ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ ટ્રીટમેન્ટની શોધ

Discovery of methylotrophic bacterial consortium saving 20% fertilizer in paddy

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020

આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શોધ આંતરરાષ્ટ્રીય સાયંસ જનરલમાં પ્રસિદ્ધ થઈ હતી. હવે તેનો ડાંગરમાં ઉપયોગ કરવાની આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના માઈક્રોબાયોલોજી વિભાગના વિજ્ઞાની દ્વારા ખેડૂતોને ભલામણ કરી છે.

મધ્ય ગુજરાતમાં ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ ડાંગરની ગુર્જરી જાતની ફેરરોપણી કરતાં ખેડૂતોને વધું ઉત્પાદન અને નફો આ પદ્ધતિથી મળે છે. તે માટે હેક્ટર દીઠ 80 કિલો નાઈટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ ઉપરાંત મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કોન્સોર્શિયમની 5 મિ.લિ એક લિટર પાણીમાં રોપણ સમયે ધરૂને 15 મિનિટ સુધી માવજત આપવાથી અને 30 દિવસ પછી તેનો છંટકાવ કરવા કરવામાં આવે છે. તેનાથી 20 ટકા નાઈટ્રોજન અને 20 ટકા ફોસ્ફરસની બચત થાય છે.

1 કરોડ કિલો રસાયણીક ખાતરની બચત

મધ્ય ગુજરાતમાં કૂલ 4.64 લાખ હેક્ટરમાં ચોખાનું વાવેતર થાય છે અને 10.18 લાખ ટન ચોખા પેદા થાય છે. એ હિસાબે 4.64 કરોડ કિલો રસાયણીક ખાતર વપરાય છે. જેના 20 ટકા બચત ગણવામાં આવે તો 92 લાખ કિલોથી 1 કરોડ કિલો ખાતર ઓછું વાપરવું પડે. જોકે , બધા ખેડૂતો ગુર્જરી જાત ઉગાડતાં હોય તો જ આ શક્ય છે.

ગુજરાતમાં 7.65 લાખ હેક્ટરમાં ચોખાનો પાક લેવાય છે. જેમાં 17 લાખ મેટ્રિક ટન ચોખા પાકે છે. હેક્ટરે ઉત્પાદકતા 2205 કિલોની છે. જો આ સમગ્ર વિસ્તારમાં તેનો અમલ કરવો શક્ય બને તો વર્ષે 1.50 કરોડ કિલો રાસાયણિક ખાતર ઓછું વાપરી શકાય તેમ છે.

ગુર્જરી જાત પર પ્રયોગ

ડાંગરમાંથી વાતાવરણમાં ઉત્સર્જિત થતા મેથેન વાયુનું પ્રમાણ ઘટાડે છે. મેથાયલોટ્રોફિક બેક્ટેરિયા પ્લાન્ટ ગ્રોથ વિકસે છે. ડાંગરના પ્લાન્ટ પ્રોબાયોટીક્સ તરીકે કન્સોર્ટિયમ ઉપયોગી છે. મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ – મિથાયલોટ્રોફીક જીવાણું જૂથની ડાંગર પર અસરકારકતા ચકાસવામાં આવી હતી. લિક્વિડ કન્સોર્ટિયમ વિકાસ માટે ગુર્જરી ડાંગર-ચોખા પસંદ કરાયા હતા.

મેથીલોટ્રોફિક બેક્ટેરિયા

જે સારી વૃદ્ધિ અને આઇસોલેટ્સના ઉત્તેજના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેથીલોટ્રોફિક બેક્ટેરિયામાં છોડના વિકાસને પ્રોત્સાહન આપવાની વધારાની ક્ષમતા છે. મહત્તમ પોટાશ ઓગાળવો  અને નાઇટ્રોજન ફિક્સેશન ક્ષમતા છે.  ચોખાના વૃદ્ધિ પર મેથાયલોટ્રોફિક બેક્ટેરિયા અસરકારકતા સારી કરીને માટી દ્વારા પેદા થતા જીવાણુનાશક ફૂગ તે સારી રીતે રોકે છે.  બીજના અંકુરણ, મૂળની લંબાઈ, છોડની લંબાઈ અને રોપાઓના ઝડપી ઉછેરમાં નોંધપાત્ર વધારો થાય છે. ફૂગ ધરાવકતાં છોડને તંદુરસ્ત કરે છે.

પ્રવાહી માધ્યમમાં ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન કાર્યક્ષમતા

નાઇટ્રોજન ફિક્સેશન

ફાયલોસ્ફેરીક અને રાઇઝોસ્ફેરીક મેથાઈલોટ્રોફ્સ દ્વારા છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. હવાના નાઇટ્રોજનને ઠીક કરવાની તેની ક્ષમતા છે. નાઈટ્રોજન ફિક્સેશનનો દર સુક્રોઝના વપરાશમાં પ્રતિ ગ્રામ મિલિગ્રામ નાઇટ્રોજન મળે છે.

રોપણી 100 ટકા સફળ

ચોખાના છોડની વૃદ્ધિમાં સારી અસર કરે છે. દાણાનું 100% અંકુરણ કરે છે. બીજ અંકુરણ દરમાં વધારો થાય છે. રોપાયેલા ચોખાના વાવેતર માટે રોપાઓ ઉગાડવા માટે જરૂરી સમયગાળો ઘટાડવા માટે બેક્ટેરિયાના ઇનોક્યુલેશનનો ઉપયોગ હવે શક્ય બન્યો છે.  કારણ કે બીજની વૃદ્ધિના પરિમાણો સારા મળ્યા છે. અંકુરણ અને બીજના વિકાસમાં સારું કામ આપે છે.

મધ્ય ગુજરાત એ ચોખા પકવતો વિસ્તાર છે. જેમાં આ નવી શોધની ભલામણ કરવામાં આવી છે. આ વિસ્તાર આ પ્રમાણે છે. જેની ભલામણ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે તેમ છે.

જિલ્લો – હેક્ટર – ઉત્પાદન મેટ્રિક ટન

અમદાવાદ 1,20,000 – 3,11,998

આણંદ 1,10,062 – 2,96,175

ખેડા 1,00,187 – 2,55,738

પંચમહાલ 23,207 – 27,407

મહિસાગર 23,599 – 44,606

દાહોદ 6,046 – 9,689

વડોદરા 22,692 – 44,004

છોટાઉદેપુર 6,561 – 16,185

ભરૂચ 5,510 – 11,579

કૂલ 4.64 લાખ – 10.18 લાખ ટન

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપીમાં સારા એવા ચોખા પાકે છે.