vijay Rupani: ગુજરાત માટે ગુરૂવાર (12 જૂન) સૌથી કરૂણ દિવસ હતો. અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા 265થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે તારીખે તેમનું મૃત્યુ નિપજ્યું તે તારીખ હતી 12/06/2025, જે ટૂંકમાં 12/06 થાય. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો પ્રિય નંબર હતો આ 1206. તેમની કાર, ટુવ્હીલર વાહન દરેકના નંબર તેમણે 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12-06 તારીખે જ થયું હતું. જોકે, જે વિમાન ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો. કહેવામાં આવે છે કે, 1206 રૂપાણીનો લકી નંબર હતો.
આ પણ વાંચોઃ વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના, જાણો વારંવાર આવું થવાના 5 કારણ
એરપોર્ટનો વીડિયો થયો વાઈરલ
રાજકોટમાં નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ ગુરૂવારે લંડન પહોંચીને ત્યાં 22 દિવસ સુધી રહેવાનો, ફરવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હતો. અંજલિબહેન રૂપાણી તેમની પહેલા ગયા હતા અને વિમાન અકસ્માતની ઘટના બાદ તેઓ તાત્કાલિક ધોરણે ગુજરાત આવવા નીકળી ગયા હતા. વિજયભાઈ જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે તૂટી પડ્યાની દુર્ઘટના બાદ સોશ્યલ મિડીયામાં એક અન્ય વ્યક્તિએ લીધેલી સેલ્ફીમાં તેઓ સીટ પર બેઠેલા દેખાતા હોય તેવી તસવીર તેમજ અમદાવાદ એરપોર્ટ પર તેઓ અંદર જતા હોય તેના વિડીયો વાઈરલ થયા હતા.આ પણ વાંચોઃ આખી જિંદગી ખેતી કરી, પુત્રએ ફરવા લંડન બોલાવ્યા અને પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
વિજયભાઈની એર ટિકિટની વિગતો મૂજબ બપોરે 1:10 વાગ્યાનો ડિપાર્ચર ટાઈમ હતો જે ફ્લાઇટ 28 મિનિટ મોડી હતી. સાંજે 6:14 વાગ્યે તે લંડન પહોંચવાની હતી. વિજયભાઈ સવારે 11:30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા અને ચેકઇન કરીને 12:30 વાગ્યે બોર્ડિંગ કરાવ્યું હતું. તેઓ સીટ નં. 2-D પર બેઠા હતા. રાજકોટના નિર્મલા રોડ પર સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર પાસે પ્રકાશ સોસાયટી શેરી નં.4માં વિજય રૂપાણીનું નિવાસસ્થાન આવેલું છે. જેનું નામ તેમના સદ્દગત પુત્ર પુજીત પરથી રાખવામાં આવેલું છે.
0000000000000
‘તું કલ ચલા જાયેગા તો મેં કયા કરુંગા’ મિત્રોએ ફેરવેલમાં વગાડ્યું હતું ગીત, ઉત્તર ગુજરાતના 18 લોકોનું પ્લેન ક્રેશમાં મોત
Jun 13th, 2025રુ’તું કલ ચલા જાયેગા તો મેં કયા કરુંગા’ મિત્રોએ ફેરવેલમાં વગાડ્યું હતું ગીત, ઉત્તર ગુજરાતના 18 લોકોનું પ્લેન ક્રેશમાં મોત 1 –
Ahmedabad Plane Crashed: અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી 242 મુસાફરોને લઈને લંડન જવા ટેક ઑફ થયેલું બોઇંગ વિમાનના એકાએક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થવાની દુર્ઘટનામાં મોટાભાગના પેસેન્જરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લંડન જવા રવાના થયેલા 18 જેટલા લોકો પણ ભોગ બન્યા છે. મૃતકોમાં વિસનગર, કડી, ચંદુમાણા, ઉંઝાના ઐઠોર, ધાનેરા, પાલનપુર, મોડાસા, ખંભીસર, બાયડ, દાંતા વિસ્તારના મુસાફરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઍરપોર્ટ ઉપર લંડન જવા માટે સબંધીઓને મૂકવા માટે આવેલા મોટાભાગના સ્વજનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ પ્લેન ક્રેશની તેમને જાણ થઈ હતી.
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશભરના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. લંડન જવા રવાના થયેલા વિમાનમાં 12 ક્રૂ મેમ્બર, રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 242 મુસાફરો સવાર હતા. ટેક ઑફ બાદ આ બોઇંગ વિમાન મેઘાણીનગરમાં એકાએક ક્રેશ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash LIVE UPDATES : PM મોદી પ્લેન ક્રેશ સાઈટ પર પહોંચ્યા, પરિજનોને મૃતદેહ સોંપવાનું શરૂ
નવ યુગલ વિદેશ સ્થાયી થવા જતું હતું
અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક મુસાફરોના મોત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના નવ યુગલનું મૃત્યુ થયું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામનો કમલેશ ચૌધરી અને તેની પત્ની ધાપુબહેન ચૌધરી વિમાનમાં સવાર હતા. આ નવ યુગલ લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેમના મોત થતાં પરિવારજનો પર જાણે આ આભ તૂટી પડ્યું હતું.
તું કલ ચલા જાયેગા તો મેં કયા કરુંગા…
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિસનગરના દિનેશકુમાર પટેલે આખી જિંદગી ખેતી કરી હતી. તેમનો દીકરો લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પહેલી વખત વિદેશયાત્રાએ જતાં હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને ખેતરમાં પાર્ટી આપી હતી. અહીં જૂના મિત્રોએ હિન્દી ફિલ્મનું ગીત ‘તુ કલ ચલા જાયેગા તો મે ક્યા કરુંગા’ વગાડ્યું હતું. ત્યારે મિત્રોને ક્યાં ખબર હતી કે વિદેશ જતાં મિત્ર સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પુત્રનું નવું ઘર જોવા જતા હતા
અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની સર્જાયેલી દુર્ઘટનામાં કડીથી પોતાના પુત્રને યુકે મળવા માટે જઈ રહેલા કરણપુર વિસ્તારના 71 વર્ષીય સિનિયર સિટીઝનનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.
આ પણ વાંચોઃ 30-30 સેકન્ડમાં એક મૃતદેહ મળ્યો, અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ સિવિલમાં મૃતદેહનો ખડકલો સર્જાયો
કડીના દેત્રોજ રોડ ઉપર રહેતા રતિલાલ પટેલના ત્રણ દીકરા પૈકી તેજસ છેલ્લા 18 વર્ષથી યુકેમાં સિટીઝન તરીકે પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેણે ત્યાં નવું મકાન લીધું હોવાથી પોતાના પિતા રતિલાલ પટેલને બોલાવ્યા હતા. તેમને મૂકવા માટે તેમનો પુત્ર તેમજ તેમના પરિવારજનો ગુરુવારે અમદાવાદ ઍરપોર્ટ જવા નીકળ્યા હતા. લંડન જવા તેઓ જે વિમાનમાં સવાર થયા હતા તે એકાએક અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતાં વયોવૃદ્ધ રતિલાલ પટેલ પણ ભોગ બન્યા હતા. તેમના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના સંબંધી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રહેતા રતિભાઈ તેમના દીકરાને મળવા માટે આજે સવારે નીકળ્યા હતા.
લંડન રહેતા દીકરાએ તેડુ મોકલતાં પતિ-પત્ની રવાના થયા હતા
લંડનમાં રહેતા પોતાના દીકરાએ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રહેતા સિનીયર સિટીઝન કુબેરભાઈ પટેલ અને તેઓને ધર્મપત્ની બબીબહેનને ફરવા માટે બોલાવ્યા હતા. જેથી તેઓ પોતાના પુત્રને મળવા માટે ઉત્સાહભેર લંડન જવા માટે ઘરેથી નીકળ્યા હતા. બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ટેક ઑફ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં તેઓ બેઠા હતા અને થોડાક કલાકોમાં લંડન જઈ દીકરાને મળીશું તેવું વિચારતા હશે ત્યાં જ વિમાન ક્રેશ થઈ જતાં કરુણાંતિકા સર્જાઈ હતી.
છ મહિના પહેલાં લગ્નગ્રંથીથી જોડાયેલી વિસનગરની યુવતી પતિને ન મળી શકી
વિસનગરના ગંજી વિસ્તારના અંકિતાબહેન પટેલના લગ્ન હજુ છ મહિના પહેલાં જ લંડનમાં રહેતા વસંતકુમાર પટેલ સાથે થયા હતા. ત્યારબાદ લંડનના વિઝા મળતાં પતિને મળવા જવા માટે ઉત્સુક હતા. ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ થતાં ગુરુવારે ગંજીના નાકે આવેલા ઉંચી ફળીના માઢ પાસે યુવતીના સ્નેહીજનોએ હોંશેહોંશે વિદાય આપી હતી. પરંતુ સ્નેહીજનોને ક્યાં ખબર હતી કે દીકરીને આપેલી આ વિદાય છેલ્લી હશે.
પુત્રવધુના સીમંતના પ્રસંગે હાજરી આપવા જઈ રહ્યા હતા
પાલનપુરની લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ઠક્કરના લંડન રહેતા પુત્રની ધર્મપત્નીનો સીંમતનો પ્રસંગ હોવાથી તેમાં હાજરી આપવા માટે તેઓ પોતાના પત્ની લાભુબહેન સાથે સવારે અમદાવાદ ઍરપોર્ટ ઉપર ગયા હતા. અહીં તેઓ એર ઇન્ડિયાના લંડન રવાના થયેલા વિમાનમાં બેઠા જ હતા ત્યાં થોડીક વારમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
00000000000
30-30 સેકન્ડમાં એક મૃતદેહ મળ્યો, અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ સિવિલમાં મૃતદેહનો ખડકલો સર્જાયો
Jun 13th, 2025Ahmedabad Plane Crash એમ્બ્યુલન્સની સાયરનોની સતત અવાજ, સ્વજનોના આક્રંદ-ચિત્કાર સિવિલ હોસ્પિટલ પરિસરમાં સંભળાય રહ્યા છે. વર્ષ 2008માં થયેલા બ્લાસ્ટ બાદ સંભવતઃ પ્રથમ એવી ઘટના હતી જ્યારે સિવિલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થઇ રહ્યા હતા.
વિમાન ક્રેશ થયું ત્યારે ઘણા ડૉક્ટરો-હોસ્પિટલ સ્ટાફ લંચ કરી રહ્યા હતા તો કેટલાક પોતાની ડયુટી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરતા હતા. અચાનક જ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા. જેમાં શરૂઆતમાં મોટાભાગનાને લાગ્યું કે આ કોઈ નાની-સૂની ઘટના હશે. પરંતુ જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ચિત્ર ભયાવહ થતું ગયું.
30-30 સેકન્ડમાં એક મૃતદેહ મળ્યો
સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહનો ખડકલો થતો ગયો. કલાકો સુધી સ્થિતિ એવી સર્જાઈ કે, એક પછી એક એમ્બ્યુલન્સમાં મૃતદેહ આવતા ગયા. આ મૃતદેહ પણ સંપૂર્ણપણે ભડથું થઈ ગયા હતા. એટલું જ નહીં કોઈ મૃતદેહના હાથ તો કોઇના પગ જૂદા પડી ગયા હતા. મૃતદેહને તાકીદે પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવાનું શરૂ કરી દેવાયું હતું.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : PM મોદી પ્લેન ક્રેશ સાઈટ પર પહોંચ્યા, પરિજનોને મૃતદેહ સોંપવાનું શરૂ
સ્વજનોની ઓળખ તો દૂર છેલ્લી વખત તેમનો ચહેરો પણ જોઇ શકાયો નહોતો
સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકસાથે 240થી વધુ મૃતદેહ આવી ગયા હતા. આ મૃતદેહ જોઈ પણ શકાય નહીં તેવી સ્થિતિમાં હતા. પરંતુ સ્થાનિકો-સેવાભાવી લોકો કોઈ પરવા કર્યા વિના એમ્બ્યુલન્સના લોકોની મદદ કરવા લાગ્યા. સમાચાર મળતાં સ્વજનોએ સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી. પરંતુ મૃતદેહની જે પ્રકારની હાલત થઈ ગઈ હતી તેનાથી સ્વજનોની ઓળખ તો દૂર છેલ્લી વખત તેમનો ચહેરો પણ જોઇ શકાયો નહોતો.
00000000000
અમદાવાદમાં સર્જાયેલી બંને વિમાન દુર્ઘટનામાં ગ્રહોમાં જોવા મળી આશ્વર્યજનક સમાનતા, અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોનું ગોચર
Jun 13th, 2025અમદાવાદમાં સર્જાયેલી બંને વિમાન દુર્ઘટનામાં ગ્રહોમાં જોવા મળી આશ્વર્યજનક સમાનતા, અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોનું ગોચર 1 – અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન ક્રેશની જે દુર્ઘટના ઘટી છે તેવી જ દુઃખદ ઘટના 19મી ઓક્ટોબર 1988ના રોજ પણ બની હતી. તે સમયના ગ્રહો અને ગુરૂવારે (12મી જૂન) બનેલી દુર્ઘટનાના ગ્રહોમાં ચકિત થઈ જવાય તેવી સમાનતા જોવા મળી છે.
કેતુ અને મંગળની યુતિના કારણે અગ્નિ સંબંધિત દુર્ઘટના વધવાની પ્રબળ સંભાવનાઓ
હાલની વાત કરીએ તો 18મી મેથી કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સાતમી જૂને મંગળે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. સિંહ રાશિ એક અગ્નિ તત્ત્વ રાશિ છે. કેતુ અગ્નિ તત્ત્વ ગ્રહ છે. મંગળ પણ અગ્નિ તત્ત્વ ગ્રહ છે. 28મી જુલાઈ સુધી સિંહ રાશિમાં મંગળ-કેતુની યુતિ થઈ હોવાથી અગ્નિ સંબંધિત દુર્ઘટના ઘટે તેવી પ્રબળ શક્યતા હતી. યુદ્ધ કે હિંસાની પણ શંકા હતી. કાળે શું ધાર્યું હશે તે ગુરૂવારે અમદાવાદમાં વિમાન દુર્ઘટના ઘટી હતી. મંગળ-કેતુ અગ્નિ તત્ત્વ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને બીજા બે ગ્રહો અન્ય અગ્નિ તત્ત્વ રાશિમાં હતા, ત્યારે અમદાવાદમાં વિમાન ઇમારત સાથે ટકરાઈને અગનગોળો બન્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો
19મી ઓક્ટોબર 1988ના રોજ અમદાવાદમાં વિમાન ક્રેશ થયું હતું. તે વખતે પણ રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરતો હતો. આ વખતે પણ રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો હતો. તે વખતે અગ્નિ તત્ત્વ રાશિમાં ત્રણ ગ્રહો ગોચર કરી રહ્યા હતા. આ વખતે અગ્નિ તત્ત્વ રાશિમાં ચાર ગ્રહો ગોચર કરી રહ્યા છે. જ્યારે કોઈ એક તત્ત્વની રાશિમાં વધુ ગ્રહો ગોચર કરી રહ્યા હોય ત્યારે તે તત્ત્વ સંબંધિત દુર્ઘટના ઘટવાની શક્યતા વધી જાય છે.
28મી જુલાઈ સુધી હજુ પણ કેતુ અને મંગળ યુતિમાં રહેવાના છે. ત્યાં સુધીમાં વિશ્વમાં અનેક અશાંતિ ભરી ઘટનાઓ, હિંસા કે યુદ્ધ જેવી સ્થિતિ થઈ શકે છે. આવામાં હરિનું સ્મરણ એ એક જ અકસીર ઉપાય છે.
00000000000
અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો
Jun 13th, 2025અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો 1 – અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ વિમાન ગણતરીની ક્ષણોમાં મેઘાણીનગર સ્થિત આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેડીકલ હોસ્ટેલની મેસ અને મેડીકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાતા ધડાકાભેર આગની ચપેટમાં આવી ગયું હતું. આ બનાવમાં વિમાનના ત્રણ ટુકડા થઇ ગયા હતા. ભલભલાનું કાળજુ કંપી ઉઠે તેવી આ ઘટનામાં આગમાં ભસ્મિભૂત થયેલા મૃતદેહને કોથળામાં અને ચાદરમાં લઇ જવા પડ્યા હતા અને કોઇ વ્યક્તિનો ચહેરો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતો. એટલું જ વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું ત્યાં રહેતા તબીબો અને તેમના પરિવારના સભ્યો બિલ્ડિંગમાં આગ લાગતા મોતને ભેટ્યા હતા.
પ્લેનના ત્રણ ટુકડા થઇ ગયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલું એર ઇન્ડિયાનું વિમાન કોઇ કારણસર મેઘાણીનગરમાં આવેલા આઇજીપી કંપાઉન્ડ સ્થિત મેડીકલ હોસ્ટેલની મેસ અને હોસ્ટેલની અતુલ્યમ 4 અને અતુલ્યમ 3 નામના બિલ્ડિંગ સાથે અથડાતા આગ ભભૂકી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુકઆ સમગ્ર બનાવમાં વિમાન પહેલા મેસની બિલ્ડિંગ સાથે અથડાયું હતું અને તેનો પાછળનો હિસ્સો તેમજ તે બિલ્ડિંગમાં ફસાઇ ગયો અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. આ સમયે મેસની બિલ્ડિંગની પાણીની ટાંકી સાથે અથડાયા બાદ વિમાન ત્યાંથી 300 મીટર દુર આવેલી અતુલ્યમ 4 નામની હોસ્ટેલની બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે અથડાયું હતું. ત્યારે તે સમયે વિમાનના બે ટુકડા થઇ ગયા હતા અને વિમાનનો મોટો હિસ્સો અતુલ્યમ 3 નામની બિલ્ડિંગના નીચેના ફ્લોર સાથે ટકરાયું હતું. આ સમયે મોટા ધડાકા સાથે આગ લાગી હતી.
વિમાન અકસ્માતની ઘટનામાં એવી ગોઝારી હતી કે વિમાનમાં રહેલા મુસાફરો અને ક્રુ મેમ્બર આગમાં ભસ્મિભૂત થઇ ગયા હતા. એટલું જ નહી વિમાન અથડાવાના કારણે અતુલ્યમ 4 અને અતુલ્યમ 3 નામની બિલ્ડિંગમાં આગમાં લપેટાઇ ગઇ હતી. સાથેસાથે અન્ય બે બિલ્ડિંગમાં પણ ભારે નુકશાન થયું હતું.જેના કારણે ત્યાં રહેતા તબીબો અને તેમના પરિવારો પૈકી કેટલાંક લોકોના ઘુમાડાને કારણે ગુંગળાઇને બેભાન થઇ ગયા હતા અને કેટલાંક લોકો જીવ બચાવવા માટે ચોથા માળેથી કુદી પડ્યા હતા.
આ બનાવમાં પેસેન્જરો સાથે તબીબો અને તેમના પરિવારના આઠ જેટલા સભ્યોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 40થી વધુને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. વિમાન ક્રેસ થયુ ત્યારે તેનો કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો હતો.
000000000000
વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના, જાણો વારંવાર આવું થવાના 5 કારણ
Jun 13th, 2025વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના, જાણો વારંવાર આવું થવાના 5 કારણ 1 – એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન જતી AI171 ફ્લાઈટ બોઈગ 787-8 ડિપલાઈનર સૌથી સુરક્ષિત પેસેન્જર પ્લેન ગણાય છે. 2011માં અમેરિકાના શિકાગો સ્થિત બોઈગ કંપની પહેલીવાર ઉડાન માટે લેવામાં આવેલા આ એરક્રાફ્ટની એડવાન્સ ટેક્નોલોજી, આધુનિક ડિઝાઈન અને સ્ટ્રોંગ સેફ્ટી રેકોર્ડ બહુ ચર્ચિત છે. આ ઘટના વિશ્વમાં છઠ્ઠી ઘટના છે. જ્યારે બોઈંગ 787 એરક્રાફ્ટ ક્રેશ થયું હોય. વધુ સુરક્ષિત ગણાતા બોઈંગ 787માં અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશે એની સારી સુરક્ષાની માન્યતા તોડી છે.
વિમાન ક્રેશ થવાનું કારણ હજું જાણી શકાયું નથી
મળતી માહિતી અનુસાર, 242 મુસાફરો સાથે ઉડાન પછી પાંચ જ મિનિટમાં જ્યારે પ્લેન જમીન પર ક્રેશ થયું, ત્યારે તેની ઉંચાઈ 650 ફૂટ પર હતી. જોકે, તેના ક્રેશ થવાનું કારણ હજું જાણી શકાયું નથી. 2011થી લઈને અત્યાર સુધીમાં બોઈંગ 787 વૈશ્વિક સ્તરે અનેક કલાકો સુધી ફ્લાઈટ અવર્સમાં ગાળ્યા છે. જાણકારોના મતે તેના ટ્રેક રેકોર્ડમાં બેટરીના સવાલો આવ્યા હોય તેવું બન્યું હશે, પરંતુ અત્યાર સુધીનો આ સૌથી પ્રથમ આ સ્તરનો કેસ બોઈગ 787ના ઈતિહાસમાં જોવા મળ્યો છે.
જાણકારોના મતે 787 બોઈંગની સુરક્ષા સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણવામાં આવે છે. ક્યા સ્તરે અને ક્યા ચૂક થઈ છે તે તપાસનો વિષય છે. બોઈંગ એરક્રાફ્ટ 787 અત્યાર સુધીના જેટલાં વિમાન અકસ્માતો થયા છે તેની ભૂલો શોધીને ખાસ બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના એવિએશન ઈન્ડસ્ટ્રીઝના વિદ્વાનો તેને સૌથી સુરક્ષિત એરક્રાફટ માને છે. છતાં પણ તેમાં અકસ્માત થવાને કારણે સુરક્ષા એજન્સીઓ અને એવિએશન નિષ્ણાંતોમાં અનેક અટકળો જોવા મળી રહી છે.
જાણકારોના મતે મોટા ભાગે વિમાન ક્રેશ થવાના મુખ્ય પાંચ કારણો જોવા મળે છે.
