Admin
ભાજપ ફરી એક વખત ગુજરાતની 26 લોકસભાની બેઠક જીતી જીતશે
કોંગ્રેસ હજુ આળસમાં છે અને ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે દરેક બેઠક દીઠ કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભાજપ આ વખતે પણ 26માંથી 26 બેઠકો ગુજરાતની જીતી લેશે. ગુજરાતની તમામ 26 બેઠકો ફરીથી કબજે કરવા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભાજપના હોદ્દેદારો સાથે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષા સુધી બ...
સંશોધન કરીને આણંદમાં દેશી ખાતર બનાવવાનો પ્રોજેકટ
કરમસદ ખાતે વર્ષ 2007માં મેડિકલ કોલેજમાં ડાયરેકટર ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ટેકનોલોજી દ્વારા દેશી ખાતર બનાવવાનો સંશોધન કરીને આણંદમાં ખાતર બનાવવાનો પ્રોજેકટ બનાવાયો છે. જેને સારી સફળતા મળી છે. સ્ટેનલેસ સ્ટીલ, લોખંડ અને ફાઇબરની 60 કિ.ગ્રા., 100 કિ.ગ્રા. અને 200 કિ.ગ્રા.ની ટાંકી તૈયાર કરાવવામાં આવી છે. જેમાં ઓર્ગેનીક વેસ્ટ પ્લાન્ટમાં 12 દિવસનો એંઠવાડો એકત્...
નકલી મતદાર ઓળખ કાર્ડ જોઈએ છે ? તો ચૂંટણી પંચની કચેરીએ પૂછપરછ કરો
ચૂંટણી પંચની ગાંધીનગર ખાતેની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નડિયાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં ચૂંટણીશાખામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો મુકેશ કાંતિ વાઘેલા બનાવટી મતદાર ઓળખ પત્ર રૂ.100માં બનાવી આપતો પકડાયો છે. કોઈ રાજકીય પક્ષને 1000 કે 2000 મતની ગોલમાલ કરવી હોય તો તેના માટે મુકેશ જેવા માણસો સરળતાથી મળી શક...
રૂપાણીને પ્રજામાં નહીં રાજકારણમાં વધું રસ, ત્રણ જિલ્લામાં અર્ધદુષ્કાળ ...
ઉત્તર ગુજરાતનો 70 ટકા વિસ્તાર અપુરતા વરસાદનો સામનો કરી રહેલો છે. ચોમાસુ સિઝનના ત્રણ માસમાં છૂટા છવાયા ઝાપટાથી 23 તાલુકામાં 10 ઈંચ વરસાદ પણ પડ્યો નથી. 5 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ રહ્યો છે, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસણા અને બનાસકાંઠા જિલ્લામાં અર્ધ દુષ્કાળ શરૂ થયો છે. ગયા વર્ષે અહીં બેશુમાર વરસાદ પડ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાને કમાન્ડો સાથે અહીં એક ...
એરોબિક્સ ચોખાની નવી જાત
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોખા થતાં નથી કારણ કે ત્યાં વિપુલ પાણી નથી. હવે એક એવી ચોખાની નવી જાત વિકસાવવામાં આવી છે કે જે સૌરાષ્ટ્ર, કચ્છ અને સુકા પ્રદેશમાં તે ઓછા પાણીએ થઈ શકશે. કર્ણાટક રાજયનાં આઇએસઓ 9001:2015 પ્રમાણિત સંસ્થાએ ગુજરાતના અમદાવાદ અને નવસારીના ચરીગામમાં એરોબિક્સ ચોખાની ( કિસાનક્રાફ્ટ) એરોબિક્સ નવી જાત વિક્સિત કરી છે. જે ઓછા પાણીનો ઉપયોગ કર...
કોંગ્રેસમાં ફરી જૂથવાદ, મોરબી જીલ્લા પંચાયતના 16 બાગીને ગેરલાયક ઠેરવો
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ત્રણ મહિના પહેલાં કોંગ્રેસનો જૂથવાદ જીતી ગયો હતો. પક્ષે આપેલાં આદેશ બાદ 16 બળવાખોર સભ્યો સામે હજુ સુધી આકરા પગલાં લેવાયાં નથી. માત્ર કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ કોઈક અગમ્ય કારણોસર તેમને પક્ષમાંથી દૂર કરાયા નથી કે વિકાસ કમિશનર સમક્ષ તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં પ્રદેશ પ...
