સસ્તા અનાજની દુકાનોના 13 પ્રશ્નોનો સરકાર ઉકેલતી નથી
રાજ્ય સરકારની અણઘડ નીતિઓના કારણે સરકાર સાથે કામ કરતા અનેક મંડળો વચ્ચે સુમેળ જોવા મળતો નથી. હાલમાં મોટા ભાગના મંડળો સરકાર સામે જોવા મળી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય રાહત દરની દુકાનોની કારોબારી બેઠક સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર શિક્ષણ સંકુલ ખાતે મળી હતી. જેમા રાજ્યના તમામ જિલ્લાના મંડળના આગેવાનો હાજર રહ્યાં હતાં. બેઠકમાં 13 પ્રશ્નોની ચર્ચા કર...
સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી સામે એક કરોડની ગેરરીતિ મામલે ફરીયાદ
ગાંધીનગર તાલુકના પ્રાંતિયા ખાતે રહેતાં વિજયભાઈ રાવજીભાઈ પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ 2015થી ધી પ્રાંતિયા સેવા સહકારી મંડળી લી.ના ચેરમેન તરીકે સેવા આપે છે. મંડળીમાં અગાઉ આલમપુરના જીતેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014થી 17નું ઓડીટ ઓડીટરે 2018માં કરેલું હતું. જેમાં 96,55,287 રૂપિયા મંડળીના સેક્રેટરીએ...
ગુજરાતમાં ભ્રષ્ટાચારની સાથે પ્રદુષણ વધી ગયુ
અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે આપેલા ચૂકાદાને કોંગ્રેસે આવકાર્યો છે. પરંતુ સાથે-સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. સરકારની નીતિઓને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 2017 સુધીમાં 9,75,349 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તા...
અમદાવાદ RTOની નકલી રસીદો પકડી પણ કૌભાંડ દબાઈ ગયું
અમદાવાદ RTOની બોગસ રસીદ આપી ટ્રાફિક પોલીસે પકડેલા વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું હતું. RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી નામનો ઠગ રીઢો ગુનેગાર હતો અને અગાઉ આવા 500 વાહનોને તેણે છોડાવ્યા હતા. જેની સંડોવણી આટરીઓ અધિકારી સાથે છે કે કેમ તેની તપાસ કરવા માટે પોલીસે કહ્યું હતું પણ હજું સુધી 22 જાન્યુઆરી 202...
નિરમા કંપનીને પણ ઠગ મળી ગયો, કોલસામાં પાણી ભેળવી દીધું
ભાવનગરની નિરમા કંપનીને મોકલવા માટે ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ ભાગી ગયો છે. જેને પોલીસ હજુ પકડી શકી નથી. સારી ગુણત્તાનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારાના ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી ચોરી કરવામાં આવતી હ...
કોલસાની ખાણોનો વિસ્તાર દેશનો સૌથી વધું પ્રદુષિત વિસ્તાર
નવી દિલ્હી: ઝારખંડનો ઝારિયા શહેર દેશનો સૌથી પ્રદૂષિત શહેર છે, દિલ્હીએ તેની હવામાં થોડો સુધારો જોયો છે અને તે દેશનું 10 મું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. ગ્રીન પીસ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ઝારિયા એ દેશનો સૌથી મોટો કોલસો ખોદી કાઢતો પ્રદેશ-શહેર છે. સમગ્ર દેશમાં પ્રદૂષણના મામલે દિલ્હી આ વર્ષે 10 મા ક્રમે છે જ્...
માંડ 6 ટકા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે છે
આઝાદીના સાત દાયકા બાદ પણ ભારતના ખેડૂતોની સ્થિતિમાં કોઈ મોટા આમૂલ પરિવર્તન જોવા મળ્યા નથી. ઉલટાનું, ખેડૂત અને ખેતી બંને કટોકટીમાં ફસાયેલા છે. શ્રીમંત ખેડુતો જેની વાત કરવામાં આવે છે તે બહુ ઓછા છે. પરંતુ મોટી સંખ્યામાં એવા ખેડુતો છે જે હજી પણ સીમાંત જીવન જીવવા માટે મજબૂર છે. ખેડુતો હંમેશાં આપણા દેશના અર્થતંત્રનો આધાર રહ્યા છે. પરંતુ જ્યારે આ પાયો નબળો...