એન્જિન ફેઈલ્યોર
બોઈંગ 787માં Rolls-Royce Trent 1000માં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘણીવાર બર્ડ પીટ કે કોઈ ખામીને કારણે મુશ્કેલી કરી શકે છે, જેમાં Mey Day Coll કરવામાં આવે છે. પાયલોટ દ્વારા ત્રણ વાર મેડે બોલવામાં આવતાં એર ટ્રાફિક સ્ટાફ હરકતમાં આવે છે. ઘણીવાર એન્જિન ફેઈલોરનું કોઈ ચોક્કસ કારણ મળી શકતું નથી.
ઉડાન પછી અચાનક ઉતરાણ
એડીએસ ફ્લાઈટ ડેટા જણાવે છે કે એરક્રાફ્ટ ઘણીવાર અચાનક ટેકઓફ કરતી વખતે લેન્ડિંગ ગીઅરમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાઈ છે. એન્જિનમાં થયેલી ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર ફ્લેપ સેટિંગમાં થયેલી ભૂલને કારણે પણ થાય છે.
પાયલોટની ભૂલ અને ફ્લેપ સેટિંગ
પાયલોટની ભૂલ અને ફ્લેપ સેટિંગને કારણે પણ ફ્લાઈટની ઉડાનમાં મુશ્કેલી થાય છે.
વાતાવરણ અને ઓપરેશનલ પરિબળ
ઊંચું તાપમાન અને ઓછા રન વેમાં થયેલું ટેક ઓફના કારણે વિમાનમાં લોડ આવી શક્યો હોય, એરક્રાફ્ટમાં અગાઉ કોઈ ખામીની દરકાર ન લેવાઈ હોય બોઈંગમાં હોઈડ્રોલિક લિક્સ કે ફ્લેપના ઈસ્યું આવ્યા હોવાથી પણ અકસ્માત થઈ શકે છે.
000000000000
આખી જિંદગી ખેતી કરી, પુત્રએ ફરવા લંડન બોલાવ્યા અને પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
Jun 13th, 2025Ahmedabad Plane Crash અમદાવાદમાં લંડન માટે ટેકઓફ કરનાર પ્લેન ગણતરીની મિનિટોમા ક્રેશ થતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ દુર્ઘટનામાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં માતમ
અમદાવાદથી લંડન માટે ટેકઓફ થયેલુ એર ઈન્ડીયાનું પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થયાના બનાવથી અત્યારે વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં માતમ છવાયો છે. પ્લેનમાં ફતેહ દરવાજા પોયડાના માઢના દિનેશકુમાર કાન્તીલાલ પટેલ અને તેમના પત્ની ક્રિશ્નાબેન દિનેશકુમાર પટેલ, ફતેહ દરવાજા પાછલી શેરીમાં રહેતા દશરથભાઈ જોઈતારામ પટેલ અને તેમના પત્ની ડાહીબેન દશરથભાઈ પટેલ તથા ગંજી વિસ્તારના અંકીતાબેન વસંતકુમાર પટેલ લંડન જવા રવાના થયા બાદ પ્લેન ક્રેશ થતા જીવ ગુમાવ્યો હતો.
પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
દિનેશકુમાર કાન્તીલાલ પટેલે આખી જીંદગી ખેતી કરી હતી. તેમનો પુત્ર લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. પ્રથમ વખત વિદેશયાત્રાએ જતા હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને પીંડારીયા ખેતરમાં પાર્ટી પણ આપી હતી. જેમાં હિન્દી ફિલ્મનું ‘તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા’ ગીત પણ વગાડ્યુ હતું. ત્યારે મિત્રોને ક્યા ખબર હતી કે વિદેશ જતા મિત્ર સાથેની આ છેલ્લી મુલાકાત હશે. જેમને અમદાવાદ એરપોર્ટ મુકવા માટે મિત્રો પણ સાથે ગયા હતા.
આ પણ વાંચો: મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું, મુસાફરોએ ઠાલવ્યો હતો રોષ
લગ્નના છ માસ બાદ યુવતી પતિને મળવા જતી હતી
વિસનગર ગંજી વિસ્તારના અંકીતાબેન પટેલ લંડનમાં રહેતા તેમના પતિ વસંતકુમાર મહેન્દ્રભાઈ પટેલને મળવા માટે જઈ રહ્યા હતા. આ યુવતીના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયા હતા ત્યારબાદ લંડનના વિઝા મળતા પતિને મળવા જવા માટે ઉત્સુક હતા. તેણીને ગંજીના નાકે આવેલી ઉંચી ફળીના માઢ આગળથી તેમના સ્નેહીજનોએ હોંશેહોંશે વિદાય આપી હતી. પરંતુ તેમના સ્નેહિજનોને પણ ક્યા ખબર હતી કે દિકરીને આપેલી વિદાય છેલ્લી હશે. પ્લેન ક્રેશની દુર્ઘટનાથી તળ કડવા પાટીદાર સમાજમાં અત્યારે માતમ છવાયો છે.
00000000000
મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું, મુસાફરોએ ઠાલવ્યો હતો રોષ
Jun 13th, 2025મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું, મુસાફરોએ ઠાલવ્યો હતો રોષ 1 – Ahmedabad London Plane Crash : એર ઇન્ડિયાનું આ જ 171 બોઇંગ પ્લેન એક મહિના પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શકયુ ન હતું અને છેલ્લી ઘડીયે આ લંડન જતી આ ફલાઇટ કેન્સલ કરવી પડી હતી. એ વખતે પણ પ્લેનના પેસેન્જરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યુ છે અને તેના કારણે અવારનવાર ટેક્નિકલ ખામી સર્જાય છે અને ફલાઇટો કેન્સલ કરવી પડે છે, જેના કારણે મુસાફરોનો સમય પણ વેડફાય છે.
પેસેન્જરોના આ આક્રોશને જો એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ ઉઠેલી આ ફરિયાદોને લઇ પૂરતી તપાસ કરાઇ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત અને સેંકડો પેસેન્જર્સના જીવ બચાવી શકાયા હોત.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : 265 લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે PM મોદી અમદાવાદ આવે તેવી શક્યતા
હજુ ગયા મહિને જ અમદાવાદથી લંડન જઇ રહેલા પેસેન્જરોને એર ઇન્ડિયાની 171 બોઇંગ ફલાઇટનો કડવો અનુભવ થયો હતો. સામાન્ય રીતે એર ઇન્ડિયાની આ ફલાઇટ બપોરે 1-1૦ મિનિટની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હોય છે. જેને લઇ મુસાફરો બેથી ત્રણ કલાક વહેલા પહોંચી પણ ગયા હતા. પરંતુ તેમછતાં ફલાઇટ સમયસર ઉડાન ભરી શકી ન હતી. ઉલ્ટાનું એરપોર્ટ પર પેસેન્જરોનું બોર્ડિંગ જ ફલાઇટના સમયના એક કલાક બાદ શરૂ કરાયું હતું.
પેસેન્જરોનું બોર્ડિંગ પતી ગયા બાદ પણ તેમની પરેશાનીનો અંત આવ્યો ન હતો. પેસેન્જરને ફલાટમાં બેસાડાયા એ પછી બે કલાક સુધી તેઓને અંદર જ બેસાડી રાખવામાં આવ્યા હતા. અધૂરામાં પૂરું ફલાઇટમાં એસી પણ ચાલુ-બંધ થતુ હતું, જેના કારણે મુસાફરો અકળાયા હતા. ફલાઇટ કયારે ઉપડશે તેનો પણ ચોકક્સ જવાબ તેઓને મળતો ન હતો. મુસાફરોના ભારે ઉહાપોહ બાદ તેમને જાણકારી આપવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે આ ફલાઇટ કેન્સલ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
મુસાફરોને રિફંડ આપવાની જાહેરાત પણ કરાઇ પરંતુ તેઓનું લંડન જવાનું સમગ્ર આયોજન અને શીડયુલ પડી ભાંગતા મુસાફરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એર ક્રાફ્ટનો ઉપયોગ હજુ ચાલુ રાખે છે અને તેના કારણે અવાર નવાર ટેક્નિકલ ખામી કે નાની-મોટી મુશ્કેલીઓના કારણે ફલાઇટ કેન્સલ કરવી પડતી હોય છે. જેમાં મુસાફરોનો કિંમતી સમય તો વેડફાય જ છે પરંતુ આવી ટેક્નિકલ ખામી વચ્ચે કયારેક મુસાફરોના જીવ પણ જોખમાઇ શકે છે તેવી દહેશત પણ મુસાફરોએ પોતાના આક્રોશમાં વ્યકત કરી હતી.
એક મહિના પહેલાની આ ઘટનાને અને મુસાફરોની ફરિયાદને એરપોર્ટ ઓથોરીટી અને સંબંધિત સત્તાવાળાઓએ ગંભીરતાથી લઇ તે પરત્વે યોગ્ય નિરાકરણની કાર્યવાહી કરી હોત તો, કદાચ આજે સર્જાઇ તે કરુણાંતિકા નિવારી શકાઇ હોત અને સેંકડો મુસાફરોના જીવ બચાવી શકાયા હોત તેવી ચર્ચાએ પણ ભારે જોર પકડયુ હતું.
0000000000
‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ
Jun 13th, 2025’ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ 1 – British citizens Video viral : ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. વિમાન દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બ્રિટિશના એક મુસાફરનું મોત નીપજ્યું હતું. આ મુસાફરે દુર્ઘટના પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો અને તેની ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં પાછળ વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા.
અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં 53 બ્રિટિશના નાગરિકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી જેમી મીક નામના બ્રિટિશ નાગરિકનો ઘટના પહેલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જેમી મીકે ઈન્સ્ટાગ્રામ પર ભારતના પ્રવાસનો અનુભવ શેર કર્યો હતો. જેમીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અનેક યાદો સાથે ભારતમાંથી વિદાય લઈ રહ્યા છીએ…’
‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેમી તેના સાથી મિત્ર ફિયોનગલ ગ્રીનલોએ ભારતની મુલાકાતના પોતાના અનુભવને યાદ કર્યા અને ભારતમાં છેલ્લી રાત હોવાના કારણે અફસોસ વ્યક્ત કર્યો હતો. જેમાં ગુરુવારની સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાનની ઉડાન ભરતા પહેલા જેમીએ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે, ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ| LIVE: તમામ મુસાફરોના મૃત્યુની આશંકા વચ્ચે 11A નંબરની સીટ પરનો મુસાફર જીવિત
અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 265થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.
000000000
અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો 1 – આપણે ત્યાં જૂની કહેવત છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ …આ કહેવતનું સાક્ષાત્ દ્રષ્ટાંત આજે વિમાન ક્રેશમાં જોવા મળ્યું હતું. ક્યારેય ભૂલી શકાય નહીં તેવી દુઃસ્વપ્ન સમાન આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયાનું સામે આવ્યું છે. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્લેનક્રેશ થયું ત્યારે વિશ્વાસકુમાર રમેશે કૂદકો લગાવી દીધો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમ લાઇન 242 મુસાફરો સાથે ગુરૂવારે બપોરે 1:39ના રવાના થઇ હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વાસે જણાવ્યું કે, ‘ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. બધું જાણે આંખના પલકારામાં થઇ ગયું. વિમાન ક્રેશ બાદ હું ઊભો થયો ત્યારે મારી આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ જ ડરી ગયો હતો અને ઊભો થઇને તુરંત જ તે સ્થળથી દોડવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : 265 લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે PM મોદી અમદાવાદ આવે તેવી શક્યતા
મારી આસપાસ વિમાનના પાર્ટ્સ વિખરાયેલા પડયા હતા. અચાનક જ કોઇએ મને પકડયો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડયો હતો.’ વિશ્વાસ રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા છે. દીવમાં તે પરિવારના સદસ્યોને મળવા માટે આવેલા હતા. તેમની સાથે વર્ષીય ભાઇ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તેમનો મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નહોતો. વિશ્વાસ રમેશે જણાવ્યું કે, ‘અમે પારિવારિક કારણોસર દીવ આવ્યા હતા. મારી સાથે મારા ભાઇ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મળી રહ્યા નથી. પ્લીઝ, મારા ભાઇને શોધવામાં મદદ કરો. ‘
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
ભારતમાં થયેલી સૌથી કરૂણ વિમાન દુર્ઘટનાઓ
કાલીકટ એરપોર્ટ: 7 ઓગસ્ટ 2020ના રોજ વંદે ભારત મિશનની દુબઈથી કાલીકટ આવી રહેલી ફ્લાઈટ રન-વે ઉપર લપસી પડતા 30 ફૂટ ઉંધા ખાડામાં પડી જતા વિમાનના બે ટુકડા થયા હતા. વિમાનમાં સવાર 190 મુસાફરોમાંથી 21ના મોત થયા હતા જયારે 100ને ગંભીર ઇંજા પહોંચી હતી.
મેંગલોર: 20 મે 2010ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈથી મેંગલોર આવી રહેલી ફ્લાઈટ રન-વેથી બહાર નીકળી ગઈ હોવાથી ખીણમાં પડતા વિમાનમાં સવાર 166માંથી 158 મુસાફરોના મૃત્યુ થયા હતા.
પટણા: 17 જુલાઈ 1998ના રોજ એલાયન્સ એરની ફ્લાઈટ પટણા નજીક તૂટી પડી હતી. વિમાનને વળાંક લેતી વખતે પાયલોટે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હતી. વિમાન માનવ વસાહત ઉપર તૂટી પડયું હતું જેમાં ૫૫ પેસેન્જર અને પાંચ સામાન્ય નાગરીકોના મોત થયા હતા.
ચકરી દાદરી: 12 નવેમ્બર 1996માં હરિયાણાના ચકરી દાદરી નજીક સાઉદી અરબનું બોઇંગ 747 અને કઝાકસ્તનના વિમાન વચ્ચે હવામાં ટકરાવ થયો હતો અને તેમાં 349 મુસાફરોએ જીવ ખોયા હતા.
બેંગ્લોર: 14 ફેબુ્રઆરી 1990ના રોજ ઇન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ બેંગ્લોર એરપોર્ટ ઉપર રન-વે પર પહોચતી વેળાએ તૂડી પડી હતી જેમાં 146 મુસાફરોમાંથી 92ના મૃત્યુ થયા હતા.
અમદાવાદ: 19 ઓક્ટોબર 1988ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટ રન-વે તરફ ઉતરાણ માટે આવી રહી હતી ત્યારે કોતરપુર ખાતે તૂટી પડી હતી જેમાં 130 મુસાફરોના મોત થયા અને ત્રણનો બચાવ થયો હતો.
બોમ્બે એરપોર્ટ: 21 જૂન 1982ના રોજ મુંબઈ એરપોર્ટ નજીક પહોંચતા એર ઇન્ડિયાની ફ્લાઈટને અક્સ્માત થયો હતો અને વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમ સવાર 111 વ્યક્તિમાંથી 17ના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના ભારે વરસાદના કારણે ભીના રનવે ઉપર બની હોવાનું બહાર આવ્યું હતું.
અરબ સાગર: 1 જાન્યુઆરી 1978માં એર ઇન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ઉડાન ભરતી વેળાએ ટેકનીકલ ખામી સર્જાતા અરબ સાગરમાં તૂટી પડી હતી જેમાં 213 મુસાફરોના મૃત્યુ થયા હતા.
00000000000000
સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં, માહોલ ગમગીન
Jun 13th, 2025 સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં, માહોલ ગમગીન 1 – અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં.
સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરોના મોતથી માહોલ ગમગીન
દીવ વિસ્તારના 15 વ્યક્તિઓ એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ રમેશ 39 વ્યક્તિ વિશ્વાસકુમાર કૂદકો મારી બહાર નીકળી જતાં તેન બચાવ થયો છે. અન્ય 14 લોકોનો હજુ સુધી પતો લાગ્યો નથી. જૂનાગઢમાં કલેક્ટર કચેરી નજીક આવેલી શ્રીધર નગર સોસાયટીમાં રહેતા કૃષિ યુનિવર્સિટીના નિવૃત બાગાયત અધિકારી 65 વર્ષીય રવજીભાઈ ચોવટિયા (ઉ.વ.65)ના પુત્ર લંડનમાં રહે છે. તે પત્ની શારદાબેન ચોવટિયા સાથે જૂનાગઢથી લંડન જવા માટે નીકળ્યા હતા.
બીજી તરફ પુત્રીના સીમંત પ્રસંગમાં જતું વેરાવળનું દંપતી પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે. વેરાવળમાં નવી હવેલી પાસે રહેતા અને બીએસએનએલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા રાજુ જીમુલિયાના પુત્ર-પુત્રવધૂ, પુત્રી અને જમાઈ લંડનમાં રહેતા હતા. પુત્રીના સીમંતનો પ્રસંગ હોવાથી રાજુ જીમુલિયા અને તેના પત્ની ભાવનાબેન જીમુલિયા લંડન જવા માટે અમદાવાદથી નીકળ્યા હતા.
આ પણ વાંચો: પ્લેનક્રેશ થયુ ત્યાંથી 1200 બેડની સિવિલ હોસ્પિટલ માત્ર 500 મીટર દૂર હતીભુજ તાલુકાના કોડકી ગામના 55 વર્ષીય સુરેશ હિરાણી(પટેલ) તેમની સાથે તેમના માતા 85 વર્ષીય રાધાબાઈ અને 26 વર્ષીય પૌત્ર અશ્વિન એક મહિના પહેલા ગામમાં આયોજીત સંપ્રદાયના ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા લંડનથી આવ્યા હતા. પરિણીત પુત્ર અશ્વિન તેના માતા અને દાદીને લઈને અમદાવાદથી લંડન જવા માટે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બેઠાં હતા.
પોરબંદરના બરડાઈ બ્રહ્મસમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવગુમાવ્યા છે. લંડન ખાતે પતિની પ્રાર્થનાસભામાં હાજરી આપે તે પહેલાં જ રક્ષાબેન મોઢા, તેમના પુત્રવધૂ યશાબહેન અને પૌત્ર રૂદ્ર વિમાન દુર્ઘટનામાં મૃત્યુપામ્યાં છે.
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષ પરમાર જામનગર આવ્યા હતા અને લંડન જતી વખતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું.
અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ તાજેતરમાં જ લંડનથી વતન વડિયા આવ્યા હતા. તેમના પત્નીનું લંડનમાં અવસાન થતાં, તેઓ વતનમાં સગા-સંબંધીઓનેત્યાં કેટલીક વિધિઓ અને ફૂલ પધરાવવા માટે આવ્યા હતા. વતનમાં બેસણું અને અન્ય વિધિઓ પૂર્ણ કર્યા બાદ તે પરત લંડન જવા રવાના થયા હતા, ત્યારે રસ્તામાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી.
0000000000000
હાલોલની પરિણીતા સારવાર માટે આવી હતી અમદાવાદ, વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
Jun 13th, 2025હાલોલની પરિણીતા સારવાર માટે આવી હતી અમદાવાદ, વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ 1 – અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલમાં રહેતી અને હાલમાં લંડન ખાતે સ્થાયી પરિણીતા પણ ભોગ બની છે. હાલોલ ગામમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા તો સમગ્ર વિસ્તારના લોકો ચિંતામાં મૂકાતા શોકમગ્ન થઇ ગયા હતા. ઠેર ઠેર પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ગયો હતો.
હાલોલ ના બસ સ્ટેન્ડની સામે આવેલ વૈશાલી સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી રહેતા સ્વ. વિષ્ણુભાઈ પટેલની દીકરી રૂપલબેનનું બાળપણ તેમજ ભણતર હાલોલ ખાતે થયું હતું. આણંદના ઓડ ગામે રહેતા પીનલભાઈ પટેલ સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ સન 2009થી તેઓ તેમના પતિ સાથે લંડન સ્થાયી થયા હતા. તેમના ત્રણ સંતાનો હતા.
રૂપલબેન પટેલ 3 જૂનના રોજ તેઓની સારવાર અર્થે ભારત આવ્યા હતા. તે પૂર્ણ થતા અમદાવાદથી એર ઇન્ડિયાના વિમાન 171 માં સવાર થઈ લંડન પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન જ તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા. રુપલબેનને અમદાવાદ એરપોર્ટ ઉપર મૂકીને તેમનો ભાઈ પવન પટેલ નડિયાદ ખાતે ઘરે પરત ફર્યા હતા અને થોડી જ વારમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક ધોરણે અમદાવાદ પહોંચ્યા હતા.
દુર્ઘટનાને દ્રશ્યો જોઈને પવનના હોશકોશ ઉડી ગયા હતા અને બહેનની શોધખોળ આદરી હતી. રૂપલબેન પટેલના ભાઈ પવન સાથે ગુરૂવારે સાંજે 7 વાગ્યે થયેલી વાતચીત અનુસાર રૂપલબેનનો પતો હજુ મળેલ નથી પણ તેની ઓળખ માટે તંત્ર દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
00000000
અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેનમાં આગ લાગી હોવાનો પહેલો કોલ બપોરે 1.45 કલાકે ફાયર વિભાગના પાલડી ખાતે આવેલા મુખ્ય કંટ્રોલરુમ ખાતે મળતા નરોડા જી. આઈ.ડી.સી. ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલાયા હતા. એ સમયે આટલી મોટી દર્દનાક દુર્ઘટના બની હશે એની કલ્પના માત્ર કરી શકાઈ નહતી. સ્થળ ઉપર પહોંચ્યાની પાંચ મિનિટની અંદર જ ઉપરા છાપરી બેથી ત્રણ બ્લાસ્ટ થતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.
