Tuesday, June 30, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

સરકારી  ડેટાને દબાવવા અને પછી તેમને લીક કરવા તે પ્રશ્નો ઊભા કરે છે ...

ભારતના ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી, પ્રણવ સેને એક નિવેદનમાં કહ્યું છે કે દેશમાં સત્તાવાર આર્થિક ડેટાનું પ્રકાશન કેલેન્ડર હોવું જોઈએ, જે સમયસર બહાર પાડવું જોઈએ, જેથી ભારતના ડેટાની વિશ્વસનીયતા પણ અકબંધ રહે. પ્રણવ સેન હાલમાં તાજેતરમાં રચાયેલી આર્થિક આંકડા પરની સ્થાયી સમિતિના વડા છે. ભારતના પૂર્વ ચીફ સ્ટેટિસ્ટિશિયને કહ્યું કે ભારતનો સત્તાવાર ડેટા ચ...

76 નેતાઓએ ભાજપ છોડી દીધો, મૂળ કારણ નાગરિકતા કાયદો

સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત એનઆરસીના વિરોધમાં મધ્યપ્રદેશમાં ભાજપના ઓછામાં ઓછા 76 મુસ્લિમ કાર્યકરો અને પદાધિકારીઓએ પક્ષના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. પાર્ટી છોડનારા તમામ કાર્યકરો ભાજપના ઇન્દોર, દેવાસ અને ખારગોનની લઘુમતી શાખાઓથી સંબંધિત હતા. મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના લઘુમતિ નેતાઓ પક્ષ છોડવાનું વિચારી રહ્યા છે. ભાજપના વરિષ...

મોદી સરકારે રૂ.10 હજાર કરોડ રિઝર્વ બેંક પાસેથી ઉછીના માંગ્યા

બજેટ પહેલા કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી 10,000 કરોડની ઉછીના પૈસાની માંગણી કરી છે. સરકાર પાસે વેરાની આવક  ઓછી થઈ રહી છે. રસ્તા બનાવવાના અને બીજા પ્રજા લક્ષી યોજનાઓમાં કાપ મૂક્યા છે. હવે મોદી સરકાર ઉછીના નાણાં શોધવા નિકળી છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેની સરકાર હંમેશ કહેતી કે વ્યાજે પૈસા લેવા તેના માટે છાતી જોઈએ. હવે કેન્દ્ર સરકારમાં એવુ...

જેટલાં ધાર્મિક સ્થાનો તેનાથી 3 ગણા ભિખારી, બિનસંવેદનશીલ સરકાર

(દિલીપ પટેલ) ગુજરાત સરકાર દ્વારા ભિખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કોઈ પણ સ્થાને ભિખ માંગી શકાતી નથી. તેમ છતાં સરકારે એક નવા આદેશ પ્રમાણે રાજ્યના યાત્રાધામની બહાર ભિક્ષુક ભિખ નહીં માંગી શકે. ડાકોર, પાલિતાણા, શામળાજી, જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી  ભિખ નહીં માંગી શકે. ગુજરાતમાં ભિખારીઓ વધી રહ્...

હું છું ગાંધી: ૧૦૯ પ્રાયશ્ચિતરૂપે ઉપવાસ

બાળકો અને બાળાઓને પ્રામાણિકપણે ઉછેરવાકેળવવામાં કેટલી ને કેવી રીતે કઠણતાઓ છે તેનો અનુભવ દિવસે દિવસે વધતો ગયો. શિક્ષક અને વાલી તરીકે તેમનાં હૃદયમાં પ્રવેશ કરવાનો હતો, તેમનાં સુખદુઃખમાં ભાગ લેવાનો હતો; તેમનાં જીવનની ગૂંચો ઉકેલવાની હતી, તેમની ઊછળતી જુવાનીના તરંગોને સીધે માર્ગે દોરવાના હતા. કેટલાક જેલીઓ છૂટતાં ટૉલ્સ્ટૉય આશ્રમમાં થોડા જ માણસો રહ્યા. આ...

પત્રકાર જે ડેની હત્યારા છોટા રાજન સામે વધું 4 ગુના

લગભગ ચાર વર્ષ પહેલા છોટા રાજનને ૨૫ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ઇન્ડોનેશિયાથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ઉપર આરોપ છે કે તેણે મુંબઈના બહાદુર પત્રકાર જે ડેની હત્યા કરાવી હતી. તિહાર જેલમાં બંધ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ ૪ નવા કેસ નોંધાયા છે. સીબીઆઈએ આ કેસ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ નોંધ્યા છે. આ ચારેય કેસ...

50 હજાર કરોડની સબમરીન પ્રોજેક્ટમાંથી અદાણીની બાદબાકી

આખરે મોદી મિત્ર અદાણી રૂ.50 હજાર કરોડના સબમરીન બનાવવાના પ્રોજેક્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં અદાણીને સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિપક્ષો સતત આકરી ટીકા કરતા રહ્યા હતા અને અદાણીના ચેરમેન ગૌતમ અદાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્ત હોવાથી આ પ્રોજેક્ટ એમને અપાયો હોવાના આક્ષેપ પણ થયા હતા. વિપક્ષે એવો પણ આરોપ મૂક્યો હતો કે...

