[:gj]સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર [:]

[:gj]સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે.

વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો.

છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી પકડાયા

વર્ષ – ગુના – મોબાઇલ – સીમકાર્ડ – ધરપકડ
2019 – 15 – 20 – 11 – 22
2018 – 34 – 47 – 35 – 25
2017 – 37 – 43 – 21 – 10
2016 – 24 – 30 – 5 – 53
2015 – 25 – 35 – 11 – 62
2014 – 18 – 23 – 8 – 49
કુલ – 153 – 198 – 91 – 221

હાઈ સ્પીડ ઝામરમાં કઈ રીતે ચાલતું હતું તે હવે ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વનું તપાસનું કેન્દ્ર બન્યું છે. વિશાલ ગોસ્વામી જેલમાંથી ઇન્ટરનેટ કોલથી સંપર્કમાં રહેતો. જેથી તેમના કોલ ઈન્ટરસેપ્ટ ના થઈ શક્યા.

14 જાન્યુઆરી 2020માં વડોદરા જેલમાં 22 ફોન સાથે કોલ સેન્ટર પકડાયું છે. ત્યારે રૂપાણીની સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. રૂપાણીની સરકારમાં જેલમાં મોબાઈલ ફોનમાં પોલ ચાલે છે તે અંગેનો એક ખાસ અહેવાલ

કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે.

સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વીડિયો કોલ કરીને જાહેર કર્યું તે ગુજરાતની જેલોની પોલ ખોલનારું અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા માટે શરમ ઊભી કરે એવું પ્રકરણ છે. તેથી તેની તપાસ ગાંધીનગરથી સોંપવામાં આવી છે. સાબરમતી જેલમાં 2012મા 117 કેદીઓ હતા જેમની સામે મોબાઈલ રાખવાના ગુના હતા. 28 નવેમ્બર 2018મા કુલ 200થી વધુ કેસ થઈ ગયા છે. સરકાર આ બધા કેસ પરત ખેંચવા માટે અગાઉ દરખાસ્ત કરી ચૂકી છે. રાજ્યમાં કૂલ આવા બે હજારથી બધું કેસ કેદીઓ અને કર્મચારીઓ પર કરાયેલાં છે. જેમાં બહુ સજા થઈ નથી.

જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવે છે? રીઢા ગુનેગારો જેલમાં બેઠાં-બેઠાં પણ ‘ગુનાનું નેટવર્ક’ બેરોકટોક ચલાવી શકે છે. જેલ તંત્રની બેદરકારી, મેળાપીપણા કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. તપાસ થાય છે એવું કહેવાય છે, પણ એકપણ જેલમાં કોઈ જ તપાસ થતી નથી. વારંવાર મોબાઈલ ફોન મળી આવે છે. ગુજરાતમાંથી ગમે તે જેલમાંથી મોબાઈલ ફોન પકડાય એટલે પોલીસ ફરિયાદ નોંધાય છે અને તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય છે. તપાસ અધૂરી રહે છે. જેલ પૈસા છાપવાનું પ્રિંટિંગ પ્રેસ બની ગઈ છે. આવી ઘટના રોકી શકાતી નથી.

જેલ તંત્રની બેદરકારી, મેળા-પીપણા કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. આવા સંજોગોમાં રીઢા ગુનેગારો જેલમાં બેઠાં બેઠાં પણ ગુનાનું નેટવર્ક બેરોકટોક ચલાવે છે. આરોપીઓની પૂછપરછ કરે છે પણ મોટા ભાગે તેઓ કબૂલ કરતાં નથી. કેદીઓના પ્રવેશ પહેલા જ તેમની તપાસ કરવામાં આવે છે. તેમ છતા જેલમાંથી કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. જેલતંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જેલ તંત્રની બેદરકારી, મેળ મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે.