ફાયર ફાઈટર, વોટરબાઉઝર, એમબ્યુલન્સ સાથે 350થી વધુના સ્ટાફને બોલવવો પડયો હતો. પ્લેન ક્રેશ થતાં લાગેલી આગ તો એક કલાકની અંદર કાબૂમાં લઈ લેવાઈ હતી. નિકોલ ફાયર સ્ટેશન ખાતે ફાયરમેન તરીકે ફરજ બજાવતા રુઘનાથસિંહ નામના ફાયરમેનને ફરજ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ગણતરીની મિનિટમાં હતુ -નહતુ બની ગયુ હતુ.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : 265 લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે PM મોદી અમદાવાદ આવે તેવી શક્યતા
ગુરુવારે બપોર ફાયર કંટ્રોલ રુમને જે સમયે કોલ મળ્યો હતો એ સમયે આટલી મોટી દર્દનાક ઘટના ઘટી હશે એની તો કલ્પના જ કરી નહતી. નરોડા જી.આઈ.ડી.સી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈ સ્થળ ઉપર પહોંચ્યા.આગ ઓલવવાની કામગીરીની શરુઆત કરાઈ તે સમયે જ ઘડાકાભેર બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનો અણસાર આવી ગયો હતો.તેમણે તરત જ કંટ્રોલને જાણ કરતા નિકોલ, ઓઢવ, શાહપુર સહિતના અન્ય ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટર અને દસ જેટલા વોટર બાઉઝર સાથે સ્ટેશન ઓફિસર, જવાનો સાથેના સ્ટાફને પહોંચતો કરાયો હતો.
એડીશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,બ્રિગેડ કોલ જાહેર કરાયા પછી ચીફ ફાયર ઓફિસર, એડીશનલ ચીફ ફાયર ઓફિસર ,ચાર ડેપ્યુટી ફાયર ઓફિસર, 15 સ્ટેશન ઓફિસર, 337 ફાયરમેન 60થી વધુ ફાયરના વાહન સાથે પ્લેન ક્રેશ થવાના કારણે લાગેલી આગ હોલવવા અલગ અલગ લોકેશન ઉપરથી પાણીનો સતત મારો ચલાવી રહયા હતા. પ્લેન ધડાકાભેર તૂટી પડવાના કારણે લાગેલી પ્રચંડ આગના ધુમાડાના કારણે આગ હોલવવા અંદર જતી વખતે ખુબ સતર્કતા રાખવી પડી હતી.
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
એમ કહી શકાય કે બપોરે 1.45 કલાકે લાગેલી આગ એક કલાકની અંદર કાબૂમાં લઈ શકાઈ હતી.પરંતુ વિમાન ક્રેશ થયુ એ પછી અલગ અલગ વિસ્તારમાં એના ભાગ તુટીને પડયા હતા.જેને લઈ કોઈ અંદર હોય તો તેને બહાર કાઢી બચાવવાની કામગીરી પાંચ કલાક જેટલી ચાલી હતી. ઘણાં વર્ષો પછી અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાને પગલે મૃત્યુ પામેલાઓની જે સ્થિતિ જોઈ એ કોઈપણ માટે હૃદય દ્વાવક હતી.
અમદાવાદની સાથે વડોદરા ફાયર, ઓ.એન.જી.સી., એન.ડી.આર.એફની ટીમ જોડાઈ
અમદાવાદ ફાયર વિભાગની સાથે પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે રાહત અને બચાવની કામગીરી માટે વડોદરાથી ફાયરના વીસ વાહન સાથેની ટીમ અમદાવાદ પહોંચી હોવાનુ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહયુ હતુ. આ ઉપરાંત ઓ.એન.જી.સી., એન.ડી. આર.એફ., ગાંધીનગર ફાયર વિભાગ, ગિફટ સિટી, સિવિલ ડીફેન્સની ટીમોએ પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરુ કરી દીધી હતી.
200 થી વધુ વાહનોની મદદ લેવાઈ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા વીસથી વધુ એમ્બ્યુલન્સ ઉપરાંત 60 ફાયર ફાઈટર તથા વીસ જેટલા વોટર બાઉઝરની મદદથી આગ હોલવી હતી. આ ઉપરાંત વિમાનના કાટમાળને દુર કરવા સેન્ટ્રલ વર્કશોપના 159 વાહનો ,15 જેસીબી, પાંચ એકસકેવેટર, 25 ટ્રક અને એક રોલર સાથે સ્ટાફ કામગીરીમાં લાગ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું? જુઓ Graphic Animationમાં
ઈજનેર અને હેલ્થ વિભાગના સ્ટાફને કામે લગાડાયો
વિમાન દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 130 ઈજનેર અને હેલ્થ વિભાગના 100થી વધુ અધિકારીઓને તાત્કાલિક ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.
મ્યુનિ.સંચાલિત હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે વ્યવસ્થા કરાઈ
પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમની ટીમ સાથે રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર આપવા વ્યવસ્થા કરાઈ હતી.રજા ઉપર ગયેલા તબીબોને ફરજ ઉપર પરત બોલાવાયા હતા. હોસ્પિટલોમાં બલ્ડની બોટલોની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરાઈ હતી.
000000000000
પ્લેન ક્રેશમાં દરેક મૃતકોના કુટુંબીને ટાટા એક કરોડનું વળતર આપશે
Jun 13th, 2025પ્લેન ક્રેશમાં દરેક મૃતકોના કુટુંબીને ટાટા એક કરોડનું વળતર આપશે 1 – – મેડિકલ હોસ્ટેલના નવનિર્માણમાં પણ મદદ કરશે
– મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ દુર્ઘટના વખતે પ્રતિ પ્રવાસી રૂ. 1.4 કરોડ સહાય ચૂકવવી પડે
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા પછી દેશમાં શોકની લહેર છે. આ સમયે એર ઇન્ડિયાની માલિક ટાટા જૂથના ચેરમેન ચંદ્રશેખરને મૃતકોના કુટુંબીને એક-એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ટાટા જૂથ આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓની સારવારનો ખર્ચ પણ ભોગવશે. તેની સાથે તેમને જરૂરી દેખભાળ અને સમર્થન પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં નુકસાન પામેલી બી જે મેડિકલ કોલેજના ડોક્ટરોની હોસ્ટેલનું પુર્નનિર્માણ કરવામાં પણ ટાટા મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે એરલાઇન્સ આંતરરાષ્ટ્રીય પેસેન્જરોનું મૃત્યુ થાય ત પ્રકારની દુર્ઘટનાની સ્થિતિમાં પ્રતિ પેસેન્જર રૂ. ૧.૪ કરોડની સહાય ચૂકવે છે. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં તેના કરતાં ઓછી રકમ ચૂકવાય છે. પણ ભારતીય એરલાઇન્સ આ પ્રકારના બનાવમાં પણ તેટલી જ કે તેટલાની નજીક રકમ ચૂકવતી હોય છે. જો કે દરેક વિમાની પ્રવાસીનો વીમો હોય જ છે.
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં મૃત્યુ કે શારીરિક ઇજાની સ્થિતિમાં ભારતમા ઉડતી એરલાઇન્સે મોન્ટ્રિયલ કન્વેન્શન ૧૯૯૯ના નિયમમાં બંધાયેલી છે. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેના પર ભારતે પણ સહીસિક્કા કર્યા છે. તેના હેઠળ દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક પ્રવાસીને સરેરાશ ૧.૪ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. તેમા પણ જો એરલાઇનનો ફોલ્ટ હોવાનો માલૂમ પડે તો અકસ્માત વળતર વધી પણ શકે છે.
00000000000000
ઉડતું મોત આવ્યું: 241 પ્રવાસીઓ ભડથું
Jun 13th, 2025ઉડતું મોત આવ્યું: 241 પ્રવાસીઓ ભડથું 1 – – ન જાણ્યું જાનકીનાથે… એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના બંને એન્જિન ખોટકાતાં કરુણાંતિકા સર્જાઈ
– બોઇંગ 787 ડ્રિમલાઈનર મેડિકલ હોસ્ટેલ પર પડતા ચાર વિદ્યાર્થી અને અન્ય 20 સહિત કુલ 265 લોકો કાળનો કોળિયો બન્યા: 27 વિદ્યાર્થી ઘાયલ, કેટલાક રેસિડન્ટ ડૉક્ટરોના મૃત્યુની પણ આશંકા: દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનો જીવનદીપ પણ બૂઝાયો
અમદાવાદ : ગુજરાત માટે ૧૨ જૂન-ગુરૂવારનો દિવસ એક ભયાવહ સ્વપ્ન સમાન બની રહ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક્ ઓફ્ થયાની ૫૦ સેકન્ડમાં જ પ્લેનક્રેશ થયાની દુર્ઘટના થઇ છે. આ પ્લેનક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૪૧ મુસાફરોના મૃત્યુ થયા છે. ગુરૂવારે મોડી રાત સુધી એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હોવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર વિદ્યાર્થી અને અન્ય ૨૦ સહિત કુલ ૨૬૫ લોકો મૃત્યુ પામ્યા હતા. દેશના અત્યારસુધીના સંભવતઃ સૌથી ભયાનક પ્લેનક્રેશનો એ વાતથી અંદાજો લગાવી શકાય કે વિમાન તૂટયા બાદ તેનો એક હિસ્સો સિવિલ હોસ્પિટલથી દૂર મેડિકલ સ્ટુડન્ટ્સ માટની મેસ બિલ્ડિંગ પર પડયો હતો. જેમાં ૪ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા જ્યારે ૨૭ વિદ્યાર્થી સહિત ૪૫ સારવાર હેઠળ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ ૭૮૭ ડ્રિમલાઇનર એઆઇ ૧૭૧ અમદાવાદ એરપોર્ટના રન-વે ૨૩થી બપોરે ૧ઃ૩૯ના રવાના થઇ હતી. ટેક્ ઓફ્ થયાની થોડી ક્ષણ માંડ થઇ હશે ત્યાં જ એર ટ્રાફિક કન્ટ્રોલને ‘મે ડે’ એટલે કે ભારે જોખમની જાણ હોવાનો જાણ કરતો મેસેજ મળ્યો હતો. પરંતુ આ પછી એટીસી દ્વારા એરક્રાફ્ટને વળતો કોલ કરવાના અનેક પ્રયાસ છતાં કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. આ વિમાન થોડી જ વારમાં જ્વાળાઓમાં ફેરવાઇ ગયું હતું અને તેમાં સવાર મુસાફરો-ક્રુ મેમ્બર્સ હજુ કંઇ સમજે તે પહેલા ભડથું થઇ ગયા હતા. પ્લેનનો એક હિસ્સો સિવિલ હોસ્પિટલથી થોડે જ દૂર જઇને પડયો હતો. એર ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટમાં સવાર ૨૩૦માંથી ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશર્સ, ૭ પોર્ટુગિઝ અને ૧ કેનેડિયન હતા. અન્ય ૧૨માં બે પાયલટ અને ૧૦ ક્રુ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટના સર્જાયા બાદ બ્લેક બોક્સ શોધવાની તપાસ ચાલી રહી છે. જેના આધારે દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. ૧૧ વર્ષ જૂના આ એરક્રાફ્ટે ટેક્ ઓફ્ થયાની થોડી જ ક્ષણમાં સંતુલન ગુમાવી દીધું હતું. બર્ડ હિટને કારણે પણ આ ઘટના બની હોવાની સંભાવના છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટની જ્વાળાઓથી નજીકની બહુમાળી ઈમારતને પણ નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના બાદ ચાર કલાક સુધી અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટની મૂવમેન્ટ બંધ કરી દેવામાં આવી હતી. પ્લેનક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્ગો મોટર માલિકના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું છે. દુર્ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. બીજી તરફ ટાટા જૂથ દ્વારા મૃતકોના પરિવારજનો માટે રૂપિયા ૧ કરોડની સહાય જાહેર કરાઇ છે.
000000000000
ફ્લાઈટ ટેકઓફની એક મિનિટમાં એન્જિન બ્લોક થતાં બ્લાસ્ટ
Jun 13th, 2025ફ્લાઈટ ટેકઓફની એક મિનિટમાં એન્જિન બ્લોક થતાં બ્લાસ્ટ 1 – – અમદાવાદમાં 37 વર્ષ બાદ કરૂણાંતિકા કઈ રીતે સર્જાઈ?
– રન-વે ઉપર ગતિ પકડી ઉડેલું વિમાન 126 નોટ્સની સ્પીડે માંડ 625 ફૂટ ઊંચાઈએ પહોંચ્યા બાદ ધરાશાઈ
અમદાવાદ : અમદાવાદના ઈતિહાસમાં ૩૭ વર્ષ બાદ વિશ્વ આખાને હચમચાવતી પ્લેન-ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. નિષ્ણાતોના મતે બોઈંગ બ્લાસ્ટ પાછળ પાંચથી છ કારણો પૈકી એન્જિન લોક થવાથી દૂર્ઘટના સર્જાયાનું સમજાઈ રહ્યું છે. અમદાવાદથી લંડન માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરે ૧-૩૦ વાગ્યે ઉડાન ભરવા માટે રન-વે ઉપર આવી હતી. આઠ મિનિટમાં રન-વે ઉપર ગતિ પકડીને વિમાન ઉડયું હતું. કેપ્ટન સુમિત સબરવાલ અને ટીમે ૧-૩૯ કલાકે વિમાને રન-વે મુકીને હવામાં ગતિ કરી હતી. ૧૨૬ નોટ્સ એટલે ૩૨૨ કિલોમીટરની સ્પીડે વિમાન હવામાં ઉડીને એરપોર્ટથી ૬૨૫ ફૂટની હાઈટે પહોંચ્યું હતું. આ સમયે વિમાને અચાનક જ એર કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યાની સ્થિતિ સર્જાઈ હતી. વિમાનના કેપ્ટને મે-ડે એટલે કે મૃત્યુ તરફ લઈ જતી ક્રિટિકલ ઈમરજન્સીનો મેસેજ કર્યો હતો.
અમદાવાદ રન-વે છોડયો તેની એક જ મિનિટમાં ૬૨૫ ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું વિમાન અચાનક જ જમીન તરફ ધસવા લાગ્યું હતું. કેપ્ટનના ‘મે-ડે’ મેસેજ વચ્ચે એરપોર્ટથી ચાર-પાંચ કિલોમીટર દૂર પહોંચેલું પળવારમાં જ ધરાશાયી થયું હતું. લંડન જઈ રહેલું વિમાન બી. જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં રોયલ મેસથી આઈજીપી કમ્પાઉન્ડ એટલે કે ડોક્ટર્સ રેસિડન્ટ એવા અતુલ્યમ ફ્લેટ ઉપર જઈને પડયું હતું. ડોક્ટર્સ ફેમિલી અને મેસના અંદાજે અડધા કિલોમીટર વિસ્તારમાં વિમાનનો કાટમાળ ફેલાઈ ગયો હતો.
માનવામાં ન આવે તેવી વિમાન દુર્ઘટનાના કારણો અંગે નિષ્ણાતોએ અભ્યાસ શરૂ કર્યો છે. પ્રાથમિક તારણ અનુસાર, વિમાન હવામાં હતું તે દરમિયાન કોઈ જ પ્રકારનો ધડાકો કે દુર્ઘટના સર્જાઈ તેવી ઘટના સર્જાઈ નહોતી. વિમાનને નુકસાન કરે તેવા બર્ડહીટના ચિહનો પણ મળ્યાં નથી. આ સંજોગોમાં કોઈ ટેકનિકલ કારણોસર અચાનક જ વિમાનના બન્ને એન્જિન બ્લોક થયાં હોય અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું. જમીન તરફ ધસી ગયેલું વિમાન ૩૦૦ કિલોમીટર આસપાસની ગતિએ બી.જે. મેડિકલ કોલેજની રોયલ મેસ અને હોસ્ટેલના અતુલ્યમ ફ્લેટસ બિલ્ડીંગ સાથે જઈને અથડાયું હતું. એન્જિન બ્લોકના કારણે વિમાન દુર્ઘટના સર્જાયાનું પ્રાથમિક તારણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.
જો કે, વિમાનના બ્લેક બોક્સ, ફલાઈટ રેકોર્ડર અંગે બોઈંગ કંપનીની અમેરિકી ટીમ સાથે ભારતના એવિએશન નિષ્ણાતોની તપાસ બાદ જ દુર્ઘટનાનું ખરૃં કારણ સ્પષ્ટ થશે.
૧૯૮૮માં ખરાબ હવામાનના કારણે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ૩૭ વર્ષ બાદ સર્જાયેલી કમનસીબ દુર્ઘટના હવામાનના કારણે નથી જ સર્જાઈ એટલું તો નક્કી છે.
પાયલટે ‘મેડે’નો કૉલ કર્યો હતો
પાયલટ સુમિત સબ્બરવાલે ફ્લાઇટ ટેક્ ઓફની થોડી જ ક્ષણોમાં મે ડે નો કોલ એર ટ્રાફિક કન્ટ્રોલને કર્યો હતો. આ પછી એટીસી દ્વારા જેટલા પણ કોલ કરાયા તેમાં કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. કોઇ પાયલટ જોખમભરી સ્થિતિ હોય ત્યારે ‘ મે ડે’ નો કોલ કરતો હોય છે.
પ્લેનક્રેશનો ઘટનાક્રમ
– બપોરે ૧:૩૯ના ફ્લાઇટ ટેક્ ઓફ્ થઇ
– બપોરે ૧:૪૦ના વિમાન ક્રેશ.
– ઘટનાની જાણ થતાં જ બપોરે ૨ વાગે સિવિલને એલર્ટ પર મૂકી દેવાઇ.
– પ્લેન ક્રેશ બાદ દૂર-દૂર સુધી ધૂમાડા દેખાયા.
– બપોરે ૨:૧૦ અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટની અવર-જવર બંધ કરાઇ.
– બપોરે ૨:૩૦ના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સિવિલ પહોંચ્યા.
– બપોરે ૨:૩૫ વડોદરા ફાયર બ્રિગેડના ૨૫ ફાયર એન્જિન અમદાવાદ મોકલાયા.
– બપોરે ૨:૪૦થી રહેણાંક વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ.
– સિવિલમાં મૃતદેહ સાથે દર ૩૦ સેકન્ડે એક-એમ્બ્યુલન્સ આવી.એક તબક્કે સ્ટ્રેચર ખૂટી પડતાં લારીમાં મૃતદેહ લઇ જવા પડયા.
– બપોરે ૩:૩૦ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો.
– સાંજે ૫:૩૦ મર્યાદિત ફ્લાઇટ સાથે એરપોર્ટ શરૂ કરાયું.
: સાંજે ૬:૨૦ના સગાઓના સેમ્પલ ટેસ્ટ લેવા ડીએનએ ટેસ્ટની મદદ લેવાનું શરૂ.
0000000000000
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અગનગોળો બન્યું, 241 પ્રવાસીઓના મોત , 1 નો ચમત્કારિક બચાવ
શબ બહાર કાઢવામાં આવતા મોટા ભાગના બળેલી હાલતમાં હતા
સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટા વાયરલ થતા હાહાકાર મચી ગયો હતો
Jun 13th, 2025અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અગનગોળો બન્યું, 241 પ્રવાસીઓના મોત , 1 નો ચમત્કારિક બચાવ 1 – અમદાવાદ,12 જૂન,2025,ગુરુવાર
અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ ૦૧૭૧ ક્રશ થતા પહેલા પાયલોટે મેડે મેસેજ મોકલાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે પાયલોટ એક વાર નહી વારંવાર મેડે -મેડે એમ બુમો પાડી હતી. મેડે એવિએશનની ટર્મિનોલોજીનો ખાસ શબ્દ છે જેનો ઉપયોગ અત્યંત કટોકટી સમયે થાય છે. આ શબ્દને ડિસ્ટ્રેસ કોલ માટે વપરાય છે. તેનો અર્થ પ્રવાસીઓનો જીવ સંકટમાં છે વિમાનને તાત્કાલિક મદદની જરુર છે.
આવી અત્યંત ઇમરજન્સીની સ્થિતિ મેડે કોડવર્ડમાં વ્યકત થાય છે. ફલાઇટમાં કોઇ પણ પ્રકારના સંકટ સમયે મેડે બોલવા માટે પાયલોટને સૂચના આપવામાં આવેલી હોય છે. આ બુમ એક વાર નહી ત્રણ વાર બોલવા માટે શિખવવામાં આવે છે. તેના આધારે જ એટીએસને વિમાનમાં ગંભીર પરિસ્થિતિનો અંદાજ આવે છે. ૧૯૨૦માં આ શબ્દ બોલવાની શરુઆત થઇ હતી. લંડનના ક્રોડોન એરપોર્ટ પર રેડિયો ઓફિસર પ્રેડરિક સ્ટેનલી મોકફોર્ડ સૌ પ્રથમવાર માય ડે શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દ ફ્રેન્ચ ભાષાના માઇડર શબ્દ પરથી બન્યો છે.
મૃતકની ઓળખ માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટ કરવા સ્વજનોની માંગણી
અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ ૦૧૭૧ ક્રશ થતા મૃતકના સ્વજનોએ લાશની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી. હોસ્ટેલની એક બિલ્ડિંગ પાસે ઘડાકા સાથે આગની જવાળાઓમાં લપટાયેલા વિમાનમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રુ મેમ્બર હતા. વિમાનના 241 પ્રવાસીઓના કરુણ મોત થયા હતા જયારે 1 પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના સ્થળેથી શબ બહાર કાઢવામાં આવતા મોટા ભાગના બળેલી હાલતમાં હતા. ચામડી બળી જવાથી માત્ર શરીરના હાડકા જ દેખાતા હતા.
સિવિલ હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહ લઇ જવાતા કરુણ વાતાવરણ સર્જાયું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટા વાયરલ થતા હાહાકાર મચી ગયા હતા.પ્લેન ક્રશના સમાચાર મળતા જ પ્રવાસીઓના સ્વજનોએ દોડાદોડ કરી હતી. મૃતદેહ ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ સેમ્પલ ટેસ્ટ કરીને સ્વજનના શબ સોંપવાની માંગણી કરી હતી. ડીએનએ સેમ્પલ ટેસ્ટ માટે સ્વજનો સિવિલ હોસ્પિટલની હેલ્પલાઇન પર પુછપરછ કરી હતી.
