અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી

જો આરોપીને પણ કેસની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવામાં આવે છે, ત્યાર પછી પણ તેઓને આ વિષય અથવા તેનો અર્થ સમજવા માટે સંઘર્ષ કરવો પડશે.

સુનાવણી દરમિયાન તેમના અનુભવો શેર કરનારા 286 કેદીઓમાંથી 156 એ કહ્યું કે તેઓ કાર્યવાહીને બિલકુલ સમજી શક્યા નથી.

એટલું જ નહીં, કોર્ટમાં વપરાયેલી ભાષા કેદીઓ માટે બીજી અવરોધ છે કારણ કે તેઓ અંગ્રેજી બહુ ઓછી સમજે છે.

કેસની સુનાવણી પહેલાં પોલીસ કસ્ટડીમાં આરોપીને સલાહ આપવા વકીલ હોવા સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલું છે. પરંતુ 191 માંથી 185 કેદીઓ કહે છે કે તેમની પાસે વકીલો નથી.

વિશેષ વાત એ છે કે આ 185 ફાંસીના કેદીઓમાંથી 144 કેદીઓને આર્થિક રીતે નબળા પૃષ્ઠભૂમિ સાથે જોડવામાં આવ્યા હતા.

જ્યારે સગીરની બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો ત્યારે બિનેશ 21 વર્ષનો હતો. બિનેશ કદી શાળાએ ગયો ન હતો. તે કહે છે કે કોર્ટની જટિલ કાર્યવાહી સમજવામાં અસમર્થ છે.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા કરી દે છે

ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહી છે

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે