ગુજરાતના જામફળ વિદેશીને ભાવી ગયા પણ ભાવનગરના બગીચા ઘટી રહ્યાં છે

નિકાસમાં જોરદાર ઉછાળો

(દિલીપ પટેલ)

ગુજરાતમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં ઉગાડવામાં આવતા ફળોની વિદેશમાં પણ ખૂબ માંગ છે. દેશમાં છેલ્લા 8 વર્ષમાં જામફળની નિકાસમાં 2013થી 260 ટકાનો વધારો થયો છે.

2020-21માં ગુજરાતમાં 14326 હેક્ટરમાં 1.75 લાખ  ટન જામફળ થયા છે.

2012-13માં ગુજરાતમાં 10611 હેક્ટરમાં 1.58 લાખ ટન જામફળ પાક્યા હતા.

2005-06માં ગુજરાતમાં 7 હજાર હેક્ટરમાં 99 હજાર જામફળ થયા હતા.

ભાવનગરમાં સૌથી વધારે જામફળ પાકે છે. બીજા નંબર પર વડોદરા છે. ભાવનગરમાં હવે જામફળના બગીચા ઘટી રહ્યાં છે.

ભાવનગરમાં 12-13માં 3900 હેક્ટરમાં 69 હજાર ટન થયા હતા. જે 3452 હેક્ટરમાં 36400 ટન થયા હતા. આમ ભાવનગરમાં વાવેતર ઘટ્યું અને ઉત્પાદન 50 ટકા ઓછું થઈ ગયું છે.

ઉગાડવામાં આવતી સુધારેલી જામફળની જાતોની પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળથી લઈને નેધરલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયામાં ખૂબ માંગ છે. વર્ષ 2021-22માં ભારતે 15 કરોડ રૂપિયાથી વધુના જામફળની નિકાસ કરી હતી.

ભારત બાગાયતી પાકોનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે. સમગ્ર વિશ્વના ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 12 ટકા છે. ભારતમાં ગુજરાતનો 7 ટકા હિસ્સો છે. 2002માં 2.16 લાખ હેક્ટરમાં 31 લાખ ટન ફળ થયા હતા. 2021-21માં 4.33 લાખ હેક્ટરમાં 82.51 લાખ ટન ફલ થયા હતા.

વર્ષ 2020-21 દરમિયાન દેશમાં ઉત્પાદન 331 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. જામફળની ખેતી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશમાં થાય છે.

વર્ષ 2019-20માં જામફળ (બાગ) હેઠળનો વિસ્તાર 2.92 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 4361 હજાર મેટ્રિક ટન હતું, જ્યારે વર્ષ 2020-21માં ત્રીજા આગોતરા અંદાજ મુજબ 3.10 લાખ હેક્ટર વિસ્તાર હતો અને ઉત્પાદન 4361 હજાર મેટ્રિક ટન હતું. 4469 હજાર મેટ્રિક ટન હોઈ શકે છે.

1991-21માં માત્ર 94 હજાર હેક્ટરમાં જામફળનું વાવેતર થયું હતું, જે 2001-02માં વધીને 155,000 હેક્ટર થયું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન ઉત્પાદન 11 લાખ ટનથી વધીને 17 લાખ ટન થયું હતું.

નવી વેરાયટી તાઈવાન, VNR, તાઈવાન પિંક, ડાયમંડ અને જાપાનીઝ જામફળની થાઈ જામફળ છે. વિદેશમાં માંગ છે.