ભાજપના ષડયંત્રથી કેજરીવાલ 6 કલાક મોડી ઉમેદવારી કરી શક્યા
આમ આદમી પાર્ટી (આપ) એ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે (21 જાન્યુઆરી, 2020) લગભગ છ કલાક રાહ જોયા બાદ ઉમેદવારી પત્ર ભર્યું. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે કતારમાં 45 મા હતા. કેજરીવાલે 2015 માં આ બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવી હતી. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે સાંજના 6.30 વાગ્યે...
બિમારી, બેરોજગારી અને ખેડૂતો ગુજરાતમાં વધું આત્મહત્યા કરી રહ્યાં છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ જાહેર કરેલા 2018ના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2018માં 7793 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 5210 પુરુષ અને 2583 મહિલાનો સમાવેશ થાય છે. બિમારીના કારણે લોકો વધું મરી રહ્યાં છે. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. 268 વિદ્યાર્થી અને 302 વિદ્યાર્થીની મળી કુલ 570એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેતીના ...
સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી...
14 ટકા વેરો ભર્યા વગર દાણચોરીનું સોનું ગુજરાતમાં કેમ આવે છે ?
અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરતના જ્વેલર્સનું રૂ. 300 કરોડનું ડ્યૂટી ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. મુંબઈના કેટલાક વેપારી એસઈઝેડ તેમજ દાણચોરીથી આવતું સોનું 11 ટકા કસ્ટમ ડ્યૂટી અને 3 ટકા જીએસટી ભર્યા વગર કુરિયર મારફતે તેમજ જુદી જુદી એરલાઈન મારફતે ગુજરાતના વેપારીઓને મોકલતા હતા. રાજકોટના ઝવેરી બજારમાં સોનાના બે ભાવ બોલાય રહ્યા છે. બિલ વિના રૂ. 38,2...
અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો
રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી થઈ ર...
ભારતમાં ભાજપના મોદી શાસન બાદ ગરીબી વધી રહી છે
દેશના ૨૨ થી ૨૫ રાજ્યોમાં વધી ગરીબી, ભૂખમરો વધ્યોઃ નાણામંત્રી સામે મોટો પડકાર
ભારતમાં ૨૫ રાજ્યોમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા વધી છે. ગ્લોબલ મલ્ટિ ડાયમેંશનલ ગરીબી સૂચકાંક (એમપીઆઈ) ૨૦૧૮નો અહેવાલ છે. નીતી આયોગના ૨૦૧૯ એસડીજી ઇન્ડિયા રિપોર્ટમાં છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૬૪૦ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પહેલા, ૨૦૦૫-૦૬ થી ૨૦૧૫-૧૬ના દસ વર્ષોમાં, એમપીઆ...
ગુજરાત બાદ ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મૂકશે
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશના આધારે ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સાયબર તેમજ ઈ સિક્યુરિટીના ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિક વી કે ત્રીવેદીએ કોર્ટમાં આ માટે પિટિશન કરનારને પત્ર લખીને જાણકારી આપી છે. પિટિશન કરનાર હાઈકોર્ટના વકીલે માંગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપીને...
ભારત સરકારના બજેટ જેટલા રૂપિયા 63 ઉદ્યોગપતિ પાસે
વર્ષ 2019-20નું રૂ.28 લાખ કરોડ છે. ભારતના કુલ 63 અબજોપતિઓની સંપત્તિ દેશના કુલ વાર્ષિક બજેટ કરતા વધારે છે. ભારતના સૌથી અમીર 1 ટકા લોકો દેશની 70 ટકા વસ્તીથી 4 ઘણી વધારે સંપત્તિ ધરાવે છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યકિત બની રહ્યા છે. ભારતમાં 150 બિલિયોનર્સ નોંધાયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં ૧૬.૯ અબજ ડોલરનો વધારો થયો છે, અને તે...

English