Admin
ફરી એક વખત સિંહબાળનું મોત, વન વિભાગ નિષ્ફળ
3 સિંહોના રેલ્વેની ટક્કરથી મોત થયા બાદ વધું એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે. 19 ડિસેમ્બર 2018માં 3 સિંહોને રેલ્વેના પાટા પર મોત થયા બાદ ફરી એક બાળ સિંહનો મૃત દેહ મળી આવ્યા બાદ જંગલ વિભાગે જાહેર કર્યું છે કે તેનું મોત કુદરતી થયું છે. અમરેલીના ખાંભા વિસ્તારના ઈંગોરાળા ગામમાં કનુભાઈ કુંજડિયાના ખેતરમાંથી સવારે એક સિંહબાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું....
ભાજપની આવક ઘટી છતાં એક વર્ષમાં રૂ.1027 કરોડની આવક થઈ, કોંગ્રેસનું શું ...
ગરીબી-અમીરી – દિલીપ પટેલ ભાજપની ગયા વર્ષે આવક બે ગણી થઈ હતી. પણ આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. કોંગ્રેસની આવક 14 ટકા ઘટી હતી. સાત રાજકીય રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં એકલા ભાજપનો હિસ્સો 66 ટકા હતો. ભાજપની આવક વધીને લગભગ બમણી થઈ હતી. પણ જાહેર થયેલા ચૂંટણી પંચના હિસાબો પ્રમાણે ભાજપની આવક આ વર્ષે ઘટી છે. છતાં તે દેશનો સૌથી વધું પૈસાદાર પક્ષ છે. નાણા...
જસદણમાં કુંવરજીને હારવાનો ‘અવસર’, લખાયા સૂત્રો
20 ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીમાં મતદાન થવાનું છે તેના 4 દિવસ પહેલાં જ ઠેરઠેર લોકોએ કુંવરજીને હારવાનો ‘અવસર’ આવ્યો છે. એવા સૂત્રો જસદણમાં લોકોએ જાતે લગાવી દીધા છે. દિવાલો પર સૂત્રો લખીને લોકો ઉત્સવ મનાવી રહ્યાં છે. કુંવરજીએ પાટલી બદલીને તેના પક્ષને દગો દીધો હોવાથી તેમને પ્રત્યે લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. એક શાકભાજી...
ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા કેમ જરૂરી છે ?
લાચાર તાત – દિલીપ પટેલ કોંગ્રેસે વચન પાળ્યુ કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં ખેડૂતોના દેવું માફ કરવાની વાત કરી હતી. જે વચન મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે પાળી બતાવી રૂ.40 હજાર કરોડનું દેવું માફ કર્યું છે. જે ખેડૂતનું રૂ.2 લાખ સુધીનું દેવું હોય તે માફ થશે. હવે ગુજરાતમાં ભાજપ સરકાર શું કરવા માંગે છે તેના પર ખેડૂતો આશા રાખી રહ્યાં છે. ગુજરાતના 2...
ઘાસચારામાં ફરી એક વખત ભાજપની રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર
સડેલી સરકારનું સડેલું ઘાસ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ ખેરાલુ ગંજબજારમાં પશુપાલકોને સરકાર તરફથી ઘાસ આપવામાં આવી રહ્યું છે તે સડેલું નિકળ્યું છે. જે પંજાબ બાજુના ડાંગરનું પલુર છે. જૂનું સડેલું છે. ડાંગરનો વધેલો ચારો કોઈ પશુ ખાતા નથી. તેથી ગુજરાતમાં ચરોતર, દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં તેનો વપરાશ ખાતર બનાવવા માટે થાય છે. પણ અહીં તો સરકાર રૂ.2નું એક કિલો ...
હાર્દિક પટેલની ‘‘ખેડૂત વેદના યાત્રા”નો પ્રારંભ
આજે સવારે ફતેપુરથી થયો પ્રારંભ અને ર3 ડિસેમ્બરે બાલાપુરમાં સમાપન પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં અમરેલી જીલ્લામાં ખેડૂત વેદના પદયાત્રાનો 4 દિવસ માટે પ્રારંભ થયો છે. ખેડૂતોનું દેવુ માફ કરો, ખેડૂતોને ટેકાના ભાવ આપો, ખેડૂતોને પાક વીમો આપો અને ખેડૂતોને સમયસર 24 કલાક વીજળી આપવાની માંગણી સાથે આ યાત્રાનુ...
15 કોર્પોરેટરો ઉપવાસ પર એકાએક કેમ ઉતરી ગયા ?
ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે. અમરેલી પાલિકામા...