METRO, BRTS, AMTSના ખર્ચમાંથી ગુજરાતના 240 શહેરોને બસ આપી શકાઈ હોત
અમદાવાદમાં મેટ્રો ટ્રેનની એક બોગી આવી ગઈ છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેઈન થઈ રહી છે જેનું કૂલ ખર્ચ રૂ.10,700 કરોડ અંદાજવામાં આવ્યું છે. એક શહેરની વ્યવસ્થા માટે આટલું જંગી ખર્ચ પ્રજા પરનો મોટો બોજ બની રહેશે. BRTS પાછળ રૂ.2000 કરોડ અને AMTS પાછળ રૂ.800 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું છે. 13,500 કરોડનું કૂલ માસ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવ્...
ભાજપમાં અશ્લિલ વિડિયોનું નવું કલ્ચર ઊભું થયું
કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્...
ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે
ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નિતીના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રમાં મોંઘવારી ભુસકેને ભુસકે આસમાને પહોંચી ગઈ છે. ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી....
39 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરો
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજ્યના ૧૦૪ તાલુકાઓ કે જેમાં ૬૫.૫૪%થી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવાની જરૂર હતી. ભાજપ સરકારે કિન્નાખોરીપૂર્વક રાજ્યના ઓછા ...
મુખ્ય પ્રધાન પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગુનો નોંધાવશે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ક્રિમીનલ કેસ તથા નુકશાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈ કાલે વિજયભાઈ રૂપાણી એ કોઈપણ આધાર વગર મીડિયા સમક્ષ પર પ્રાંતીય ઉપર થયેલ હુમલા માટે બિહારના કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલ જવાબદાર છે તેવું નિવેદન કરેલ છે. સત્ય હકીકત એ છે કે ગુજરાતના યુ...
અંધશ્રદ્ધામાં ઓછાયો, મોતના આભાસે પરિવાર વિખેરાયો
અંધશ્રદ્ધાના કારણે વધુ એક પરિવારનો માળો વિખાયો છે. પોતાનું મોત આવતું હોવાના આભાસે એક માતાને પોતાના જ પાંચ બાળકો સાથે કૂવામાં કૂદીને મોત વ્હાલું કરવા માટે મજબૂર કરી છે. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા ભયને કારણે માતા પાંચ બાળકો સાથે કૂવામાં કૂદી પડી હતી. જોકે આ ઘટનામાં એક બાળકી સહિત માતાનો જીવ બચી ગયો છે. તો અન્ય ચાર બાળકો મોતને ભેટ્યા છે. શું ...
બહુચરાજીની માઈનોર કેનાલ ખાલીખમ, સીએમનાં તપાસના આદેશના 15 દિવસો થયા પરિ...
ખેડૂતો દ્વારા કરવામાં આવતી વારંવાર રજુઆતને લઈને મુખ્યમંત્રીએ કોરી કેનાલોને મામલે તપાસના આદેશ આપ્યા છે. પણ મુખ્યમંત્રીએ આપેલા આદેશને પંદર પંદર દિવસો વિતી ગયા હોવા છતા પણ કોઈ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં આવેલી માઈનોર કેનાલમાં પાણી નહિ હોવાથી ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અને અંતે છેલ્લે ખેડૂતોએ ...
ટેકાના ભાવ ન મળતાં લસણ રસ્તા ઉપર ફેંકતાં ખેડૂતો
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનોમાં ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવ્યાં. જોકે, આ ટેકાનાં ભાવે દિવાળી પહેલાં ખરીદી કરવાનો નિર્ધાર સોમવારે ભાજપની મળેલી પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ભાજપનાં પ્રવક્તા આઈ. કે. જાડેજાએ આ અંગે જાહેરાત પણ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેત ઉત્પાદનો જાહેર કરાયેલાં લઘુત્તમ ટે...
બાવળિયાથી નારાજ બોધરાને મહત્ત્વનું પદ અપાયું
રદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર)ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવીને ચાર કલાકમાં જ પ્રધાન બની જતાં ભરત બોધરા તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જસદણની બેઠક પરથી ચૂંટાણી લડવા માંગતા હતા પણ બાવળિયા ભાજપમાં...

English