અનિલ અંબાણીએ 4 કંપનીઓ વેચવા કાઢી, 200 અબજના દેવા સાથે 12 વર્ષમાં અનિલ બાવો બની ગયો

9 ડિસેમ્બર 2020
અનિલ અંબાણીએ 12 વર્ષમાં તેમની બધી સંપત્તિ ગુમાવી: મુકેશ અંબાણી રાજકારણમાં પ્રવેશથી નારાજ હતા, તે અંતની શરૂઆત હતી. કંપનીનું દેવું લગભગ 20,000 કરોડનું છે. રિલાયન્સ કેપિટલને એચડીએફસીના કુલ 524 કરોડ અને એક્સિસ બેંકના 101 કરોડ ચૂકવવાના છે. તેથી 4 કંપની વેચવા કાઢી છે.

અનિલ અંબાણી દેવા હેઠળ દબાયા
અનિલ અંબાણીની ચાર કંપનીઓની સંપત્તિ દેવાના બોજ હેઠળ વેચવા જઈ રહી છે. આ ચાર કંપનીઓ- રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ, રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ ફાઇનાન્સિયલ લિમિટેડ અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન લિમિટેડ. આ તમામ રિલાયન્સ કેપિટલ લિમિટેડ (આરસીએલ) ની પેટા કંપનીઓ છે. તે જ સમયે, આરસીએલ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની એન્ટિટી છે.

ડિસેમ્બર 17 સુધી ખરીદદાર આવી શકે
અનિલ અંબાણીની કંપનીમાં હિસ્સો ખરીદનારાઓએ 17 ડિસેમ્બર સુધીમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કરાવવાનું રહેશે. આ પત્ર દ્વારા તે જાણી શકાય છે કે કઈ કંપનીઓ અથવા રોકાણકારો બોલી લગાવવા તૈયાર છે.

ધિરાણ આપતી બેંક, વેચાણમાંથી મળેલા નાણાંથી લોન વસુલ કરશે. એસબીઆઇ કેપ્સ અને જેએમ ફાઇનાન્સિયલને કંપની માટે ખરીદદારો શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તાજેતરમાં, અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ એચડીએફસી લિમિટેડ અને એક્સિસ બેંકની ટર્મ લોન પર ડિફોલ્ટ થઈ છે. કંપનીના જણાવ્યા મુજબ, કાનૂની મુશ્કેલીઓને લીધે તે 31 ક્ટોબરના રોજ એચડીએફસીને 4.77 કરોડ અને એક્સિસ બેન્કને 0.71 કરોડનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી છે.