સાબરમતી જેલ

ગુજરાતમાં હાઈસિક્યોરિટી ઝોનમાં આવેલી અને હંમેશાં વિવાદમાં રહેતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કાયમ વિવાદમાં રહે છે. મોબાઈલની દુકાન બની ગઈ છે. જેલમાં 2008થી 2-જી મોબાઈલ ફોનના વેવ્ઝને વિખેરીનાથે એવા જામર વાગેલા છે. પણ, 3-જી અને 4-જી મોબાઈલ ફોન સામે 2-જી જામર ટેક્નોલોજી ઉપયોગી નથી. રૂ.25 લાખના ખર્ચે 4-જી જામર લગાવવાનું નક્કી થઈ ગયું છે. પણ કામ ઝપડી થતું નથી. મહાઠગ ભટનાગર બંધુ અને પૂર્વ સાંસદના પુત્ર કિશોરસિંહની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યા હતા. પકડાતાં મોબાઈલ ફોનની તપાસ કરવાની રાણીપ પોલીસ સ્ટેશનની જવાબદારી હોય છે. જૂની અને નવી સાબરમતી જેલમાંથી વર્ષ 2017 દરમિયાન 24 મોબાઈલ ફોન પકડાયાં હતા. તમામ કેસની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધીને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોકલી આપવામાં આવે છે. પરંતુ, એકપણ કેસમાં SOGએ નોંધપાત્ર તપાસ કામગીરી કરી હોવાનું અત્યાર સુધી બહાર આવ્યું નથી. સાબરમતી જેલમાં સ્કેનર અને જામર જેવા આધુનિક સાધનો હોવા છતાં જેલમાંથી મોબાઈલ મળી આવે છે જે જેલના ભ્રષ્ટ તંત્ર તરફ આંગળી ચીંધે છે. વારંવાર મોબાઈલ મળી આવવાતા મોબાઈલની ઘટનાઓ બતાવે છે કે અહીં કોઈ સુરક્ષા નથી. કોઈ બોંબ લઈ જઈ શકે છે. જેલના સ્ટાફની સંડોવણી વગર મોબાઈલ ફોન અંદર સુધી પહોંચવા શકય નથી. જેલના અધિકારીઓ પોતાનો બચાવ એ રીતે કરે છે કે, આજુબાજુમાં આવેલા રહેણાક વિસ્તાર છે. તેથી કોઈ બહારથી જેલમાં મોબાઈલ ફેંકીને જેલમાં ફોન પહોંચાડે છે. CCTV કેમરા હશે જ. કોણ કોને પહોંચાડે છે, તે આ ફેંકવાથી નક્કી ન થઈ શકે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણાં આતંકવાદીઓ સહિત બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ છે. જેલમાંથી પહેલાં પણ ટીવી, ડીવીડી, મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જેલમાં દેશી દારૂની ભઠ્ઠી પણ પકડાઈ હતી. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જેલના કર્મચારીઓનીં સંડોવણી બહાર આવી હતી.

24 મે 2012માં સાબરમતી જેલમાં મોબાઈલનો ઉપયોગ કરવા અને જેલના નિયમોનો ભંગ કરવા બદલ પકડાયેલા 117 આરોપીઓ સામેના કેસો પરત ખેંચવા માટે જેલ સત્તાવાળાઓએ હાથ ધરી હતી.

જેલમાં કેટલા આરોપીઓ સામે કેસો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા અને કાચા કામના કેદીઓને રાખવામાં આવે છે. જેલમાં મોબાઈલ ફોન પર પ્રતિબિંબ હોવા છતાં તેનો ઉપયોગ કરવા બદલ જેલ સત્તાવાળાઓએ 18 જેટલા આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી હતી.

જેલમાંથી પાકિસ્તાન વાત થઈ હતી

શહેર ક્રાઈમ બાન્ચના PI ભરત પટેલે અગાઉ સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વાત કરવા બદલ એક આરોપીને ઝડપી લીધો હતો. જેના મોબાઈલ ફોનની એફએસએલમાં તપાસ કરાવતા સખ્યાબંધ વખત પાકિસ્તાન વાત કરી હોવાનું બહાર આવ્યું હતું.

સાબરમતીની હમણાં બનેલી ઘટનાઓ

27 નવેમ્બર 2018મા શાંતિ નિકેતન બેરક-1 નજીકથી એક મોબાઈલ મળી આવ્યો હતો.

27 ઓગસ્ટ 2018ના દિવસે નવી સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં પાંચ ફોન મળી આવ્યા હતા. જેલના પ્રતિબંધિત વિસ્તારમાં યાર્ડ નંબર આઠમાં આવેલ બેરેકની બારીમાંથી બિનવારસી મોબાઈલ હતો.

10 માર્ચ 2018ના દિવસે નવી જેલમાં સર્કલ યાર્ડ 4/2 પાસે જમીનમાં દાટેલા મોબાઇલ ફોન, 2 સીમકાર્ડ અને બેટરી મળી આવ્યાં હતા.

12 સપ્ટેમ્બર 2018મા બેરેક નંબર 10-22ના દરવાજા નજીક દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટીને છૂપાવાયેલો એક મોબાઈલ મળી આવ્યો હતો. બેરેક નંબર 10-1 નીક આવેલા ટોઈલેટના દરવાજાના ખાંચામાં સંતાડેલો બીજો એક મોબાઈલ મળ્યો હતો.

24 સપ્ટેમ્બર 2018મા નવી જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. બીજા બે કેદી પણ ફોન વાપરતાં હતા.

24 ફેબ્રુઆરી 2018મા નવી જેલના દરવાજે ચેકીંગ દરમિયાન ચપ્પલની અંદર ખાનું બનાવી મોબાઈલ સંતાડીને લઈ જવામાં આવતાં બે મોબાઈલ ફોન પકડાયાં હતા. કોર્ટમાં મુદ્દતે હાજરી આપી પરત ફરતાં હત્યા કેસના કાચા કામના કેદી અહેમદઅલી સાદીકઅલીની બન્ને ચપ્પલમાંથી એક-એક મોબાઈલ નિકળ્યા હતા.

24 ફેબ્રુઆરી 2018મા સર્કલ યાર્ડ-22ની બેરેક-11ની ડાબી બાજુ લોબી પાસેની બારીમાં ખાડો કરીને છૂપાવેલો મોબાઈલ ફોન, બે બેટરી, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યા હતા. ‘ગુગલ સર્ચ’ ઉપરથી આ ટ્રીક શોધી હતી.

ઓક્ટોબર 2018મા નવી જેલના સર્કલ યાર્ડ પાછળ મેઈન દિવાલના P&T (પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ) કચેરીના કોટ (દિવાલ) પાસેથી પગ મોજાંમાં નાખીને ફેંકવામાં આવેલા ઈન્ટેક્સ કંપનીના ચાર અને સેમસંગ કંપનીના છ ફોન જેલ તંત્રએ પકડી પાડ્યા હતા.

27 નવેમ્બર 2018મા શાંતિનીકેતન બેરક-1 નજીકથી વધુ એક મોબાઈલ મળી આવ્યા હતા.

7 નવેમ્બર 2008 બે મોબાઈલ, એક બેટરી અને ચાર્જર સહિત સંખ્યાબંધ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

7 ઓગસ્ટ 2018 વિવિધ સ્થળોએથી 7 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. નવી જેલ શાંતિ નિકેતન યાર્ડ બેરેક નં.11માંથી 2 ફોન, હૃદયકુંજ યાર્ડ બેરેક નંબર 3 માંથી 2 ફોન, સર્કલ યાર્ડ બેરેક નંબર 1/22 માંથી ટીવી પાસેથી 1 ફોન અને મંદીર પાસેથી બે ફોન મળી આવ્યા હતા. સાતેય મોબાઈલ ફોનને સાયબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે.

15 નવેમ્બર 2018મા રૂ.2654 કરોડના લોન કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઉપરાંત એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડ પાસેથી પણ મોબાઈલ ફોન મળી આવ્યો. આરોપી કિશોરસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોના પુત્ર છે.

5 જુન 2018મા ચે‌કિંગ દરમ્યાન શાંતિનિકેતન બેરેક નંબર-૩માં તપાસ કરતાં શૌચાલય પાસે સાવરણીમાંથી એક બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો.

અન્ય શહેરોમાં બનેલી ઘટનાઓ

ભરૂચ – 8 સપ્ટેમ્બર 2018મા ભરૂચની સબજેલમાંથી બે મોબાઈલ, ચાર સીમકાર્ડ, બેટરી, ચાર્જર, ગુટખા જેવી વસ્તુ મળી આવી હતી. 21 જાન્યુઆરી 2017માં 4 મોબાઈલ મળી આવ્યા હતા. ટ્યુબલાઈટનું સ્ટાર્ટર અને માચીસ બોક્સનો ઉપયોગ ચાર્જર તરીકે કરતાં હતા.

6 ઓક્ટોબર 2018મા લીંબડી સબજેલની બેરેક નંબર 2માં કેદી તરીકે જીવન જીવતા ખૂન કેસના આરોપી કિશન કચ્છી પરસોત્તમ સલૈયા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ધ્રાંગધ્રા – 26 નવેમ્બર 2018મા સબ જેલમાં બેરક નંબર 2 માં રહેલા દીગપાલસિંહ ગોહીલ અને બેરક નંબર 5માંથી અશોકભાઈ ઈદંરીયા પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. જ્યારે બીનવારસી હાલતમા મોબાઇલના ત્રણ ચાર્જર મળી આવતા પોલીસ બંન્ને કેદીઓ સામે સિટી પોલીસ મથકે ગુનો નોંધાવામાં આવ્યો હતો.

અમરેલી – 30 ઓગસ્ટ 2018મા અમરેલી જિલ્‍લા જેલમાં ટાલકી ઉર્ફ ઈરફાન મહમદભાઈ પાસેથી સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવતાં આ અંગે પુછપરછ કરતાં ઈદના દિવસે કાચા કામના કેદી કાંતીભાઈ મુળજીભાઈએ તેમને આ મોબાઈલ ફોન આપ્‍યો હતો.

જામનગર – 20 ઓક્ટોબર 2018ના રોજ જિલ્લાની જેલની નંબર-2ના બેરકના કેદી મુસાભાઈ સંધાર પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો.

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 18 મે 2018મા 4 મોબાઈલ ઝડપાયા. આ મોબાઇવલો 4 કાચાકામના કેદી પાસેથી ઝડપ્યા છે. આરોપીઓ બુટલેગર, બળાત્કાર અને મારામારીમાં સંડોવાયેલા હોવાની વિગત સામે આવે છે.

(દિલીપ પટેલ)[:]