ઘઉંના નિકાસ પર મોદીના એકાએક પ્રતિબંધથી ખેડૂતોને કિલોએ 5 રૂપિયાનો ફટકો
गेहूं के निर्यात पर अचानक मोदी के प्रतिबंध से गुजरात के किसान को 5 रुपये प्रति किलो नुकासन
Gujarat farmer loses Rs 5 per kg due to Modi’s sudden ban on wheat exports
(દિલીપ પટેલ)
ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના 5 રૂપિયા ભાવ નીચો ગયો છે. 8 વર્ષમાં આ ત્રીજો ફટકો એકાએક નિર્ણય લેવાના કારણે ખેડૂતોને પડ્યો છે.
13 મેના રોજ, વાણિજ્ય મંત્રાલયે ખાનગી વેપારીઓ દ્વારા ઘઉંની મુક્ત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સરકાર મંજૂરી આપે તો જ નિકાસ કરી શકાશે. મુક્ત વેપાર નહીં થઈ શકે. આ આદેશથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, અને સંગ્રહખોરી અને કાળાબજાર થવાની આશંકા છે.
કોરોનામાં એકાએક લોકડાઉન અને એકાએક નોટબંધીની જેમ ઘઉંમાં પણ એકાએક પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના કારણે ગુજરાતના બંદરો પરથી ઘઉંની નિકાસ ઠપ્પ થઈ ગઈ છે. 3 લાખ ટન ઘઉં ગુજરાતમાં ઓછા પાક્યા છે તેનો ખેડૂતોને ફટકો તો પડ્યો છે પણ ભાવમાં મોટો ફટકો પડ્યો છે.
કંડલામાં 20 લાખ ટન ઘઉં પડી રહ્યા છે, જેમાં 5 હજાર ટ્રકોમાં 12 લાખ ટન માલ પડી રહ્યો છે. થોડો પણ વરસાદ પડશે તો કંડલામાં જ 800થી 1 હજાર કરોડના ઘઉં પલળી શકે છે. સરકાર એકાએક નિર્ણયો લે છે તેના કારણ ખેડૂતો પરેશાન થાય છે.
270થી 380 સુધીનો 20 કિલોનો ભાવ ગુજરાતમાં થઈ ગયો છે. તે 12 મે 2022માં 310થી 450 હતો. આમ 40થી 100 રૂપિયા 20 કિલોએ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ઘણાં બજારમાં 3000નો ભાવ ઘટીને 2 હજાર સુધી થઈ ગયો છે.
ગુજરાતમાં ઘઉંના નિકાસકારોને બોનસ, ગરીબોના ઘઉંના ક્વોટામાં ઘટાડો થશે ?
ગુજરાતમાં 20 વર્ષ પછી ખેડૂતોને ઘઉંના સારા ભાવો મળવા લાગ્યા હતા. તેની સામે વાવેતર અને ઉત્પાદન પણ ઓછું હતું. 2021માં 13.66 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર ગુજરાતમાં હતું તેની સામે 2022ના શિયાળામાં 12.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 1.12 લાખ હેક્ટર ઘઉંનું વાવેતર ઘટી ગયું હતું.
ગુજરાતમાં 2021-2022માં ઉત્પાદન 40.58 લાખ ટન થશે એવો અંદાજ કૃષિ વિભાગનો છે. હેક્ટરે ઉત્પાદન 3235 કિલોની ધારણા બતાવવામાં આવી છે.
2020-21માં 13.66 લાખ હેક્ટરમાં 43.79 લાખ ટન ઘઉંના ઉત્પાદનની ધારણા હતી. ઉત્પાદકતા 3204.77 કિલોની રહેવાની ધારણા હતી. પણ ખેડૂતોનું વાસ્તવમાં ઉત્પાદન ઓછું મળ્યું છે.
ગયા વર્ષ કરતાં 3.21 લાખ ટન ઉત્પાદન ઘટશે એવો અંદાજ ગુજરાતના કૃષિ વિભાગે જાહેર કર્યો છે. હેક્ટરે ઉત્પાદન 10 કિલો ઘટે એવું કહે છે.
લોક ડાઉનની જેમ એકાએક નિર્ણય લેવાતાં, જેના કારણે ગુજરાતના કંડલામાં 4 હજાર ટ્રકોમાં ઘઉં ભરેલા હતા તે ગાંધીધામમાં ફસાયા છે. બંદર પર પણ ઘઉંનો મોટો જથ્થો પડી રહ્યો છે. ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ્સને 13 મે 2022 કે તે પહેલા નોંધાયેલ છે ત્યાં નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
શું ભારત ઘઉંની અછત તરફ આગળ વધી રહ્યું છે? સરકારી આદેશ પછી, હવે દેશમાં ઘઉંની ખરીદી અને વેચાણ કરી શકાશે.
તેથી ખેડૂતોને અમારી ઉપજ માટે ઓછા ભાવ મળશે.
નિકાસ બંધી વેપારીઓ અડધા ભાવે ઘઉં ખરીદશે. સરકારે આવા નિર્ણયની જાહેરાત કરતા પહેલા અમારું વિચારવું જોઈતું હતું.”
સરકારનો યુ-ટર્ન છે. એક મહિના પહેલા, 4 એપ્રિલે, કેન્દ્ર સરકારે 10 મિલિયન ટનના ઘઉંની નિકાસ કરવાની જાહેરાત કરી હતી.
2022-23 માટે નિકાસ માટે 40 લાખ મેટ્રિક ટન (એમએમટી) ઘઉંનો કરાર કર્યો હતો અને અંદાજે 1.1 મિલિયન ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે. ઇજિપ્ત ઉપરાંત તુર્કીએ પણ ભારતીય ઘઉંની આયાતને મંજૂરી આપી હતી.
ભારત સરકારે ઘઉંના ઉત્પાદન અંદાજમાં સુધારો કરીને 2022-23માં 111 MMTથી ઘટાડીને 105 MMT કર્યો છે.
ચાર રાજ્યો – ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ અને કેરળ – આદેશ મુજબ હવે કેન્દ્રીય યોજના હેઠળ મફત ઘઉં નહી આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.
લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં વધુ ભાવે ઘઉં વેચાતા હોવાથી સરકારી ખરીદ એજન્સીઓ ઘઉં ખરીદી શકતી ન હતી. તે પણ એક કારણ પ્રતિબંધ મૂકી ભાવ નીચે લાવવાનું માનવામાં આવે છે. ખેડૂતોને ઘઉંના સારા ભાવ ન મળે અને મોંઘવારી ન વધે તે પણ એક હેતું છે.
ખેડૂતો ખુશ હતા કે તેમને સરકાર દ્વારા 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયેલ MSP કરતાં વધુ સારા ભાવ મળતાં હતા.
આ વખતે, બજાર કિંમત MSP કરતા વધુ હતી. ભવિષ્યમાં ઘઉંના ભાવમાં વધારો થવાનો વેપારીનો ડર હજુ સમાપ્ત થયો નથી. સંગ્રહખોરીની શક્યતા યથાવત છે. વેપારીઓ ઘઉંના ભાવ ઊંચા રહેવાની અપેક્ષા રાખે છે.