ગાંધીનગર, 2 ઓક્ટોબર 2020
ગુજરાતના ફૂલોના બગીચાઓ ખીલે છે પણ વિદેશમાં ફૂલો નિકાસ ઓછી થઈ રહી છે. ભારતની કુલ નિકાસના માંડ 1 ટકો જ નિકાસ ગુજરાતમાંથી થાય છે. જે ગુજરાતની વિજય રૂપાણીની મોટી નિષ્ફળતા છે. ફૂલોના નિકાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ હવાઈ મથક પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. તે પણ ગુજરાતની બોદી રૂપાણી સરકાર કરી શકતી ન હોવાથી ગુજરાતના ખેડૂતોને રૂ.2 હજાર કરોડના ફૂલોની ખેતી ગુમાવવી પડે છે. તેથી પૂરતાં ભાવ સ્થાનિક બજારમાં મળતા નથી. તમીલનાચુ રૂ.228 કરોડના ફૂલ વિદેશ મોકલે છે, પણ ગુજરાત માંડ 4.10 ટકા જ થાય છે. આમ ફૂલની નિકાસ કરતાં 13 રાજ્યોમાંથી 7માં નંબર પર ગુજરાત આવે છે.
નિકાસ કરવાથી એક કિલો ફૂલોનો ભાવ રૂ.255 આવે છે. જ્યારે સ્થાનિક વેચાણ થતાં તેનો ભાવ માંડ 70-80 આવે છે.
ફૂલોની નિકાસ કરતાં રાજ્યો
2019-20
રાજ્ય – ઉત્પાદન ક્વીન્ટલ – રૂ. કરોડ
તમિલનાડુ 8630.47 – 228.21
મહારાષ્ટ્ર 1433.40 – 115,55
પશ્ચિમ બંગાળ 2634.92 – 89.82
કર્ણાટક 2165.16 – 61,49
કેરળ 734.96 – 22.81
આંધ્રપ્રદેશ 543.50 – 13.43
ગુજરાત 160.58 – 4.10
ઉત્તર પ્રદેશ 345.57 – 2.30
બિહાર 230.47 – 1.61
દિલ્હી 21.62 – 1.08
તેલંગાણા 14.25 – 0.44
રાજસ્થાન 12.43 – 0.41
હરિયાણાનો સ્કોર 5.81 – 0.21
કુલ 16,933.14- 541.46
50 ટકા મધ્ય ગુજરાત પેદા કરે છે
ગુજરાતના ખેડૂતોએ 10 વર્ષમાં ઉત્પાદનમાં 130 ટકાવો વધારો કરી બતાવ્યો છે. પણ સરકાર તરફથી નિકાસ માટે કોઈ ધ્યાન ન અપાતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં જેટલાં પણ ફૂલ પેદા થાય છે તેના 50 ટકા મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં પેદા થાય છે. સૌથી વધું ફુલો નવસારી, આણંદ, વલસાડ, વડોદરા, અમદાવાદ થવા લાગ્યા છે.
ખેડૂતોની સફળતા
ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોદરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જ ખેતરોમાં વાવેતર કરે છે. પણ સૌથી મોટી વાત એ છે કે 78 ટકા વાવેતર વધ્યું છે જેની સામે હેક્ટર દીઠ ઉત્પાદકતાં વધી હોવાથી ઉત્પાદન 130 ટકા વધ્યું છે. ગુજરાતમાં બે લાખ ટન ફૂલ થવા લાગ્યા છે. જે ગુજરાતના લોકોની ખરીદ શક્તિ વધી હોવાનું અને સાથે નિકાસ વધી હોવાનું પ્રમાણ છે. ગુજરાતના લોકોની સમૃદ્ધી વધતાં ફૂલોનો શોખ વધ્યો છે.
ફૂલોની ખેતી ક્યાં કેટલી વધી ?
બગીચાનો વિસ્તાર
2008-09માં 11473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જે વધીને 20497 હેક્ટર 2018-19માં થઈ ગયું છે. તેમાં 9024 હેક્ટરનો વધારો થયો છે. જે 78 ટકાનો વાવેતરમાં 10 વર્ષમાં વધારો બતાવે છે. 2019-20માં જે વધીને 20,378 હેક્ટર વિસ્તારમાં બગીચા હતા. વાવેતરમાં ઘટાડો થયો છે. પણ ઉત્પાદન વધ્યું છે.
ફૂલોનું ઉત્પાદન
2008-09માં 85216 ટન ફૂલો પેદા થતાં હતા. જે 10 વર્ષમાં 2018-19માં વધીને 195856 ટન થઈ ગયા હતા. ફૂલોના ઉત્પાદનમાં 10 વર્ષમાં 130 ટકાનો વધારો થયો હતો. આમ ફુલોના બગીચાઓની ઉત્પાદકતામાં વધારો થયો છે. પણ 2019-20માં તે વધીને 1.96 લાખ ટન થઈ ગયા છે. 9.62 ટન ફૂલો એક હેક્ટરે પેદા થાય છે. ખેડૂતોએ સફળતા મેળવી છે પણ સરકારે નિષ્ફળતા મેળવી છે.
