Saturday, July 11, 2026

Admin

13478 POSTS 0 COMMENTS

પાલનપુરમાં 33 કરોડનું મકાન કૌભાંડ, ભાજપ જવાબ આપી શકે તેમ નથી

પાલનપુર નગરપાલિકામાં 33 કરોડ રૂપિયાનું મકાન કૌભાંડ ભારતીય જનતા પાર્ટીને હચમચાવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના પાલનપુર નગરપાલિકા દ્વારા રાહુલ ગાંધી આવાસ યોજના હેઠળ જે પ્લોટ ઉપર મકાનો બનાવવાનું નક્કી થયું હતું તેના બદલે બીજા પ્લોટ ઉપર 33.50 કરોડના મકાનો બનાવી દેવાયા હતા. આ અંગે તેના નાણા ચૂકવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. સામાન્ય બોર્ડની મિટિંગમાં આ...

ગુજરાતની લોકસભાની બેઠકો માટે રાહલુ ગાંધી વ્યૂહરચના ગોઠવશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે લોકસભાની બેઠકો જીતવા માટે કયા કયા પગલા ભરવા જોઇએ તે અંગેની ચર્ચા ગુજરાતના નેતાઓ કરશે. હાલ ગુજરાતની 26 બેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોના 10 બેઠકો કાયમને રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પાસે રહી છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં 23 જિલ્લાઓમા...

450 કરોડના કૌભાંડમાં અમૂલમાં સરકારે ઘી ઢોળ્યું

અમૂલમાં રૂ.450 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં અને જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે. સહકાર વિભા...

ત્રણ જિલ્લા અને ત્રણ શહેર પ્રમુખની કોંગ્રેસમાં નિયુક્તિ 

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર અને જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ધ્યાનમાં લઈ સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. વિ...

માલિકીની જગ્યાએ જ વાહનો પાર્ક કરવાનું જાહેરનામું લાવો

2.30 કરોડ વાહનો માંથી 50 લાખ વાહનો તો રસ્તાની વચ્ચે જ 8 મહાનગરોમાં પડેલાં રહેતાં હોવાથી. સમગ્ર રાજ્યના 8 મહાનગરો ટ્રાફિક જામ થઈ જાય છે. 8 શહેરોમાં રસ્તા પર પાર્ક કરેલાં વાહનો પર રીતસર તૂટી પડવા માટે 2 ઓગસ્ટ 2018ની મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના ...

સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ, આમિર ખાન પાકિસ્તાન જશે

ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે-ઈ-ઈન્સાફ (પીટીઆઈ) એ ભૂતપૂર્વ ક્રિકેટરો સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિધુ અને અભિનેતા આમિર ખાનની વડાપ્ધાન તરીકેની શપથવિધિ સમારોહમાં આમંત્રિત કરવાનું આયોજન કર્યું છે. પીટીટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે આમંત્રણ આજે અથવા કાલે ખાનના અંગત મિત્રોને અપાશે. જેમાં ઈમરાન સાથે રમેલા ભારતનાં જાણિતા ક્રિકેટરોનો પ...

ગાંધીનગરનો 54માં જન્મ દિવસ અરુણ બુચે ઉજવ્યો

ગાંધીનગર વસાહત મહામંડળના પ્રમુખ અને શહેર માટે હંમેશા ચિંતા રાખનારા સૌથી વરિષ્ઠ નાગરીક અરૂણભાઈ બુચે આજે રાજકારણીઓ સાથે મળીને ગુજરાતના પાટનગરનો 54માં જન્મદિવસ મનાવ્યો હતો. પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકે...

મારી દીકરીને ડોક્ટર બનાવવી છે, સરકારે મોં ફેરવી લીધુ

‘મારે મારી દીકરીને ડોક્ટર બનાવવી છે. પણ એના ટકા ઓછા આવ્યા એટલે મે એને ડોકટરી ભણવા ફીલાપાઈન્સ મૂકી છે પણ ત્યાનો ખર્ચ વધારે છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર લોન આપે છે મે ફાઈલ મુકી પણ એ નામંજુર થઈ. મને સરકારમાંથી લોનની આશા હતી એટલે જ મે દીકરી આરતીને મારી પાસે જે સગવડ હતી એને લઈને વિદેશ મોકલી દીધી પણ મારી ફાઈલ સરકારે નામંજુર કરી. એમણે ક...

પોલીસ તમારી ફરિયાદ ન લેતો સીએમ ડેશબોર્ડ પર જાણી લેશે

રાજ્યના 650 ઉપરાંત પોલીસ મથકોનો સંપુર્ણ ડેટા એક જ ડેશબોર્ડ પર હવે ઉપલબ્ધ થયો છે ત્યારે પોલીસનું રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. પોલીસ જ્યારે સામાન્ય લોકોની ફરિયાદો ન લે ત્યારે ડેશબોર્ડ દ્વારા તે જાણી શકાશે કે પોલીસે ફરિયાદ કેમ ન લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સામાન્ય માનવી સહિત સૌની સુરક્ષા અને સલામત ભાવિની જવાબદારી ગુજરાત પોલીસ પર છે ત્...

દૂધસાગર ડેરીમાં સફેદ દૂધમાં કાળાધોળા માટે કોણ જવાબદાર

મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાશો કર્યો છે કે, 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે. જે કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરી છે ક...

કૃષિ મંત્રીના જિલ્લાને પહેલાં પાક વીમો અપાયો, લોકસભાની ચૂંટણીની અસર

સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનો વીમો આપવાની જગ્યાએ કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પોતાના વિસ્તાર અમરેલીને વિમો આપ્યો છે. જ્યારે બીજા વિસ્તારો કે જ્યાં કપાસનો પાક નિષ્ફળ ગયો હતો ત્યાં આવો કોઈ વીમો આપવાનું શરૂં કરાયું નથી. ગુજરાતના કૃષિ પ્રધાન પણછોડ ફળદુના મત વિસ્તાર જામનગરમાં કપાસનો વીમો મંજૂર કરાયો નથી. અમરેલીમાં 2017માં કપાસનો પાક નિષ્‍ફળ જતાં વ...

મેલી વિધીના બહાને નાથબાવા ગેંગે 105 લોકોને છેતર્યા

સૌરાષ્‍ટ્રમાં છેલ્‍લા ઘણાં જ સમયથી લોકોને અંધશ્રઘ્‍ધા અને ઘરમાં મેલુ છે તેની વિધી કરવાનાં બહાને વાતામાં ફસાવી છેતરપીંડી કરતી નાથ બાવાની ગેંગનાં બે સભ્‍યોને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધેલા હતા. ગેંગનાં અલગ અલગ સભ્‍યોએ સૌરાષ્‍ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્‍લામાં 105થી પણ વધુ સ્‍થળોએ આવી રીતે છેતરપીંડી કર્યાની કબુલાત ...

67 વિદ્યાર્થીનીઓની રૂબેલા રસીથી તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

અમરેલી શહેરમાં પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલીની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્‍પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવી હતી. હોસ્‍પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્‍યાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરેલ હતો. 9 માસથી 1પ વર્ષના બાળકો...

35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં

13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી. વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘુસી ગયા હતા....

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં મોદીને અપયશ મળે છે : દિલીપ સંઘાણી

નરેન્દ્ર મદીના એક સમયના ખાસ સહાયક એવા દિલીપ સંઘાણી સાચા પણ વિવાદાસ્પદ નિવેદનો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મુશ્કેલીમાં મૂકતાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી અનેક એવી ઘટના બને છે જેનાથી વડાપ્પ્રરધાન નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે. પૂર્વ કૃષિમંત્ર...