Friday, August 7, 2026

સૂક્ષ્મ સિંચાઈ : જીએસટી સબસિડીનો લાભ ઓળવી ગઈ

કરણ રાજપૂત દેશનાં ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની સરકારની અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાને જીએસટીનું ગ્રહણ લાગી ગયું છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ નામની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકારે ૫,૩૦૦ કરોડ રૂપિયાનાં બજેટની ફાળવણી કરી છે. ખેડૂતોની આવક ડબલ કરવા અને સિંચાઈક્ષેત્રનો વ્યાપ વધારવા માટે વર્ષ ૨૦૧૯ સુધી રૂપિયા ૫૦ હજાર કરોડ રૂપિયાની જોગ...

ગુજરાતમાં અફીણની ગેરકાયદે ખેતી

દુનિયામાં જો ન કરવા જેવી કોઇ ખેતી હોય તો તે અફીણની છે. છતાં ગુજરાતમાં ગેરકાયદેસર ખેતી થાય છે. વર્ષે આવા અનેક બનાવો બને છે. સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેતી થાય છે. સુરેન્દ્રનગરમાં તો અનેક ખેતર પકડાયા છે. જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની જેલ થઈ શકે છે. ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાત...

ભાવ ન મળતાં જામનગરમાં મફતમાં ડુંગળી આપી

ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા જામનગરમાં કોંગ્રેસ દ્વારા 500 મણ ડુંગણી અને 300 મણ લસણનું વિનામૂલ્યે વિતરણ કરી સરકારની નીતિરીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. યાર્ડમાં 1 કીલો ડુંગળીના રૂ.1 થી 2 અને લસણના 2 થી 3 ભાવ ખેડૂતોને મળતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ હોય ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોય ખે...

અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન કરતાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી

તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્‍યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્‍લી બાંભોર નજીક અલ્‍ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્‍યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્‍લી બાંભોર ગામે પહોંચ્‍યા હતા. જે દરમ્‍યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગે...

ઝડપી બિનખેતીની મંજૂરી આપવાથી કૃષિની જમીન ખતમ થશે

કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્...

ભરૂચ પાસે નર્મદા બેટ પર કોણ કબજો જમાવી રહ્યું છે ?

વિશ્વની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદી સૂકાઈ ગયા બાદ ભરૂચના નિલકંઠેશ્વર મંદિર પાસે આલીયા બેટ પર 200 હેક્ટર (20,00,000 ચોરસ મીટર) જમીન પર વ્યક્તિગત રીતે ભવ્ય ટાપુ બનાવવામાં આવી રહ્યો છે. ઝાડેશ્વર પંચાયતમાં આવતાં આ ટાપુ પર વૃક્ષોનું નિકંદન કાઢીને ટાપુ બનાવી ત્યાં રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી રહ્યો છે. ટાપુ નિર્માણ માટે બિલ્ડીંગ મટીરીયલ લઈ જવ...

ગાંધીની ખાદીમાં પણ ભ્રષ્ટાચાર

દુષ્કાળમાં ખાદી થકી રોજગારી આપવાનો અનોખો પ્રયોગ, ભ્રષ્ટાચાર દૂર કરશે અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લો...

એક વર્ષમાં પશુઓ માટે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ પશુ-પંખીઓને મદદ કરાઇ...

રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧ વર્ષ પૂર્ણ કુલ ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ કોલમાં એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને મદદ કરાઇ છે. પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ ૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇ...

ભાવનગરના સેંજળીયા ગામે ગાય સતત 10 વર્ષથી દૂધ આપે છે

ભાવનગરના સેંજળીયા ગામે ગાયનો કિસ્સો આવ્યો સામે, ગાય સતત 10 વર્ષથી આપી રહી છે દૂધ પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય છે. જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઈ બનતી ઘટના પાલીતાણાના સેંજળીયા ગામની સામે આવી છે. જેમાં એક ખેડૂતને ત્યાં એક ગાય કે જેને આજથી 10 વર્ષ પહેલા એક જ વાર વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે....

મોડાસાના ખેડૂતોની ચિંતા વધી, ચણા અને ટામેટાના પાકમાં લાગ્યો રોગ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટામેટા તેમજ ચણાના વાવેતરમાં ઈયળના ઉપદ્રવથી પાકનો નાશ થવાના એંધાણથી ખેડૂતો ચિંતિત થયા છે. મોડાસા તાલુકાના બોરડીકંપા સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ બાગાયતી પાક તરીકે ટામેટાંની ખેતી કરી છે. જેમાં લીફ માઈનર નામની ઈયળથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ પ્રકારના રોગથી ઈયળ પાંદડાને ખાઈ જતી હોય છે. જેથી ટામેટાંનો છોડ સૂકા...

મહેસાણાના ગામોમાં કૃડ ઓઈલના કૂવા મોતના કૂવા

મહેસાણા જિલ્લાના પેટાળમાં ક્રૂડ ઓઈલનો વિપુલ જથ્થો સંગ્રહાયેલો છે અને તેના જ કારણે મહેસાણા ઓ.એન.જી.સી.મોટા પ્રમાણમાં ઓઈલનું ઉત્પાદન કરે છે. જોકે મહેસાણા જિલ્લાના હરદેસણ અને તેની આસપાસના ગામોમાં ઓએનજીસી દ્વારા ખાનગી એજન્સી પાસે ઓઈલ સંશોધન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં જમીનના પેટાળમાં બ્લાસ્ટ કરી મોટા પ્રમાણમાં ઊંડા કૂવા કરવામાં આવ્યા છ...

ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનીંગને અટકવવા રાજકીય આગેવાન કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતાં અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલી...

ખેડૂતોની નર્મદા લાવો કચ્છ બચાવોની સભા

પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ પાક વાવ્યો છે. પણ નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ હવે સરકાર સામે લડત ચલાવવા રણશીંગું ફૂંક્યું છે. અને માંડવી તાલુકાના બિદડા ગામે માંડવી અને મુન્દ્રાના ખેડૂતોની એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં સરકાર સામે રજૂઆત કરવાથી લઈને જરૂર પડ્યે સામખીયાળ...

17 ટકા વધું ઉત્પાદન આપતી તલની જાત જૂનાગઠના કૃષિ વિજ્ઞાનીએ વિકસાવી

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા તલની જાત તૈયાર કરી છે કે જે હાલની જાત કરતાં 16.62 ટકા વધું ઉત્પાદન આપે છે. હાલ ગુજરાત તલ 4 જાતના તલ એક કેહ્ટરે 866 કિલો ગ્રામ પેદા થાય છે. પણ નવી જાત ગુજરાત તલ 6 એવી જાત છે કે જે હેક્ટરે 1010 કિલો ગ્રામ ઉત્પાદન આપે છે, આમ એક હેક્ટર દીઠ 16.62 ટકા વધારે તલ આપી શકે છે. તલ તેલનો કૂવો સૌથી વધું રોમાંચ પેદા કરે એવી બ...

૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના, ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. જમીનો આપી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ચમારડી ગામની સ.નં. ૧૦૪૫/૯ની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન દબાણમુક્ત કરાવવા માટે તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે ઉપવાસ આંદોલન ઉપર હતા. આ આગેવાનો પૈકી એક આગેવાન શ્રી રેવાભાઈ ગોદડભાઈ, ઉં.વ. ૫૩નું આજે આંદોલન દરમ્યાન અવસાન થયું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના...