થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે.
24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો.
2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તારમાં ખોરાક પાછળનો ગરીબ પરીવારનો ખર્ચ ઘટી રહ્યો છે. એટલે કે 2017-18ના વર્ષમાં ગરીબીનું સ્તર પાંચ ટકા જેટલું વધી ગયું છે. આવા કપરા સમયે જ ભારતમાં કોરોનાનું સંકટ આવ્યું છે.
બાંધકામ ક્ષેત્રમાં 2 કરોડ જેટલા મજૂરો કામ કરે છે. લૉકડાઉન હઠી જાય તે પછી પણ એકસાથે બધાને ફરીથી કામે લઈ લેવાનું મુશ્કેલ થવાનું છે.
ભારતમાં 40 કરોડ મજૂરો ગરીબીમાં ઊંડા ઊતરી જવાના છે. Oxfam સંસ્થાનું માનવું છે કે કોરોના રોગચાળાને કારણે ગરીબી સામેની લડત વિશ્વના કેટલાક હિસ્સામાં 30 વર્ષ જેટલી પાછળ ધકેલાઈ જશે.
વોશિંગ્ટન : વર્લ્ડ બેંકે મંગળવારે કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં 60 મિલિયન (6કરોડ) લોકો ગરીબીના દોજખમાં ફસાઈ જશે. સંકટને દૂર કરવાના અભિયાનના ભાગ રૂપે આ વૈશ્વિક સંસ્થાએ 100 વિકાસશીલ દેશોને 160 અબજ ડોલરની સહાય 15 મહિનાની અંદર આપવાની જાહેરાત કરી છે.
વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ માલપોસે પત્રકારને જણાવ્યું હતું કે, “રોગચાળો અને વિકસિત અર્થતંત્રોના બંધને કારણે 60 મિલિયનથી વધુ લોકો ગરીબીમાં ડૂબી જાય છે.” ગરીબી નાબૂદી તરફ વિશ્વએ તાજેતરના સમયમાં જે પ્રગતિ કરી છે તેનો અંત આવશે.
તેમણે કહ્યું, ‘વર્લ્ડ બેંક ગ્રૂપે ઝડપી પગલા લીધા છે અને 100 દેશોમાં કટોકટી સહાય કામગીરી શરૂ કરી છે. આમાં અન્ય દાતાઓને કાર્યક્રમ ઝડપથી ખસેડવાની છૂટ છે. “તેમણે કહ્યું કે 160 અબજ ડોલરની રકમ 15 મહિનામાં આપવામાં આવશે.
વિશ્વ બેંક દ્વારા સહાયક બનેલા આ 100 દેશોની વિશ્વની 70 ટકા વસ્તી છે. કુલ પ્રોજેક્ટનો ત્રીજો ભાગ અફઘાનિસ્તાન, ચાડ, હૈતી અને નાઇજર જેવા નાજુક અને ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં છે.
માલપોસે કહ્યું, “વૃદ્ધિના માર્ગ પર પાછા ફરવા માટે, રોગચાળામાં મદદ, ગરીબોને સહાય માટે રોકડ અને અન્ય સહાય, ખાનગી ક્ષેત્રને જાળવવું જોઈએ. અને અર્થવ્યવસ્થા મજબૂત કરવા અને પુનર્જીવીત કરવા તમામ દેશોએ પ્રયાસ કરવા પડશે.”
આરોગ્ય, આર્થિક અને સામાજિક રીતે હચમચી ગયા છે એવા લોકોના મટે કામ કરવું પડશે.