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અગનગોળો બન્યું, 241 પ્રવાસીઓના મોત , 1 નો ચમત્કારિક બચાવ 2 –
અમદાવાદના ટ્રાફ્રિકના લીધે મોડું થવાથી યુવતી ફલાઇટ ચુકી જતા બચી
અમદાવાદથી લંડન જતી ફલાઇટમાં ૨૪૨ લોકોને એરપોર્ટથી ટેક ઓફ થયેલું વિમાન ચુકી જતા ભૂમિ ચૌહાણ નામની યુવતી હતાશ થઇ હતી. અમદાવાજના ટ્રાફિકમાં ફસાવાથી તે એરપોર્ટ પર બોર્ડિગ પ્રોસેસ કરાવી શકી ન હતી. વિદેશ જવાની ઘણી તૈયારીઓ કરી હોય ત્યારે ફલાઇટ ચુકી જવાથી કોઇ પણ પ્રવાસી નિરાશ થાય તે સ્વભાવિક છે પરંતુ કયારેક કોઇ હતાશ કરતી ઘટનામાં પણ જીવન છુપાએલું હોય છે. ભૂમિએ જાણ્યું કે અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ ૦૧૭૧ ક્રશ થઇ છે ત્યારે જીવ બચવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો. આમ ફલાઇટ ચુકી ગયેલી યુવતીને જીવતદાન અમદાવાદીઓમાં‘ ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું.
આગના ગોળામાં ફેરવાયેલા વિમાનમાં ગુજરાતી મૂળના લંડનવાસીનો ચમત્કારિક બચાવ
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ ૦૧૭૧ ક્રશ થતા વિમાન આગના ગોળામાં ફેરવાઇ હતી. વિમાને ટેક ઓફ કર્યાના માત્ર બે મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં ઇન્ટર્ન ડૉકટરની હોસ્ટેલની બિલ્ડિંગ પર તુટી પડયું હતું. જેમાં 50 જેટલા આશાસ્પદ તબિબોના મુત્યુ થયા હોવાનું જાણવા મળે છે. આગની પ્રચંડ જવાળાઓમાં એક પછી એક મૃતદેહો ભડથું થઇ ગયા હતા. વિમાનમાં બેઠેલા એક પણ મુસાફરની બચવાની આશા ન હતી ત્યારે રમેશ વિશ્વાસકુમાર ભાલિયા નામના એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. તે આગની જવાળાઓથી તેઓ પણ દાઝી ગયા હતા પરંતુ લાશોના ઢગલા વચ્ચે બહાર નિકળવામાં સફળ રહયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રમેશ ભાલૈયા મૂળ દિવ ગામના વતની છે તેઓ ૨૦ વર્ષથી લંડનમાં રહે છે અને બ્રિટિશ નાગરિક છે. તેઓ પોતાના સંબંધીને મળવા ભારત આવ્યા હતા અને ફલાઇટમાં બેસીને લંડન જઇ રહયા હતા.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત
Jun 13th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત 1 – Air India Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જેની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઇ.
241 મુસાફરોના મોત: એર ઇન્ડિયા
એર ઇન્ડિયાએ X પર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. અમને જણાવતા દુઃખ થાય છે કે ફ્લાઇટ AI171માં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ મુસાફર જીવિત બચી શક્યો. બચાવના પ્રયાસો પૂર્ણ થયા છે અને અધિકારીઓ હવે પીડિતોની ઓળખ અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
000000000000
અમદાવાદમાં 37 વર્ષ પહેલા વિમાન ક્રેશની ઘટનામાં 133 લોકોના મુત્યુ થયા હતા.
લંડન જતી ફલાઇટ ક્રેશ થતા 1988માં બનેલી દુર્ધટના તાજી થઇ
પાયલોટ ઓછી વિઝિબિલિટીમાં રન વે શોધવાનો પ્રયાસ કરતા હતા.
Jun 13th, 2025અમદાવાદમાં 37 વર્ષ પહેલા વિમાન ક્રેશની ઘટનામાં 133 લોકોના મુત્યુ થયા હતા. 1 – અમદાવાદ,12 જૂન,2025 ગુરુવાર
અમદાવાદમાં ૩૭ વર્ષ પહેલા પણ ૧૯ ઓકટોબર ૧૯૮૮માં એક વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૩૩ લોકોના મુત્યુ થયા હતા. ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન મુંબઇથી અમદાવાદ આવતું હતું ત્યારે વિમાન અમદાવાદ એરપોર્ટની નજીક તુટી પડયું હતું. ઇન્ડિયન્સ એરલાયન્સનું વિમાન બોઇંગ ૭૩૭ -૨૦૦ ઓછી વિઝિબિલિટીના કારણે ઝાડ અને વિજળીના ટ્રાન્સમિશન ટાવર સાથે ટકરાતા ક્રશ થયું હતું,
આ અકસ્માતમાં પણ એક પ્રવાસીનો અદભૂત બચાવ થયો હતો. બાકીના તમામ મુસાફરો માર્યા ગયા હતા. મુંબઇથી સવારે ૬.૨૦ લાગે વિમાન મુંબઇથી અમદાવાદ માટે પેસેન્જર વિમાન રવાના થયું પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના લીધે પાયલોટે હવામાન અંગેની માહિતી માંગી હતી પરંતુ લેન્ડિંગની અનુમતી માંગી ન હતી. સવારે ૬.૫૩ વાગે ચિલોડાના કોતરપુર પાસે એક ઝાડ અને વીજળીના ટ્રાન્સમિશનને વિમાન ટકરાયું હતું.
કોકપિટમાંથી વોઇસ રેકોર્ડરના આધારે માહિતી બહાર આવી હતી કે પાયલોટ ઓછી વિઝિબિલિટીમાં રન વે શોધવાનો પ્રયાસ કરતા હતા. આ પ્રયાસમાં બે પાયલોટ વિમાન નીચે પણ ઉતારી રહયા હતા. જયારે વિમાન ૧૦૦૦ ફૂટ જેટલું નીચે આવી ગયું ત્યારે એરપોર્ટથી ૩ કિમી દૂર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ઘટના પછી ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદથી લંડન જઇ રહેલા વિમાન આગનો ગોળો બની જતા ૨૪૨ લોકોના મોત થયા છે. આથી લોકોને ૧૯૮૮માં બનેલી ઘટનાની યાદ તાજી થઇ છે.
ભારતમાં ૧૯૩૮માં ભારતમાં પ્રથમ વિમાન અકસ્માત થયો હતો.
અમદાવાદમાં 37 વર્ષ પહેલા વિમાન ક્રેશની ઘટનામાં 133 લોકોના મુત્યુ થયા હતા. 2 – ભારતના એવિએશનના ઇતિહાસમાં વિમાન અકસ્માતની આમ તો અનેક ઘટનાઓ બની છે પરંતુ પ્રથમ વિમાન ક્રશની ઘટના આઝાદી પહેલા ૧ માર્ચ ૧૯૩૮ના રોજ દતિયા મધ્યપ્રદેશમાં બની હતી. વિયેતનામના હનોઇથી ફ્રાંસના પેરિસ જઇ રહેલા વિમાનમાં આગ લાગવાથી 3 ક્રુ મેમ્બર અને ૪ પ્રવાસીઓ સહિત કુલ ૭ લોકોના મોત થયા હતા. બીજો વિમાન અકસ્માત ૧૪ ઓગસ્ટ-૧૯૪૩માં લોનાવલા મહારાષ્ટ્રમાં થયો હતો જેમાં ૬ ના મોત થયા હતા. ટાટા નેશનલ એરલાઇન્સનું સ્ટિંસન મોડેલનું વિમાન કોલંબોથી કરાંચી જઇ રહયું હતું જે લોનાવલાના પહાડની ટોચ સાથે ટકરાયું હતું.
00000000000000
રૂપાણી પંજાબથી આવીને લંડન જવા નીકળ્યા હતા, ત્રણ દિવસ પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
Jun 13th, 2025રૂપાણી પંજાબથી આવીને લંડન જવા નીકળ્યા હતા, ત્રણ દિવસ પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 1 – – ત્રણ દિવસ પહેલા રૂપાણીએ પંજાબમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
– ભંડેરી-ભારદ્વાજ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા, વિજયભાઈ ગાધીનગર બે દિવસ રોકાઈને નીકળ્યા
– પ્લેન ક્રેશના ખબર મળતા લંડનમાં પુત્રી-જમાઈને ત્યાં પહોંચેલા વિજયભાઈના પત્ની ગુજરાત આવવા રવાના
રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટમાં ઈ.સ.૧૯૬૦થી રહીને રાજકીય કારકીર્દિ ઘડનાર ૬૮ વર્ષીય વિજયભાઈ રૂપાણી આજે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે આ એરઈન્ડિયાનું આ પ્લેન ટેકઓફની સેકન્ડોમાં તુટી પડયું હતું. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મૂજબ લંડન જવાનો વિજયભાઈનો પ્લાન હતો, તેમની પુત્રી રાધિકાબેન અને જમાઈ બન્ને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમને ત્યાં વિજયભાઈના પત્ની અંજલિબેન અગાઉ ત્યાં પહોંચી ગયા હતા અને વિજયભાઈ પંજાબથી આવીને ગાંધીનગરમાં બે દિવસ રોકાઈને આજે આ પ્લેનમાં બેઠા હતા.
રાજકોટમાં નિતીન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ આજે લંડન પહોંચીને ત્યાં ૨૨ દિવસ સુધી રહેવાનો,ફરવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હતો. અંજલિબેન રૂપાણી અગાઉ ગયા હતા અને વિમાન અકસ્માતની ઘટના બાદ તેઓ ગુજરાત પરત આવવા રવાના થઈ ગયાનું જાણવા મળે છે.
પંચાવન વર્ષથી રાજકારણમાં સક્રિય વિજયભાઈને પંજાબ રાજ્યના ભાજપના પ્રભારીની જવાબદારી સોંપાયેલી હોય અને લુધિયાણા પશ્ચિમ બેઠકની પેટાચૂંટણી આગામી તા.૧૯ના યોજાનાર હોય તેના પ્રચાર માટે તેઓ ત્રણ દિવસ પહેલા લુધિયાણા ગયા હતા. ત્યાં તેમણે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવાર જીવન ગુપ્તાનો પ્રચાર કરીને ભાજપ વિજયી થઈને ઈતિહાસ રચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બે દિવસ પહેલા તેઓ ગાંધીનગર આવ્યા હતા અને ત્યાં જરૂરી મુલાકાતો કરીને રાજકોટમાંથી આજે બપોરે ઉપડતી અમદાવાદ-લંડનની ફ્લાઈટમાં ટિકીટ બૂક કરાવી હતી જે મૂજબ તેઓ આજે લંડન દિકરીને ત્યાં જવા નીકળ્યા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું હતુ.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટ્રમ્પે વ્યક્ત કર્યું દુ:ખ, શરીફે કહ્યું- પીડિતો પ્રત્યે સંવેદના
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટ્રમ્પે વ્યક્ત કર્યું દુ:ખ, શરીફે કહ્યું- પીડિતો પ્રત્યે સંવેદના 1 – ગુજરાતના અમદાવાદ-લંડન એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત 241 વધુ મુસાફરોના મોત થયા છે, જ્યારે માત્ર એક મુસાફર સુરક્ષિત બચી ગયો છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. જ્યારે ઘટનાને લઈને દુનિયાભરના નેતાઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ભીષણ વિમાન દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે ટ્રમ્પે કહ્યું કે, ‘આ એક ભયાનક દુર્ઘટના છે. અમારી સંવેદના ભારત સાથે છે. અમે જે કાંઈ પણ થઈ શકે એ માટે ભારતની દરેક મદદ કરવા તૈયાર છીએ.’ બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને તેમના ભાઈ નવાઝ શરીફે પણ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યો હતો.
મદદ માટે ભારત આવશે અમેરિકી તપાસ એજન્સી
અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાભરમાં શોક જોવા મળી રહ્યો છે, ત્યારે પ્લેન દુર્ઘટનાને લઈને ટ્રમ્પ પ્રશાસનને પહેલાથી અમેરિકાની રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (NTSB)ને તપાસમાં સહયોગ કરવા માટે ભારત મોકલવાની પરવાનગી આપી દીધી છે. આ સિવાય અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ આ દુઃખ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો અને ભારતને દરેક સહાયતા કરવાની વાત કરી હતી.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે ‘આજે અમદાવાદ નજીક એર એન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી દુખી છું. આ ભયંકર નુકસાનથી પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત
નવાજ શરીફે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના જાનહાનિ પર મારી સંવેદના. આ હૃદયદ્રાવક દુર્ઘટના સરહદોથી પણ આગળ છે અને આપણને આપણી માનવતાની યાદ અપાવે છે. મારી ઊંડી સંવેદનાઓ વડાપ્રધાન મોદી અને ભારતના લોકો પ્રત્યે છે.’
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ LIVE: 200થી વધુના મોતની આશંકા, એકનો ચમત્કારિક બચાવ; અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી
ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં 242 લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને 10 કેબિન ક્રૂ સદસ્યો સામેલ છે. વિમાન મેઘાણીનગર નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં પણ મોટા પાયે જાનહાનિના અહેવાલ છે. પ્લેન ટેકઓફ થયાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ પ્લેન ક્રેશ થયું કેવી રીતે, સમજો ગ્રાફિક એનિમેશનથી.
0000000000000
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત 1 – Air India Flight Crash in Ahmedabad : અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે.
જે કંપનીએ વિમાન બનાવ્યું, તે એક્સપ્રર્ટ્સની ટીમ ભારત મોકલશે
અમેરિકાની એજન્સી એલટીએસબીએ પોતાની એક્સપર્ટ્સની ટીમ ભારત મોકલવાની તૈયારી કરી દીધી છે. આ ટીમ એઆઈઆઈબી સાથે મળી અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનની તમામ બાબતોની તપાસમાં કરશે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 પ્રોટોકોલ મુજબ, જ્યારે કોઈ દેશમાં વિમાન દુર્ઘટના થાય છે અને તે વિમાન જે કંપનીએ બનાવ્યું હોય છે, ત્યારે તે વિમાન બનાવનાર કંપની તપાસમાં સામેલ થઈ શકે છે. ક્રેશ થયેલું એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 હતું, જે અમેરિકાની કંપની બોઈંગ દ્વારા બનાવાયું છે, તેથી ઘટનામાં એનટીએસબીની ભૂમિકામાં હોવાનું સ્વાભિવક છે.
એનટીએસબીની અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી
એનટીએસબી એટલે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી છે. આ કંપની ત્યાં થતી વિમાન દુર્ઘટનાઓની તપાસ કરે છે, જે વિમાન, ટ્રેન, રોડ, દરિયામાં અને પાઈપલાઈન ઘટનાઓની તપાસ કરે છે. જો અમેરિકાની બહાર અમેરિકામાં બનતા વિમાનની કોઈ દુર્ઘટના બને છે, તો એનટીએસબી આઈસીએઓના નિયમ મુજબ, તે દેશની મંજૂરી મેળવ્યા બાદ તપાસમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના ભયાવહ દ્રશ્યો, વિમાનનો પાછળનો હિસ્સો ઈમારત પર જ દેખાયો
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
આજે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ-171 અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે રવાના થયું હતું. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ થવાની સાથે જ થોડીક સેકન્ડોમાં મેઘાણીનગર વિસ્તારમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનામાં રાજસ્થાનના 11 લોકોના મોત થયા છે, જેમાં ઉદયપુર, બાંસવાડા, બીકાનેર અને બાલોતરા જિલ્લાના રહેવાસીનો સમાવેશ થાય છે.
00000000000000
અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુક
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુક 1 – અમદાવાદ એરપોર્ટ પાસે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકોના પણ મોત થયા છે. બાંસવાડા જિલ્લાના રહેવાસી ડૉ.પ્રદીપ વ્યાસની ફેમિલીની તસવીર સામે આવી છે, જેમાં તેઓ, તેમની પત્ની ડૉ.કોની વ્યાસ અને તેમના ત્રણ બાળકો પ્રદ્યુત જોશી, મિરાયા જોશી અને નકુલ જોશી દેખાઈ રહ્યા છે. આ આખો પરિવાર લંડન જવાની ખુશીમાં હસતો જોવા મળી રહ્યો છે.
પ્લેનમાં ડૉક્ટર દંપતીએ બાળકો સાથે સેલ્ફી પાડી
ડૉ.પ્રદીપ વ્યાસ પત્ની અને બાળકો સાથે લંડન જઈ રહ્યા હતા. તેઓ ફ્લાઈટમાં બેઠા ત્યારે પરિવાર સાથે એક સેલ્ફી તસવીર પણ મોબાઈલમાં કંડારી હતી, જોકે આ સેલ્ફી તેમના પરિવારની જિંદગીની છેલ્લી સેલ્ફી બની ગઈ છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, તેઓનો આખો પરિવાર ખુબ જ ખુશીથી લંડન જવા માટે રવાના થયો હતો. જોકે પ્લેન ક્રેશ થતા આખા પરિવારોની દર્દનાક મોત થઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુક 2 –
પત્ની લંડન શિફ્ટ થઈ રહી હતી
ડૉ.પ્રદીપ વ્યાસના પત્ની ડૉ.કોની વ્યાસ ઉદયપુરના પેસિફિક હોસ્પિટલમાં કામ કરતા હતા, જ્યારે તેમના પતિ ડૉ.પ્રદીપ લંડનમાં ડોક્ટર હતા. કોની પતિ સાથે લંડનમાં શિફ્ટ થવાની હતી, તેથી તેમણે થોડા દિવસ પહેલા ઉદયપુરની નોકરી છોડી દીધી હતી. ઉદયપુરના પેસિફિક હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે, ડૉકોની વ્યાસે એક મહિના પહેલા જોબ છોડી દીધી હતી. તેઓ તેમના પતિ સાથે લંડન જવાના હતા, તેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. ડૉ.કોની વ્યાસની વધુ એક તસવીર સામે આવી છે, જેમાં તેમનો પરિવાર ઘરમાં એક સાથે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના ભયાવહ દ્રશ્યો, વિમાનનો પાછળનો હિસ્સો ઈમારત પર જ દેખાયો
ઘટનામાં રાજસ્થાનના 11 લોકોના મોત થયા છે, જેમાં ઉદયપુર, બાંસવાડા, બીકાનેર અને બાલોતરા જિલ્લાના રહેવાસીનો સમાવેશ થાય છે.
00000000000
ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ
Jun 12th, 2025 અમદાવાદ પ્લેન ક્રેશ | ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ 1 – ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જેમાં 242 લોકો સવાર હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ LIVE: 200થી વધુના મોતની આશંકા, એકનો ચમત્કારિક બચાવ; અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળ્યા હતા. જેમાં આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે પણ ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી. અમિત શાહે શું કહ્યું?કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે ‘ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.’
00000000000
અમદાવાદ એરપોર્ટ પર પિતા સાથે પુત્રીની અંતિમ તસવીર વાઈરલ, પતિને મળવા લંડન જઈ રહી હતી
Jun 12th, 2025અમદાવાદ એરપોર્ટ પર પિતા સાથે પુત્રીની અંતિમ તસવીર વાઈરલ, પતિને મળવા લંડન જઈ રહી હતી 1 – Air India Flight Crash in Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પાસે ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. આ ભયાનક વિમાન અકસ્માતથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ઘઈ છે. આ ઘટનામાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અરાબા ગામમાં રહેતી 21 વર્ષીય નવી નવેલી દુલ્હન ખુશબૂનું પણ મોત થયું છે.
પહેલીવાર પતિ પાસે જઈ રહી હતી નવી નવેલી દુલ્હન ખુશબૂ
ખૂશબૂ પિતા મદદ સિંહ અને પિતરાઈ ભાઈ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. તે અહીંથી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171થી લંડન જવાના રવાના થઈ હતી, જોકે ફ્લાઈટ ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ અને તે જ સમયે ખુશબૂની જિંદગીનો અંતિમ સમય બની ગયો.
ખુશબુના પિતા પુત્રીને મુકવા માટે એરપોર્ટ આવ્યા હતા અને અહીં તેમણે ભાવુક તસવીર પણ પાડી હતી, ત્યારબાદ તે તસવીર તેમણે વોટ્સએપ સ્ટેટસમાં લગાવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આશીર્વાદ દિકરી ખુશ્બુ, ગોઈંગ ટૂ લંડન.’ પુત્રી ફ્લાઈટમાં બેસી ગયા બાદ પિતા અને પિતરાઈ ભાઈ ગામડે જવા નીકળ્યા અને તુરંત ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર સાંભળતા તેઓ સ્તબ્દ થઈ ગયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના ભયાવહ દ્રશ્યો, વિમાનનો પાછળનો હિસ્સો ઈમારત પર જ દેખાયો
18 જાન્યુઆરીએ કર્યા હતા લગ્ન
ખુશબૂના જોધપુર જિલ્લાના લૂણી ખારાબેરા ગામમાં રહેતા ડૉક્ટર વિપુલ સાથે લગ્ન થયા હતા. બંને દંપત્તીએ 18 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. વિપુલ લંડનમાં પ્રેક્ટિસ કરે છે. લગ્ન બાદ વિપુલ લંડન ગયા હતા અને ખુશબુ થોડા મહિનાઓ સુધી પિયર અને સાસરામાં રહેતી હતી. તે લંડનમાં રહેતા પતિ પાસે જવા અમદાવાદ-લંડનની ફ્લાઈટમાં બેઠી હતી, તેનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો.
તેણીના પરિવારજનોએ કહ્યું કે, ‘જ્યારે ખુશબુ લંડન જવા માટે રવાના થઈ, ત્યારે તેની આંખોમાં આંસુ હતા, તે માતાને ગળે મળીને ચોધાર આસુંએ રડતી હતી. ગામમાં મિઠાઈની દુકાન ચલાવતા અને ખેતીનું કામ કરતા મદન સિંહને ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જેમાંથી ખૂશબુ સૌથી મોટી દીકરી હતી. ખુશબૂના મોત બાદ આખા ગામ શોકાતુર બની ગયો છે.
0000000000
અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
Jun 12th, 2025BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો 1 – Plane Crashes in Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં 11A નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે.
આ વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા.
