ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ હતું.

ગુજરાતી
English




