Tuesday, August 11, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

રૂ.10 હજાર કરોડના ભાજપ સરકારના ભરતી કૌભાંડ

રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. જેમાં 8 લાખ બેકાર યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના નીસલ શાહને પકડીને એક ઉમેદવાર પાસેથી રૂ.10 લાખ લેખે પડાવાયા હતા. તેની પાસેથી રૂ.1.43 કરોડ રોકડા પકડાયા હતા. કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેન...

પાંચ મહિનામાં જ કોંગ્રેસના નગરપતિએ ગુલાંટ મારી

13 જુન 2018માં સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના 4 બળવાખોર સભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં જઈને મધ્યસત્ર ચૂંટણીમાં સત્તા મેળવી હતી. જેમાં પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવાને નિયુક્ત કરાયા હતા. ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ નિયુક્ત કરાયા હતા. જેમાં 16 ભાજપ સભ્યો અને 4 કોંગ્રેસના બાગી મળઈને ભાજપે 20 સભ્યો સાથે લોકચૂકાદા વિરૃદ્ધ સત્તા મેળવી હતી. ચૂંટણીમાં ...

દીપડાનો શિકાર બનાવતા બાળકો

અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં સુડાવડ ગામની સીમમાં 4 ડિસેમ્બર 2018ના દિવસે અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. અશ્વિનભાઇ બચુભાઇ કોરાટની વાડીમાં રહેતા પરપ્રાંતીય પ્રભુભાઇ ડામોરના પરિવારની ઝુંપડી પાસેથી દીપડો પ્રભુભાઇના પુત્ર મેહુલને માતાની પડખે સૂતો હતો ત્યારે ખેંચીને ઉઠાવી ગયો હતો. તેનો શિકાર કરી ગયો હતો. બાળકની બોડી પણ હજુ સુધી મળી નથી. વન વિ...

સોશિયલ મિડિયા – ભાજપનું પરાજયનું કારણ, કોંગ્રેસનું તારણહાર  

ઊભડીયા આર્મી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ 15 ડિસેમ્બર 2017માં ભાજપના આઈ ટી સેલમાં 25,000 સાયબર યોદ્ધાઓ કામ કરતાં હતા. જે ગુજરાતની અસ્મિતાના નામે ભાજપ અને ભાજપની વિચારધારા માટે ચૂંટણીમાં કામ કરતાં હતા. તેમની સાથે 10,000 સોશિયલ મિડિયાના ભાજપના સ્વયંમસેવકો 24 કલાક કામ કરી રહ્યાં હતા. તેઓ માહિતીને તોડી મરોડીને લોકોના મગજ પર પ્રભાવ ઊભો કરી રહ્યાં હતા. આ...

કચ્છમાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ, ચોમાસુ નિષ્ફળ જતાં રવિ પાકમાં થયો ઘટ...

અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. જોકે વાવેતર કરેલા રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. બદલાતી સિઝનમાં પાણીની અછતને કારણે પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક નિષફળ જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. કચ્છમાં ચોમાસું નબળું જતા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને હવે તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર થઈ રહી છે....

પ્રદુષણથી માછલીઓના મોત, 400 ગામનું પાણીનું તળાવ પણ પ્રદુષિત

તારાપુરના ગોરાડ ગામેથી પસાર થતો અને ખંભાતના વડગામ દરિયાને જોડતા કાંસમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આશરે એક ટન જેટલી મોટા કદની મૃત માછલીઓનો જોઈને પર્યાવરણપ્રેમીઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર રોષ ઠાલવ્યો હતો. તારાપુર વિસ્તારમાં એક મહિનામાં ત્રીજો બનાવ છે. આ પહેલાં કનેવાલ તળાવમાં માછલીઓના મરણ બાબતે તંત્રને જાણ કરવા છતાં કોઈ તપાસ થઇ ન હતી. ગામલોકોના ...

મોતનું તાંડવ છતાં લાયન શો બંધ ન થયા

ખાંભાના પીપળવા બીટમાં રહેતા સિંહ સાથે સર્કસ જેવા ખેલ કરાવીને લાયન શો અધિકારીઓ કરાવી રહ્યાં છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ દર્શન માટે એક વ્યક્તિ દીઠ રૂ.5થી 25 હજાર લઈને તેમને સિંહના નજીકથી દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. વન પ્રધાન ગણપત વસાવા સિંહોના મોત અને સિંહ દર્શન માટે જવાબદાર હોવા છતાં તેઓ પોતાની પકડ અધિકારીઓ પરથી ગુમાવી બેઠા છે જેનો ભોગ સ...