વિમાનમાં સવાર તમામ લોકોના મોત
આ પહેલા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે ન્યૂઝ એજન્સી APને જણાવ્યું હતું કે, ‘એવુ લાગી રહ્યું છે કે, આ વિમાન દુર્ઘટનામાં મોટા ભાગના મુસાફરો જીવિત રહ્યા નથી. વિમાન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે કેટલાક સ્થાનિકોના પણ મોત થયા છે. કાટમાળ અને આગની સ્થિતિ જોતા સ્થિતિ ખૂબ જ પડકારજનક બની છે.’
આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના ભયાવહ દ્રશ્યો, વિમાનનો પાછળનો હિસ્સો ઈમારત પર જ દેખાયો
પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.’ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
મેઘાણીનગરમાં વિમાન ક્રેશ
ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો.
BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો 2 –
ફ્લાઈટે ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ સિગ્નલ ગુમાવ્યો
એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવારે (12 જૂન)ની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો.
0000000000
દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે
Jun 12th, 2025અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે 1 – Air India Flight Crash in Ahmedabad : ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.
ટાટા સન્સના ચેરમેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય
ટાટા ગૂપપ કૉલેજ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે
ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.
00000000000
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ
Jun 12th, 2025 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 1 – અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 200થી વધુના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશની તમામ મોટી અપડેટ્સ
265 મોતની પુષ્ટિ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ મૃતદેહો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એવામાં અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઇએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે, કે ‘અત્યાર સુધીમાં 265 મૃતદેહો હોસ્પિટલ લવાયા છે.’
PM મોદી શુક્રવારે અમદાવાદ આવે તેવી શક્યતા
આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.
ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે ‘ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.’ 200થી વધુ મૃતદેહો મળ્યા
ગુરુવારે સાંજ સુધીમાં 204 જેટલા મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ ઘટનાસ્થળ પર કાર્યવાહી ચાલી રહી છે.
ટાટા ગ્રુપે મૃતકોના પરિજનો માટે એક એક કરોડની સહાય જાહેર કરી
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 2 –
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઘટનાસ્થળે પહોંચી વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.’ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.જો કે, આ સિવાય મોટા ભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. રહેણાક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી ચોક્કસ મૃત્યુઆંક જાહેર કરાયો નથી. બીજી તરફ, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડાયા છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી બચવાની સંભાવના નહીવત છે.
બ્રિટનના રાજાએ શોક વ્યક્ત કર્યો
બ્રિટિશ રાજા ચાર્લ્સ IIIએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અને તેમના પત્નિ રાણી કેમિલાએ આજે બપોરે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે, “આ ભયાવહ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુખઃદ કપરાં સમયમાં બચાવ કામગીરી અને મદદ પૂરી પાડી રહેલા લોકોના પ્રયાસોને બિરદાવુ છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું.
એર ઈન્ડિયાના સીઈઓ અમદાવાદ આવવા રવાના
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હતાં. જે અમદાવાદ વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ પરત આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. એર ઈનડિયાએ આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના પરિવારજનોની સહાયતા માટે ખાસ હેલ્પલાઈન નંબર 18005691444 જાહેર કર્યો છે. વિદેશી નાગરિકો માટે અલગથી હેલ્પલાઈન નંબર +91 8062779200 જાહેર કર્યો છે. જેના પરથી પીડિત મુસાફરોની માહિતી મેળવી શકાશે.
50 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદ પોલીસે 25 ઈજાગ્રસ્તોની યાદી જાહેર કરી છે. ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું. અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે. સિવિલ હોસ્પિટલ અમદાવાદે હેલ્પલાઈન નંબર 6357373831 અને 6357373841 જાહેર કર્યો છે. પરિજનો તેનો સંપર્ક સાધી પીડિતો વિશે માહિતી મેળવી શકે છે.
0000000000000
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ
Jun 12th, 2025 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 1 – અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 200થી વધુના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ પ્લેન ક્રેશની તમામ મોટી અપડેટ્સ
265 મોતની પુષ્ટિ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ મૃતદેહો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એવામાં અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઇએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે, કે ‘અત્યાર સુધીમાં 265 મૃતદેહો હોસ્પિટલ લવાયા છે.’
PM મોદી શુક્રવારે અમદાવાદ આવે તેવી શક્યતા
આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.
ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે ‘ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.’ 200થી વધુ મૃતદેહો મળ્યા
ગુરુવારે સાંજ સુધીમાં 204 જેટલા મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ ઘટનાસ્થળ પર કાર્યવાહી ચાલી રહી છે.
ટાટા ગ્રુપે મૃતકોના પરિજનો માટે એક એક કરોડની સહાય જાહેર કરી
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે.
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 2 –
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઘટનાસ્થળે પહોંચી વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.’ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.જો કે, આ સિવાય મોટા ભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. રહેણાક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી ચોક્કસ મૃત્યુઆંક જાહેર કરાયો નથી. બીજી તરફ, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડાયા છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી બચવાની સંભાવના નહીવત છે.
બ્રિટનના રાજાએ શોક વ્યક્ત કર્યો
બ્રિટિશ રાજા ચાર્લ્સ IIIએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અને તેમના પત્નિ રાણી કેમિલાએ આજે બપોરે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે, “આ ભયાવહ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુખઃદ કપરાં સમયમાં બચાવ કામગીરી અને મદદ પૂરી પાડી રહેલા લોકોના પ્રયાસોને બિરદાવુ છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું.
એર ઈન્ડિયાના સીઈઓ અમદાવાદ આવવા રવાના
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હતાં. જે અમદાવાદ વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ પરત આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. એર ઈનડિયાએ આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના પરિવારજનોની સહાયતા માટે ખાસ હેલ્પલાઈન નંબર 18005691444 જાહેર કર્યો છે. વિદેશી નાગરિકો માટે અલગથી હેલ્પલાઈન નંબર +91 8062779200 જાહેર કર્યો છે. જેના પરથી પીડિત મુસાફરોની માહિતી મેળવી શકાશે.
50 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદ પોલીસે 25 ઈજાગ્રસ્તોની યાદી જાહેર કરી છે. ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું. અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે. સિવિલ હોસ્પિટલ અમદાવાદે હેલ્પલાઈન નંબર 6357373831 અને 6357373841 જાહેર કર્યો છે. પરિજનો તેનો સંપર્ક સાધી પીડિતો વિશે માહિતી મેળવી શકે છે.
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 3 – આ મોટી હસ્તી પણ ફ્લાઈટમાં સવાર હતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો. તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.
દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી હજુ ચાલુ
1.40 વાગ્યે બનેલી આ ભયાવહ દુર્ઘટનાની બચાવ કામગીરી હજુ ચાલુ છે. એનડીઆરએફ, બીએસએફ સહિતની સુરક્ષા ટુકડી અને 40થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તૈનાત છે. તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સતત સેવામાં હાજર છે. સંભવિત તમામ બચાવ કામગીરી ચાલી રહી છે.
પુતિને પણ શોક વ્યક્ત કર્યો
રશિયાના પ્રમુખ પુતિને પણ અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને સંવેદના સંદેશ પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું. આ હ્યદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં પુતિને કહ્યું કે, રશિયા આ કપરાં સમયમાં ભારતની સાથે છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરુ છું.
અમદાવાદ એરપોર્ટ ફરી કાર્યરત
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 4 –
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 5 –
300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ
વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 6 – કઇ-કઈ ઈમારતોને નુકસાન થયું
અતુલ્યમ 1, 2, 3 અને 4 બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિંક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.
પીએમ મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 7 –
દુર્ઘટનાનું કારણ શું?
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 8 –
ટેઈલના બે ટુકડા થયા, અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું
મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.
આબાદ બચી PG હોસ્ટેલ, મોટી જાનહાનિ ટળી
દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી. મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.
હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટ્વિટ
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 9 –
દુર્ઘટનાસ્થળે આગ કાબૂમાં, બચાવ કામગીરી ઝડપી બનાવાઈ
અત્યારે ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર વિમાનને કારણે લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે અને એનડીઆરએફ તથા અન્ય બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
15 જેટલાં રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા.
નાગરિકોને દુર્ઘટનાસ્થળેથી દૂર રહેવા અપીલ
માહિતી અનુસાર લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવાયું છે. આ સાથે ડૉક્ટરોની ટીમ અને સહાયકકર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે.
અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના
માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થયા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા
વિમાન દુર્ઘટનાની જાણકારી મળતાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ કડી ગયા હતા.
મૃતકોમાં 8 ડૉક્ટર હોવાની માહિતી
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 12 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા મૃતદેહોમાં 8 જેટલાં ડૉક્ટરો હોવાની જાણકારી મળી રહી છે.
વિમાનમાં કયા કયા દેશોના લોકો સવાર હતા?
1 કેનેડિયન નાગરિક
53 બ્રિટનના નાગરિક
7 પોર્ટુગલના નાગરિક
169 ભારતીય નાગરિક
265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 10 –
પીએમ મોદી થયા એક્ટિવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જોડે કરી વાતચીત, ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કોલ કર્યો હતો અને ઘટના વિશે તાગ મેળવ્યો હતો. એવી માહિતી છે કે પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.
પેસેન્જરની યાદી સામે આવી, પહેલા જ પાનામાં રૂપાણીનું નામ
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ
આગામી અહેવાલ સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે.
25થી વધુ મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળ્યાં
અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે.
ઉડાન ભરતાં જ વિમાન બે મિનિટમાં ક્રેશ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.
સિવિલ હૉસ્પિટલના તબીબોને ફરજ પર હાજર થવા આદેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હૉસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હૉસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા છે.
ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરુ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઈ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હૉસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
સિવિલ હૉસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હૉસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.
000000000000
અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું
Jun 12th, 2025PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું 1 – Plane Crashes in Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ ટેકઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેઘાણીનગર સ્થિત એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.
પ્લેન ડૉક્ટરોની હૉસ્ટેલ પર ક્રેશ થયું
ફ્લાઈટ ટેકઓફ થયા બાદ બે મિનિટમાં જ ડૉક્ટરોની હૉસ્ટલે પર ક્રેશ થઈ છે, જેની અનેક ભયાનક તસવીરો સામે આવી છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વિમાનનો પાછળનો ભાગ (ટેલ) મેડિકલ કૉલેજના રેજિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલની ઉપર ફસાયેલો છે. વિમાન બિલ્ડિંગ પર ક્રેશ થતાની સાથે જ જોરદાર ધડાકો થયો અને આગ લાગી ગઈ હતી. ત્યારબાદ અહીં ચારેકોર દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. હાલ વિમાનમાં સવાર લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું 2 –
હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો હાજર હતા.
PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું 3 –
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું 4 –
વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે મોકલાયું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું 13 –
00000000000
પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ
Jun 12th, 2025પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ 1 – અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શેઠવાલા પરિવાર પર પણ આભ તૂટી પડ્યું છે. પરિવારના દીયરના લગ્નમાં હાજરી આપવા યુકેથી આવેલી ભાભી અને તેમની અઢી વર્ષની માસૂમ દીકરી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા, અને તેમનું પણ દુર્ઘટનામાં અવસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
લગ્ન પ્રસંગ પૂરો કરી યુકે પરત ફરતા હતા
વડોદરાના વાડી ખત્રી પોળમાં સાસરી ધરાવતા 26 વર્ષીય સદીકાબહેન મોહમ્મદ મિયાં શેઠવાલા (તપેલીવાલા) અને તેમની અઢી વર્ષની દીકરી ફાતિમા, ગત 16મી તારીખે યુકેથી વડોદરા આવ્યા હતા. તેઓ સદીકાબહેનના દીયરના 18મી તારીખના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ આજે સવારે 7:00 વાગ્યે તેઓ યુકે પરત જવા માટે વડોદરાથી નીકળ્યા હતા.
પ્લેન દુર્ઘટના બાદ વડોદરાનો શેઠવાલા પરિવાર શોકમાં, દિયરના લગ્ન બાદ UK પરત જતી મહિલા-બાળકી ગુમ 2 –
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ | ‘મારા પુત્રએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી’, માતાએ વર્ણવી વ્યથા
સદીકાબેનના સાસુ, માતા-પિતા અને ભાઈ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા હતા. આ સ્વજનો અમદાવાદથી વડોદરા પરત આવ્યા, અને તે જ સમયે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા તેઓ તરત જ અમદાવાદ પરત દોડી ગયા હતા. આ કરુણ સમાચાર મળતાની સાથે જ વાડી સહિત સમગ્ર વિસ્તારમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. શેઠવાલા પરિવાર પર તૂટી પડેલી આ આફતથી લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 91થી વધુના મોતની આશંકા, ફ્લાઈટોનું સંચાલન ફરી શરૂ
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઑફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેક ઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેક ઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય 1 – Air India Plane Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે. પ્લેન ટેક ઑફ થયાથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.
8 મિનિટમાં શું થયું?
એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવાર(12 જૂન)ની બપોરે 1:30 ટેક ઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઇટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેક ઑફ થઈ ચૂક્યું હતું. ટેક ઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. આ દરમિયાન પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટનો પણ સમય નહોતો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ
નિષ્ણાતો કહે છે કે, આ વિમાન લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાયલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો.
આ પણ વાંચો: LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 50થી વધુના મોતની આશંકા, ફ્લાઈટોનું સંચાલન ફરી શરૂ
એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, ‘મને લાગે છે કે, લોડ ફેક્ટરમાં મિસ-કેલ્ક્યુશન થયું હશે. આ સિવાય લેન્ડિંગ ગેર વ્યવસ્થિત બંધ થયો નહીં હોય. કારણકે પ્લેનનું એક પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકાય છે કે, આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે સર્જાયો હશે. જો કે, આ મામલે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.’
0000000000000
અમદાવાદ પ્લેન ક્રેશ | ‘મારા પુત્રએ જીવ બચાવવા બીજા માળેથી છલાંગ લગાવી’, માતાએ વર્ણવી વ્યથા
Jun 12th, 2025Ahmedabad Plane Crash અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.
એર ઈન્ડિયાના પ્લેનમાં 242 લોકો સવાર હતા
એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ એક ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ આ અકસ્માત થયો અને પ્લેન એરપોર્ટથી થોડા અંતરે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું અને ક્રેશ થયું.અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુર્ઘટના સ્થળ પરથી નીકળતો કાળો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
‘મારો દીકરો જ્યાં ગયો હતો ત્યાં પ્લેન પડી ગયું…’
આ દરમિયાન, રમીલા નામની એક મહિલાનું નિવેદન સામે આવ્યું છે, જેનો પુત્ર એ જ હોસ્ટેલમાં રહેતો હતો જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. ધ્રૂજતા અવાજે તેણે કહ્યું, ‘મારો દીકરો લંચ બ્રેક દરમિયાન હોસ્ટેલમાં ગયો હતો અને ત્યાં પ્લેન ક્રેશ થયું. મને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું છે. પરંતુ ભગવાનનો આભાર, મારો દીકરો બચી ગયો.’
રમીલાબહેને જણાવ્યું કે, ‘અકસ્માત સમયે મારો દીકરો પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદી પડ્યો હતો, જેના કારણે તેને થોડી ઈજાઓ થઈ હતી. મેં તેની સાથે વાત કરી છે, તેણે કહ્યું કે મમ્મી હું ઠીક છું, બસ થોડી ઈજા થઈ છે.’દુર્ઘટનાનું કારણ શું?
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.
મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.
00000000000000
અમદાવાદમાં 1988માં પ્લેન ક્રેશ થયું હતું, 133 લોકોના મોત થયા હતા, જાણો ભારતમાં વિમાન દુર્ઘટનાનો ઇતિહાસ
Jun 12th, 2025અગાઉ અમદાવાદમાં 1988માં પ્લેન ક્રેશ થયું હતું, 133 લોકોના મોત થયા હતા, જાણો ભારતમાં વિમાન દુર્ઘટનાનો ઇતિહાસ 1 – Major Plane Crashes in India : ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ઍરપોર્ટ પરથી ટેક ઑફ થતાંની સાથે જ થોડીક જ સેકન્ડમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. મેઘાણીનગર સ્થિત એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ ફ્લાઇટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.
વિમાનમાં પૂર્વ સીએમ રુપાણી પણ હોવાની પણ આશંકા
પ્રાથમિક તપાસમાં ફ્લાઇટના એન્જિનમાં ટેકનીકલ ખામી હોવાનું અને ફ્લાઇટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો સામે આવી છે. ઘટનામાં મૃત્યુઆંકની હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે, જો કે તે અંગે પુષ્ટિ થઈ નથી. ઘટનાની તપાસ શરુ કરી દેવાઈ છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેક ઑફ અને લેન્ડિંગ વખતે બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ 109 ઘટના બની છે, જેમાં 37 ઘટના ટેક ઑફ વખતે થઈ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
ભારતમાં વિમાન દુર્ઘટનાનો ઇતિહાસ
ભારતમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે. આવી ઘટનાઓ હંમેશા ટેક્નિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ 1972થી લઈને વર્ષ 2025 સુધીમાં આવી કુલ 10 ઘટનાઓ બની છે.
14/06/1972 – દિલ્હી ઍરપોર્ટ પાસે વિમાન ક્રેશ, 82ના મોત
વર્ષ 1972માં જાપાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-417 નવી દિલ્હી પાસેના પાલન ઍરપોર્ટ પર લૅન્ડ થવાની હતી, જોકે તે ઍરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 82 લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફૉલ્સ ગ્લાઇડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.
31/05/1973 – દિલ્હીના પાલમ ઍરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, 65ના મોત
વર્ષ 1973માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-440 નવી દિલ્હીના પાલમ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતાં મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન ઍરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં 65 મુસાફરો સવાર હતા, જેમાંથી 48 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.
12/10/1976 – મુંબઈમાં વિમાનનું એન્જિન ફેલ, 95ના મોત
વર્ષ 1976માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-171નું એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 95 મુસાફરોના મોત થયા હતા.
01/01/1978 – મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, 213ના મોત
મુંબઈના ઍરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું બોઇંગ 747 એટલે કે ફ્લાઇટ નંબર-855 ટેક ઑફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ 213 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.
19/10/1988 – અમદાવાદના ઍરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, 135ના મોત
અમદાવાદમાં અગાઉ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર IC-113 ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO
12/11/1996 – બે વિમાનો સામસામે અથડાતાં 349 લોકોના મોત
વર્ષ 1996માં ભારતના ઇતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટો આકાશમાં જ સામસામે અથડાઈ હતી. આ ઘટનામાં 349 લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વની સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
17/07/2000 – પટણા ઍરપોર્ટ, 60 લોકોના મોત
વર્ષ 2000માં એલાઇન્સ એરની ફ્લાઇટ નંબર-7412 લેન્ડિંગ વખતે પટણાના ઍરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ હતી. પાયલટનો ફ્લાઇટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં 60 લોકોના મોત થયા હતા.
22/05/2010 – કર્ણાટક ઍરપોર્ટ પર ફ્લાઇટ રન-વે પર લપસી જતાં ક્રેશ, 158ના મોત
એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ નંબર-IX-812 કર્ણાટકના મંગલૌર ઍરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતાં મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 158 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.
07/08/2020 – કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, 18ના મોત
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-1344 વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઇટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે ઍરપોર્ટના રન-વે પર લૅન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઇટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત 18 લોકોના મોત થયા હતા.
28/01/2023 – મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા
વર્ષ 2023માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઇટર જેટ્સ સુખોઈ અને મિરાજ-2000 આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.
0000000000000
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ
Jun 12th, 2025એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ 1 – Boeing Stock Crashed In Pre-Opening Market: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં જ ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બપોરના ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રૂપના શેર્સ તૂટતાં સેન્સેક્સ 1000 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. જે અંતે 823.16 પોઈન્ટના ઘટાડે 81691.98 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સના શેર્સ સૌથી વધુ 2.89 ટકા ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા હતાં. બીજી બાજુ અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ એરોપ્લેન મેકર કંપની બોઈંગના શેર્સ કડડભૂસ થયા હતાં.
અમેરિકન સ્ટોક માર્કેટમાં પ્રિ-ઓપનિંગ સેશનમાં બોઈંગના શેર 8 ટકા સુધી તૂટ્યા હતાં. અમદાવાદમાં ક્રેશ થયેલુ એર ઈન્ડિયાનું પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું. પ્રિ-માર્કેટમાં જ બોઈંગના શેર તૂટતાં માર્કેટ કેપમાં 12 અબજ ડોલર અર્થાત 1 લાખ કરોડ રૂપિયાનું ગાબડું નોંધાયુ હતું.
7 ટકાથી વધુ તૂટ્યો બોઈંગનો શેર
એરોપ્લેન મેકર કંપની બોઈંગનો શેર પ્રિ-માર્કેટમાં 7 ટકાથી વધુ તૂટ્યો હતો. જે 7.67 ટકા તૂટી 197.58 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમાચાર લખાયા ત્યારે 0.85 ટકાના ઘટાડે 214 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે 214 ડોલર પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં 24 ટકાની તેજી નોંધાયા બાદ આજે આ દુર્ઘટનાના કારણે કડાકો નોંધાયો હતો.
એક લાખ કરોડ ડૂબ્યા
બોઈંગના શેર્સ ભલે પ્રિ-ઓપનિંગ સેશનમાં કડડભૂસ થયા છે. પરંતુ આ ઘટાડો મોટો છે. રોકાણકારોને રૂ. 1 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. કંપનીની માર્કેટ કેપ ગઈકાલે 161.36 ડોલર હતી. જેમાં 12 અબજ ડોલરનું નુકસાન થયુ છે. વેલ્યૂએશન પ્રિ-માર્કેટમાં ઘટી 149 અબજ ડોલર થયુ છે. નિષ્ણાતો અનુસાર, અમેરિકન સ્ટોક માર્કેટ ખૂલ્યા બાદ કંપનીના શેરની સ્થિતિ સ્પષ્ટ થશે. અમેરિકાનું શેરબજાર અમેરિકાના સમયાનુસાર 9.30 વાગ્યે ખૂલે છે.
શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય શેરબજાર આજે મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. સેન્સેક્સ 823 પોઈન્ટ અને નિફ્ટી 253.20 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનું ગાબડું નોંધાયુ છે. શેરબજારમાં ઘટાડા પાછળનું એક કારણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ પણ છે. ગ્લોબલ ઈકોનોમી ગ્રોથમાં ઘટાડાની આશંકાઓ છે. વધુમાં અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ટાટા ગ્રૂપમાં નોંધાયેલા મોટા ગાબડાની અસર પણ જોવા મળી હતી.
0000000000000
પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ | પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી 1 – Air India Plane Crashed In Ahmedabad: અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું કે, તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધી 100થી વધુ લોકોના મોત થયા છે. જો કે, સત્તાવાર આંકડા હજી જાહેર થયા નથી. આ દુર્ઘટના ગુરુવારે બપોરે 1.38 વાગ્યે બની હતી.
વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું. તેઓ લોકોની સહાયતા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, ગુજરાતના પૂર્વ CM રૂપાણી સહિત 50ના નિધન
દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે વાત કરી દુર્ઘટનાની જાણકારી આપી હતી. અમદાવાદથી ગેટવિક (બ્રિટન) જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેક ઑફની બે મિનિટમાં જ ક્રેશ થઈ હતી. વિમાનમાં બે પાયલોટ, 10 ક્રૂ સભ્યો અને 230 પેસેન્જર સવાર હતા. નાગરિક ઉડ્ડયન મંત્રીના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, PM મોદીએ વ્યક્તિગત રૂપે નાયડુ સાથે વાત કરી અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની જાણકારી લીધી હતી. રામમોહન નાયડુ બચાવ તેમજ રાહત કામગીરી માટે અમદાવાદ જવા રવાના થયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાને તાત્કાલિક ધોરણે તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. તથા સ્થિતિ વિશે નિયમિત રૂપે માહિતી આપવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રીને નાયડુ સાથે અમદાવાદ જઈ તમામ સંભવિત સહાયતા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.
રાષ્ટ્રપતિ મૂર્મુએ પણ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, અમદાવાદમાં બનેલી દુ:ખદ વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. મારા વિચારો અને પ્રાર્થનાઓ પીડિતો સાથે છે. આ અવર્ણનીય દુઃખની પળમાં રાષ્ટ્ર તેમની સાથે છે
00000000000
અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી
Jun 12th, 2025અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી 1 – Ahmedabad Air India Plane Crash News: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દૃશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
હોસ્ટેલ સાથે વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી 2 –
જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા.
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી 3 –
અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી 4 –
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
અમદાવાદમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું, 8થી વધુના મોતની આશંકા; લૂંટની ઘટના પણ સામે આવી 5 –
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
000000000000
અમદાવાદ પ્લેન ક્રેશ: 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ: 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ 1 – અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 12 જાન્યુઆરીએ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 200 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
PM મોદીએ ગૃહમંત્રી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી સાથે કરી વાત
ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ ઍરપોર્ટ બંધ કરાયું, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરાઈ હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઇલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
000000000000000
11 વર્ષ જૂનું હતું બોઇંગ વિમાન, 7000 KM દૂર જવા ભરી હતી ઉડાન, જાણો વિમાન ક્રેશની વિગતો
Jun 12th, 2025Boeing 787 Dreamliner DetailsBoeing 787 Dreamliner Details: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઑફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના બની હતી.
એક વિમાનનું 25-30 વર્ષનું હોય છે આયુષ્ય
ડ્રીમલાઇનરનું ડિઝાઇન કરેલ બોઇંગ 787નું આયુષ્ય 44,000 ફ્લાઇટ સાયકલનું છે, જેનું સંભવિત આયુષ્ય 25 થી 30 વર્ષનું હોય છે. જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ એટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. જો કે અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઇડ-બોડી, મિડ સાઇઝ અને લોન્ગ રેન્જ એરક્રાફ્ટ છે, જે 210-250 સીટ સાથે 8500 નોટીકલ માઇલ્સનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.
બોઇંગ 787-8ની વિગતો
– લંબાઈ: 56.70 મીટર
– વિંગ પહોળાઈ: 60 મીટર
– ઊંચાઈ: 16.90 મીટર
– એન્જિન 2 એન્જિન (સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસ)
– બળતણ ક્ષમતા: 1,26,206 લિટર
– મહત્તમ ગતિ: 954 કિમી/કલાક
– મહત્તમ રેન્જ: 13,620 કિમી
– 254 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા
– બોઇંગ ઉત્પાદક: યુએસએ
– અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ (₹21.8 અબજ)
અમદાવાદથી લંડન ફ્લાઇટ
અમદાવાદથી લંડન ફ્લાઇટનું અંતર લગભગ 7,000 કિમીનું છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ યોગ્ય છે. વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. આજે, એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.
સુરક્ષા પગલાં
ઍડ્વાન્સ સિક્યુરિટી સ્ક્રિનિંગ: મુસાફરોનું ઍરપોર્ટ પર સખત રીતે સ્ક્રિનિંગ કરવામાં આવે છે, જેમાં સામાન, બોડી સ્કેન અને ID ચકાસણીનો સમાવેશ થાય છે.
કોકપિટ સિક્યુરિટી: 787-8 માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે.
સાયબર સિક્યુરિટી: વિમાનની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે અદ્યતન સાયબર સુરક્ષા પગલાં છે.
ઈન્ટેલીજન્સ શેરિંગ: એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ કોઈપણ જોખમોની અપેક્ષા રાખવામાં મદદ કરવા માટે રિયલ-ટાઇમ ઈન્ટેલીજન્સ માહિતી શેર કરે છે.
00000000000
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મદદ માટે વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર ટેન્ડર્સ અને 200 કર્મચારી રવાના
Jun 12th, 2025અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મદદ માટે વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર ટેન્ડર્સ અને 200 કર્મચારી રવાના 1 – અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ખોફનાક દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી છે.
242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે.
આ દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે. જેથી વડોદરા ફાયર બ્રિગેડના તમામ સાધનોથી સજ્જ 25 ફાયર ટેન્ડર્સ અને 200 જેટલા જવાનો તેમજ અધિકારીઓને અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યા છે.
000000000000
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ
Jun 12th, 2025PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ 1 – Air India Plane Crashed In Ahmedabad: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે.
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ એરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયુ હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅકઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યુ ન હતું. અને ધડાકાભેર સાથે પ્લેન ક્રેશ થયુ હતું. બિલ્ડિંગનો પાયાના ભાગને મોટુ નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
00000000000
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 200થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી
Jun 12th, 2025અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 200થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી 1 – અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાઇલોટ, ક્રૂ મેમ્બર સહિત 200થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા વિમાન ક્રેશ થઇ ગયું હતું.
અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલ આવવા રવાના થઈ ગયા છે.
આ પણ વાંચો: LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 200થી વધુ મુસાફર ધરાવતી ફ્લાઈટ લંડન જતી હતી
ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં અત્યાર સુધી 50થી વધુ મૃતદેહો મળ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હતા.
ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરૂ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.
00000000000000
અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, જાણો પ્રાથમિક તપાસમાં બહાર આવેલા કારણો
Jun 12th, 2025 અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, જાણો પ્રાથમિક તપાસમાં બહાર આવેલા કારણો 1 – અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઈ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. માહિતી મુજબ એર ઇન્ડિયાનું આ વિમાન ટેક ઑફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ, NDRF અને BSF જવાનો દ્વારા રાહત- બચાવની કામગીરી ચાલુ છે.
કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના
ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2091ના રોજ એર ઈન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. એવું કહેવાય છે કે, ટેક ઓફ પછી પ્લેનના ટાયર ઈન્સર્ટ (અંદર ના ગયા) જ ના થયા હોવાથી આ દુર્ઘટના સર્જાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ છે.
આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે. આ સાથે જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને પ્લેન ધડાકાભેર ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
આબાદ બચી PG હોસ્ટેલ, મોટી જાનહાનિ ટળી
દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી.
મહત્ત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.
અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, જાણો પ્રાથમિક તપાસમાં બહાર આવેલા કારણો 2 –
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટના સ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ફ્લાઇટમાં હતા સવાર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના અહેવાલ છે. તેઓ બિઝનેસ ક્લાસમાં 12 નંબરની સીટ પર બેઠા હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનાને પગલે અમદાવાદ આવવા રવાના થયા છે. વિમાનમાં લગભગ 242 મુસાફરો હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન ક્રેશ થવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
0000000000000
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રૅશ
ઍર ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અમદાવાદથી બપોરે એક વાગ્યાને 38 મિનિટે આ ફ્લાઇટ AI171 ઊપડી હતી. આ વિમાન બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટ હતું. બપોરે 1 વાગ્યાને 38 મિનિટે ઊપડેલી ફ્લાઇટ બૉઇંગ 787-8 ઍરક્રાફ્ટમાં 242 પૅસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. જે પૈકી 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને સાત પૉર્ટુગીઝ હતા.
પ્લેન સાથેનો ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા 625 ફૂટની ઊંચાઈએ (190 મીટર) ખતમ થઈ ગયો હતો.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર – 24 પ્રમાણે “ટેક-ઑફના એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં” ઍરક્રાફ્ટનું સિગ્નલ તૂટી ગયું હતું.
ભારતના ઉડ્ડયન નિયામક ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશને જણાવ્યું હતું કે પ્લેને ઍર ટ્રાફિક કંટ્રોલને મેડે કૉલ આપ્યો હતો. જોકે, એ બાદ ઍરક્રાફ્ટ પાસેથી કોઈ જવાબ મળ્યો નહોતો.
આ પ્લેન 175 નૉટની (324.1 કિમી પ્રતિ કલાક) ગતિએ ઊડી રહ્યું હતું.
ભારતમાં બૉઇંગ 787નાં 34 વિમાનો હતા.
કૅન્ટીન સાથે અથડાયું
બીજે મેડિકલ કૉલેજના છાત્રાલયમાં ગુરુવારની બપોરે વધુ ચહલપહલ ન હતી. કૅન્ટીનમાં બપોરે જમી રહેલા વિદ્યાર્થીઓથી ભીડ હતી. બપોરે 13 : 39 વાગ્યા સુધીમાં આ કૅન્ટીનમાં ઓછામાં ઓછા 35 લોકો હતા. કેટલાકનું જમવાનું પતી ગયું હતું. તેઓ આરામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય પોતાનો જમવાનો વારો આવવાની રાહ જોતા કતારમાં ઊભા હતા.
જેટ-એન્જિન નજીક આવવાના પ્રચંડ અવાજથી કૅન્ટીનનો મજાક-મસ્તીભર્યો અવાજ ખોવાઇ ગયો – અને પછી રૂમમાં ભયંકર વિસ્ફોટ થયો.
ભરત પારેખે તેમનો ટેન્ટીનનો વ્યવસાય ચલાવવા માટે 30 થી વધુ કર્મચારીઓને રાખ્યા છે
વિમાન ડૉક્ટરોની હૉસ્ટેલની ટોચ પર એક વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં અથડાયું. આ પહેલા પાઇલોટે મેડે કૉલ મોકલાવ્યો હતો. વિમાન અથડાયું અને જોતજોતાંમાં એક વિશાળ આગના ગોળામાં ફેરવાઇ ગયું. વિમાનમાં સવાર એક મુસાફર સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં.
ડૉક્ટરો બિલ્ડિંગમાં લગભગ 500 મીટર દૂર હતા ત્યારે તેમને બહારની તરફ કાન બહેરા કરી નાંખે તેવો અવાજ સંભળાયો.
પહેલા તો લાગ્યું કે વીજળી પડી રહી છે.
ડૉક્ટરો બહાર દોડી આવ્યા.
લોકોને ચીસો પાડતા હતા.
એક વિમાન ઇમારત સાથે અથડાયું હતું.
પછીની થોડી મિનિટો સાવ અસ્પષ્ટ હતી. કૅમ્પસમાં અંધાધૂંધીનાં દૃશ્યો હતા. ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા – અથવા તો શું થયું છે તે જાણવા માટે દોડી રહ્યા હતા.
18 વર્ષના પ્રિન્સ અને 20 વર્ષીય ક્રિશ પટણી નામના બે ભાઇઓ હૉસ્ટેલથી થોડા મીટર દૂર તેમની બાઇક પર હતા ત્યારે તેમણે અવાજ સાંભળ્યો. થોડીવારમાં જ વિમાનની પાંખ જેવું કંઇ દેખાવા લાગ્યું. ઘટનાસ્થળે દોડી ગયા પરંતુ આગને કારણે ગરમી ખૂબ જ તીવ્ર હતી અને અમે હૉસ્ટેલમાં પ્રવેશી શક્યા નહીં. ત્યાં ઘણો કાટમાળ પડ્યો હતો.
બે ભાઈઓ ગરમી ઓછી થાય તેની રાહ જોતા રહ્યા. પછી તેમણે ઇમારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પ્રવેશદ્વાર સામેથી કાટમાળ ખસેડવા માટે તેઓએ પોલીસ સાથે મળીને કામ કર્યું.
કૅન્ટીનમાં પહોંચ્યા ત્યારે ધુમાડાનાં ઘેરાં અને ગાઢ વાદળો ઓરડામાં છવાઈ ગયાં હતાં.
હવામાં બળી ગયેલી ધાતુની ગંધ આવતી હતી.
ગૅસ સિલિન્ડરોને ત્યાંથી કાઢવાનું શરૂ કર્યું.
સૂટકેસનો ઢગલો જોયો અને તેમને ખસેડવા ગયા.
મોટાભાગના જીવતા હતા. કેટલાકના હાથમાં ભોજનથી ભરેલી ચમચી હતી, કેટલાકની સામે જમવાની થાળી હતી, અને કેટલાકના હાથમાં ગ્લાસ હતા.
આ બધા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેઓ આઘાતના લીધે શાંત હતા. થોડી મિનિટ પહેલાં બપોરનું જમવાનું લઈને આરામ કરતા આ લોકો હવે બળી ગયેલા વિમાનના ધાતુના ટુકડાઓથી ઘેરાયેલા હતા.
મોટો ધડાકો અને ભયાનક ચીસો સંભળાઈ. મોટા પથ્થરો નીચે હતા, ક્યાંય જવાય એવું ન હતું, ફસાયેલા હતા.
ક્રૅશ થયેલા વિમાનની આગ અને ધુમાડો નજીક હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
વિમાનની વિશાળ પાંખે પહેલા છત વીંધી. જ્યાં પાંખ પડી ત્યાં નુકસાન સૌથી ગંભીર હતું.
અંધાધૂંધીમાં વિદ્યાર્થીઓએ બચવા માટે બીજા અને ત્રીજા માળ જેટલી ઊંચી સીડી પરથી કૂદવાનું શરૂ કર્યું. બહાર નીકળવાની એકમાત્ર સીડી કાટમાળથી ઢંકાઈ ગઈ હતી.
બી. જે. મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડીન ડૉ. મીનાક્ષી પરીખ હતા.
તપાસકર્તાઓએ ડીએનએ ટેસ્ટ પર આધાર રાખવાની જરૂર હોય છે.
ફક્ત કૅન્ટીનમાં રહેલા લોકો જ માર્યા ગયા ન હતા.
થોડા કિલોમીટર દૂર રવિ ઠાકુર હતા જે હૉસ્ટેલના રસોડામાં કામ કરતા હતા. તેઓ શહેરની આસપાસની અન્ય હૉસ્ટેલમાં લંચ-બૉક્સ પહોંચાડવા માટે બહાર ગયા હતા. તેમની પત્ની અને તેમની બે વર્ષની પુત્રી ત્યાં જ હતી.
ઘટનાસ્થળ સ્થાનિકો, અગ્નિશામકો, ઍમ્બ્યુલન્સ કર્મચારીઓ અને ઍર ઇન્ડિયાના સ્ટાફથી ભરેલું હતું.
000000000
ઍર હોસ્ટેસ રોશની ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતાં, તેમનું પ્રોફાઇલ નામ ‘સ્કાય લવ્ઝ હર’ છે..
લગ્નની તૈયારી ચાલતી હતી.
10 બાય 10ના રૂમમાં રહેવાથી લઈને ઇન્ટરનૅશનલ ઍરલાઇનમાં ઍર હોસ્ટેસ બનવા સુધીની રોશનીની સફર હતી.
અમદાવાદમાં પ્લેન ક્રૅશમાં રોશનીનું મૃત્યુ થયું. તેઓ એક ઍર હોસ્ટેસ હતાં.
વિમાનના પાઇલટ તરીકે કૅપ્ટન સુમિત સભરવાલ હતા, જ્યારે કો-પાઇલટ ક્લાઇવ કુંદર હતા. ક્રૂ મૅમ્બર્સમાં રોશનીનો સમાવેશ થતો હતો.
રોશની પોતાના પરિવાર સાથે મુંબઈના ડોંબિવલીમાં રહેતાં હતાં. તેમના પરિવારમાં તેમનાં માતા, પિતા અને નાનો ભાઈ છે.
સોંઘારે પરિવારને આશા છે કે રોશની પાછા આવશે.
27 વર્ષીય રોશની સોંઘારેને બાળપણથી જ ઍર હોસ્ટેસ બનવાનું હતું. પાંચ વર્ષ અગાઉ તેમનું આ સપનું સાકાર થયું હતું. એક ડૉમેસ્ટિક ઍરલાઇનમાં ઍર હોસ્ટેસ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને ઇન્ટરનેશનલ ઍરલાઇનમાં કામ કરવું હતું. બે વર્ષ અગાઉ તેઓ ઍર ઇન્ડિયામાં જોડાયાં હતાં. રોશનીએ પણ બહુ મહેનતથી પોતાનું સપનું સાકાર કર્યું. અગાઉ તેઓ સ્પાઈસજેટમાં કામ કરતાં હતાં.
રોશનીના સપના સાકાર કરવા તેમનાં માતાપિતાએ ઘણી મહેનત કરી હતી. તેમનાં માતા ઘરનું કામ કરતાં હતાં. તેમના પિતાએ પણ ઘણી મહેનત કરી છે.
લવ કમ ઍરેન્જમેન્ટ હેઠળ આ લગ્ન નક્કી થયાં હતાં. નવેમ્બર-ડિસેમ્બરમાં સગાઈ થવાની હતી.
ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન થવાના હતા.
ઍરહોસ્ટેસ અને મૉડેલિંગમાં રસ હતો. તેઓ એક ઇન્સ્ટા ઇન્ફ્લુઅન્સર પણ હતાં.
સોંઘારે પરિવારે દુર્ઘટનાની તપાસની પણ માંગણી કરી છે. ક્રૅશનાં કારણો બહાર આવવા જોઈએ.
————-
મૈથિલી પાટીલ
ઍર હોસ્ટેસ બનનારાં મૈથિલી પાટીલની કહાણી
મૃતક ક્રૂ મેમ્બરમાં મૈથિલી પાટીલ પણ સામેલ હતાં, જેઓ પરિવારનો આધારસ્તંભ હતાં.
મૈથિલી પાટીલ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનાં પનવેલ તાલુકાના ન્હાવા ગામનાં રહીશ હતાં. બુધવારે મુંબઈથી અમદાવાદ પહોંચ્યાં હતાં.
અમદાવાદથી ગૅટવિક જતી ફ્લાઇટને અકસ્માત નડ્યો.
મૈથિલીના પિતા મોરેશ્વર ઓએનજીસીમાં કરાર આધારિત શ્રમિક હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા કેટલાક સમયથી કામ કરી શકતા ન હતા. મૈથિલીનાં માતા ગૃહિણી છે.
મૈથિલીના પરિવારમાં માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ છે. મૈથિલી સૌથી મોટાં દીકરી હતાં. મૈથિલીએ તેમનાં મૂળ ગામની ટી.એસ. રહમાન સ્કૂલમાંથી ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
મૈથિલી નાનપણથી જ ઍર હોસ્ટેસ બનવાં માંગતાં હતાં, પરંતુ તેમના પરિવારની આર્થિકસ્થિતિ ખાસ સારી ન હતી. મૈથિલીએ સાધારણ પરિસ્થિતિની વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો અને ઍર ઇન્ડિયામાં નોકરી શરૂ કરી.
પરિવારના કપરા સમયમાં મૈથિલીએ ઘરની આર્થિક જવાબદારી ઉપાડી લીધી હતી અને તેઓ પરિવારના એકમાત્ર કમાનારાં સભ્ય હતાં. ખૂબ જ શાંત, શિસ્તબદ્ધ, બુદ્ધિશાળી અને ખુશમિજાજ હતાં.
———
બોઈંગ વિમાન ખરાબ
દુનિયાભરમાં જુદી જુદી ઍરલાઇન્સ પાસે 1175થી વધારે બૉઇંગ 787 વિમાનો સર્વિસમાં છે. 50 લાખ ફ્લાઇટ ભરી છે અને ત્રણ કરોડ ફ્લાઇટ કલાકથી વધારે ઉડાન નોંધાવી છે.
આ મૉડલ 14 વર્ષ અગાઉ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને હજુ છ સપ્તાહ અગાઉ જ બૉઇંગે ડ્રીમલાઇનર તરીકે ઓળખાતા આ મૉડલના બિરદાવ્યું હતું. જેણે અત્યાર સુધીમાં એક અબજ પ્રવાસીઓનું વહન કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સમસ્યાઓમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહેલી બૉઇંગ માટે આ ક્રૅશ એક આંચકો સાબિત થશે.
કેલી ઑટબર્ગ એક વર્ષ કરતાં વધુ સમયથી બૉઇંગ કંપનીના સીઈઓ છે.
બૉઇંગના ભવિષ્ય અંગે સવાલો ઊઠી રહ્યા છે.
256 સીટ હોય છે. વિમાનની લંબાઈ 57 મીટર, પહોળાઈ (બંને પાંખ વચ્ચેનું અંતર) 60 મીટર અને ઊંચાઈ 17 મીટર છે.