વાવાઝોડા સામે રક્ષણ આપવા બનતા મકાનો નબળા, ભ્રષ્ટાચારની ફરિયાદ
રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભલે ભ્રષ્ટાચારમાં મહેસુલ અને ગૃહ વિભાગને એક નંબર પર આગળ ધરતાં હોય પણ સૌથી વધું ભ્રષ્ટાચાર તો માર્ગ-મકાન વિભાગમાં થાય છે. સરકારના માર્ગ અને મકાન વિભાગના કૂલ નાણાંના 30 ટકા નાણાં તો ભ્રષ્ટાચાર તણાય જાય છે. વરસાદ, વાવાઝોડા સહિતનાં કુદરતી આફત સામે રક્ષણ આપવા અને આશરો આપવા માટે સાયકલોન સેન્ટર દરિયાકાંઠે શહેરોમાં બન...
રાઠવા-કોળી શબ્દ હવે રાજકીય રૂપ ધારણ કરે છે, 30મીએ વિશાળ સંમેલન
આદિવાસીઓનો મોટો સમુહ રાઠવા છે. જે જ્ઞાતિમાં કોળી શબ્દ ઉમેરીને ગુજરાતની ભાજપ સરકાર રાજરમત રમી રહી છે. માત્ર રાઠવા જ નહીં પણ, નાયક, ધાણક જેવી આદિવાસી જાતિઓ સામે પણ આવું કરીને આદિવાસીઓની એકતા તોડી રાજકીય ફાયદાઓ લેવા માટે કાવતરાઓ થઈ રહ્યા છે. તેથી 30 ડિસેમ્બર 18 ના રોજ કવાંટ ખાતે રાઠવા આદિવાસી મહાસભા મળી રહી છે. જે સરકાર સામે આંદોલન કરશે. આમ રાઠવા અને ...
ગામથી ગાંધીનગર સુધી ગાંધારી રાજ, હપ્તાખોરી વધી
ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 205 કરોડનો દારૂ પકડાયો છે. દારુના પરિણામે ગુજરાતનું યુવાધન નશાના માર્ગે બરબાદ થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રૂ.205 કરોડનો દારૂ પકડાયો ...
અમિતાભ બચ્ચનનું સફેદ રણ બ્રાઉન કેમ થઈ ગયું ?
ખાસ અહેવાલ – દિલીપ પટેલ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતાથી અનેક સીનેહસ્તીઓ તથા વિદેશના વીઆઈપી મહેમાનો સફેદરણ જોવા આવે છે. મહેસૂલ સચિવ પંકજ કુમાર કચ્છના સફેદ રણમાં જઈ આવ્યા અને ફોટો પણ શૂટ કર્યો હતો. હવે ગુજરાત વિધાનસભાની સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2019 સુધી કચ્છ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોનો અભ્યાસ કરવા...
ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, પણ મુખ્ચ પ્રધાન સ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બો...
3 વાગ્યે બ્રાઉન રણ ખાલી કરાવી દેવાયુ, 10 હજાર પર્યટકો પરેશાન
કચ્છના મોટા રણમાં આવેલા ધોરડો ખાતે પર્યટકો પરેશાન થઈ ગયા હતા. સફેદના બદલે બ્રાઉન બની ગયેલા આખા રણને બપોર બાદ 3 કલાકે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. હજારો મુલાકાતીઓને પ્રવેશવા દેવાયા ન હતા. રાષ્ટ્રપતિ આવવાના છે એવું અહીં અગાઉથી જાણ કરી ન હોવાથી પ્રવાસીઓ પરેશાન હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણની પહેલી મુલાકાત લઈ રહ્યા છે. ધો...
ગુજરાતના ત્રણ ગામ અબજપતિ કેમ થયા, શું છે રહસ્ય ?
ગુજરાતના ત્રણ ગામ એવા છે કે જે અત્યંત સમૃદ્ધ છે. સુખસુવિધા વિદેશ જેવી છે. સમૃદ્ધિ વિદેશ કરતાં પણ વધું છે. અબજો રૂપિયા અહીં આવી રહ્યાં છે. આ ત્રણેય ગામો લેવા પાટીદારોના છે. એશિયાના સૌથી વધું સમૃદ્ધ ગામ માનવામાં આવે છે. આ ત્રણેય ગામ પાસે રોકડા 8થી 10 હજાર કરોડ બેંકમાં પડેલાં છે. બીજી સંપત્તિ એના કરતાં વધું માનવામાં આવે છે. આમ આ ગામો કેમ સમૃદ્ધ થયા તે...
પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વાહનોનો ઉપયોગ નહીં કરે
આગામી 1લી જન્યુઆરી 2019 ના દિવસે "નો વિહિકલ ડે "તરીકે ઉજ્વવાનું ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવવસ્થા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરી છે કે 1 જન્યુઆરી 2019 ના દિવસે બોર્ડના સંલગ્ન વિભાગો ના કર્મચારીઓ એ કચેરી એ આવવા તેમજ જવા માટે પોતાના અંગત વાહન નો ઉપયોગ નહિ કરે.અને ચાલતા કે સાયકલ નો 1 દિવ...

English