ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખવા માટે મુખ્ય પ્રધાન પર દબાણ વધારી રહ્યાં છે કે તેમને પણ સત્તા આપવામાં આવે. તેએ સરકારની જાહેર કંપનીઓમાં હોદ્દા મેળવવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને દબાણ કરી રહ્યાં છે. દબાણ કરવા માટે રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે. 7 ધારાસભ્યોએ તો જાહેરમાં વલોપાત કર્યો હતો.
ગુજરાતના અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે પક્ષના નેતાઓ અને ધારાસભ્યો સત્તા મેળવવા શિંગડા ભરાવીને પરેશાન કરી રહ્યાં છે. રૂપાણીએ પક્ષના નેતાઓને સત્તામાં ભાગીદાર બનાવેલા ન હોવાથી તેઓ રૂપાણીને ઉથલાવી દેવા માટે કાવરતાંઓ કરી રહ્યાં છે. રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા તેના ત્રણ વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરી હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે.
સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે. અસંતોષ વધી જતાં પ્રદેશ પ્રમુખનો મુદ્દો પણ હવે તો વિલંબમાં પડ્યો છે. સંગઠનની રચના થઈ શકી નથી. પક્ષનું તંત્ર તેનાથી ખાડે ગયું છે. સત્તાની સાંઠગાંઠ વધી રહી છે. નેતાઓએ રૂપાણી સરકાર માટે દબાણ શરૂ કર્યું છે.
રાજ્યના 42 પૈકી 25થી વધુ બોર્ડ નિગમોમાં ચેરમેન અને ડિરેક્ટર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાર્ટીના ઓછામાં ઓછા 2500 લોકોને સત્તા અપાવી શકે છે. ભાજપના ધારાસભ્યોમાં પણ કચવાટ શરૂ થયો છે. ખાસ કરીને રાજ્યના આઠ શહેરોના શહેરી વિકાસ સત્તામંડળોમાં રાજકીય આગેવાનના સ્થાને અધિકારીઓ છે. જ્યા ગાંધીનગરથી સૌથી વધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર વિકેન્દ્રીત હતો ભાજપમાં ગાંધીનગર અને રાજકોટ ખાતે ભ્રષ્ટાચાર કેન્દ્રીત થઈ ગયો છે. તેથી હવે ભાજપના નેતાઓ પણ સત્તામાં ભાગીદારી માંગી રહ્યાં છે. કાર્યકરો અને નેતાઓ સરકારની કાર્યપદ્ધતિથી નારાજ છે. કોંગ્રેસના બે કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કર્યા પછી ભાજપના કાર્યકરો સરકારથી દૂર થઈ ગયા છે.
રાજ્યના સાત નિગમો એવાં છે કે જેમાં કેબિનેટ કક્ષાનું પદ છે છતાં તેમાં આજે અધિકારીઓ છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સમયમાં બોર્ડ નિગમોમાં ખાલી પદો રાજકીય નિયુક્તિથી ભરી દેવામાં આવ્યા હતા. પાર્ટીએ જે તે સમયે ધારાસભ્યોને સરકારમાં હિસ્સેદાર બનાવ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી બોર્ડ નિગમોમાં અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે જે રૂપાણી સરકારમાં પણ ચાલુ રહી છે, પરિણામે સંગઠનના નેતાઓ સરકારની નીતિરીતિથી નારાજ છે.
બોર્ડ નિગમમાં મૂકવામાં આવશે એવા વચનો આપેલા પરંતુ સરકારે તે વચન પાળ્યા નથી. આમ પાર્ટીનો આંતરિક ઝઘડો વધી ગયા છે. થોડાં સમય પહેલાં 25 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ તેમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને રૂપાણીના જૂથના આગેવાનોના નામ હોવાથી વિવાદ થયો હતો. જેથી હાઇકમાન્ડની સૂચનાથી યાદી પ્રમાણે નિયુક્તિ કરવામાં આવી નથી.