ગાંધીનગર, 23 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના ન થાય એ માટે મોટું લાંબુ ભાષણ આપી દીધું હતું. જેમાં એક બાબત એ હતી કે લોકોએ 3 કે 5 ફૂટ અંતર રાખવું. એકઠા થવું નહીં. ટોળામાં ભેગું થવું નહીં. આ બધા નિયમ કોરોના માટે છે. પણ ગુજરાત વિધાનસભા હાઉસની અંદર શિખામણ આપે છે ત્યારે હાઉસ અંદર અને બહાર મુખ્ય પ્રધાન પોતે જ પોતાની વાતનો ભંગ કરી રહ્યાં છે.
વિધાનસભા કોમ્પ્લેક્ષમાં ઓછામાં ઓછા 1 હજાર લોકો આજે ભેગા થયા છે. ભાજપના 100 અને વિપક્ષના 70 ધારાસભ્યો હાજર છે. તેઓ પોતાનો સ્ટાફ સાથે લઈને આવેલા છે.
રૂપાણીનો પોતાના સલામતી રક્ષકો સાથે 55નો સ્ટાફ વિધાનસભા કોમ્પ્લેક્ષમાં હાજર છે. દરેક પ્રધાનનો 10થી 20નો સ્ટાફ હાજર છે. આમ માત્ર પ્રધાનો અને તેનો સ્ટાફ મળીને 500 લોકો એક જ બિલ્ડીંગમાં એકઠા થયા છે.
વિરોધપક્ષના સભ્યો અને તેમના સ્ટાફ સાથે 200 લોકો હાજર છે.
50 પત્રકારો એક જ બિલ્ડીંગમાં એકઠા થયા છે. અધિકારીઓ, કર્મચારીઓ, સલામતી રક્ષકો અને બીજા સ્ટાફ મળીને એક હજાર લોકો એક જ બિલ્ડીંગમાં એકઠા થયા છે. જેમાં કોરોના નહીં થાય તેની ખાતરી શું ?
વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલા કહે છે કે, “કોરોનાની પરિસ્થિતિ જોતા સરકારનું જ ફરમાન છે કે 3થી 5 ફૂટ દરેકે અંતર રાખવું જોઈએ. વિધાનસભા સત્ર બંધ કરી દેવું જોઈએ.” આવું જ વિધાનસભામાં દરેક લોકો કહી રહ્યાં છે.
વિરોધ પક્ષની કચેરી અને પ્રધાનોનો સ્ટાફ પણ કહે છે કે, વિધાનસભા બંધ કરી દેવી જોઈએ.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને દંડકે એક અઠવાડિયા પહેલાં દરખાસ્ત મૂકી હતી કે, ગુજરાત વિધાનસભા પર કોરોનાનું જોખમ છે. તેથી તુરંત વિધાનસભા સત્ર ટૂંકાવીને બંધ કરી દેવું જોઈએ. પણ રૂપાણીની ભાજપ સરકારની એક માનસીકતા છે કે, વિરોધ પક્ષ કહે તે ન નકરવું, તેને જશ મળે એવું ન કરવું. દરેક મૂદ્દા પર સરકારનું આવું વલણ રહ્યું છે.
રૂપાણી હઠે ભરાયા છે અને હવે વિધાનસભા ચાલુ રાખીને હદ કરી રહ્યાં છે. પોતે જે કોરાના અંગે કહે છે તેનું ઉલ્લંઘન તેઓ પોતે જ કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન કરતાં તો તેની પ્રજાએ રવિવારે શાણપણ બતાવીને ઘરની બહાર નિકળ્યા ન હતા. બંધ પાળ્યો હતો. પણ રૂપાણી હવે રાજહઠ પકડીને બેઠા છે કે વિધાનસભા તો ચાલુ જ રહેશે. તેનું એક માત્ર કારણ એ છે કે, રાજ્યસભાની 3 બેઠકો ભાજપને જીતવી છે. રાજકારણ કરવામાં કોરોના કોઈને આભડી જશે તો વિધાનસભામાં જ કોઈનું મોત થઈ જશે ત્યારે તેની જવાબદારી મુખ્ય પ્રદાનની રહેશે. વિધાનસભાના અધ્યક્ષની નહીં.
ટ્રાન્સપોર્ટ કમિશાનર શું કહે છે.
દેશભરમાં ફેલાઇ રહેલો કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 31 માર્ચ 2020સુધી બહારના પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી અને ગુજરાતની અંદર પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ અને મોટા શહેર 25મી સુધી બંધ છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં અનાજની દુકાનો, શાકભાજી, દૂધ, મેડિકલ સ્ટોર સિવાયના ધંધા બંધ છે. ખાનગી કંપનીઓની તમામ કચેરીઓ બંધ છે. લોકો પોતે બંધ રાખી રહ્યાં છે. પણ રૂપાણી સરકાર હઠે ભરાઈ છે. રાજહઠ પાસે કોઈ હઠ કામ આવતી નથી. રૂપાણીની હઠ એ છે કે, ગુજરાત વિધાનસભાની બેઠક ચાલુ રાખવી અને વિધાનસભા બિલ્ડીંગમાં એક હજાર લોકોની હાજરી ચાલુ રાખવી.