બળાત્કારી બાબા નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ

બાબા નિત્યાનંદને વિશ્વમાંથી શોધી કાઢવા ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી.  કર્ણાટકમાં બળાત્કાર અને કિડનેપિંગના કેસ દાખલ કરાયા છે જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લઇને કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં તેના પર આક્ષેપ છે કે, તે બાળકોનું અપહરણ કરી પોતાના અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવી લેતો હતો અને અનુયાયીઓથી નાણાં એકત્રિત કરવાના કામમાં લગાવી દેતો તો. પ...

એટલાસ સાયકલ કંપનીના માલિકની પત્નીએ આત્મહત્યા કરી

દેશની જાણીતી સાયકલ કંપની એટલાસના માલિકો પૈકી એક સંજય કપુરની પત્ની નતાશા કપુર (પ૭) નું સંદિગ્ધ હાલતમાં મોત થયુ છે. દિલ્હી પોલીસ પ્રાંરભિક તપાસમાં આપઘાતનો કેસ ગણાવી રહી છે. પરંતુ રૂમનો દરવાજા ખુલ્લો હોવાના કારણે પોલીસ આ મામલાને શંકાસ્પદ માનીને વિવિધ દ્રષ્ટીકોણથી તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઔરંગઝેબ લેન Âસ્થત કોઠીમાં નતાશા કપરુનો મૃતદેહ...

કુપોષણ ધરાવતાં 74 ટકા બાળકોને તાવ, પેટમાં દુઃખાવો, ચામડીના રોગો હોય છે...

ગુજરાતની ૧૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્યનો સરવે કરાયો હતો જેમાં બહાર આવ્યું છે કે, અલ્પ પોષણ ધરાવતા ૭૪ ટકાથી વધુ બાળકોમાં તાવ, ત્વચા પર ચકામા, સતત પેટમાં દુઃખાવા જેવી તબીબી સમસ્યાઓ જોવાઈ હતી. ૪૩ ટકાના દાંત ખરાબ હતા. વીકયુરાના પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ લોકો જોડાયા છે. ૭૫ ટકા, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓનો છે. પ્લેટફોર્મની મ...

બંધ લોકર ખોલવા માટે બેંકોને અધિકારો આપી દેવાયા

બેંક લોકર અંગે રીઝર્વ બેંક ઈન્ડિયાએ બેંકોને કેટલાક અધિકારો આપ્યા છે. હવે લાંબા સમય સુધી લોકર ન ખોલવા પર બેંકને તેને ખોલવાનો અધિકાર રહેશે. લાવારિસ લોકરોની વધતી સંખ્યાને જાઈને બેંક તેની માંગને લાંબા સમયથી કરી રહ્યા હતાં. એકલા કાનપુરમાં જ 5700થી વધુ લોકરો વિવિધ બેંક શાખાઓમાં વર્ષાેથી બંધ છે. ગ્રાહકો માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેંક લોકર ખોલવાનું...

બોંબ માની ડોગ સ્કવોડ બોલાવી, ગીફ્ટમાં નિકળ્યો મોંઘો દારુ

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. શંકા જતાં પોલીસને એમ કે પેકેટોમાં વિસ્ફોટકો હોઈ શકે છે. રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. પેકેટો ખોલવામાં આવતાં બોંબના બદલે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કા...

અમપાની મિલકતો પચાવી પાડવાની વધતી ઘટના

ચોંકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન પાસે ફંડની કોઈ અછત નથી તેમ છતાં આસિસ્ટન્ટ કમિશ્નરે (એસ્ટેટ-મધ્યસ્થ) બિલ્ડરને પ્લોટ ફરતે દિવાલ કરવા જણાવ્યુ હતુ. તેથી બિલ્ડરની મહેરબાનીનો બદલો આપવા તેને પુરો પ્લોટ જ આપી દેવામાં આવ્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરો પાસેથી ડેવલપ કરાવવાની કોઈ નીતિ અમલમાં નથી તેમ છતા...

કેન્દ્ર સરકારમાં 7 લાખ નોકરીની જગ્યા ખાલી, નહીં ભરે નરેન્દ્ર મોદી સરકા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે 23 જાન્યુઆરીએ દેશના અશાંત અર્થતંત્ર અને માનવામાં આવેલા મંદી વચ્ચે ઘણા સરકારી વિભાગોમાં ખાલી પડેલી પોસ્ટ્સના ડેટા જાહેર કર્યા છે. જારી કરાયેલા આંકડા મુજબ સાત લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. તેમાંથી મોટાભાગની ગ્રુપ સીમાં નોકરીઓ છે. ગ્રુપ સીના કર્મચારીઓને દર મહિને નવ હજાર રૂપિયાથી લઈને 34,500 રૂપિયા ...

એમેઝોનના સીઈઓ જેફ બેઝોસના મોબાઇલ ફોન હેક કરી માહિતી કાઢી લીધી

2018 માં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે જોડાયેલ એક વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ એમેઝોનના સીઈઓ જેફ બેઝોસના મોબાઇલ ફોનને હેક કરવા માટે કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના બે માનવાધિકાર નિષ્ણાતોએ બુધવારે (22 જાન્યુઆરી, 2020) આ માહિતી આપી હતી. તેમના મતે, બેઝોસને ક્રાઉન પ્રિન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાતામાંથી એક એન્ક્રિપ્ટેડ વ...