In Gujarat, only 2,78,232 women received maternity benefits, 6,000 children died
માર્ચ 27, 2021
કેલેન્ડર વર્ષ 2020માં, ગુજરાતમાં 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના આપવામાં આવે છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે. સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓમાં આરોગ્ય અંગેની સભાનતા વધે તે માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે.
વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવી રહ્યા છે, મેટર્નિટી લીવ 26 સપ્તાહ કરવામાં આવી છે. કમિશનિંગ, એડોપ્ટીંગ માતાઓ માટે 12 સપ્તાહની મેટર્નિટી લીવ, 50 કે તેનાં કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ફરજિયાત શિશુગૃહની જોગવાઈ, જેમાં મહિલાને દિવસમાં ચાર વખત શિશુગૃહની મુલાકાતની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, મહિલાઓને સોંપવામાં આવતા કામના પ્રકારને આધારે મેટર્નિટી લાભ મેળવ્યા બાદ મહિલા અને એમ્પ્લોયરની સમજૂતીને આધારે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપવાની જોગવાઈ અને મહિલાને તેની નિમણૂક સમયે આ કાયદા હેઠળના લાભો અંગે લેખિત અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફરજિયાત માહિતી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં રોજના 18 બાળકો જન્મ લેતાની સાથે જ ગણતરીના દિવસોમાં જ મૃત્યુ પામે છે. ગુજરાતમાં બે વર્ષમાં 1.06 લાખ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. તે પૈકી 69314 બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. જ્યારે 38516 બાળકો સરકારી હોસ્પિટલ સિવાય જન્મ્યા હતા. વધુ સારવાર માટે સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં તબદીલ થઈને દાખલ થયા હતા, જે પૈકી 13500 બાળકો બાળકોનાં મોત થયાં છે. 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લાં 2 વર્ષના આ આંકડા રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં આપ્યા હતા.
સૌથી વધુ મોત અમદાવાદ જિલ્લામાં 3134 બાળકોનાં થયાં છે, એ પછી વડોદરા જિલ્લામાં 1975, રાજકોટ જિલ્લામાં 1834, સુરત જિલ્લામાં 1775 અને જામનગર જિલ્લામાં 1039 બાળકોના સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સારવાર દરમિયાન મોત થયાં છે. વિપક્ષનું કહેવું છે કે, કુપોષણના કારણે થતાં મોત રોકવા સરકારે પગલાં ભરવા જોઈએ.