જે રાજકારણીએ આખું ગામ બદલી નાંખ્યુ

પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...

9 ધારાસભ્યો પાસે રિવોલ્વર અને ગન છે જે શોભા અને વટ પાડવા રાખે છે

ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી પ્રધાન હતા ત્યારથી તેમની પાસે રિવોલ્વર રાખવાનો પરવાનો સરકારે આપેલો છે. જો ભાજપના મંત્રી અને પૂર્વ પ્રધાન પોતે જ અસલામતી અનુભવતાં હોય તો સામાન્ય લોકો કઈ રીતે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રાખી શકે ? એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. તેઓ રૂપાણી ને આનંદીબેનની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેમને અમિત શાહ સાથે સારા સંબંધો...

ધારાસભ્યો પ્રત્યે અધિકારીઓ બેફામ બન્યા, સરકાર અંકુશ ગુમાવી ચૂકી છે

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશ ડેર સહિતનાં કોંગ્રેસના આગેવાનોએ અમરેલીના મામલતદારને આવેદનપત્ર આપવા ગયા ત્યારે મામલતદારે વિપક્ષના નેતાનું માન રાખ્યા વગર તેમની સાથે બેહૂદું વર્તન કરતાં મામલતદારને ખખડાવી નાંખ્યા હતા. જ્યારે જામનગરના કલેક્ટરે જામનગરના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે...

નવસારીના વિજલપોરમાં વિજય કોનો, ભ્રષ્ટાચાર કે સદાચારનો ?

ભાજપમાં હુમશાહી – ખાસ અહેવાલ નવસારીના વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોએ બળવો કરી વિજલપોર વિકાસ મંચ નામથી અલગ રાજકીય જૂથ રચીને ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે 13 મતની સામે 18 મને વિશ્વાસનો મત મોદી જીતી ગયા હતા. 11 સપ્ટેમ્બર 2018ના રોજ વિજલપોરના પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ પાલિકાની કામગીરીથી નારાજ...

હિપોલીન પાવડરથી ભાજપના કપડા પરના કાળા ડાઘ ન ધોવાયા

વ્યાજ ખોર ભાજપ – ખાસ અહેવાલ હિપોલિન કેસમાં ધમકી આપવા અને ખંડણી વસૂલવાના આરોપી ભાજપના પૂર્વ યુવા નેતા રાહુલ સોનીએ તેમની સામેની ફરિયાદ કાઢી નાંખવા માટે વડી અદાલતે ઇન્કાર કરી દીધો છે. ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદ રદ કરવા માટે રાહુલે અદાલતને કહ્યું હતું. જેમાં વડી અદાલત પ્રથમદર્શી રીતે ક્વોશિંગની તરફેણમાં નહોંતી. તેથી રાહુલની અરજી 30 નવેમ્બર 2018ના રોજ ...

અમદાવાદનો સળગતો પર્વત, પિરાણા

અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પોતાનાં ઘરે જ સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ કરાશે. અલગ કચરો રખાશે નહીં તો, ઘરનો કચરો ઘરમાં રાખવો પડશે. 3 ડિસેમ્બર પછી જાહેર રોડ ઉપર સુકો-ભીનો કચરો નાખનારા નાગરિક કે વેપારીને દંડ કરવામાં આવશે. અમદાવાદ શહેરના 14.5 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુ...

ગુજરાતમાં RSS કેમ સક્રિય થયું ? કચ્છમાં દરેક ગામમાં શાખા

સંઘની શાખ ને શાખા ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતાં સંઘ સક્રિય થ...

ગુજરાતના એક મંદિરે 9 હજાર ચેકડેમ બનાવ્યા

ભારતમાં 6 લાખથી વધુ ગામો અને 30 લાખથી વધુ મંદિરો છે અને આ મંદિરોએ હિન્દુ આસ્થાને ટકાવી રાખી છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાન્દેએ કહ્યું હતું કે, હાલ 4-5 પ્રકારનાં મંદિરો છે. એક સરકારી કબજા હેઠળનાં મંદિરો બીજા કોઈ સંતપરંપરા અનુસાર ચાલતાં મંદિર છે. ત્રીજા કોઈ વ્યક્તિના મંદિર છે અને ચોથા કોઈ પરિવારનાં મંદ...