ગુલાબની સુગંધ નહીં ખપત ખેડૂતો જુએ છે
ગુલાબના બગીચા કરતાં મેરીગોલ્ડના બગીચાઓ વધી રહ્યાં છે. મોગરાનું વાવેતર ઓછું વધ્યું છે. પણ લીલીના વાવેતર અને ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આમ મેરીગોલ્ડ અને લીલીનું ઉત્પાદન વધી રહ્યું છે. ખેડૂતોને સુંદર ગુલાબના ઉત્પાદનમાં ઓછો રસ છે પણ કમાણી સરી આપતાં અને તુરંત ખપી જતાં ફૂલોની ખેતી વધારે અનુકુળ આવી રહી છે.
મધ્ય ગુજરાતમાં ઉત્પાદન વધું
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ફૂલોમાં ઓછો રસ બતાવી રહ્યાં છે ત્યાં મોટાભાગે સ્થાનિક જરૂરીયાત માટે ઉગાડવામાં આવે છે. પણ નિકાસ કરવા માટેની સવલત ન હોવાથી ઓછું વાવેતર છે. રાજકોટમાં ઈન્ટરનેશનલ હવાઈ મથક શરૂં થઈ જતાં ફૂલોની ખેતી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ફુલોનું સારું ઉત્પાદન થાય છે. કારણ કે અમદાવાદ હવાઈ મથકેથી તેની નિકાસ થઈ રહી છે. જો સરકાર હજુ સુવિધા વધારે તો નિકાસ વધી શકે તેમ છે. પણ અમદાવાદ હવાઈ મથક ખાનગી બની ગયા બાદ શું ફેર પડે છે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યાં છે.
બે લાખ ટન ફૂલોના ઉત્પાદનમાં એક લાખ ટન તો મધ્ય ગુજરાતમાં થાય છે.
સૌથી વધું ફુલોમાં રસ ધરાવતાં હોય એવા જિલ્લાઓમાં નવસારી, આણંદ, વલસાડ, વડોદરા, અમદાવાદ છે.
ગ્રીન હાઉસ વધું તેમ ફૂલની આંતરરાષ્ટ્રીય બજાર મજબૂત
ખેડૂતો જો ગ્રીન હાઉસની ફૂલોની ખેતી અપનાવવા લાગ્યા છે તેથી ક્વોલીટી ફૂલનું ઉત્પાદન મળવા લાગ્યું છે. ફૂલોમાં સ્થાનિક માંગની સાથે વિદેશમાં સારી એવી માંગ છે. જે ફુલો ગ્રીન હાઉસમાં ઉગાડેલા હોય આંતરરાષ્ટ્રીય ધોરણે તેની ગુણવત્તા અને ક્વોલીટી સારી મળતી હોવાથી વિદેશમાં માંગ સારી રહે છે.
ક્યાં કેટલી નિકાસ
ગ્રીન હાઉસ ખેતીમાં ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતોના ફુલો તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. યુ.એચ.એ. 27%, નેધરલેંડ 14%, જાપાન 13%, જર્મની 6% ફૂલોની નિકાસ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પછી ત્રીજા નંબરે આવે છે.
શીતાગાર વધું તેમ ખેતી વધું
કાપણી બાદ કટ્ફ્લાવર્સને શીતાગારમાં રાખવા જરૂરી છે. ફુલોના સંગ્રણ, પરિવહન અને ઉપયોગ દરમિયાન સારી રીતે ટકી રહે તેવી રાસાયણિક માવજતો આપવી પડે છે. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બજારમાં ધોરણો પ્રમાણે ગ્રેડિંગ કરવુ પડે છે. સારા પેકિંગ, બુકે, બટન હોલ, ફ્લોરલ એરેન્જમેન્ટ, હાર, વેણી, ગજરા બનાવીને બે ગણું વળતર મેળવી શકાય છે.
ફૂલોનું તેલ અને અર્કનું બજાર
સુગંધીત ફુલોમાંથી બાષ્પશીલ તેલ કે અર્ક કાઢી પરફ્યુમરી અને ઔષધિય ઉપયોગ માટે ખેતરમાં જ ઉત્પાદન મેળવી શકાય છે. ફુલોની સુકવણી કરી ફ્લોરલ ક્રાફ્ટસની સારી એવી માંગ ઊભી થઈ રહી છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વનસ્પતિ શાસ્ત્ર વિભાગ દ્વારા ફૂલો માટે આવી ભલામણ કરવામાં આવી છે. નિકાસમાં કટફ્લાવર્સ, ફૂલછોડની ગાંઠો અને બીજ, ફૂલ છોડમાંથી કાઢેલ સુગંધી તેલ અથવા અર્ક વગેરે રૂપમાં પરદેશમાં નિકાસ થાય છે.