Wednesday, April 15, 2026

પાકિસ્તાને મદદ કરેલું વહાણ જામનગરથી ઝડપાયું, રહસ્યમય હિલચાલ

ભારતીય જળ સીમામાંથી શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયેલ જામનગરના વહાણ અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાન સાથે સંપર્કમાં હતું. વહાણ માલિકે ‘નૂરે પંજેતન’ તરીકે નોંધાયેલા જહાજરનું નામ ‘યા રૂકનપીર’ કર્યું હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી છે. જામનગર બેડી બંદર ખાતે રજીસ્ટે્રશન થયેલા 400 ટનના વહાણને ઝડપી લઇને ઓખા ખાતે લઇ આ...

જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ

ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે. સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ ત...

કાંચીડાને કારણે બે વીજકેબલ ભેગા થતા વાયર નીચે પડતાચાર ઢોરના મોત

જામનગર,તા.10 જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં ૧૧ કે.વી. નો એક વીજ કેબલ અચાનક જ તૂટી પડયો હતો આ સમયે ગૌચરની જમીનમા ચરી રહેલી એક ગાય તથા ત્રણ વાછરડાના વીજશોક લાગવાથી બનાવના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ બનાવની જાણ થતા ગૌપ્રેમીઓ ભેગા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવની વિગત અંગે ગામલોકોએ વીજ તંત્રને જાણ કરતા કાલાવડ ગ્ર...

જામનગરના ખેડૂતે ભોજલ રામ ઓર્ગનિક ખારેકના બ્રાન્ડ બનાવી

જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. વરસાદ માત્ર ૩૦૦ થી ૩૫૦ એમ એમ જેટલો ઓછો પડે છે. પાણી વપરાવાના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈ સાવલિયાએ ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પત્નીની મદદથી શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું હતું. પણ પછી ટીશ્યુ કલ્ચરથી એક ઝાડમાંથી ...

આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવામાં આ...

જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો  થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો...

ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...

જામનગર,તા:૨૧ જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે. કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...

જામનગર જિલ્લાની દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી ર...

જામનગર,તા:૨૧ જામનગર જિલ્લાના દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી ...

જોડિયા નજીક બેફામ દોડતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં દંપતીનું મોત...

જામનગર,તા.13 જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકનેટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરતફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોક રાજ્ય ધોરી માર્ગ હોય કે ...

કાળિયારના ચામડા સાથે શિકારીઓની ગેંગ ઝડપાઇ, ત્રણ દિવસના રિમાન્ડ પર

જામનગર,તા.13 જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા દોડધામ  મચી ગઇ છે. જામનગરના પાનેલીમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે સકંજામાં  લઇ લીધા હતા. આ આઠેય શિકારીઓને અદાલતમાં રજૂ કરીને ત્રણ દિવસના  કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.  શિકારી ટોળકીના મુખ્યસૂત્રધારને પકડવા માટે વનવિભાગે તપાસનો શરૂ કરી છે. જામનગર વ...

યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે....

જામનગર માં મુશળધાર વરસાદ ને કારણે પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઉપર અસર

જામનગર,તા. 29  જામનગર જિલ્લામાં બપોર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના બધા તાલુકોઓમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો. જામજોધપુર તાલુકામાં અનરાધાર બે ઇંચ વરસાદ જોડિયા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જામનગર શહેરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ અને શહ...

જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...

જામનગર,તા.21 જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...

જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોનો સખત પણે અમલઃ હજારોનો દંડ વસૂલાયો

જામનગર તા. ૧૭ઃ જામનગર શહેર તથા રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી ટ્રાફિકના કડક નિયમો વચ્ચે આજે સવારથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરના ડીકેવી સર્કલ, સરૃ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, પવનચક્કી, દરબારગઢ બહારનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પોલી...

જૂનાગઢથી અપહરણ બાદ જામનગરથી ધરપકડ

જામનગર,તા:૧૨ કલ્યાણપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જૂનાગઢથી અપહરણ કરાયેલા આધેડને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી મતા અને કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ખંડણી માગવાના આશયથી ખંભાળિયાથી ત્રણ શખ્સોએ આધેડ જિતેન સંઘાણીનું ખંભાળિયાથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ જિતેનભાઈ પાસેની સોનાની ચેન, રોકડ રૂપિયા અને કારની પણ લૂ...

જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી, 2 લોકોનાં મોત, 4 ને બચાવી લેવાયા

 તા:૧૬, થોડા દિવસ પહેલા જ નડિયાદમાં એક બિલ્ડીંગ ધરાશાયી થતા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને હવે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે, અહી શાક માર્કેટ પાસે આવેલા દેવુભાં ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 4 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યાં છે, ઘટના બાદ ફાયર બ્રિગેડનો કાફલો અહી પહોંચી ગયો હત...