બૉઇંગના ભૂતપૂર્વ કર્મચારી જૉન બર્નેટે કંપની પર વિમાન ઉત્પાદનમાં હલકી ગુણવત્તાનાં સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કંપનીમાં 32 વર્ષ કામ કર્યા પછી તેઓ 2017માં નિવૃત્ત થયા હતા. તેમણે બૉઇંગ વિરુદ્ધ પોતાના કેસમાં ઘણા પુરાવા આપ્યા હતા.
કેટલાક દિવસો પછી 9 માર્ચ, 2024ના રોજ બર્નેટે આત્મહત્યા કરી લીધી હતી.
બૉઇંગ જ્યારે 787 ડ્રીમલાઇનરનું ઉત્પાદન કરતી હતી ત્યારે જૉન બર્નેટ નૉર્થ ચાર્લ્સટન ફૅક્ટરીમાં ક્વૉલિટી કંટ્રોલના મૅનેજર હતા. તેમણે 2019માં બીબીસીને જણાવ્યું હતું કે ઉત્પાદન કર્મચારીઓ ઘણા દબાણમાં હતા અને વિમાનોમાં હલકી ગુણવત્તાના પાર્ટ્સ લગાવાતા હતા.
બર્નેટે ચેતવણી આપી હતી કે વિમાનની ઑક્સિજન સિસ્ટમમાં ગંભીર ખામીઓ છે. તેનાથી ઇમરજન્સીની સ્થિતિમાં દર ચારમાંથી એક ઑક્સિજન માસ્ક ફેઇલ જવાની શક્યતા છે. 25 ટકા પરીક્ષણ દરમિયાન નિષ્ફળ ગઈ હતી.
સાઉથ કેરોલિનામાં ઉત્પાદન શરૂ થયા પછી વર્કર્સ પર વિમાનનું ઝડપથી ઉત્પાદન કરવાનું દબાણ વધી ગયું હતું. ઉત્પાદનની પદ્ધતિ અને સેફ્ટીના મામલે સમાધાન કરવું પડ્યું હતું.
અમેરિકન ફૅડરલ ઉડ્ડયન ઑથૉરિટીએ બર્નેટના આરોપોની તપાસ કરી અને તેમાંથી અમુક આરોપ સાચા હોવાનું જાણવા મળ્યું.
કંપનીનાં ખામીયુક્ત ઉપકરણોના મામલે બૉઇંગને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.
બૉઇંગે બર્નેટના આરોપો નકારી કાઢ્યા હતા.
2017માં ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ સ્પષ્ટ કર્યું કે કેટલાક ઑક્સિજન સિલિન્ડરોને ખોટી રીતે મોકલવામાં આવ્યા અને વિમાનમાં ઇન્સ્ટૉલ કરાયા હતા તે આરોપો ખોટા છે.
જાન્યુઆરી 2024ની શરૂઆતમાં પોર્ટલૅન્ડ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી ઉડાન ભરતી વખતે એક નવનિર્મિત બૉઇંગ 737 મેક્સ વિમાનનું ઇમરજન્સી એક્ઝિટ ડોર ઉડાન ભર્યા પછી તરત નીકળી ગયું હતું.
બૉઇંગ પર અગાઉ પણ ઉત્પાદન અને સુરક્ષાનાં ધોરણોનું પાલન ન કરવાના આરોપ લાગ્યા છે.
બીજા એક એન્જિનિયર સેમ સાલેપોરે પણ દાવો કર્યો હતો કે તેમણે બૉઇંગનાં વિમાનોમાં સુરક્ષાની ખામીઓ સામે ધ્યાન દોર્યું તો તેમની હેરાન કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં જે વિમાન ક્રૅશ થયું તે બૉઇંગ 737 મેક્સ કરતાં અલગ પ્રકારનું વિમાન છે. બૉઇંગ 737ને ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયામાં અનુક્રમે 2018 અને 2019માં જીવલેણ અકસ્માત નડ્યા હતા જેમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં.
બૉઇંગ 737ના સોફ્ટવેરમાં એક ખામી જાણવા મળી હતી અને 18 મહિના સુધી વિમાન ગ્રાઉન્ડેડ કરાયું હતું.
મૅન્યુફૅક્ચરિંગ ખામીના કારણે જીવલેણ અકસ્માત થાય તેવું જવલ્લે જ બને છે.
બૉઇંગ 737 મેક્સના ક્રૅશને બાદ કરીએ તો મોટા ભાગના ક્રૅશ માટે પાઇલટની ભૂલ જ જવાબદાર હોય છે.
બૉઇંગમાં સેફ્ટીના પ્રશ્નો, ક્વૉલિટી કંટ્રોલના પ્રશ્નો અને સાત અઠવાડિયાં સુધી ચાલેલી વર્કરોની હડતાલના કારણે ગયા વર્ષે કંપનીને દર મહિને એક અબજ ડૉલરનું નુકસાન ગયું હતું.
2024માં અલાસ્કા ઍરલાઇન્સની એક ફ્લાઇટનો દરવાજો અધવચ્ચે નીકળી ગયા પછી બૉઇંગે વળતર પેટે 16 કરોડ ડૉલર ચૂકવવા પડ્યા હતા.
—————
ભૂમિ ચૌહાણ
લંડનની ફ્લાઇટ ચૂકી ગયાં હતાં
અમદાવાદના ટ્રાફિકના કારણે ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી અને બચી ગઈ. ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડા પડવાના કારણે ભૂમિને અંદર પ્રવેશ ન મળ્યો. મૂળ અંકલેશ્વરનાં ભૂમિ ચૌહાણ છે.
અંકલેશ્વરથી તો અમે ટાઇમસર અમદાવાદ આવ્યાં હતાં.
પૈસા ગયા અને નોકરી પણ જશે.
મારો જીવ બચી ગયો એનો આનંદ છે.
બ્રિટનમાં ભણવા ગયેલાં ભૂમિ ચૌહાણનાં લગ્ન બે વર્ષ પહેલાં બ્રિટનમાં રહેતા કેવલ ચૌહાણ સાથે થયાં હતાં.
ભણવા બ્રિટન ગઈ હતી અને ત્યાં પાર્ટટાઇમ નોકરી કરતી હતી. કેવલ સાથે બ્રિટનમાં લગ્ન કરાવ્યાં હતાં. લગ્નને બે વર્ષ થયાં. દોઢ મહિનાથી અંકલેશ્વર હતી. મારી રજાઓ પૂરી થઈ એટલે મેં ટિકિટ બુક કરાવી હતી. ઍર ઇન્ડિયાએ તેઓ મોડાં છો એવું જણાવી ઇમિગ્રેશન થયા પછી બધાનાં બૉર્ડિંગ થઈ ગયાં હોઈ ફ્લાઇટમાં જવા નહીં મળે એવું કહેવાયું.
સમાન પણ જવા ના દીધો. મેં મારી ટિકિટના પૈસા રિટર્ન કરવા વિનંતી કરી, પણ તેઓ માન્યા નહી છેવટે હું નસીબને દોષ આપતી બહાર નીકળી.
પોતાને ફ્લાઇટમાં ન બેસવા મળ્યું . બહાર મારા કુટુંબીઓ ઊભા જ હતા, ડ્રાઇવર પર ખૂબ ગુસ્સો કર્યો. કંટાળીને ઍરપૉર્ટથી નીકળી. ખૂબ નિરાશ હતી. ચા પીવા ઊભાં રહ્યાં અને થોડી વાર પછી પાછાં અંકલેશ્વર જવા નીકળતા પહેલાં અમે ટ્રાવેલ એજન્ટ જોડે ટિકિટના પૈસા કેવી રીતે પાછા મેળવવા એ અંગે વાત કરી રહ્યા હતાં.
અંકલેશ્વરથી ફોન આવ્યો કે ભૂમિ જે પ્લેનમાં ગઈ છે એ પ્લેન તૂટી ગયું છે.
————
અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ 48 કલાક બાદ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં દુર્ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.
મૃતદેહને સોંપવામાં થઈ રહેલી ઢીલ વિશેના આરોપોના જવાબો આપ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાના 24 કલાકની અંદર દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. યુકે તથા યુએસથી વિશેષ તપાસ દળો પણ ભારત પહોંચ્યાં.
નાગરિક ઉડ્ડયન મંત્રી તથા અધિકારીએ શું કહ્યું?
નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહાના કહેવા પ્રમાણે, “તા. 12 જૂનના બપોરે બે વાગ્યા આસપાસ અમને દુર્ઘટના વિશે માહિતી મળી હતી કે અમદાવાદથી ગૅટવિક જતું વિમાન ક્રૅશ થયું છે.”
સમીરકુમાર સિંહાએ વિગતો આપતાં જણાવ્યું, “બપોરે એક વાગ્યા અને 39 મિનિટે પ્લેને ટેક ઑફ કર્યું હતું અને ગણતરીની સેકન્ડોમાં 650 ફૂટની ઊંચાઈ મેળવી હતી. આ સમયે વિમાન તેની ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું. બપોરે 1.39 કલાકે પાઇલટે ઍર ટ્રાફિક કંટ્રૉલરને મેડે કૉલ આપ્યો હતો. મતલબ કે પૂર્ણ ઇમર્જન્સી.
બરાબર એક મિનિટ બાદ ઍરપૉર્ટથી લગભગ બે કિલોમીટર દૂર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન ક્રૅશ થયું હતું.
પ્લેને પેરિસથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદ સેક્ટરની મુસાફરી ખેડી હતી અને આ દરમિયાન કોઈ મુશ્કેલી માલૂમ પડી ન હતી.
બપોરે અઢી વાગ્યે રન-વેને બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલને અનુસર્યા બાદ સાંજે પાંચ વાગ્યાથી મર્યાદિત ઉડાનો માટે રન-વેને ફરીથી ચાલુ કરી દેવાયો હતો.
સિંહાના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ તથા પોલીસે પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી. સાંજે છ વાગ્યે અમે ત્યાં પહોંચ્યા, ત્યારસુધીમાં આગની ઉપર લગભગ સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો.
દુર્ઘટનાના ગણતરીના કલાકોમાં ઇમર્જન્સી રૂમ કાર્યરત થઈ ગયો હતો તથા હેલ્પલાઇન નંબર સાર્વજનિક કરી દેવાયા હતા. એએઆઈબી દ્વારા વર્ષ 2017ના વિમાન અકસ્માત સંદર્ભના દિશાનિર્દેશો મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ કિંજરાપૂના કહેવા પ્રમાણે, ‘એએઆઈબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમાં જરૂર પ્રમાણે નવા સભ્યોને જોડવામાં આવશે.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં વધુ એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારી, આઈબી, ડીજીસીએ, ગુજરાત સરકારના અધિકારી, અમદાવાદના પોલીસ કમિશનર સહિતના ઉચ્ચઅધિકારીઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક સોમવારે મળશે અને ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ સુપ્રત કરશે.
કિંજરાપૂના કહેવા પ્રમાણે, ભારતમાં બૉઇંગ 787નાં 34 વિમાનો કાર્યરત છે. તેમની ઉપર વિશેષ સર્વેલન્સ રાખવામાં આવશે અને તપાસ કરાશે. આને માટે જે કોઈ પગલાં જરૂરી હશે, તે લેવામાં આવશે. વિમાનનું બ્લૅક બૉક્સ મળી આવ્યું છે, જેથી કરીને દુર્ઘટના પહેલાં શું-શું બન્યું હતું અને શા માટે અકસ્માત થયો હતો, તેના વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી આવશે.
કિંજરાપૂએ કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મૃતકોની ઓળખવિધિ માટે ડીએનેએ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. કોઈપણ પ્રકારની ચૂક ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રોટોકૉલને અનુસરી રહી છે, એટલે મૃતદેહને સોંપવામાં સમય લાગી રહ્યો છે.
શુક્રવારે રામમોહન નાયડુ કિંજરાપુએ ઍક્સ પર પોસ્ટ કર્યું, “ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)એ અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી ફલાઇટ ડેટા રેકૉર્ડર (બ્લૅક બૉક્સ) 28 કલાકની અંદર શોધી કાઢ્યું છે. આ તપાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આનાથી ઘટનાની તપાસમાં ઘણી મદદ મળશે.”
આ પહેલાં રૉયટર્સ, પીટીઆઈ અને એએફપી જેવી ન્યૂઝ એજન્સીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટના બાદ વિમાનનું એક બ્લૅક બૉક્સ મળી ગયું છે.
સામાન્ય રીતે પ્લેનમાં બે બ્લૅક બૉક્સ હોય છે. આ બ્લૅક બૉક્સ નાના પરંતુ મજબૂત ડેટા રેકૉર્ડર હોય છે. એકમાં કૉકપીટના અવાજ રેકૉર્ડ થાય છે, જેથી તપાસકર્તાઓ પાઇલટ શું બોલી રહ્યા છે એ અને અન્ય અસામાન્ય અવાજો સાંભળી શકે. આ સિવાય બીજું રેકૉર્ડર ઊંચાઈ અને ગતિ જેવા ફ્લાઇટ ડેટાને રેકૉર્ડ કરે છે.
વિશ્વાસ
અમદવાદના મેઘાણીનગર ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટનામાં વિમાનમાં સવાર 242 પૈકી માત્ર વિશ્વાસકુમાર રમેશ નામની વ્યક્તિ જીવિત બચી હતી. જ્યારે મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત બાકીના લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વિશ્વાસકુમાર એક બ્રિટિશ નાગરિક છે. તેઓ લંડન જઈ રહેલી બૉઇંગ 787 ફ્લાઇટની 11-A સીટ પર બેઠા હતા.
ભારતના સરકારી બ્રૉડકાસ્ટર ડીડી ન્યૂઝે રમેશ સાથે વાતચીત કરી. તેઓ હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તેમણે કહ્યું કે, “મને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે જીવતો બચી ગયો. પહેલાં તો મને લાગ્યું કે હું મરવાનો છું. હું મારી આંખ ખોલી શક્યો, મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને પ્લેનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો. રમેશે કહ્યું કે તેમની બેઠક બાજુનો પ્લેનનો ભાગ હૉસ્ટેલ બિલ્ડિંગને અથડાયો નહોતો અને ગ્રાઉન્ડ ફ્લોરથી નજીક હતો. મારો દરવાજો તૂટી ગયો અને મને એક નાનકડી જગ્યા ખુલ્લી દેખાઈ. મેં પ્લેનમાંથી બહાર નીકળવાની કોશિશ કરી.
સળગી રહેલા પ્લેનથી દૂર જઈ રહેલા રમેશનો વીડિયો તરત વાઇરલ થઈ ગયો. તેમણે કહ્યું કે તેમનો ડાબો હાથ દાઝી ગયો છે, ઘટનાસ્થળેથી બાદમાં તેમને તરત હૉસ્પિટલ લઈ જવાયા હતા.
શુક્રવારે વહેલી સવારે વડા પ્રધાન મોદી પણ સિવિલ હૉસ્પિટલ ખાતે રમેશને મળ્યા.
—————-
તપાસ કેમ થાય છે
દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુના કહેવા પ્રમાણે, અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
કિંજરાપુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે ઇન્ટરનૅશનલ સિવિલ ઑર્ગેનાઇઝેશન (આઈસીએઓ) દ્વારા નિર્ધારિત ઇન્ટરનૅશનલ પ્રોટોકૉલ હેઠળ ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ (એએઆઈબી) અકસ્માતની સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય, સરકાર આ કેસની વિસ્તૃત તપાસ માટે અનેક વિષયોના નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિ રચશે. આ સમિતિ ઉડ્ડયન સુરક્ષાને સુદૃઢ કરવા તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે કામ કરશે.
બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરના કહેવા પ્રમાણે, અકસ્માતની તપાસમાં મદદ કરવા માટે બ્રિટિશ તપાસકર્તાઓની એક ટીમ અમદાવાદ આવી.
અમેરિકામાં વિમાન અકસ્માતોની તપાસ કરવા માટેની સંસ્થા નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડની પણ એક ટીમ ભારત પહોંચી . તેઓ પણ વિમાન અકસ્માતની તપાસ કરનારી ભારતીય એજન્સીઓની મદદ કરી.
શું તમે જાણો છો કે ભારતમાં વિમાન અકસ્માતોની તપાસ કોણ કરે છે અને તેની પ્રક્રિયા કેવી હોય છે?
વિમાન દુર્ઘટનાની તપાસ કોણ કરે?
ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ એએઆઈબી (ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો) દ્વારા કરવામાં આવે છે. એએઆઈબી દ્વારા જે તે અકસ્માતની તપાસ કરવા માટે અધિકારીઓની ટીમ ગઠિત કરવામાં આવે છે.
ઉડ્ડયન નિષ્ણાત મીનુ વાડિયાના કહેવા પ્રમાણે, અકસ્માતથી જે કોઈ સંસ્થાને અસર પહોંચી હોય, તેમને પણ સામેલ કરવામાં આવે છે અથવા તો સામેલ કરી શકાય છે.
અમદાવાદમાં જે વિમાનને અકસ્માત નડ્યો, તેનું નિર્માણ બૉઇંગે કર્યું છે, એટલે તેને પણ તપાસમાં સામેલ કરાશે. વિમાનમાં ખાસ્સી સંખ્યામાં બ્રિટિશ મુસાફર પણ હતા, એટલે બ્રિટનની એજન્સી ઍર ઍક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પણ તેમાં સામેલ છે. જોકે તેની ભૂમિકા માત્ર તપાસ સંબંધિત વાતચીત તથા બેઠકોમાં સામેલ થવા પૂરતી મર્યાદિત રહેશે, વધુમાં વધુ તો સૂચન કરી શકે છે. દુર્ઘટનાની તપાસ તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતી, આ કામ માત્ર એએઆઈબી દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓ જ કરી શકે છે.
કયા-કયા મુદ્દે તપાસ કરવામાં આવશે, તે કેસ-ટુ-કેસ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ દરેક દુર્ઘટનાની તપાસ દરમિયાન અમુક આયામથી છણાવટ થાય જ છે.
જેમ કે સૌપ્રથમ અકસ્માતસ્થળને સીલ કરી દેવામાં આવે છે, પછી બ્લૅક બૉક્સને શોધવામાં આવે છે, જે તપાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ કડી સાબિત થાય છે.
બ્લૅક બૉક્સ ‘ફ્લાઇટ ડેટા રેકૉર્ડર’ પણ હોય છે, જેમાં ઉડ્ડાણ દરમિયાન પાઇલટ તથા ઍર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) વચ્ચે શું વાતચીત થઈ, તેનું રેકૉર્ડિંગ અને વિવરણ હોય છે.
એ પછી પુરાવા એકત્ર કરવામાં આવે છે, આના માટે વિમાનના કાટમાળની તપાસ હાથ ધરવામાં આવે છે. સાથે જ રડાર ડેટા, સારસંભાળની રિપોર્ટ, એટીસી તથા પાઇલટ વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ, હવામાન વિશે માહિતી તથા સુરક્ષા માટે લગાડવામાં આવેલા કૅમેરાના ફૂટેજ ચકાસવામાં આવે છે.
તપાસકર્તાઓ વિમાન અકસ્માતમાં બચી ગયેલા લોકો, ઍર ટ્રાફિક કંટ્રોલર, ઍરલાઇનની જાળવણી કરનાર સ્ટાફ, પ્રત્યક્ષદર્શીઓ તથા અન્ય હિતધારકો સાથે વાતચીત કરીને ક્રૅશનાં સંભવિત કારણો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.
આ પ્રકારની દુર્ઘટનામાં ફૉરેન્સિક તપાસ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કડી હોય છે. જેમ કે, પાઇલટ કે ચાલકદળના સભ્યોના મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે, જેથી કરીને તેમણે કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા કે નશામાં હોવા વિશે જાણકારી મેળવી શકાય.
બીજી બાજુ, ઍરક્રાફ્ટના પાર્ટ્સની પણ તપાસ કરવામાં આવે છે. આ પ્રારંભિક તપાસ બાદ જ તપાસકર્તાઓની ટીમનું ગઠન કરવામાં આવે છે.
મીનુ વાડિયાના કહેવા પ્રમાણે, આ ટીમમાં તબીબો, મનોચિકિત્સક, એન્જિનિયર્સ, પાઇલટ્સ, ઍવિયેટર્સ તથા અન્ય કેટલાક નિષ્ણાતો સામેલ હોય છે. જે દુર્ઘટનાના દરેક આયામની તપાસ કરે છે.
તપાસ પૂર્ણ થયે એએઆઈબી દ્વારા આ અંગેનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવે છે તથા તેને વેબસાઇટ પર પણ મૂકવામાં આવે છે.
તપાસનો અંતિમ અહેવાલ આઈસીએઓને પણ મોકલવામાં આવે છે. આ સિવાય તપાસમાં સામેલ તમામ પક્ષકારોને આ અહેવાલ મોકલવામાં આવે છે.
તપાસ બાદ સુરક્ષાને વધારવા સંબંધિત સૂચનો આપવામાં આવે છે. જે ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ સિવિલ ઍવિયેશન) તથા આઈસીએઓમાં સામેલ દેશોનાં ઉડ્ડયન મંત્રાલયોને પણ મોકલવામાં આવે છે.
જેથી કરીને તેઓ ભલામણોને લાગુ કરે તથા ભવિષ્યમાં દુર્ઘટના ન થાય તે માટે જરૂરી પગલાં લે.
વર્ષ 1944માં અમેરિકા ખાતે વિશ્વના 52 દેશોની વચ્ચે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન કરાર થયા, જેના હેઠળ આ દેશોની (જેમાં બ્રિટિશ સંસ્થાન ભારત પણ સામેલ હતું) વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વધુ સલામત અને શાંતિપૂર્ણ બનાવવા કેટલાક નિયમો ઘડવા અંગે સહમતિ સધાઈ હતી.
આ નિયમ ઍરસ્પેસના ઉપયોગ, સુરક્ષા પરિમાણો, ઍરક્રાફ્ટ રજિસ્ટ્રેશન, કસ્ટમ તથા ઇમિગ્રેશન સંબંધે હતા. જે કોઈ દેશોએ ઉપરોક્ત કરાર પર સહી કરી હતી, તેમણે આ નિયમોનું પાલન કરવાનું હતું.
