કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021

ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતગણતરી 23 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ છે.

દરેક લોકો હાથ મોં ધોઈને જ અંદર જઈ રહ્યાં છે. સેનેટાઈઝ્ડ કરી રહ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે મતગણતરીના વધુ હૉલ અને ટૅબલ ઉપરાંત વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. એક હૉલમાં મહત્તમ સાત ટૅબલ ગોઠવવામાં આવ્યા છે.

પક્ષના પૉલિંગ એજન્ટને તાવ આવતો હોય કે કોરોનાના લક્ષ્ણ જણાય, તો રાજકીય પક્ષ જે-તે કાર્યકરના સ્થાને અન્ય કોઈ કર્મચારીની નિમણૂક કરી શકે છે. મતગણતરી સાથે સંકળાયેલા કર્મચારી ઇચ્છે તો સ્વૈચ્છિક રીતે મતગણતરી મથક ઉપર જ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવી શકે એવી વ્યવસ્થા દરેક સ્થળે ચૂંટણી પંચ દ્વારા કરવાંમાં આવી છે.

સ્ટાફને માસ્ક ઉપરાંત ગ્લવ્ઝ તથા ફેસશિલ્ડ પહેરવાની ફરજ પાડવામાં આવી છે. મતગણતરીકેન્દ્રોને અગાઉથી ડિસઇન્ફૅક્ટ કરી દેવાયાં છે. મતગણતરીમાં ઉપયોગમાં લેવાનારી તમામ સામગ્રીને સૅનિટાઇઝ કરવામાં આવી છે.

મતગણતરી બાદ ઈ.વી.એમ.ને સૅનિટાઇઝ કરીને સ્ટ્રૉંગ રુમમાં મોકલવા માટે પણ પાકી વ્યવસ્થા ગોઠવી છે.