આ કરાર પછી આઈસીએઓની (ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશન) સ્થાપના થઈ, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી છે. આ સંસ્થા આજે પણ અસ્તિત્વ ધરાવે છે તથા આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીનું નિયમન કરવામાં મદદ કરે છે.
આ પહેલાં ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ ઇન્ડિયન ઍરક્રાફ્ટ ઍક્ટ -1934 હેઠળ થતી હતી.
એ સમયે ભારત બ્રિટિશ શાસનને આધીન હતું. 1944ના શિકાગો કન્વેન્શન બાદ સંગઠને નક્કી કરેલા માપદંડો મુજબ કામકાજ શરૂ થયું.
ડીજીસીએ દ્વારા ભારતમાં નાગરિક ઉડ્ડયનક્ષેત્રે નિયમ ઘડતર અને સુરક્ષા સંબંધિત કામકાજ કરવામાં આવે છે. પાઇલટ તથા એન્જિનિયરોને લાઇસન્સ આપવાં, ઍરલાઇન્સને પરમિટ આપવી, વિમાન ઉડ્ડયનને પાત્ર છે કે નહીં તે નક્કી કરવું, હવાઈયાત્રા સંબંધિત નિયમો તથા દિશાનિર્દેશનું ઘડતર કરવું, આઈસીએઓના માપદંડો મુજબ કામકાજ થઈ રહ્યું છે કે નહીં, તે જોવાની જવાબદારી ડીજીસીએની છે.
વર્ષ 2012 સુધી ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટનાઓની તપાસ હાથ ધરવામાં આવતી હતી. ડીજીસીએ દ્વારા નિયમોનું ઘડતર કરવામાં આવતું હતું અને તે જ અકસ્માતની તપાસ કરતું, જેના કારણે તેની નિષ્પક્ષતા અંગે સવાલ ઊભા થતા હતા.
આઈસીએઓના નિયમ મુજબ, વિમાન દુર્ઘટનાઓની તપાસ સ્વતંત્ર સંસ્થા દ્વારા થવી જોઈએ, જે ઍરલાઇન સાથે જોડાયેલી ન હોય કે નિયામક પણ ન હોય.
એટલે ભારત સરકારે વર્ષ 2012માં ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની સ્થાપના કરી, જે વિમાન અકસ્માતોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી શકે.
નિષ્પક્ષતા પર પણ સવાલ યથાવત્
કેટલાક નિષ્ણાતો એએઆઈબીની નિષ્પક્ષતા અંગે પણ સવાલ ઊભા કરે છે.
મીનુ વાડિયાએ બીબીસી સાથે વાત કરતી વેળાએ કહ્યું કે, ‘એએઆઈબીના નિદેશક દ્વારા ભલે એવો દાવો કરવામાં આવે કે તે સ્વતંત્ર બૉડી છે અને સંપૂર્ણપણે નિષ્પક્ષ છે, પરંતુ હકીકત એ છે કે આ સંસ્થા હજુ પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે. એટલે આ સંસ્થાને કે તેના રિપોર્ટને સંપૂર્ણપણે નિષ્પક્ષ ઠેરવી ન શકાય.’
—————–
વિમાનમાંથી 28 મૃતદેહો કાઢનાર
પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વિમાનમાંથી 28 જેટલા મૃતકોના સળગી ગયેલા મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરનારા સામાજિક કાર્યકર સંજય બગીએ આ દુર્ઘટનાની ભયાનકતા જણાવી હતી. ‘રાત્રે સૂઈ શકતો નથી, આંખો બંધ કરું ને એ દ્રશ્યો દેખાય છે’,
હોસ્ટેલમાંથી 3 MD ડોક્ટર્સને બચાવ્યા
પ્લેન ક્રેશ થયું ત્યારે હું બપોરે આસારવા ચકલા પાસે મિત્રો સાથે બેઠો હતો. તેમણે વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળ્યો અને સિવિલ હોસ્પિટલની પાછળ ધુમાડો નીકળતો જોયો. કોઈ મોટી દુર્ઘટના બની હશે એવું વિચારીને તેઓ મદદ કરવા દોડ્યા. હોસ્ટેલમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી ધુમાડો જોયો. હોસ્ટેલની દીવાલ કૂદીને અંદર ગયા. ત્રણથી ચાર વિદ્યાર્થીઓ પોતાને ચાદર બાંધીને ચોથા માળેથી નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે તેમને કૂદતા અટકાવ્યા અને મદદ માટે બુમો પાડી. આ છોકરાઓ પણ મદદ માટે બુમો પાડી રહ્યા હતા.
મદદ કરો, મદદ કરો.
સીડીથી ઉપર ગયો અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. બીજા માળે પણ આગ લાગી હતી. એક વ્યક્તિ પણ મદદ માટે ત્યાં પહોંચી ગયો, તેની સાથે રૂમાલથી ચહેરો ઢાંકીને બંને ચોથા માળે ફસાયેલા ત્રણ લોકોને પકડીને નીચે ઉતર્યા. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલ્યા.
નીચે પરિસરમાં પડેલા વિમાનના કાટમાળ પાસે પહોંચ્યો. ત્યાં આસપાસ માનવ અંગો પડ્યા હતા. વિમાનના કાટમાળની અંદર મૃતદેહો ખરાબ રીતે બળી ગયેલી સ્થિતિમાં પડ્યા હતા.
ઘણા લોકો, ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ મદદ માટે ત્યાં પહોંચી ગયા. વિમાનમાં સળગતી લાશો બહાર કાઢી જેમાં પાયલોટ પણ હતા. 28 મૃતદેહોને બાહર કાઢ્યા અને એમ્બુલન્સ દ્વારા સ્ટ્રેચર પર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
મૃતદેહો ઓળખવા મુશ્કેલ હતા. ગરમી એટલી હતી કે તેમને પકડી શકતા નહોતા. તેમના શરીરના ભાગો ફાટી ગયા હોવાથી તેમને ઉપાડવા પણ મુશ્કેલ હતા. કોઈનો હાથ પકડીએ તો બહાર આવી જાય, મોઢું પકડો તો મોઢું આવી જાય, પગ પકડીએ તો નીકળી જાય એવી ખરાબ હાલતમાં લાશો હતી. હોસ્ટેલમાં કંઈ બચ્યું ન હતું. દરેક જગ્યાએ કાળું પડ હતું. બધું બળીને રાખ થઈ ગયું હતું.
ઘણા લોકોને ચાદરમાં લપેટીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવા પડ્યા હતા. હાલત થઈ ગઈ છે કે હું રાતે સુઈ શકતો નથી. આંખોથી દ્રશ્યો દૂર નથી થતા. જ્યારે આંખ બંધ કરું છું. ત્યારે એ જ દ્રશ્યો સામે આવે છે.
000000000000
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા દીવના 38 વર્ષીય વિશ્વાશ કુમાર રમેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દુર્ઘટના બાદ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં વિશ્વાસે દુર્ઘટનાને લઈને પોતાનો ભયાનક અનુભવ શેર કયો.
દૂરદર્શન સાથેના ઇન્ટરવ્યુમાં વિશ્વાસકુમારે પોતાની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે, તેની સીટ 11 A હતી. જે હોસ્ટેલની બિલ્ડિંગના પર ઉતરેલા વિમાનના એક ભાગમાં આવેલી હતી , જેના સાથે તે અથડાઈ. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાશ કુમાર રમેશે પોતાનો સીટ બેલ્ટ ઉતાયો અને તે બહાર આવ્યો જેમાં તેનો ડાબો હાથ બળી ગયો.
વિશ્વાસે કહ્યું, “હું જે બાજુ બેઠો હતો તે હોસ્ટેલની બાજુમાં ન હતો, તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો. મને બીજા વિશે ખબર નથી, પણ હું જે જગ્યાએ બેઠો હતો તે ભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો, અને ત્યાં થોડી જગ્યા હતી. મારો દરવાજો તૂટતાની સાથે જ મેં જોયું કે થોડી જગ્યા હતી, અને પછી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, અને હું બહાર નીકળી ગયો.
સામેની બાજુ એક ઇમારતની દિવાલ હતી, અને તે બાજુ વિમાન સંપૂર્ણપણે તૂટી પડ્યું હતું, તેથી કદાચ એટલા માટે જ કોઈ તે બાજુથી બહાર નીકળી શક્યું નહીં. ફક્ત હું જ્યાં હતો ત્યાં જ જગ્યા હતી. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. જ્યારે આગ લાગી, ત્યારે મારો ડાબો હાથ પણ બળી ગયો. પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીંના લોકો મારી સાથે સારી રીતે વર્તણૂક કરી રહ્યા છે. અહીંના લોકો ખૂબ સારા છે.”
વિશ્વાસનું બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. થોડા સમય માટે, તેણે વિચાર્યું હતું કે, તે પણ મરી જશે, પરંતુ ચમત્કારિક રીતે મૃત્યુથી બચી ગયો.
PM સાથે મુલાકાતને લઈને વિશ્વાસે કહ્યું કે, “પીએમ મોદીએ મને ઘટના વિશે પૂછ્યું. આ બધું મારી નજર સામે બન્યું. મને વિશ્વાસ પણ નહોતો આવતો કે હું કેવી રીતે બચી ગયો. ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે હું પણ મરી જઈશ. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું જીવતો હતો. મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને ત્યાંથી ભાગી ગયો. કાકા-કાકી અને એર હોસ્ટેસના મૃતદેહ ત્યાં હતા…”
આ ઘટના વિશે સમજાવતા, વિશ્વાસે કહ્યું, “ટેકઓફ કર્યા પછી, 5-10 સેકન્ડ માટે, અમને એવું લાગ્યું કે બધું જ અટકી ગયું છે. પ્લેન પર લીલી અને સફેદ લાઇટો ચાલુ કરવામાં આવી હતી. મને લાગે છે કે ટેકઓફ માટે પ્લેનની ગતિ વધારી દેવામાં આવી હતી, અને તે હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું. આ બધું મારી નજર સામે બન્યું.”
000000000000
વિશ્વાસ કુમાર રમેશ
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં વિશ્વાસ કુમારના બચી ગયા બાદ, રુઆંગસાકે ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, “ભારતમાં વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ અને હું એક સમાન બેઠક પર અલગઅળગ વિમાનમાં 11A પર બેઠા હતા.
થાઈલેન્ડના ગાયક અને અભિનેતા રુઆંગસાક લોયચુસાક 1998માં વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા. રુઆંગસાક પણ વિમાનની સીટ 11A પર બેઠા હતા. વિશ્વાસ કુમાર રમેશ પણ સીટ 11A પર બેઠા હતા. લોકો તેને માત્ર સંયોગ અને ચમત્કાર કહી રહ્યા છે.
રુઆંગસાક થાઈ એરવેઝની ફ્લાઇટ TG261 માં મુસાફર હતા, જે ડિસેમ્બર 1998માં દક્ષિણ થાઈલેન્ડમાં ક્રેશ થઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. ડઝનેક ઘાયલ થયા હતા. ગાયક રુઆંગસાક ગયા પરંતુ વર્ષો સુધી આ આઘાતમાંથી બહાર આવી શક્યા ન હતા. એક દાયકા સુધી ઉડાન ભરી શક્યા ન હતા.
વિશ્વાસ કુમાર રમેશ હતા, જે સીટ 11A પર બેઠેલા હતા. રમેશ હાલમાં ડાબા હાથે દાઝી જવાથી હોસ્પિટલમાં દાખલ છે.
સીટ 11Aનું રહસ્ય
સીટ 11A વિમાનની ડાબી બાજુએ ઇમરજન્સી એક્ઝિટ પાસે હોય છે. હાલમાં આ સીટ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે તેના પર બેઠેલા બે મુસાફરો બચી ગયા હતા. રમેશના કિસ્સામાં, તે વિમાનની ડાબી બાજુએ હોવાથી વિમાન સીધું મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું નહીં જ્યાં વિમાન ક્રેશ થયું હતું. એક્ઝિટ દરવાજાની નજીક હોવાથી તે વિમાનમાંથી બચી શક્યા. રુઆંગસાકના કિસ્સામાં પણ, એક્ઝિટ દરવાજાની નજીક હોવાથી તેને બચવામાં મદદ મળી.
ઉડ્ડયન નિષ્ણાતોના મતે, સીટ 11A ઇમરજન્સી એક્ઝિટની નજીક હોવાથી બચવાની શક્યતા વધી શકે છે, ખાસ કરીને આંશિક અસરની પરિસ્થિતિઓમાં.
000000000
એર ઇન્ડિયાએ અમદાવાદ-લંડન રૂટ પરથી AI171 અને AI172 વિમાનોને નિવૃત્ત કર્યા છે. 12 જૂને અમદાવાદમાં થયેલી ક્રેશની દુર્ઘટનામાં ડ્રીમલાઇનર વિમાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 જૂનથી, આ ફ્લાઇટ્સને AI159 અને AI160 નંબરની ફ્લાઇટ્સ દ્વારા બદલવામાં આવશે. ભવિષ્યની ફ્લાઇટમાં AI171 નો ઉલ્લેખ ન કરવો જોઈએ. એર ઇન્ડિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ ફોટામાં કાળો રંગ રાખીને શોક વ્યક્ત કર્યો છે.
વિમાનમાં સવાર 241 મુસાફરો અને મેઘાણીનગરમાં વિમાન જ્યાં ક્રેશ થયું તે વિસ્તારના 33 લોકોનો સમાવેશ થાય છે.
00000000
રાજકીય નેતાઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાતે હતા.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગયા હતા. મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, આ ઘટના પછી જે બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી હકીકત બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવું યોગ્ય નથી. ટેકનીકલ બાબત છે. જે સામે આવ્યા બાદ ટિપ્પણી કરીશું. આ ઘટનામાં વળતર તો મળવું જ જોઈએ. સાથે જવાબદારી પણ નક્કી કરવામાં આવે એવી અમારી માંગ છે. કોઈ વાતને હલકામાં ના લેવા જોઈએ. કોઈએ ક્રેડિટ લેવાનો પ્રયાસ ના કરવો જોઈએ. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
0000000000
હોસ્ટેલ
વિમાન પડ્યું તે હોસ્ટેલની તમામ 4 બિલ્ડિંગ ખાલી કરાવાઈ, રેસિડેન્ટ ડોક્ટર્સ માટે 50 રૂમ ભાડે રખાયા
બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગને ખાલી કરવામાં આવી રહી છે, જેથી તપાસ એજન્સીઓ પ્લેન ક્રેશ અંગેની તપાસ કરી શકે.
બી.જે મેડિકલ કોલેજના ડીન મીનાક્ષી પારેખ હતા.
અતુલ્ય 4 હોસ્ટેલ ખાલી કરાવાઈ રહી છે. ત્યાં રહેનારા વિદ્યાર્થીઓની અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે. અતુલ્યમ હોસ્ટેલમાં 33 રેસિડન્ટ ડોક્ટર હતા, તેમના માટે અલગ-અલગ વ્યસવ્થા કરાઈ છે. 4 ને યુએન મહેતા હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે. 50 રૂમને 1 વર્ષ માટે ભાડે લેવામાં આવ્યા છે, 9ને ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે, જ્યારે 12ને મિથિલા હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તમામ ડોક્ટર માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
મેડિકલ કોલેજમાં 9 લોકોના ક્રેશમાં મોત
આ અંગે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓના દુઃખદ મૃત્યુ થયા હતા. અને સગાસંબંધીઓ સહિત કુલ 9 લોકોના મોત થયા છે. 24 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 વિદ્યાર્થીઓને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. અને જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમની હાલત હવે સ્થિર છે. બી.જે. મેડિકલના ચાર વિદ્યાર્થીઓનું દુઃખદ મૃત્યુ થયું છે. હાલમાં કોઈ ગુમ નથી.
0000000000000
બ્લેક બોક્સ શું છે?
વિમાનના એક ખૂણામાં મૂકવામાં આવેલા નાના બોક્સને બ્લેક બોક્સ કહેવામાં આવે છે. તે એક નાનું મશીન છે જે ઉડાન દરમિયાન વિમાન વિશે માહિતી રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ મુખ્યત્વે ફ્લાઇટ રેકોર્ડર છે. તેમાં બે ઉપકરણો હોય છે – કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR). CVR રેડિયો ટ્રાન્સમિશન અને પાઇલટનો અવાજ અને એન્જિનનો અવાજ જેવા અવાજો રેકોર્ડ કરે છે. આ દ્વારા, તપાસ અધિકારીઓ એન્જિનની ગતિ અને અન્ય સિસ્ટમ ખામીઓ શોધી શકે છે.
બ્લેક બોક્સ સ્ટીલ અથવા ટાઇટેનિયમ જેવા મજબૂત પદાર્થોથી બનેલું છે. તે તીવ્ર આગમાં પણ સુરક્ષિત રહે છે. બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે, જ્યાં અકસ્માતની અસર સામાન્ય રીતે સૌથી ઓછી હોય છે. આ નારંગી અથવા પીળો લંબચોરસ બોક્સ વિસ્ફોટ, આગ, પાણીના દબાણ અને હાઇ-સ્પીડ અકસ્માતોનો સામનો કરી શકે છે.
બ્લેક બોક્સ તપાસમાં કેવી રીતે મદદ કરે છે?
વિમાનમાં સ્થાપિત બંને બ્લેક બોક્સ – CVR અને FDR ફ્લાઇટ વિશેની માહિતી રેકોર્ડ કરે છે. આ ફરીથી વિમાન દુર્ઘટનાને રોકવામાં મદદ કરે છે. CVR કોકપીટમાં રેડિયો ટ્રાન્સમિશન અને અન્ય અવાજો રેકોર્ડ કરે છે, જેમાં પાઇલટ્સ વચ્ચેની વાતચીત અને એન્જિનનો અવાજ શામેલ છે. જ્યારે FDR જહાજને લગતી 80 થી વધુ વિવિધ પ્રકારની માહિતી રેકોર્ડ કરે છે, જેમ કે ઊંચાઈ, પવનની ગતિ, ફ્લાઇટ દિશા, ઓટોપાયલટ સ્થિતિ, વગેરે.
બ્લેક બોક્સની શોધ
બ્લેક બોક્સની શોધ 1950 ના દાયકામાં થઈ હતી. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ડેવિડ વોરેન 1953માં વિશ્વના પ્રથમ કોમર્શિયલ જેટ એરલાઇનર કોમેટના ક્રેશની તપાસ કરી રહ્યા હતા. તે સમયે તેમને કોકપીટ વોઇસ રેકોર્ડર બનાવવાનો વિચાર આવ્યો. તેમનું માનવું હતું કે કોકપીટમાં અવાજો રેકોર્ડ કરવાથી વિમાન દુર્ઘટનાની તપાસમાં મદદ મળશે. વોરેને 1956માં એક પ્રોટોટાઇપ ડિઝાઇન બનાવી. પરંતુ અધિકારીઓને આ ઉપકરણ કેટલું મૂલ્યવાન હોઈ શકે છે તે સમજવામાં ઘણા વર્ષો લાગ્યા અને તેમણે તેને વિશ્વભરની કોમર્શિયલ એરલાઇન્સમાં ઇન્સ્ટોલ કરવાનું શરૂ કર્યું.
એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ 12 જૂનના રોજ બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી અને એક મિનિટમાં જ વિમાન 625 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું. વિમાને ટેકઓફ કર્યા પછી તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને MAYDAY ફોન કર્યો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના એક નિવેદન અનુસાર, ATC દ્વારા વિમાનને કરવામાં આવેલા અનુગામી કોલનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
000000000000
BJ મેડિકલ કોલેજના હોસ્ટેલમાં જમવાનું બનાવનાર સરલાબેન પણ પ્લેન ક્રેશમાં ભોગ બન્યા છે. સરલાબેનના પરિવારજને જણાવ્યું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી અહીં જમવાનું બનાવતા હતા. ઘટના સમયે તેઓ હોસ્ટેલમાં જમવાનું બનાવતા હતા. એટલે જ્યારે પ્લેન ક્રેશ થયો ત્યારે તેમને ખ્યાલ ન આવ્યો કે શું થયું, પરંતુ પાછળથી દોડાદોડી થવા લાગી. ત્યારબાદ તેઓ પણ બચવા માટે ભાગવા લાગ્યા.
હોસ્ટેલમાં જમવાનું બનાવતા સરલાબેન બન્યા પ્લેન ક્રેશનો ભોગ
દુર્ઘટના સ્થળે ચાની કિટલી ચલાવતા 15 વર્ષનો આકાશ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યો. આકાશના પરીવાજનોએ માહિતી આપતા જણાવ્યું કે, આકાશ ચાની કિટલી પર કામ કરી રહ્યો હતો અને જમવા માટે આવતા જમીને ખાટલા પર બેસતા આગની જવાળાઓ એના તરફ આવી હતી, આ દરમિયાન આકાશની માતા તેને બચાવવા જતા તેઓ દાઝી ગયા અને આકાશનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. હાલમાં આકાશની માતા ICU માં છે.
ફ્લાઇટ ક્રેશ થઈ ત્યાં રહેતો યુવકે ઘર છોડી દીધું
27 વર્ષીય પ્રવીણ યાદવે કહ્યું, “અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી દરરોજ ફ્લાઇટ્સ ઉડતી જોવા મળે છે. પરંતુ અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવું કંઈક બનશે. હું ખૂબ ડરી ગયો હતો અને ઘર છોડીને બીજા વિસ્તારમાં ગયો હતો. હું આજે પાછો ફરી રહ્યો છું. મેં મારા જીવનમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી. તે ખૂબ જ ખરાબ છે.”
00000000000000
12, 2025
સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, બારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સરદાર નિવાસની મુલાકાત લઈ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી. બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી.
આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના આ વર્ષમાં મુખ્યમંત્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીના આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વરાજ આશ્રમમાં આપી ભાવાંજલિ (Etv Bharat Gujarat)
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ, કલેકટર ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી. શિવાની ગોયલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
000000000000000